[12/9, 5:01 PM] Jayshree Patel. Sahityakar: NOG S S N 0079
ગદ્ય :
વિષય: કૃતિને પ્રથમ પુરસ્કાર મળ્યો , અભિવ્યક્તિ
શીર્ષક: પુરસ્કાર
પ્રવિણા
————
આ વખતે ‘સમર્પણ’ સાપ્તાહિકમાં ખરા અંતરથી લેખ લખ્યો હતો. દર વખતે આવી જ ભાવનાથી લખું છું. એવું નથી માનતી કે મને ગમતા લેખ સહુ વાચક મિત્રોને પણ ગમે ? લેખ લખ્યા પછી દિલ ને સંતોષ જરૂર થાય .
આ વાતને મહિનો થઈ ગયો હતો. આજે રાતના મોડું થઈ ગયું હતું . મેજ પર બધું એમનું એમ રાખી સુવાની તૈયારી કરી. ઉંઘમાં આવતા વાર લાગી. ક્યારે નિદ્રા દેવીને શરણે પહોંચી ગઈ ખબર પણ ન પડી. ભાગ્યે જ સ્વપ્ન આવે છે. આજે આવ્યું એટલું જ નહી , સવારે આંખ ખુલી ત્યારે યાદ હતું .
‘ સમર્પણ’માં લખેલી વાર્તાને પ્રથમ પુરસ્કાર મળ્યો હતો. વિષય જરા ગંભીર હતો. મારા વિચાર અલગ હતા. મારા માનવામાં ન આવ્યું. પ્રથમ પુરસ્કાર મળે એ હસી કાઢવા જેવી વાત હતી. મનને મનાવવું પડે એવા હાલ હતા.
ત્યાં ફોનની ઘંટડી વાગી , કાર્યાલયમાંથી વધાઈ આપતો ફોન આવ્યો. સહર્ષ
વિનય પૂર્વક અભિનંદન સ્વીકાર્યા .
માથું ખંજવાળી રહી. આનંદ ઓછો આશ્ચર્ય વધારે થયું. માત્ર એક વાત માનવાનો પ્રયત્ન કરી રહી કે પ્રયાણ સાચા માર્ગ પર યોગ્ય દિશામાં થઈ રહ્યું છે.
ઈશ્વર માં શ્રદ્ધા દૃઢ થઈ ,‘ મન હોય તો માળવે જવાય’. સાહિત્ય તરફ ઝુકાવ મોટી ઉંમરે સંજોગવશાત્ કર્યો, જે ખોટો નિર્ણય ન હતો.
જીવનમાં ઉમંગ અને ઉત્સાહ ટંકાવી રાખવા હોય તો સાહિત્ય અને અધ્યાત્મિકતા એ બંને યોગ્ય રાહ છે. જો જો માનતા આ સત્ય ઘટના છે !
હકીકતમાં સપનું હતું.
બનવાકાળ સવારે ઉઠી ત્યારે મારી મોટી વહુ કહે,’ મા તમારા નામનો કાગળ છે’.
વિચારી રહે મને આ ઉંમરે કોણ કાગળ લખવાનું? ખોલીને જોયું તો મારી લખેલી વાર્તા , “પાછી ફરી”
પ્રથમ પુરસ્કાર પામી હતી.
વધુ તો કાંઈ નહી પણ સ્વ માં વિશ્વાસ વધ્યો. પુરસ્કાર તરીકે મળેલા ૫૦૦૦ રુપિયા
“સમર્પણ “ સાપ્તાહિકને ભેટ રુપે પાછા આપ્યા.
કલમ પર વિશ્વાસ વધ્યો. કલ્પના શક્તિને સતેજ કરવાનો નિર્ણય કર્યો.
પ્રવિણા કડકિયા
[12/9, 5:27 PM] Jayshree Patel. Sahityakar: NOG સાહિત્ય સરિતા(૧)
NG No. — 39
વિષય – લખતા લખતા તમારી કૃતિ(ગદ્ય કે પદ્ય)ને પહેલો ક્રમાંક મળ્યો તે સમયની મનની અભિવ્યક્તિ
પ્રકાર – ગદ્ય -લેખ
શીર્ષક — સંતોષ એ જ પુરષ્કાર
શબ્દો –૩૫૦
આઠમા ધોરણથી વાંચનનો બહુ શોખ હતો. ત્યારે ગુજરાત સમાચાર છાપામાં દર શુક્રવારે આપણી અભિવ્યક્તિ નામની પૂર્તિ આવતી. લગભગ એસ.એસ.સી. માં હતી ત્યારે શુક્રવારની અભવ્યક્તિ પૂર્તિમાં મેં સળંગ ચાર અઠવાડિયા મારા લેખ મોકલ્યાં હતાં અને છપાયાં પણ હતાં. ત્યારે આનંદની જે અવધિ હતી એ અકથ્ય હતી! બધાને કહેતી ફરતી કે મારાં લેખ છાપામાં આવે છે અને બધાની નજરમાં મારો આદર વધી જતો! બધાં મારો એ લેખ વાંચતા. એ હતો મારો અમૂલ્ય શરપાવ. મેડલથીય વિશેષ હતો એ આનંદ. પછી ક્યારેક સ્ત્રીઓ માટે આવતાં શ્રી અને સ્ત્રી નામનાં સામાયિકમાં છૂટક છૂટક લેખ આપતી. ક્યારેક જ્ઞાતિનાં કોઈ સામાયિકમાં પણ લેખ આપતી અને તરત છપાઈ જતાં. ત્યારથી હું મારી જાતને મનોમન લેખક માનું છું.આજે એટલું જલ્દી કંઈ છપાતું નથી. અને લેખકો અને કવિઓ એટલા બધા વધી ગયાં છે કે આપણો નમ્બર જલ્દી લાગે નહીં.
હવે ધીમે ધીમે સાહિત્યનાં ગ્રુપમાં જોડાઉ છું અને લખું છું. સૌથી પહેલાં એક લેખમાં પ્રથમ નમ્બર ગ્રુપ દ્વારા મળ્યો ત્યારે મનમાં એવું અનુભવાયું કે હું સારું લખી શકીશ, ક્યાંક છપાશે અને ક્યારેક નામ અને નમ્બર બંને મળશે!
કોઈ પણ કાર્ય કરીએ ત્યારે એ કાર્ય માટે કોઈ આપણને જાણે, વખાણે અને આપણી પીઠ થાબડે એવું મનમાં ઇચ્છતાં જ હોઈએ છીએ. લેખમાં પહેલો નમ્બર આવ્યો ત્યારે એ લેખનાં જજની મનમાં ખૂબ પ્રશંસા થઈ ગઈ. થોડુંક ફુલાઈ ગઈ, થોડુંક છલકાઈ ગઈ! નવું નવું લખવાનો ઉત્સાહ વધવા લાગ્યો. ત્યારથી એક લેખક બનવાનાં સપના જોવા લાગી હતી પણ પછી બન્યું એવું કે વાંચતી બહુ, એ વાંચ્યાં પછી મનમાં એ પુસ્તક પ્રત્યે મનમાં જે વિચારો આવે એ ડાયરીમાં લખતી! ક્યારેક આજુબાજુ બનતી કોઈ સારીખોટી ઘટના જોઈને પણ ઘણું બધું લખાઈ જતું! જીવનનાં જુદા જુદા અનુભવોએ પણ મનમાં ઘણું ઉભરાતું અને કાગળ ઉપર લખાતું પણ બધું જ બંધ ડાયરીમાં!
નંબર, ઇનામ, મેડલ કે કોઈ પણ પુરષ્કાર રચના કર્તાઓ માટે ખૂબ મોટું પ્રોત્સાહન પૂરું પાડે છે! પણ એવું કંઈ ના મળે તો પણ આપણી રચના કે લેખ માટે આપણને જાતે સંતોષ થાય એનાં જેવું ઇનામ બીજું કોઈ નથી. અત્યારે ક્યારેક મારી કોઈ પણ રચનાને નંબર મળે ત્યારે તો પણ મનને એનો આનંદ નથી આવતો એવું બને છે. આપણી જ રચના આપણને નંબર મળી શકે એવી ના લાગે ત્યારે એ નંબરનું કોઈ મહત્વ રહેતું નથી.
પ્રફુલ્લા “પ્રસન્ના”
અમદાવાદ
[12/9, 5:30 PM] Jayshree Patel. Sahityakar: NOG SS no.-0007
વિષય : લખતાં લખતાં તમારી કૃતિને પ્રથમ ક્રમાંક મળ્યો તે સમયની મનની અભિવ્યક્તિ
પ્રકાર : ગદ્ય
શીર્ષક: લેખક તરીકે પ્રસ્થાપિત કરનારો પ્રસંગ
વિષય વાંચી મને એક આજથી પાંત્રીશ વર્ષ જૂનું સંભારણું નજર સમક્ષ તરવર્યું . તે સમયે “સંદેશ” ન્યુઝપેપર માં ” સંસાર દર્પણ ” નામની એક કોલમ આવતી હતી . જેમાં આપણા ગ્રુપની જેમ જ એક વિષય આપવામાં આવતો .
મજાની વાત એ હતી કે એમાં આપવામાં આવતા વિષયો ગુજરાતી નાટકો જેવા બહુ જ ફની રહેતા . જેવા કે , ” પારકી પંચાતમાં પતિ ખોયો ” , ” ઘેર ઘેર માટીનાં ચૂલા “.
એમાં સૌ પોતાની કૃતિઓ મોકલી આપતા . એમાંથી નિર્ણાયકો દ્વારા પસંદ થયેલી શ્રેષ્ઠ ત્રણ કૃતિઓ ને રૂપિયા 51/- , 31 /-, અને 21 /- એમ રોકડ પુરસ્કાર અપાતા . અને એ કૃતિઓને દર ગુરુવારે ન્યુઝપેપરમાં પ્રસિદ્ધ કરવામાં આવતી . તે સિવાય પણ બાકીની કૃતિઓ પૈકીની છ સારી કૃતિઓનાં લેખકોના નામ પ્રસિદ્ધ કરવામાં આવતા .
શરૂઆતમાં હું એનો વાચક હતો . હું ગુરુવારની રાહ જોતો . અને એક શ્વાસે આ કોલમ વાંચી લેતો . મને આ હળવા પ્રકારનું મનોરંજન ખૂબ ગમવા લાગ્યું . અને એક દિવસે હિંમત કરીને મેં પણ એમાં ઝંપલાવ્યું .
એમાં કોમ્પિટિશન ખૂબ ટફ હોવાને કારણે મારી મોકલેલી કૃતિઓ પસંદગી પામતી ન હતી . એથી થોડી નિરાશા થતી પણ રસનો વિષય હોઈ લખવાનું અને એને મોકલવાનું ચાલુ રાખ્યું .
અચાનક એક દિવસ ચમત્કાર થયો . પરિણામની યાદીમાં ગણનાપાત્ર કૃતિઓમાં પ્રથમ સ્થાને મારું નામ છાપાયેલ હતું. જોકે પ્રથમ ત્રણ વિજેતા કૃતિઓની યાદીમાં હું સ્થાન પામી શક્યો ન હતો . છતાંય સંદેશ જેવા માતબર છાપામાં લેખક તરીકે આપણું નામ છપાય , કોને આનંદ ન થાય . એ દિવસે મારી ખુશી સાતમે આસમાને હતી .
ત્યાર બાદ મારી હિંમત વધી અને મે નિયમિત રીતે એ કોલમના વિષયો પર લખવાનું ચાલું રાખ્યું . આખરે મારી તપસચર્યા ફળી . મારી કૃતિ પ્રથમ વિજેતા બની અને મને રૂપિયા એકાવનનું મની ઓર્ડર પ્રાપ્ત થયું ત્યારે વિશ્વવિજેતા સિકંદર સમી મારી હાલત હતી .
બસ ત્યારથી મારી કલમ યાત્રાની શરૂઆત થઇ .
જશુભાઈ પટેલ