[12/4, 5:07 PM] Jayshree Patel. Sahityakar: NOG સાહિત્ય સરિતા ગૃપ
NOG NO.0059
વિષય: પ્રકૃતિ સાથે પ્રવાસ.
પ્રકાર:ગદ્ય લેખ-‘ પ્રકૃતિ વર્ણન’.
શીર્ષક: ‘અવિસ્મરણીય અનુભવ’
શબ્દો: ૨૮૮
પ્રકૃતિ સાથે, માનવજીવન તેનાં જન્મથી મૃત્યુપર્યંત જોડાયેલુ રહે છે, પછી તે તેના સ્વભાવના અનુસંધાનમાં હોય કે કુદરતી વાતાવરણના સંબંધે કે પછી તેનાં શારીરિક આરોગ્ય સાથે!
આમ માનવ જન્મ,પણ પ્રકૃતિની દેણ છે ને !
પ્રકૃતિ વગર, માનવજીવનની કલ્પના પણ અસંભવ,કેમ ખરુંને?
પ્રકૃતિ,એ સમગ્ર સૃષ્ટિની આન- બાન-શાન છે.
પ્રકૃતિ એટલે કુદરતની
અકળલીલા ! જે અનેક સ્વરૂપે
આપણે જોઈ શકીએ છીએ તેમજ અનેક રીતે માણીએ છીએ.
પ્રકૃતિ સાથે પ્રવાસ માણવો, એટલે નજરોનજર કુદરતનાં કરિશ્માનો સ્વાનુભવ,અનુભૂતિ !
હા, પ્રકૃતિનું સાંનિધ્ય એટલે બહારગામ જવું, જરૂરી નથી તેમ અમે તે સમયે સ્વીકારતાં હતાં ,હોઈ શકે તે સમયની અમારી કલદારની કમી !
‘પ્યારે’, બચપણથી જ પાણીનો પ્રેમી,ગામની નદી સાતલી નદી, તેનો વિશાળ પટ, નદીકાંઠે બન્ને બાજુએ શોભતાં ઊંચા આકાશ ને આંબવા મથતાં ખજૂરીનાં વૃક્ષો, તેમ જ ચોગરદમ વિવિધ જાતની નૈસર્ગિક રીતે ઉગેલી વનરાઈ,લીલીછમ હરિયાળી, નદીકાંઠાની રેતીને પણ શોભાયમાન કરે.
સવારનાં દસથી બપોરના બાર સુધી અમારા પાંચ મિત્રોનું સાનિધ્ય નદીની સુંદરતામાં ચાર ચાંદ લગાવે! અરસપરસનો આટલો સુદ્રઢ સંબંધ હતો અમારો.
આ હતી અમારા ગામની નદી સાતલીની શાલીનતા .
સમજોને સોના સાથે સુગંધનો સમન્વય !
હા, પાણીનાં વધુપડતાં સહવાસથી શરીર ઉપરની સફેદ ચામડી, શ્યામલ રંગને ચાહે.અને તેની સજારૂપે થોડા થોડાં દિવસે ઘરનાં વડીલોની નજરકેદમાં રહેવું પડે.જેનું ફરજિયાત પાલન કરવું પડે.ત્યારે,પ્રકૃતિનો સ્વીકારભાવ , મને – કમને સ્વીકારવોજ પડે !
એક વખત નદીની વચેં પડેલાં ઊંડા ઘૂનામાં અમારા બે મિત્રો ફસાઈ ગયાં, અમારા બધાનાં હોશકોશ ઊડી ગયાં હતાં,તે સમયે, અમને આકુળવ્યાકુળ
જોઈ,નદી કિનારેથી પાસ થતાં ગાડાવાળાની મદદથી અમારા બંને મિત્રોની જાન બચેલી તે વાત યાદ કરતાં આજે પણ શરીરમાં ઝણઝણાટી આવી જાય છે ,છતાં ખુદની જન્મભૂમિનાં તટ ઉપર માણેલી પ્રકૃતિની મધુરતા-સુંદરતાનું સ્મરણ આજે પણ અકબંધ , તાજગીભર્યું છે.
વાહ પ્રકૃતિ , વાહ તારો નજારો,
‘પ્યારે’યાદ છે,સાતલીનો કિનારો!
.©️ જયકાન્ત ઘેલાણી ‘પ્યારે’.
[12/4, 5:10 PM] Jayshree Patel. Sahityakar: NOG સાહિત્ય સરિતા ગૃપ
NOG NO.32
વિષય: પ્રકૃતિ સાથે પ્રવાસ.
શીર્ષક:કાશ્મીરની સૈર
નસીબ કયારે ખૂલે છે એની ખબર જ નથી પડતી, અચાનક જ મારો મોટો દીકરો કહે મોમ આપણે કાશ્મીરની સૈર કરવા જઈશું?. મને તો જાણે સપનુ લાગ્યું. અને જાણે સપનામાં ઉડવા લાગી. ચિત્રોમાં જોયુ હતું એ કાશ્મીર..હા હા.. કેમ નહી બધાની મંજૂરી હોય તો જરૂર જઈએ.
ખરેખર મારા મેરેજનાં હનીમૂનનું આ ગ્રેટ સપનું હતું જે પૂરું થવા જઈ રહ્યું હતુ…નક્કી કર્યા મુજબ ફ્લાઇટમાં ઉડ્યા જાણે આકાશનો નજારો જોયો… એવું થાય છે કે મનમાં જે વિચારીએ એ ભગવાન પૂરું કરે જ છે.
શ્રીનગરનાં ડાલ સરોવરની સૈર, શિંકારામાં હરવું ફરવું , હાઉસબોટમાં રહેવું એક અદ્ભૂત આનંદ હતો.જાણે કુદરતનું સ્વર્ગ એવુ કાશ્મીર. સોનમર્ગ અને ગુલબર્ગ આચ્છાદિત બરફમાં સ્લેજ ગાડીમાં બેસી જે આનંદ માણ્યો એ અનેરો હતો જાણે શબ્દમાં વર્ણવી નથી શકતી.
પહેલગાંવમાં એક સુંદર હોટલમાં નિવાસ કર્યો. એક સુંદર સાઈટ સીન બાયસરન જોવા અમે ઘોડેસવારી કરીને ગયા.એક અનોખો આનંદ હતો.તબડાક કરતો જાય ઘોડો દોડતો.. એક ડર પણ હતો પડી જવાનો…પણ આનંદ જેનું નામ…મારુ સપનુ કાશ્મીર જવાનું 1978નું 2011 માં સાકાર થયુ.
મીના માંગરોલીયા મીનુ
અમદાવાદ
4/12/2021
[12/4, 5:13 PM] Jayshree Patel. Sahityakar: Nog: ss 0082
વિષય: પ્રકૃતિ, એક જીવનનો
મહામૂલો ઉપહાર,
પ્રકર: ગદ્ય,
શીર્ષક: ધરતી અને પ્રકૃતિનો સંગમ,
જલ, વાયુ, સૂર્ય પ્રકાશ, ચંદ્રમાં
આ બધું જે જીવો આ ધરતી ઉપર જીવે છે તેના માટે એક આશીર્વાદ રૂપ છે,
શિયાળામાં સુંદર શિત લહર,
ઉનાળામાં ગરમ ખુશનુમાં હવા,
ચોમાસામાં મેઘધનુષ્યનું કુદરતી
આહવાન, દરેકનાં જીવનમાં એક
આહલાદક અનુભૂતિનો અહેસાસ કરાવે છે,
પ્રકૃતિ સાથે જીવવાની એક કળા છે,
” બહારો ફૂલ બરસાઓ મેરા
આંગન ફૂલો સે ભરા હૈં ।
જીવન ત્રણેય ઋતુ પ્રમાણે જીવવા ટેવાયેલું છે, સમગ્ર વિશ્વમાં ભારતની મિટ્ટીમાં ઉછરેલ માનવી ક્યાંય નાસીપાસ થતો નથી, ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા જગતનાં ખૂણે ખૂણે પોતાના આત્મબળથી એક
ખમીર સાથે સદાય અગ્રેસર થઈ
જ્વલંત સફળતા પ્રાપ્ત કરે છે,
ભારતીય જન દરેક પ્રકારના
વાતાવરણમાં જીવવાની એક
અનોખી શક્તિ ધરાવે છે,
તેમાં પ્રાકૃતિક ગુણો મહત્વનો ભાગ ભજવે છે,
ધરતી રસાધાર છે,
ધરતી મા સ્વરૂપે બિરાજી પોતાના સંતાનોને સદાય અનુપમ
પ્રેમ, ગોદ, આશ્રય, માતૃત્વ,
અને અનંત પ્રેમની અનુભૂતિ કરાવે છે,
આ ધરતીનું આપણે જેટલું પણ ઋણ અદા કરીએ તેટલું ઓછું છે.
ડો અનિરુદ્ધ વ્યાસ
નડિયાદ
[12/4, 5:19 PM] Jayshree Patel. Sahityakar: NOG SS NO. 0095
વિષય :- પ્રકૃતિની સાથે યાદગાર પ્રવાસ
પ્રકાર :- ગદ્ય
શીર્ષક :- બદ્રીનાથ નો સુંદર નજારો
પ્રવાસથી મળતો આનંદ જીવનભર યાદ રહે છે .એવો જ એક પ્રવાસ છે બદ્રીકેદારનો !
અમે ઉત્તર ભારતનાં સુપ્રસિદ્ધ યાત્રાધામ બદ્રીકેદારની યાત્રાએ ગયા હતાં. એક સુપ્રસિદ્ધ સંતના માર્ગદર્શન હેઠળ અમે પંદરથી સોળ જેટલા મિત્રોએ સાથે મળીને આયોજન કર્યું હતું. અમદાવાદથી અમે રેલ્વે દ્વારા દિલ્હી પહોંચ્યા. ત્યાંથી બસ દ્વારા હૃષિકેશ પહોંચ્યા. એક દિવસ રોકાણ કર્યું. ગંગા સ્નાન કરીને થાક ઉતાર્યો. બીજે દિવસે બદરીનાથ જવા ઊપડ્યા.
પર્વતોના સર્પાકાર આકારથી શોભતા રસ્તાઓ જોતાં જોતાં અમે જોશીમઠ પહોંચ્યા. ત્યાં રાત્રી રોકાણ કર્યું. બીજે દિવસે સવારે અમે બદરીનાથ પહોંચ્યા. ઊતારામાં પહોંચી ને સામાન મૂકીને જમવા બેઠા. બપોરે બદરીનાથનાં મંદિરે દર્શન કરવા ગયા .મંદિરની બંને બાજુએ ગરમ પાણીનાં કુંડ છે , જેમાં ન્હાવાથી થાક ઉતરે છે .ત્યાં સ્નાન કરીને આગળ વધ્યા. દર્શન કરીને ધન્યતા અનુભવી. રાત્રિરોકાણ પણ ત્યાં જ કરીને વહેલી સવારે ઉઠીને ચારેતરફ બરફ છવાયેલો જોઈને ઝૂમી ઉઠ્યાં. બરફનાં ગોળા બનાવીને મસ્તી કરવાની બહુજ મજા આવી.
બીજે દિવસે ત્યાંથી નીકળી ગૌરીકુંડ પહોંચ્યા. અહીં પણ ગરમ પાણીનો ઝરો સતત વહેતો રહે છે એમાં સ્નાન કરીને તાજગી મેળવી .સવારે ટટ્ટુ પર સવારી કરીને કેદારનાથ ગયા. ઘણાં યાત્રિકો પગપાળા ને ઘણાં ડોળીમા જતાં હતાં. ચારેતરફ બરફથી આચ્છાદિત પર્વતોની મધ્યમાં આવેલાં મંદિરની રમણીયતા જોઈને હૈયું પુલકિત થયું. ત્યાંથી ગૌરીકુંડ પરત આવ્યા.
બદરીકેદારની યાત્રા ધાર્મિક તો હતી જ પણ સાથે સાથે પ્રાકૃતિક સૌંદર્યનો અનુભવ કરાવનારી હતી એટલે અનેરો આનંદ થયો. ત્યાંથી હરદ્વાર ગયા .અહીં તો અનેક મંદિરો અને સાધુસંતોનાં દર્શનનો લાભ મળ્યો. હરકી પેઢીની સંધ્યા આરતીનો લાભ લીધો. ગંગાસ્નાન કર્યું રાત્રિ રોકાણ કર્યું બીજે દિવસે પરત અમદાવાદ આવવા નીકળ્યા.
આમ બદ્રીકેદારનો આ પ્રવાસ મારું જીવનભરનું યાદગાર સંભારણું બની રહ્યું.
દીપિકા ચાવડા ” તાપસી ”
[12/5, 9:33 AM] Jayshree Patel. Sahityakar: જયહિન્દ સાપ્તાહિકમાં પ્રકાશિત થયેલ મારી એક રચના
સંપાદક યશવંતભાઈ શાહ તથા કૌશિક શાહ (USA) સૌજન્યથી… આનંદ અને આભાર.
નારીનાં સૂર ચડડડડ
સૂર તો સૂર છે..
તબલા થડકે કે
વાયોલિન રણકે..
વાંસળીનાં છેડાય ..સૂર
દિલરુબાનાં તાર
છેડતાં વીણાનાં ઝણકાર
ઢોલકે તાથૈ તાથૈયા …
પગના થાયે થડકાર…સૂર
પગની ઝાંઝર છમકે,
કરમાં કંગનનો રણકાર..,
કમરે કંદોરાની ઘૂઘરી..
કર્ણફુલની હાલમડોલ..સૂર
નેત્રની મારકણી અદા
હોઠનાં વળાંક ઈશારા કરે
આંગળીઓનો સ્પર્શ,
હૈયાની તેજ ધકધક…સૂર
નારીનાં પગલાંનાં સૂર..
નરના તો કરે ગમતાના ગુલાલ,
તોએ ન હૈયું ઓળખે ને..
સમાય નારીઓ ફાટતી..
ધરતીનાં ચડડડડ…સૂર.
જયશ્રી પટેલ
૩૧/૩/૨૧
[12/5, 4:38 PM] Jayshree Patel. Sahityakar: NOG:SS:NO.:0101
વિષય: પ્રકૃતિની સાથે યાદગાર પ્રવાસ
પ્રકાર : ગદ્ય
શીર્ષક: પોન્ડેચેરી
લેખક: ભરત સાંગાણી
શબ્દો : 348.
મને પ્રવાસનો ખૂબ જ શોખ.
હું અને મારા પત્ની પોન્ડેચેરી ( પુડુચેરી) ના પ્રવાસે ગયાં હતાં.
દરિયો…
આમ તો પશ્ચિમી સમુદ્ર પટ ગોવાથી ગુજરાત સુધી સૂર્યાસ્ત માણ્યા છે. તો સમુદ્રકિનારે સૂર્યોદયનો લ્હાવો કેમ ન માણીયે!!
ચાલો પોન્ડેચેરી…
આમ આવ્યા ઈડલી- સાંભાર અને ફ્રેન્ચ વારસો હજી સુધી જાળવતી ભૂમિ તરફ!
આ એક શાંત પણ મોહક એવું નાનું શહેર છે. અહીં આવો આત્માને સંતોષ આપવા.
અહીંનો સૌથી પ્રચલિત સમુદ્ર કિનારાઓમાં પેરેડાઈઝ બીચ સૌથી મોખરે આવે છે.
બીજા નંબરે સેરેનિટી બીચ. જે પોન્ડેચેરીથી 10 km. ઓરોવિલ તરફ છે. અહીંથી સૂર્યોદય જોવાનો અલગ જ લ્હાવો છે, સુંદર સ્વચ્છ પાણીની અપાર જલરાશીનો રળિયામણો સમુદ્ર, એનો ઘૂઘવતો અવાઝ આપણા આત્મા સાથે વાર્તાલાપ કરતો હોય એવો અંતરનાદ ઉઠે.
એનું પાણી તમને બાથ ભરવા ઉત્સાહમાં ફલાંગ ભરતું કિનારે દોડી આવશે. તેનાં ઉછળતાં મોજાં આપણાં રહ્દયના ધબકારા સાથે રમત રમે. આપણી અંદર પણ એક દરિયો છે – ભાવનાઓનો દરિયો. તેથી જ દરિયા સાથે આટલી આત્મીયતા અનુભવાય છે.
દરિયો હોઈ ત્યાં લાઈટ હાઉસ ન હોઈ એવું તો ના જ બને!
લાઈટ હાઉસની ટોચ પરથી દરિયાનો નજારો સોહામણો છે. ફિરોઝી વાદળી રંગની એ ઉછળકુદ પર ક્યાંક ચમકતા સોનેરી સૂરજના કિરણો આલ્હાદક રોમાંચ કરાવે છે. દૂર દૂર મંકોડા જેવી દેખાતી હોડીઓ!!
અહીં એક સુંદર બોટોનિકલ ગાર્ડન અને ત્રણ- ચાર ભવ્ય ચર્ચ છે. અહીંનું ગણપતિ મંદિર ( Shri Manakula vinayagar Temple ) ઘણું કલાત્મક છે.
હવે વધીએ ધ્યાન,ચિંતન તરફ.
જેમાં પહેલું સ્થળ છે અરવિંદ આશ્રમ. નાનો હોવા છતાં ઠેરઠેર રંગીન ફુલો અને વૃક્ષોને કારણે બહારની દુનિયાથી અલિપ્ત છે. અહીં શ્રીઅરવિંદની સમાધિ છે
અહીં બીજું ધ્યાન સ્થળ માતૃ મંદિર – ઓરોવિલ- ફ્રેન્ચ ભાષામાં ઓરોનો અર્થ ‘પ્રભાત’ અને વિલ એટલે ‘નગર’ થાય છે. તેથી તે ” city ઓફ dawn” તરીકે પણ ઓળખાય છે.
પોન્ડેચેરીમાં રહેતાં લોકો ઘણાં સરળ અને શાંતિપ્રિય છે. અહીં ઘણાં ને ફક્ત તામિલ અને અંગ્રેજી આવડતું હોવાથી વાત સમજવામાં સમજાવવામાં મુશ્કેલી થાય.
આ સ્થળ એકલાં આવનાર ટુરિસ્ટ કે મહિલા ટ્રાવેલર માટે પણ ઘણું સુરક્ષિત છે.
દરિયો તો બધે છે પણ અહીં આવો આઘ્યાત્મિક ચેતનાની શોધમાં .
અરવ પગલે ફ્રેન્ચ ગલીઓમાં સેર સપાટો મારવા. કોઈ કેફેમાં ચોકલેટ ક્રોસન્ટનો આસ્વાદ ફિલ્ટર કોફીની ચૂસકીઓ સાથે માણવા.
સૂર્યોદયના સમુદ્રને નિરખવા…
પશ્ચિમી વાલુકાને આલિંગન આપી સૂર્યદેવ અહીં પૂર્વીય શંખ- છીપલાને ભેટવા આવી પહોંચે છે. તે ઉછળતા મોજાંમાં નિહાળવાનો લ્હાવો અનેરો છે.
– ભરત સાંગાણી.
[12/5, 4:40 PM] Jayshree Patel. Sahityakar: *નામ*- ડો. મનીષા વ્યાસ
*NOG SS NO-* 0088
*વિષય શબ્દ*- યાદગાર પ્રવાસ
*પ્રકાર*- નિબંધ/વર્ણન લેખ
*શીર્ષક*- પ્રવાસી બોધ!
****************************
કોલેજમાં નોકરીના પ્રથમ વર્ષે જ અમે જાન્યુઆરીમાં રાજસ્થાનના સાત દિવસીય પ્રવાસનું આયોજન કર્યું હતું.
કહેવાય છે કે, *”ઘટમાં ઘોડા થનગને ને આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ”* આવાં જ યુવાન હૈયાઓને પ્રવાસમાં સાચવવાનાં હતાં.
રાત્રે બારેક વાગે રાધનપુરથી પ્રવાસી બસે પ્રસ્થાન કર્યું. રોમાંચિત યુવાહૈયાંઓએ આખી રાત માથે લીધી.
વહેલી સવારે બસે માઉન્ટ આબુનું ચઢાણ ચાલુ કર્યું. ચારે-બાજું પર્વતોના ખોળે રમતું લીલાંછમ્મ જંગલથી વાતો ઠંડો પવન.. નખીલેક ને સાઇટ સીનની ભરપૂર મજા માણી. રાત્રિ રોકાણ કરી બીજા દિવસે તળાવોની નગરી ઉદેપુર ગયાં.. ત્યાં સિટી પેલેસ, સહેલીઓ કી બાડી, ગુલાબબાગ વગેરે જોયાં.
પછીના દિવસે વિરાંગનાઓની ઐતિહાસિક ભૂમિ ચિત્તોડગઢ નિહાળી ને રણુજામાં રામાપીરના દર્શન કરીને જયપુર ગયાં. વાહ સુંદર ગુલાબી નગરીનો અનેક બારીઓથી મઢયો હવામહેલ જોયો.
પછી અમે જોધપુર પહોંચ્યાં. ત્યાં સુંદર નકશીદાર હવેલીઓ જોઈને સવારે લગભગ ૧૧વાગ્યે જોધપુર કિલ્લો જોવા સૌ ચાલતાં જતાં હતાં. શિયાળો બરોબર જામેલો ને એમાંય યુવાન ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જ્યારે જાગે ત્યારે! તેમની નજરે શાકભાજીની લારીઓ ચઢી. અને તેમાંય ગાજર જોયાં. ચાર-પાંચ જણાંએ ભાવતાલ પૂછ્યા વિના જ એ તોલાવ્યાં. ત્યાં પાછળ ચાલી આવતી ત્રીસેકની પલટન લારીમાંથી ગાજર ઉઠાવી બટકીને સીધી ખાવા જ માંડી. લારીવાળાને એમ કે બધાં લેશે તેથી શરૂઆતમાં એ કાંઈ બોલ્યો નહીં. પણ તોલાયેલાં ગાજરનો ભાવ લારીવાળાએ ચાર ગણો કહેતાં, છોકરાં થેલીઓ પડતી મેલી ચાલવા માંડ્યા ત્યારે લારીવાળો બગડ્યો..સૌને ગમેતેમ બોલવા માંડ્યો.. યુવાન લોહી શાંત રહે? સૌ બાથે વળગ્યાં…
લારીવાળાએ નજીક ઊભેલી પોલીસને બૂમો પાડી.. પોલીસ આવી.. ચાલો, “આચાર્ય અને શિક્ષકો સૌ પોલીસ સ્ટેશન!” આગળ અમે અને પાછળ અમારી વાનરસેના!
સોએકનું ટોળું પોલિસ સ્ટેશન પહોંચ્યું. આખી ઘટના પોલીસને સમજાવી. વાતનો તોડ થયો!.. એ ગાજર 2000રુમાં પડ્યાં અને મોડું થતાં બપોરે પોખરણ પહોંચવાનું હતું તે મોડી સાંજે પહોંચાયું ને સૂર્યકિરણમાં નહાતું સોનેરી રણ જોવાના ઓરતા અંધારા ઓછાયે રણ જોઈ પૂર્યા. ને ઊંટ સવારી તો સ્વપ્ને રહી.
કહેવાય છે ને, “સવારનો ભૂલ્યો સાંજે ઘેર આવે” એમ.. સૌએ શીખ લીધી કે,..*”અજાણ્યાં ફળ કદી ખાવા તો નહીં જ પણ ક્યારેય ચાખવા પણ નહીં !”*
નામ – *ડો. મનીષા વ્યાસ* ✍️
*અમદાવાદ*
[12/5, 5:30 PM] Jayshree Patel. Sahityakar: NoG SS No:004
*વિષયઃ મ પ્રવાસનું વર્ણન*
*શીર્ષકઃમારા પ્રવાસનો એક પ્રસંગ…*
બાળકો તમે બધાં પ્રવાસે જાઓ તો તમને કેટલો આનંદ થાય તેવો જ આનંદ મને જ્યારે જ્યારે નવી જગ્યાએ જવાની હોઉં ત્યારે થાય.
માનવની જાત કેવી અળવિતરી તે હું તમને જણાવું
છું.અમે બધાં મિત્રો ગીરના જંગલોની મુલાકાતે નીકળ્યા હતા.અમદાવાદથી અમે પહેલા સોમનાથ ગયાને ત્યાંથી
ગીર ગયાં હતાં. અમે ફોરેસ્ટ ઓફિસરના સરસ મજેના એકદમ જૂની ઢબના બંગલાઓમાં રહ્યાં હતાં. ત્યાંથી બીજે દિવસે સવારે સિંહ જોવા ગાઢા જંગલોમાં ગયાં, પણ અમને ત્યાં એકપણ સિંહ જોવા ન મળ્યો.
મન થોડું નિરાશ થઈ ગયું હતું.ગીરમાં બીજી એક જગ્યાએ મોટા વિસ્તારમાં સિંહને વનવિભાગ વાળાએ વાડ બનાવી રાખ્યા છે.તે જરૂર જોવા મળે.લગભગ બસમાં અમે વીસેક જણાં હતાં.
બસમાં સૌ સૌએ પોતપોતાની જગ્યા લઈ લીધી.
બસ ઉપાડતા પહેલા બસ ચાલક(ડ્રાઈવર)ને સાથે એક
ગાઈડ બન્ને એ અમને કેટલીક સૂચનાઓ આપી.સૌથી
પહેલી એ કે કોઈએ પોતાનું માથું કે હાથ બહાર કાઢવા નહિ,બીજું હાથમાંનું ખાવાનું બહાર નાંખવું નહિ,ત્રીજું દરવાજા પાસે બેઠેલા કોઈએ દરવાજો ખોલવો નહિ,સિંહ કે બીજા કોઈ પણ પ્રાણીને જોઈ બૂમો પાડવી નહિ.
આમ જોવા જાવ તો અમારી સાથે બાળકો પાંચ કે છ હતાં.બીજા બધા મોટા જ એટલે કે પચ્ચીસની
ઉપરની ઉમ્મરના જ લોકો હતા.બસ ઉપડીને થોડી અંદરના ભાગમાં ગઈ તો એક સિંહણ સાથે તેના નાના બચ્ચાં ઝાડ નીચે જોવા મળ્યાં.થોડે દૂરથી એક સિંહ તેની
ગર્વિલી ચાલે અમારી બસની સામે જ આવી રહ્યો હતો,એને જોઈ બસમાં બધાં મોટે મોટેથી ચીસો પાડવાં લાગ્યા,અમે બધાં તે લોકો ને ના કહેતા રહ્યાં પણ સાંભળે કોણ??સિંહ પાછો ફરી ગયો.થોડે દૂર એક ઝાડ નીચે આરામથી બેસી ગયો.થોડીવારમાં એક સિંહણ આવીને તે પણ એની બાજુમાં બેસી ગઈ.ડ્રાઈવરને થયું
ચાલો આ લોકોને નજીકથી બતાવું.તે નજીક લઈ ગયો કે બાળકો એક ત્રીસથી પાંત્રીસ વર્ષ નો માનવી(પુરૂષ) મૂર્ખના સરદાર જેવો બસની બહાર નિકળી ગયો.બાળકો તમે હોવ તો શું કરો?
આવા અળવિતરા માનવીને લીધે બસમાંના બધાની જાન જોખમમાં ન મૂકાત..?
આ તમારી સાથે શેર કરવાનું કારણ એક જ કે બાળકો તમે બધા જાણો છો સિંહ સૌથી ખૂંખાર પ્રાણી છે,તે તેના જીવનમાં કોઈની દખલગીરી ન સહન કરીલે.
તેથી તે ખરેખર વનનો રાજા છે.માનવી ની આવી અવળચંડાઈ કેમ સહન કરી લે?પેલા માણસની તો આવી જ બનત પણ ગાઈડ હોશિયાર હતો તેથી ડ્રાઈવરે
આખી બસ તરત જ ઝડપથી ગોળ ફેરવી લીધી ને ગાઇડે દરવાજો ખોલી પેલા માણસને ઉપર ખેંચી લીધો.
*બાળકો એક વાત યાદ રાખજો કે જીવનમાં આપણે કોઈની દખલગીરી ન ચલાવી લઈએ તો પ્રાણીઓ પણ તેમના જંગલના વિભાગમાં ન જ ચલાવી લે.માનવીએ તેઓને શાંતિથી જીવવા દેવા જોઈએ.આ લોકડાઉનમાં આપણે જોયું કે કેટલા પ્રાણીઓ શહેર તરફ આવી ગયા હતા,પેગ્વીન પણ શહેરોમાં ફરવા લાગ્યા હતા..જુનાગઢમાં સિંહ શાળામાં ભરાય ગયો હતો તો આપણે તેમને વનવિભાગમાંથી માણસો બોલાવી કેવા જંગલમાં મૂકી આવીએ તેવી જ રીતે..માનવે પણ તેમને કે તેમના વિસ્તારને ન જ છેડવા જોઈએ.*
તમે પણ તમારા પ્રવાસમાં આવું કંઈ અનુભવ્યું હોય તો જરૂર ડાયરીમાં લખી રાખજો..ને ફરી ફરી વાંચજો.
જયશ્રી પટેલ
૨૨/૬/૨૦