[12/6, 4:49 PM] Jayshree Patel. Sahityakar: NOG SS. NO .0095
વિષય :– પ્રકૃતિ સાથે યાદગાર પ્રવાસ
પ્રકાર :– ગદ્ય
શીર્ષક:-યાદગાર પ્રવાસની મજા
જેને સંગીત ગમતું હોય એને પ્રવાસમાં અમુક જગ્યા વિશેષ ગમી જાય અને એમ થાય કે ક્યારેક સપનામાં વિચાર્યું હતું એવી મજા આ પ્રવાસમાં આવી. મને યાદ છે.
એક મસુરીનો પ્રવાસ , આમ તો મસૂરી એ પહાડોની મહારાણી કહેવાય ત્યાંના લોકો એને હિન્દીમાં પહાડીઓની મહારાણી કહે. એ મસૂરીનાં રસ્તે જ્યારે અમે જતા હતા ત્યારે પહાડી રસ્તાની આસપાસ પાણીનાં ખળખળ વહેતા ઝરણાં જેમાંથી પાણીનાં નાના ધોધ વહેતા હોય અને એ નીચેના ઝરણામાં પડે, મારાથી ડ્રાઇવરને કહેવાઈ ગયું કે ધીરે ચલાવોને આ સંગીત માણવું છે પણ પહાડી પર ચડતી વખતે કે ઉતરતી વખતે એ શક્ય ના બને પણ છતાં ચાલતી બસમાં એ ઝરણાથી વહેતા સંગીતમય ધોધને માણવાની મજા આવી અને ત્યારબાદ ઉપર પહોંચ્યા અને જાણે વાદળ વહાલ કરી આગળ જાય એવું વાતાવરણ ! ખુશનુમા ઠંડી અને આસપાસ વાદળ ,બોલીએ તો મોઢામાંથી નીકળે વાદળ અને નીચે નજર કરીયે તો તળેટીમાં વાદળ બસ એમ થાય કે,બસ બે કે ત્રણ દિવસ આ જ વાતાવરણમાં રહીએ તો મજા આવી જાય માત્ર શરીરનો નહિ પણ મન હૃદયનો પણ થાક ઉતરી જાય.
આમ પણ કુદરતની કમાલ હોય છે બસ મન તરબતર કરી દે એવી મૌસમની ધમાલ હોય છે.
વહેતા ઝરણાં અને નાની મોટી ઊંચાઇએથી પડતા ધોધમાં ગજબનું સંગીત હોય છે ,વહેતા ઝરણાંમાં સંગીત વહેતુ હોય છે અને એ સાથે મંદ મંદ હવામાં પંખીઓના કલરવ જાણે દુનિયાના સંગીતકાર ઈશ્વરના ગીતો ગુંજતા હોય! પણ કરુણતા એ હોય છે કે આ વાતાવરણ અને કુદરતની લીલા જે માણી શકે એ જ માણે પણ અમે તો માણ્યું મન ભરીને.
એવું નથી કે આ વાતાવરણની મજા ઉત્તરમાં જ હોય આપણા મલક ગુજરાતમાં પણ અમે માણી ,નર્મદાના કાંઠે બારેમાસ વહેતી પવિત્ર નદી અને એની આસપાસ ધર્મ અને આધ્યાત્મિક વાતાવરણ. એ મજા પણ અમે લીધી છે એક તરફ વહેતી નદી હોય અને બીજી તરફ ઘટાદાર વૃક્ષોની હારમાળા હોય અમે તો એના છાંયડે પણ મોજ માણી અને એવી મજા અમે રાતની માણી કચ્છના સફેદ રણમાં એમ લાગે કે આખા રણમાં જાણે ચંદ્રએ
ચાંદની પાથરી દીધી છે…….
પ્રવાસ માત્ર ફરવા માટે જ ના કરાય પણ જાણવા અને માણવા માટે કરાય કુદરતની લીલામાં ખોવાઈ જવા માટે કરાય. બસ કોઈ પણ દવા વગર કુદરતના સાનિધ્યમાં દર્દની પીડા ભૂલવા અને રોગ મુક્ત થવા કરાય. વહેતા ઝરણાં, ધોધ,હવામાં ખળખળ થતા વૃક્ષના પાંદડા અને એ સાથે જ પંખીઓનો કલરવ માણો તો લાગે સંગીત કોઈ જુદા સૂરોમાં રેલાય છે કદાચ આ પંખીઓ એ માણતા જ કિલ્લોલ કરતા હશે અને એટલે જ રચાતું હશે સંગીત. આવા પ્રવાસો એટલે મારા યાદગાર પ્રવાસો.
દીપિકા ચાવડા ” તાપસી “.
[12/6, 4:53 PM] Jayshree Patel. Sahityakar: NOG SS NO.0081
વિષય : પ્રકૃતિ સાથે પ્રવાસ
પ્રકાર : ગદ્ય
શીર્ષક : મરુભૂમિની મીઠી યાદો
મોરની બાગામા બોલે આધી રાતમાં…
ફિલ્મ લમ્હેનાં આ સુંદર નૃત્ય ગીતે એ રણને જોવાની તાલાવેલી જગાડી.
લીલોતરી ઓછી વત્તી બધે જ જોવા મળે પણ આવું અફાટ રણ, તેમાં કુદરતી રીતે સર્જાતા રેતીનાં ટીલાં જોવાં તો જેસલમેર જવું પડે.
જોધપુરથી જેસલમેર પહોંચતા રસ્તે બંને બાજુ અધધ પવનચક્કીઓ જોઈ જે ખૂબ મોટાં પ્રમાણમાં
વીજળી ઉત્પન્ન કરે છે. સોનેરી ઝાંયવાળા પીળા ખડક અને માટી પથરાયેલાં હોવાથી એક અનોખાં પ્રકારની શોભા હતી એ પ્રદેશમાં.
પનિહારીઓની જુદી જુદી ટોળીઓ અને આંખોમાં વસે એવાં રંગબેરંગી પરિવેશમાં એમનાં ચમકતાં બેડા અને મલપતી ચાલ .
વચ્ચે વચ્ચે મોર દર્શન દઈ પ્રકૃતિ સંગ હોવાની યાદ આપતાં હતાં.હોટલમાં બે હારમાં સુંદર તંબૂઓ અને વચ્ચે આ બળબળતા રણમાં સુંદર ફૂલોનાં છોડ. તંબૂમાં દરેક સુવિધાઓ સહ સુંદર પારંપરિક સુશોભન.
રેતીનાં ટીલામાં જીપ દ્વારા સફર કરવા દોડ્યાં.અફાટ રણમાં પવન દ્વારા રેતી સ્થળાંતર થઈ ટીલાં બનાવી દે તો બીજે ખાડો.આવા વિરોધાભાસી જમીનસ્તર પર જીપમાં પ્રવાસ એટલે પેટમાંથી આંતરડા બહાર આવી જાય તેથી ચારેકોર ચીસાચીસ.
ત્યાં જ વચ્ચે થોડી સપાટ જગ્યાએ ઊતરી ફોટા પાડવા વિરામ અપાય પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા ઘૂંટણભર રેતીમાં ચાલવું દુષ્કર લાગે એટલે એકાદ ફોટો પાડી પાછાં. રેતીમાં ઈશ્વરની ભાત જોઈ અભિભૂત.
ઊંટની સવારી પણ ડરતાં કરી કે એનાં તો અઢાર વાંકા ,આપણને એક વાંકું પરવડે ખરૂં !એક ઊંચાણવાળી જગ્યાએથી રમણીય સૂર્યાસ્ત જોયો અને માણ્યો.
ગરમાગરમ વાળુ બાદ રાજસ્થાની લોકનૃત્યને ખુલ્લાં આકાશ નીચે માણ્યું.સગડીની હૂંફ ,ગરમાગરમ ચા- ભજીયાં વાહ. નિંદ્રાધીન થવા સુધી એ તાલબદ્ધ નૃત્ય મનમાં રમી રહ્યું.સવારે પંખીઓ જાણે પથારીમાં બોલતાં હોય એટલી નિકટતાનો અનુભવ થયો તંબૂમાં.
આગળ હોટલનાં આંગણાંમાં પાંચ સાત અતિ રૂપાળાં મોર ચરવા આવ્યાં હતાં.એ એટલાં માનવ હેવાયા હતાં કે આપણાં હાથમાંથી પણ ચણ લેવા આવે.યાદગીરી તરીકે પીળો પાણો લીધો જે આજે ય યાદોને તાજી કરી દે છે.
જોધપુર આવી કેર- સાંગરીના શાકની લહેજત માણી.દિવસભરમાં વિવિધ હવેલી જોઈ. સાંજે વ્યાસ છત્રી નામની જગ્યાએ વિવિધ રાજાઓની ખાંભી જોઈ જે આરસપહાણની અનુપમ કારીગરીથી બેનમૂન બની ગઈ છે.અનેક ફિલ્મોમાં એનો સમાવેશ છે.
ત્યાંથી રણનો બીજો એક સૂર્યાસ્ત માણ્યો અને જેસલમેરનું વિહંગાવલોકન કર્યું.ગડીસર લેકની મુલાકાત પણ યાદગાર રહી જે એક સરોવરમાં સુંદર સ્થાપત્ય છે.
આ સમગ્ર પ્રવાસ પૂર્વજો વિશે સન્માન જ ઉપજે એવો હતો પણ આ બધાંને સ્વચ્છ ન રાખી શું આપણે એને લાયક છીએ એ યક્ષપ્રશ્ન કનડી રહ્યો.મરુભૂમિને વંદન.
# માયા દેસાઈ
મુંબઈ ભારત.
[12/6, 4:57 PM] Jayshree Patel. Sahityakar: NOG SS NO – 0050
વિષય – પ્રકૃતિ સાથે પ્રવાસ
પ્રકાર – ગદ્ય
શીર્ષક – અનેરો આનંદ.
………………………………..
મનગમતાં સ્થળની મુલાકાત લઈ કુદરતનાં સાનીધ્યમાં જઈને સૌંદર્યને માણવું. આત્મસાત કરવો નોંધપોથીમાં
કંડારવુ. પ્રકૃતિનાં સાનિધ્યમાં સુશ્રુત આનંદ વિભોર બનવું આભ ને અવની ને ગળે મળે એ મિલન નિહાળી કૃતજ્ઞ થવું. પુષ્પ ચમનનાં વસંત આગમનથી પ્રકૃતિ મહેંકી ઉઠશે મહામૂલ્ય વારસો આપણો પ્રકૃતિનો. અવની હરિયાળી જ લાગે પ્રકૃતિનાં ખોળે વહેતાં ઝરણાં નિહાળવા પહાડેથી રૂમઝૂમ વહેતી નદીઓ . શબ્દોમાં સુવાસ પ્રસરે ધરતીની સોડમે સારસ્વતબ્રહ્મ ધબકતાં એવો અનેરો આનંદ મને થવા લાગ્યો.
જ્યારે (સસરાજી) પપ્પાજી એક કૈલાસ ટેકરી પર આપણી ઘરેથી “અંબાજી” “દેવી ભાગવત” રાખવાનું છે . એવું કહ્યું કે ચલો તૈયારી કરવાં માંડો. બેગો ભરવાં માંડો. સૌથી પરિચિત અંબાજી ધામ સુંદરતા અગ્રણ્ય ૧૧ દિવસ પ્રકૃતિની સાનિધ્યમાં વિતાવવાના છે .ધાર્મિક કાર્યક્રમ બધી તૈયારી વરજી અને સસરાજીએ કરી લીધી હતી. દરરોજ સવારે જઈને બેસવાનું હતું, હાજરીપુરવાની હતી અને સૌંદર્યને માણવાનો હતું.
પરિવાર સહિત દેવી ભાગવત માણવાનો અનેરો આનંદ લઈએ હિલ્લોળા લેતો બધાં સાથે રહેવાનો અને પ્રભુ ભજનમાં ગાળવાનો સમય. મારામાં રહેલી અનેરી કળા જે કાઈપણ વસ્તુ માંથી ભગવાનની આરતી ડેકોરેશન કરવાનું અને આખો દિવસ દેવી ભાગવત સાંભળવાની અનેરી ખુશી સાથે સાંજે સમાપ્તિ વખતે સંધ્યા આરતી માટે આતુર કે હું કેવી આરતી ડેકોરેશન કરી હશે એ “મહા મંડલેશ્વર માધવાનંદ ગીરીજી સ્વામી” પણ આતુર રહેતી.
પ્રકૃતિ સાથેની સાનીધ્યતાથી અતિ આનંદ ઉરમાં વહેતો. માતાજીનાં દર્શને વહેલી સવારે જવું, સુગંધી ફૂલો લાવવાં અને પ્રકૃતિનાં ખોળે ઉગતો ભાનું ને અસ્ત થતો સૂર્યને નિહાળવું. કેટલું રમણીય. મારું મૌન લય, તલ અને શબ્દનાં સંગે નાચી ઉઠ્તુ. પ્રકૃતિ સાથે વાર્તાલાપ કરતી તાલમેલ સાધી સુશ્રુત તેમાં અવાક થઇ ડૂબી જતી. સાનભાન ભૂલીને કરી માયા પડળની અનાવૃત્તિ અમર સંસ્કૃતિ હૈયે જોડી દેવાય પ્રાણને પ્રકૃતિને. અસીમ તૃપ્તી થાતી મને. અનેરો આનંદનો પ્રવાસ ક્યારેય નહીં ભૂલી શકું. મારાં મંદિરનાં કોડિયામાં એક ઠેકાણે કંડારી લોક કરું. ત્યારે મારી નજર સમક્ષ આવી જાય છે પૂર્ણ પ્રવાસ પ્રકૃતિનો..!
રાગીની શુક્લ “રાગ”
મુંબઈ, કાંદિવલી
[12/6, 5:05 PM] Jayshree Patel. Sahityakar: NOG NO. : 0064
વિષય : પ્રકૃતિ સાથે પ્રવાસ
પ્રકાર : પદ્ય
શીર્ષક : એવા ગિરનારને સહુ નમે
પહાડોની હારમાળા વચ્ચે,
અડગ અડીખમ ગઢ ગિરનાર.
પ્રકૃતિ જેને ખોળે રમે,
એવા ગિરનારને સહુ નમે.
અલખ, અઘોરી, અવધૂત,
ગુરુદત્તને નમે ગોરખ ટૂંક.
શિવની આસ્થામાં સહુ ભમે,
એવા ગિરનારને સહુ નમે.
રજે રજ અને કણે કણમાં,
જીવંત શિવ ભળે જીવમાં.
દેરીએ દેરીએ જ્યાં શીશ નમે
એવા ગિરનારને સહુ નમે.
ઝરણાંનાં ખળભળાટ, પક્ષીના કલબલાટ,
સિંહની ગાજતી ડણક વચ્ચે પણ,
અપાર શાંતિ મન જ્યાં પામે,
એવા ગિરનારને સહુ નમે.
ચોમેર જ્યાં વિસ્તરેલી વનરાજી
ગૂઢ રહસ્યોની મળી જતી ચાવી,
જ્ઞાન, વિજ્ઞાન, ઔષધીઓ આ ધરાને ગમે,
એવા ગિરનારને સહુ નમે.
જયાં જતિ-સતી ને સંતોનો વસવાટ,
મુક્તિનો દ્વાર દામોકુંડ વખણાય.
અલખ કેરો ગુંજે અવિરત નાદ,
એવા ગિરનારને સહુ નમે
નેહા બગથરીયા
[12/6, 5:49 PM] Pradip: NOG SS No :0001
વિષય : પ્રકૃતિ ની ગોદમાં પ્રવાસ
પ્રકાર : ગદ્ય
રાજકોટ જિલ્લાના પાટણવાવ ગામે ઓસમ પર્વત આવેલો છે..જ્યાં વનરાજી વચ્ચે ૩૧૦ પગથિયાં ઉપર ચઢીને ટપકેશ્વર મહાદેવ આવે છે..બાજુમાં ખત્રી.બ્રહ્મ ક્ષત્રિયો ની કુળદેવી માતડી માતા નું મંદિર પણ પર્વત ઉપર આવેલું છે.ખૂબ રમણીય સ્થાન..પાંડવો ના પડાવ ની જગ્યા..જ્યા હજુ ભીમ ની થાળી છે..કહેવત પ્રમાણે
ઓસંમ પર્વત ઉપર થી હેડંબા ઉડી હતી જ્યા તેના રણકાર ના અવાજો ક્યારેક સંભળાય તેવી માન્યતા… ગૌ મુખી માથી સતત શિવલિંગ ઉપર પડતું પાણી જાણે કુદરતી અભિષેક બારેમાસ ચાલુ હોય તેવું દૃશ્ય…૪૫ વરસથી વિનુભાઈ પાઠક નામના સ્થાનિક પાટણવાવ ના રહીશ પૂજારી આજે પણ કાયમ સવારે પર્વત ચઢી પૂજા અર્ચના કરી સાંજે આરતી કરી પરત ફરે છે..ગોંડલ સ્ટેટ વખતે ગાયકવાડ સરકાર માં અભિભૂત જીર્ણોદ્ધાર થયેલ આ અહિતિહાસીક ટપકેશ્વર મહાદેવ ના મહિમા ને લીધે દર સોમવાર અનેક લોકો માનતા માટે પૂજા કરવા આવે છે..હું પણ ૨૮ વરસ થી લગાતાર શ્રાવણ માસ સોમવાર અને તહેવારો માં પણ પરિવાર સાથે પૂજા અર્ચના કરવા જાઉં છું..ચારે બાજુ મોર ના ટહુકા નો અવાજ.જુદા જુદા જુદા પક્ષીઓ નો સવાર સાંજ કલરવ..પહાડ ઉપર થી દુર થી ગિરનાર ના દર્શન…પહેલા કેડીએ ચાલી ને પર્વત ચઢવો પડતો હતો પણ હવે તો છેક સુધી પગથિયાં બનાવવામાં આવ્યા છે..ઉપર ચાહ,પાણી જમવાનું બનાવી ને પિકનિક માણી શકાય તેવી સુંદર મીની સ્વિત્ઝલેન્ડ ની યાદ અપાવે તેવી રમણીય જગ્યા છે .જુદી જુદી વનસ્પતિઓ લેવા આયુર્વેદ ના જાણકાર લોકો આ ઓસંમ પર્વત ખુંદે છે.શ્રાવણ માસમાં ભારે ભીડ અહી જામે છે.આ ચમત્કારિક શિવલિંગ ની પૂજા અર્ચના કરવાથી લોકોએ માનેલી તેમની ઈચ્છા પૂર્ણ થયા ના અનેક કિસ્સા છે..રાજકીય લોકો પણ અહી લઘુરુદ્ર કરાવી પોતાની માનેલી ઈચ્છા પાર પાડી ચૂક્યા છે.રાજકોટ થી ગોંડલ.જેતપુર,ધોરાજી થઈ ત્યાંથી ૨૧ કિલોમીટર પાટણવાવ પહોંચી શકાય છે..જીવન માં આવો લહાવો એકવાર માણવા જેવો છે..હું પરિવાર સાથે આજે સવારે જ ટપકેશ્વર મહાદેવ થઈને ગાંધીનગર ઘરે પહોચ્યો છું..ઘરમાં દીકરી નો પ્રસંગ પૂર્ણ કર્યા પછી પરિવાર સાથે સોમનાથ મહાદેવ અને ટપકેશ્વર મહાદેવ ની યાત્રા પૂર્ણ કરી ને ઘરે આવ્યા…આશા છે આપને પણ મહાદેવ નું પવિત્ર સ્થાન ગમશે..
પ્રદીપ રાવલ..સંચાલક
[12/6, 6:30 PM] Jayshree Patel. Sahityakar: NOG : 100
વિષય : પ્રકૃતિ ની ગોદમાં પ્રવાસ
પ્રકાર : પદ્ય
શિર્ષક : *તડકાની બારી*
ધરતીની ધુમ્મરીમાં ઘૂમી ઘૂમી હું,
કુંપણ છું ઉપવનમાં વિકસ્વા આવું.
ગર મલે તું મને જો મારા ઓ ખુદા ,
માથે ઝાકળના ઝબકારા જાલી લાવું.
સૂર્યની આંચથી ફૂલોં મંદ મંદ મલકે,
થોરનું લીલું પાન તોડી જોવા આવું.
ચકલીની છાતીએ હુંફાળો ટહુકો લખી,
ડાળીએ કાગળા પોપટ વાયરા લાવું.
મને ચાર પાંચ કુંપણ ફૂટવાનો વૈભવ,
તડકાની બારી હું વસંત જોવા આવું.
~ *બીજલ જગડ*
મુંબઈ ઘાટકોપર