ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની છ રચનાઓ
વિષય :.” શબ્દાર્થ ” શબ્દ ની અનંત યાત્રા..શબ્દ વિષયક રચનાઓ(૦૧-૧૦-૨૦૨૧) દિવસ – ૩
Jan fariyad & News of Gandhinagar daily
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મેનેજિંગ તંત્રી : મીનાક્ષી રાવલ(ઈમેજ મેકર,ગ્રાફિક્સ)
પ્રતિભાવ : વિભૂતિબેન દેસાઈ.ઘાસવાલા.બીલીમોરા
website : www.janfariyadnews.com
What’s up calling No : 9824653073
Email : prdpraval42@gmail.com
Email : prdpraval@yahoo.co.uk
YouTube : janfariyadnews
News portal : janfariyadnews
Twitter : @prdpraval
********************************************
NOG SS No : 0001
પ્રકાર : ગદ્ય
શિર્ષક : શબ્દાર્થ
શબ્દો….. શબ્દો… ને કેવળ શબ્દો….
આ શબ્દો માં શું શું નથી હોતું ?
હા શબ્દ માં છે મીરાં નાં ઝાંઝર નો રણકાર, તો
શબ્દોમાં છે કૃષ્ણ ની વાંસળી નો ધબકાર,
શબ્દોમાં છે શબરીની ભવોભવની ભૂખ, તો
શબ્દોમાં છે રાધાની વ્યાકુળતા, ને શબ્દોમાં જ છે, ગોપીની ઘેલછા.
શબ્દો ની ક્લા રાજકારણ માં નેતાઓ ના ભાષણો માં…વિધાન સભા કે રાજ્ય સભા કે લોક સભા માં પણ શબ્દાર્થ ની અસરો થી નેતાઓ નું રાજકીય ભવિષ્ય બદલાઈ જાય છે અને કોણ ક્યાંનું ક્યા પહોંચી જાય છે…માટે શબ્દાર્થ નો અભ્યાસ પળે પળે જાહેર જીવન માં સામાજિક જીવનમાં ખૂબ જરૂરી છે.
શિવાજી નું હાલરડું,,શિવજી નું તાંડવ નૃત્ય નું વર્ણન..કૃષ્ણ ના પદ ના વર્ણન…,આંધળી માનો કાગળ….માછલી વિહાણી દરિયાને બેટ,શ્રાવણ જનમ્યો એની માને પેટ…..તારી આંખ નો અફીણી…..જેસલ તોરલ નું ગીત…સરસ્વતી ચંદ્ર ની કથા અને ગીત…આવા ભાવવાહી ગીતો ની અસરો……..અનેક ગુજરાતી હિન્દી ફિલ્મો ની ગીત માલા ની શબ્દભાવ રૂપી ગુથણી થી લોકપ્રિય બનેલા ચલચિત્રો…..આજે પણ અનેક સિનિયર સિટીઝન સવાર,બપોર,સાંજ અને રાત કેટકેટલા મનગમતા જૂના ગીતો સાંભળી શેષ જીવન વિતાવતા જોયા છે તો અનેક લોકો સાહિત્ય ની લાયબ્રેરી માં આંખો કામ આપે ત્યાં સુધી સમય વિતાવતા જોયા છે..
શબ્દ અને શબ્દાર્થ ના હોત તો શું થાત..?…એક મોટો પ્રશ્ન છે…..
શબ્દાર્થ રાજકીય.સામાજિક ક્ષેત્રે ભાવ વાહીઁ ભાષણો.રચનાઓ દ્વારા પ્રણય,અશ્રુ ધારાઓ,વેર,ઝેર,આત્મઘાતી પગલાને,નફરત ને,ખડખડાટ હાસ્ય ને આમંત્રણ આપી શકે છે અને ચલચિત્રો ના ગીતો ની સજાવટ થી તેમજ અહિતિહાસિક અનેક ગીતો…..રૂક્ષ્મણી નો પત્ર,આંધળી માનો કાગળ,,,શિવાજી નું હાલરડું…..જેસલ તોરલ….અનેક ગીતો ના ભાવ થી પ્રણય ફાગ ખેલાયા…..અનેક જોડા બન્યા અને અનેક જોડા તૂટ્યા હશે…અનેક ના શબ્દ વાક બાણ થી જીવન બન્યા હશે અને જીવન તૂટ્યા પણ હશે ..અનેક નેતાઓ ના રાજકીય ભવિષ્ય બન્યા અને વેરવિખેર થઈ ગયા…
સર્જક પોતાની જીવન લીલા સંકેલી લે છે પણ તેના દ્વારા રચાયેલ રચનાઓ પુસ્તક માં કેદ ઇતિહાસ બની જઈ સાહિત્ય ની સુવાસ ફેલાવે છે..જેમ આપણજે મેઘાણી,દુલા કાગ,ઉમાશંકર જોશી અને અનેક સર્જકો ને યાદ કરીએ છીયે.
સર્વસ્વ સહન કરી શકે તે જ સાચો સર્જક,રચનાકાર બની શકે..
આમ જ NOG SS (સાહિત્ય સરિતા ગ્રુપ) પણ આમ જ અમર બની રહેશે…અને તેના સર્જક મેમ્બરો ની રચનાઓ પણ અનેક વિષયો થી વર્ષો વરસ સુવાસ ફેલાવતી રહેશે….. અસ્તુ
પ્રદીપ રાવલ..સંચાલક
*******************************
NOG SS.No.19
વિષય…શબ્દ
પ્રકાર…પદ્ય અછાંદસ
શીર્ષક.. શબ્દ છળ
શબ્દો આજે ભળી ગયાં,
કેમ ભાવ સૌ કળી ગયાં?
પહોંચી હ્ર્દય દ્વારે કેમ પગલાં પાછા પડી ગયાં?
કોઈ સમજીને ચાલી ગયાં,
સપનાં બધાં છળી ગયાં..
સાથ પામી એકમેકનો ,કહેવા ભાવ અંતર તણો,
શીદ બીજાની વાતમાં સૌ વળી ગયાં?
કલ્પનાબેન ત્રિવેદી
સુરેન્દ્રનગર
********************************
NOG SS NO 0032
વિષય – શબ્દો…
વિભાગ – પદ્ય.
શીર્ષક – *કવિતાનાં શબ્દો*
મારી કવિતાનાં શબ્દો અગણિત છે,
પણ સમજાયતો સમજી જજો.
મારા ગૂઢ મૌનને સમજી જજો,
હું ના બોલું તો મૌન મારું સમજી જજો.
હતી એ પળો જન્મો જન્મની મોઘમ,
સમજાય તો સમજી જજો.
ના રાખીશ મૌનની વચ્ચે દિવાલ,
સમજાય તો સમજી જજો.
પવનની લહેરખી સાથ ખુશ્બૂ ફેલાય.
સમજાય તો સમજી જજો.
ક્યારેક સમયની સાથ સમાધાન કરી લેજો,
સમજાય તો સમજી જજો.
વાત થાય તો કરી લેજો, સમય વીતી જશે,
સમજાય તો સમજી જજો.
ના કાંઈ આપણાં હાથમાં આવશે ,
સમજાય તો સમજી જજો.
મીના માંગરોલીયા મીનુ
અમદાવાદ
23/9/21
********************************
NOG SS N0 : 0079
વિષયઃ શબ્દાર્થ
શીર્ષકઃ અર્થનો અનર્થ
પ્રવિણા કડકિઆ
હ્યુસ્ટનઃ ગદ્ય *******
શબ્દ અક્ષર ના સમુહ થી બને છે. હવે શબ્દોમાં કાનો, માત્રા,
હૃસ્વ ઇ કે ઉ અથવા દીર્ઘ ઈ કે ઊ ક્યાં ક્યારે લગાવવા એ
વિચાર માંગી લે તેવી વાત છે. તેને કારણે શબ્દો ના અર્થ નો
અનર્થ પણ થઈ જાય. ઘણીવાર શબ્દનો અર્થ જીવનનો રાહ
પણ બદલી શકે છે. યા મુશ્કેલી પણ સર્જી શકે છે.
શબ્દનો માત્ર સ્થૂળ અર્થ ન સમજવો. ઘણીવાર તેનો ગૂઢ અર્થ
થોડામાં ઘણું બધું કરવાની ક્ષમતા ધરાવે છે. એક પ્રસંગનું વર્ણન
કર્યા વગર રહી શક્તિ નથી. નવી નોકરી માટે જવાનું હતું.
રસ્તામાં અકસ્માતમાં સપડાયેલી એક મહિલાને મદદ કરવા જતાં
મોડી પડી. ‘મોડી પડી’ એમ કહ્યું એટલે મારો ઈન્ટરવ્યું રદ થઈ ગયો.
નિરાશ વદને ઘરે આવી. સફાઈ આપવાનો કરવાનો મોકો ન મળ્યો.
ત્રણ દિવસ પછી એ જ કંપની માંથી ફોન આવ્યો.
‘તમને નિયુક્ત કર્યા છે ‘ ! ( નોકરી મળી ગઈ )
મને મારા કાન પર વિશ્વાસ ન બેઠો.
અઠવાડિયા પછી રહસ્ય ખુલ્યું, જેને મદદ કરી હતી એ બોસની બહેન
હતી. શબ્દનો અર્થ દરેક જણ પોતાના મનઃ સ્થિતિ પ્રમાણે કરતા જોયા
છે. શબ્દાર્થ કરતી વખતે જે વ્યક્તિ એ શબ્દ વાપરે તેના સંજોગો જોવા
અગત્યના છે. ખબર હશે ‘જાના થા જાપાન પહુંચ ગયે ચીન’ જેવા હાલ
ન થાય’.
અર્થ, જેવા સામાન્ય શબ્દ નો અર્થ મતલબ, થાય. પૈસો થાય, આશય
થાય. તમે ક્યાં અને કેવી પરિસ્થિતિ પ્રમાણે વાપરો છો, એ અગત્યનું છે.
શબ્દાર્થ નો ભાવાર્થ એકદમ અલગ પણ હોઈ શકે. જે મુશ્કેલીમાં હોઈ
તો પ્રસંગની છણાવટ કરી યા વ્યક્તિ સાથે તેના વિશે ચોખવટ કરવી
જરૂરી છે. બાકી ‘બંધ બેસતી પાઘડી પહેરી દુઃખી થવાનો વારો આવે !
એવા સંજોગો આવે કે, ” શબ્દાર્થ ના અર્થ નો અનર્થ થઈ જાય તો ઓથ
ગાયબ થાય”.
૨૧મી સદીની કરૂણતા છે, પતિ અને પત્ની વચ્ચેનો ‘કલહ’ શબ્દના અર્થને
કારણે પણ થતા હોય છે. પરિણામ જગજાહેર છે,
સીધી સાદી વ્યક્તિ હ્રદયની વિશાળતાને કારણે શબ્દાર્થ પ્રત્યે દુર્લક્ષ સેવે છે.
સહજ અને સરળતાને કારણે શબ્દાર્થ પાછળની કટુતા તેના મનને ખલેલ
પહોંચાડી શકતી નથી. મજા તો ત્યારે આવે છે દસ જણા વચ્ચે બોલાયેલા
શબ્દોના, દસ જણા જુદા અર્થ તારવે છે.
૨૧મી સદીમા, જ્યાં દરેક જણાને, ‘બધું આવડે છે”, ત્યારે ખૂબ વિચારીને
શબ્દોનો પ્રયોગ કરવો રહ્યો. અગર પરિણામ માટે તૈયારી રાખવી. ડાહ્યા
માણસો ‘ ન બોલવામાં નવ ગુણ માને છે’.
********************************
N O G : S S : No : 0082
વિષય : શબ્દ અને સુવાક્ય
પ્રકાર : ગદ્ય
શીર્ષક : જીવનમાં શબ્દની મધુરતા,
મન ,હૃદય ,અને જીભનો ત્રિવેણી સંગમ એટલે શબ્દ,
કડવા વેણ થી કહેલ વાત, ચર્ચા કે સંવાદ ન ધાર્યું હોય તેવું કઠોર અને વિપરીત પરિસ્થિતિનું નિર્માણ કરે છે,
જીવનને સરળ અને મધુર બનાવવા વાણી પર સંયમ અને
મૂક એકાગ્રતા હોવી ખૂબ જ જરૂરી છે,
“શબ્દ વેધી બાણ” આ સંજ્ઞા વાચક લીટી આપણને ઘણું બધું કહી જાય છે,
એક ડોક્ટર નો દર્દી પ્રત્યે પ્રેમાળ શબ્દ,
એક શિક્ષક નો વિદ્યાર્થી પ્રત્યે પ્રેમાળ શબ્દ,
એક વકીલ અને જજ દ્વારા આરંભિત ચર્ચામાં ગુથેલ શબ્દો
અને શબ્દાવલી નો પ્રયોગ માનવીના જીવનમાં ખૂબ પ્રભાવ પાડે છે,
મૌન વ્રત અને સમય સંજોગ પ્રમાણે કહેલ બુધ્ધિ પ્રદ ટકોર
એ
માનવને પીડા રહિત જીવન જીવવાની કળા શીખવે છે,
ચાણક્ય નીતિ નું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે,
અર્થહિન શબ્દ પ્રયોગ , જરૂર વગરનો વાદ વિવાદ, કે શબ્દોની
ઉગ્ર ચર્ચા કરવાથી સામાજિક
માનહાનિ થવાના ખુબજ ચાન્સ
રહેલા છે,
“મૂંગા મરો” જેવો અઘટિત શબ્દ પ્રયોગ જૂનાં જમાનામાં ખૂબ પ્રચલિત હતો,
સારા ઘરની જે સુકન્યા હોય તે
કડવા વખનાં ઘૂટ પીને પણ પોતાનાં કુલ અને પિયરની લાજ
જાળવે છે,
શબ્દે શબ્દે વણું છું હું એક ગીત
ન દુઃખ છે ન રંજ ,માત્ર ભરી છે પ્રીત,
શબ્દ જો હોય પ્રીતમનો કે સંગીનીનો,
કાન શોધે છે એ શબ્દોની પ્રીત,
આંખોની મલક અને મુસ્કાનને
શબ્દ ની ચીડ,
નેણ હસે છે જોઈ ને તમને એમાં
શબ્દની ક્યા છે જંજીર
ડૉ અનિરુદ્ધ વ્યાસ
********************************
N.O.G. S.S. No. 0102.
વિષય:-શબ્દાર્થ, શબ્દ એક કથા. (શબ્દોથી વેરઝેર અને સંબંધ) શબ્દોથી સાહિત્ય ની અનંત યાત્રા.
પ્રકાર:-ગદ્ય.
શીર્ષક:–શબ્દાર્થ ,શબ્દ એક કથા. વેરઝેર અને સંબંધ, શબ્દોથી સાહિત્યની અનંત યાત્રા.
ભગવાન શ્રી શંકરના ડમરુ માંથી ચૌદ શબ્દો નીકળ્યા જેને બ્રહ્મસૂત્ર ના નામે ઓળખવામાં આવે છે. માતા શ્રી સરસ્વતી શબ્દોની જનની છે .તેની કૃપા વિના શબ્દો બોલી ન શકાય.
આપણે મનોભાવ શબ્દો દ્વારા વ્યક્ત કરીએ છીએ, અને તેને દ્વારા જ જગતનો વ્યવહાર મૌખિક કે લેખિત સ્વરૂપે ચાલે છે.
શબ્દો તીરની જેમ કામ કરે છે . તે મડદાને પણ બેઠો કરે તેવી તાકાત એમાં છે. બત્રીસ દાંત વડે રક્ષાયેલી જીભ જો ભૂલ કરે તો તે બધા પડી જાય છે, અને સમજીને બોલે તો રાજગાદી ઉપર બેસાડે છે.
જો કોઈ સોરી બોલે તો માફી આપવામાં આવે છે, અને જો ડોક્ટર સોરી બોલે તો આંખમાંથી આંસુ નીકળી જાય છે. આ શબ્દોનો જાદુ છે.
એક શબ્દ અનેક અર્થોમાં યોગ્ય સમયે ,અને યોગ્ય ઉચાર દ્વારા તેના ઘણા અર્થો થતા હોય છે. શબ્દોના પર્યાય સંસ્કૃતમાં અમરકોશમાં આપવામાં આવેલા છે.
શબ્દો પ્રેમના પ્રતીક છે. પ્રેમથી વ્યક્ત કરવામાં આવેલા શબ્દો બલિદાન અને સમર્પણ આપી જાય છે. દુનિયામાં બધા જ માણસો આજે આ પ્રમાણે એકબીજાથી જોડાયેલા છે અને આજે મોબાઈલથી પણ આપણે ચોવીસ કલાક આ પ્રકારના વ્યવહાર થી એકબીજાની સાથે જોડાયેલા છીએ.
કૈકઇ ના શબ્દો એ રામાયણ ,દ્રૌપદીના શબ્દોએ મહાભારત અને કૃષ્ણ દ્વારા ગીતાની રચના થઈ. આ પણ શબ્દનો પ્રભાવ છે.
ઋષિ-મુનિ ,સંતો, નેતાઓ,મા-બાપ ,વડીલો ,મિત્રો વગેરેના શબ્દો માનવ જીવનમાં અનેક પ્રેરણા, પરિવર્તન અને પ્રગતિના સૂચક બને છે.
શબ્દોદ્વારાવેદપુરાણ,સાહિત્ય ,સંગીત ,કલા ,નાટકો ફિલ્મો, પુસ્તકો વગેરેની હૃદયસ્પર્શી રચનાઓ જોવા મળે છે.
શબ્દોનો સારો ઉપયોગ જીવનને ઉત્તમ બનાવે છે અને ખરાબ ઉપયોગ જીવનને દુઃખમાં ધકેલી દે છે. સારા શબ્દોનો ઉપયોગ કરી આનંદ અનુભવો.
રતીલાલ વાયડા
૨૪/૯/૨૦૨૧ શુક્રવાર.
ભાદરવી વદ સંકષ્ટી ચોથ.
નવી મુંબઈ.