**********************†*********
ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની છ રચનાઓ
વિષય :.” શબ્દાર્થ ” શબ્દ ની અનંત યાત્રા..શબ્દ વિષયક રચનાઓ(૩૦-૯-૨૦૨૧) દિવસ – ૨
Jan fariyad & News of Gandhinagar daily
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મેનેજિંગ તંત્રી : મીનાક્ષી રાવલ(ઈમેજ મેકર,ગ્રાફિક્સ)
પ્રતિભાવ : વિભૂતિબેન દેસાઈ.ઘાસવાલા.બીલીમોરા
website : www.janfariyadnews.com
What’s up calling No : 9824653073
Email : prdpraval42@gmail.com
Email : prdpraval@yahoo.co.uk
YouTube : janfariyadnews
News portal : janfariyadnews
Twitter : @prdpraval
*********************************************
NOG.SS. No .0095
વિષય :— શબ્દાર્થ
પ્રકાર :– ગદ્ય
શીર્ષક :– “ તમે ચૂપ રહો….”
વિનાયકરાવને ત્રણ દીકરા . એક સામાન્ય કંપનીમાં પટ્ટાવાળાની નોકરી થી શરૂઆત કરી હતી. એમની પ્રમાણિકતાથી મેનેજરના હોદ્દા પર આવી ગયા .એમની મહેનત અને મીતભાષી સ્વભાવે એમને અહીં સુધી પહોંચાડ્યા હતા .
આ સમય દરમિયાન ત્રણેય દીકરાઓને ઉચ્ચ અભ્યાસ કરાવવામાં એમણે કોઈજ કચાશ નહોતી રાખી .એક એન્જિનિયર બન્યો, બીજો વકીલ અને ત્રીજો એમ.બી.એ. કરીને એક ઉચ્ચ કંપનીમાં ઊંચા હોદ્દા પર નોકરી કરતો હતો. જ્યારે જ્યારે એમની ઉચ્ચ અભ્યાસ માટેની ફી ભરવાની આવતી ત્યારે ત્યારે એ હંમેશાં કહેતાં કે , “ બેટા તમે જરાય ચિંતા ના કરતાં , હું છું ને ! તમે ભણજો , ખૂબજ આગળ વધજો .!” આમ કહેતી વખતે એમનું હૈયું એક જ વાત કહેતું કે ભણીગણીને ખૂબ આગળ વધશે તો એમનું નામ બનશે, મારી પણ મહેચ્છા પૂરી થશે .
સંતાનોને હંમેશાં “ હું છું ને “ નુ આશ્વાસન આપનાર વિનાયકરાવ આજે બહુજ દુખી છે .ક્યારેય એકપણ દીકરાને ઓછું નથી આવવા દીધું .ભણાવ્યા, પરણાવ્યા , સારી જગ્યાએ નોકરી પણ મળી , સંતાનોનાં પિતા બન્યા .બધું જ વિનાયકરાવનાં પૈસે થતું હતું. પણ હવે.એ જ સંતાનોએ આજે એક ધડાકો કર્યો .ત્રણેય ને જુદા થવું છે એવી વાત વિનાયકરાવને કરી .
એમનાં તો પગ તળેથી જમીન જ ખસી ગઈ. જે પરસેવો પાડીને આ બંગલો બનાવ્યો હતો એના ભાગ પાડવાની વાત આવી હતી .એ બંગલો વેચીને એના પૈસા ત્રણેયને વહેંચણી કરવાની વાત હતી. પિતાએ કહ્યું કે બેટા , “ કેટલી મહેનતે આ બંગલો બન્યો છે. આજના સમયમાં હવે આવો બીજો બંગલો નહીં બને ! આમાં તમારી મા નો શ્વાસ છે એનો વાસ છે અને આપણી સાથેના એના સહવાસની ખુશ્બુ છે .એને કેમ ભૂલાય ? એને કેમ ભૂસાય ?
પપ્પા “ તમને એમાં ખબર ના પડે હવે “! એવું કહીને એમને ચૂપ કરી દીધા .અમને હવે અમારી રીતે રહેવા દો .તમારા આ જૂનવાણી વિચારો અને જૂનવાણી મકાનમાં અમને નહીં ફાવે ! માટે તમે હવે અમારી વાતમાં વચ્ચે કશું જ બોલતા જ નહીં “!
આ શબ્દોનાં પ્રહારે વિનાયકરાવને ભાંગી નાંખ્યા. જે દીકરાઓને હંમેશાં “ હું છું ને , બેટા ચિંતા નહીં કરતો !” કહેનાર બાપને આજે એમનાં જ દીકરાઓએ ,” તમને કશી ખબર ના પડે ,તમે ચૂપ રહો “ બોલીને એક જોરદાર શાબ્દિક તમાચો લગાવી દીધો હતો.
આમ શબ્દો તારે પણ છે ને શબ્દો મારે પણ છે .બોલવાની રીત ઉપર આધાર છે.
દીપિકા ચાવડા “ તાપસી “.
*******************************
[NOG.SS NO. 0095 ( બીજી રચના)
વિષય :– શબ્દાર્થ
પ્રકાર :–ગદ્ય
શીર્ષક :– “ નાની નાની વાતો “
આપણે જાણીએ જ છીએ કે ગુજરાતી ભાષામાં એક શબ્દોનાં અનેક અર્થ થતા હોય છે. આ શબ્દો જ ઘણીવાર એવા તીરની જેમ ઘા કરી જાય છે કે એ ઘા આખી જિંદગી નથી ભરાતાં.
આપણા વડીલો પણ હંમેશાં એમજ કહેતાં આવ્યા છે કે તલવારનો ઘા તો સમય જતાં ભરાઈ જાય છે પણ જીભથી નીકળેલા તીરથી પણ વધારે તેજ ધારવાળી નાની નાની વાતોના ઘા આખી ઉંમર નથી ભરાતા .
એક પંડિતજીના દીકરાનાં ધામધુમથી લગ્ન થયા .નવી નવેલી વહુને ઘરે લાવ્યા અને ચારેતરફ ખુશીનો માહોલ હતો .નવી વહુના સ્વાગતના બધાજ રીતરિવાજો પૂરા થયા .એની આસપાસ કુટુંબની દીકરીઓ અને મહિલાઓ બેઠી હતી . પંડિતજીએ એ બધાને કહ્યું કે તમે બધા બીજા રૂમમાં બેસો જેથી બિચારી વહુ થોડો આરામ કરી શકે .એ લોકો ઊભા ના થયા બે થી ત્રણ વાર પંડિતજીએ નવી વહુને બિચારી કહીને સંબોધી .
હવે અમીર ઘરની અંગ્રેજી સ્કૂલમાં ભણેલી – ગણેલી અને વિદેશી કંપનીમાં ઊંચા પદ પર કાર્યરત નવી વહુએ બધી જ મર્યાદા તોડીને બિચારી શબ્દ પર આપત્તિ જતાવીને બધા જ સગા સંબંધીઓની સામે જ એનાં સીધાસાદા સસરાને મોટા અવાજે કહી દીધું કે હું તમને કઈ તરફથી બિચારી લાગું છું ? શું હું તમને અભ્યાસથી, પહેરવેશથી કોઇ ગરીબ અને લાચાર પરિવારની છોકરી લાગું છું ? શું મારા દહેજમાં કોઈ કમી દેખાય છે ? જો ના તો પછી તમે બધાની સામે મને નીચી દેખાડવા માટે વારંવાર આ બિચારી શબ્દ કેમ વાપરો છો ?
નવી વહુના જીભેથી નીકળેલા શબ્દો પંડિતજીને કાંટાની જેમ વાગતા હતા .એમને પહેલીવાર ભણેલી ગણેલી વહુને લાવવાનો અફસોસ થતો હતો .એતો એમજ સમજતાં હતા કે ભણીગણી લેવાથી માણસ વિદ્વાન બને છે .પણ પહેલી વાર એમને લાગ્યું કે શિક્ષણમાં જ્યાં સુધી નૈતિકતાનો સમાવેશ નથી થતો ત્યાં સુધી શિક્ષાનું લક્ષ્ય પૂરું થતું નથી .
પંડિતજીની પત્નીએ એક જ વાત કહી કે આપણી વાણી જ આપણાં મિત્ર કે દુશ્મન બનાવે છે માટે હંમેશાં મીઠું બોલવું એમાં એક પૈસાનો ખર્ચ નથી થતો , પણ દરેક તરફથી માન સન્માન હંમેશાં મળતું રહેશે .કડવાં વેણ બોલશો તો અપમાન સિવાય કાંઈ જ નહીં મળે.
દીપિકા ચાવડા “ તાપસી “.
**†****************************
NOG SS NO 0037
વિષય – શબ્દો…
વિભાગ – પદ્ય.
શીર્ષક – શબ્દની માયાજાળ.
મા સરસ્વતિની ભક્તિની ફલશ્રુતિ એટલે શબ્દો…
જ્ઞાનનાં અનમોલ ખજાનાની ચાવી એટલે શબ્દો..
કવિ,લેખકની સંવેદના,કલ્પના,મનનું મનોમંથન શબ્દો..
કાગળ, કલમનાં પ્રેમની અભિવ્યક્તિ એટલે શબ્દો..
વિદ્યાર્થી જીવનમાં ગ્રહણ કરેલ જ્ઞાનનો દસ્તાવેજ એટલે શબ્દો..
કાગળ ઉપર શાહીની મનગમતી રંગોળી એટલે શબ્દો..
શબ્દો સમજ છે, શબ્દો શોભા છે.
શબ્દો ગીતા છે, શબ્દો સરિતા છે.
શબ્દો ધાર છે, શબ્દો કટાર છે.
શબ્દો મારે છે, શબ્દો તારે છે.
શબ્દો યોગી છે, શબ્દો ભોગી છે.
શબ્દો શીતળ છે, શબ્દો ભીતર છે.
શબ્દો મર્મ છે, શબ્દો ગર્વ છે.
શબ્દો અટલ છે, શબ્દો વાવેતર છે.
શબ્દો સત્ય છે,શબ્દો પ્રકાશ છે.
શબ્દો સંસ્કાર છે,શબ્દો સંગાથ છે.
શબ્દો નિર્જીવ વક્તા છે,શબ્દો શાન છે.
શબ્દોની માયાજાળમાં માનવી અટવાય છે.
હેમલતા દિવેચા. ( હેમ )
********************************
NOG SS No : 0092
પ્રકાર:- પદ્ય
શીર્ષક:- શબ્દોની શક્તિ
‘શબ્દની સહેલગાહે હું પણ નીકળી છું,
ક્યાંક વાહ-વાહીને ક્યાંક નામોશી મનેય મળ્યા છે.
ના શોક કર્યો છે ઉપેક્ષાઓનો,
ના પ્રશંસાઓના મને કોઈ કેફ ચઢયા છે.
શબ્દોની નજાકતથી દિલો પર રાજ કર્યું છે,
કંઈ કેટલાય જીવનને સાચા રસ્તે પહોંચાડયા છે.
તીખી તલવાર સમાં શબ્દો તો મારાય શબ્દ કોષમાં છે,
ના જરૂરત પડી એની ના ઉપયોગ કર્યો ક્યારેય,
કોષમાં એ નવા ને નવા જ પડયા છે.
શાંતિ અને પ્રેમથી જગતને શાતા પહોંચાડવા લીધો છે મેં જન્મ,
બાકી ઠેસ પહોચાડવા અહીં લાખો પડયા છે.
ભાભીના કડવા શબ્દોથી ‘નરસૈંયો’,’નરસિંહ મહેતા’બન્યો ને સોક્રેટિસ એક તત્વચિંતક.
આવા તો કરોડો દ્રષ્ટાંતો વિશ્વમાં પડયા છે.
શબ્દોએ કેટલાય જીવન તાર્યા ને કેટલાય બરબાદ કર્યા છે,
શબ્દોથી વિકાસ અને વિનાશ બંને પરિણમ્યા છે.
શબ્દોએ પ્રોત્સાહન આપી ‘આઝાદ હિંદ’ ફોજ રચી તો ક્યાંક,
શબ્દોને કારણે જંગ ખેલાયેલા છે.
કલમની(શબ્દની) તાકાતને ઓછી ના આંકશો કોઈ,
કેટલાયે ચહેરાઓને બેનકાબ કર્યા છે એણે ને,
કેટલાંય તખ્તા જડમૂળથી પલટેલા છે.
શબ્દોને વાપરતા પહેલા એકવાર જરૂર વિચારજો,
આ એવા કર્મ છે,
જે પેઢીની પેઢી સુધી કેટલાયને નડયા છે.
અલકા મહેતા
ગાંધીનગર
૨૩/૦૯/૨૧.
********************************
NOG SS No : 0013
વિષય : શબ્દાર્થ. ..શબ્દ એક કથા…
શિર્ષક : શબ્દો સાહિત્યની અનંત યાત્રા.
શબ્દોથી વેરઝેર અને સંબંધ.
સરિતા જેમ વહીને ઉજવે
પંખી કલરવ કરીને ઉજવે
મયુર પંખ કળા કરીને ઉજવે
કળી ખીલીને ઉજવે
સેવા સ્મિત કરીને ઉજવે
તપસ્વી ધ્યાન ધરી ઉજવે
એમ હું શબ્દને શબ્દો દ્વારા ઉજવું.
શબ્દો વિનાનું ડહાપણ એજ
મારું મૌન છે.
સમગ્ર અસ્તિત્વ સાથે શબ્દોથી
સંબંધ એજ મારું સ્મિત છે.
શબ્દોથી લખાયેલા વિધિના વિધાન,
કે શબ્દોથી કરાયેલી ભક્તિ,કે શબ્દોથી રચેલું સંગઠન,શબ્દોથી
બનાવેલો ધર્મ,શબ્દોમાંથી થયેલો
સાક્ષાત્કાર,શબ્દોમાંથી આવેલી સમજ,
શબ્દોએ કરાવેલા અનુભવો, શબ્દોથી
મળેલી ચેતના, મને હંમેશા પરમ
આનંદ અને ઈશ્વર સમીપે લઈ
જનાર શબ્દો મારા દેવદૂત છે.
શબ્દો જ મારું ધ્યેય છે,મારી પ્રાર્થના છે,મારી ઉદારતા છે,સેવા છે,તપ છે,
સંતુલન છે,સમર્પણ છે,ઈચ્છા છે, ભાવના છે,સાધના છે, સાધક છે.
શબ્દો જ મારું સંપૂર્ણ છે.
શબ્દોથી મેં કાવ્યો રચ્યા,ઇતિહાસ રચ્યો.
શબ્દોથી મારો મિજાજ, જુઠાણું,
માયા,આદતો,દુર્ગુણો,ઈચ્છાઓ,મોહ,
ડર,ભૂલ,શંકા,હિંસા, ખિન્નતા, દુઃખ ,
અક્રમણતા ,સમસ્યા અહમ અને
દુશ્મનાવટનો નાશ થયો.
શબ્દોથી મારા ગુણો,પ્રતિકાર શક્તિ,
સહનશીલતા, કરુણા,દયા, પ્રેમ, અને
વૈરાગ્ય માં વધારો થયો છે.
શબ્દોને મૌનમાં ઉજવો
શોરગુલ માં ઉજવો
જીવનમાં ઉજવો અને
મૃત્યુને પણ શબ્દોથી ઉજવો.
ઘનશ્યામ વ્યાસ.
*************†*****************
NOG SS. No.– 39
વિષય –” શબ્દાર્થ” શબ્દ એક કથા..(શબ્દોથી વેરઝેર અને સંબંધ પણ.. શબ્દોની સાહિત્ય અનંત યાત્રા)
શીર્ષક — શબ્દોનું સત્ય
શબ્દો — ૧૫૦
તારીખ — ૨૩-૯-૨૧
ગુરુવાર
શબ્દ હોય સૂરીલો તો લય બને શબ્દ,
શબ્દ જ સુંદર આલાપ જીવનનો!
શબ્દ શ્રદ્ધાનો પહોંચાડે પ્રભુ સુધી,
પ્રચંડ પ્રલય લાવે શબ્દ વેરઝેરનો!
ગીત બની ગુંજન કરે સલુણો શબ્દ,
હૃદયને ઝંકૃત કરે પ્રખર શબ્દ!
શબ્દમાં પ્રેમ ને શબ્દમાં જ નફરત,
જીવન ધન્ય બનાવે સાચો શબ્દ!
તોલીને બોલાય, સમજીને લખાય,
તો જીવનનો બેડો કરે પાર શબ્દ!
ફૂલડાં બની, મહેંકી વેરાઈ જાય શબ્દ,
જિંદગી બની જાય સુગંધિત રમ્ય!
અકલ્પ્ય લોખંડી તાકાત શબ્દની,
ચળાવી નાંખે મન ભલભલા માનવીના!
પહોંચાડી દે જીવનની ટોચ પર માનવને,
તો ખીણમાં ગબડાવી શકે પળભરમાં!
શૂળની જેમ ચૂભી શકે આળો શબ્દ,
ઘાવ આપી જાય જીવનભરનો!
જીવન તારે શબ્દ ને શબ્દ જ ડૂબાડે,
જીવનસાગરમાં તરતાં શીખવાડે!
શબ્દ હોય સત્યમ્ શિવમ્ ને સુંદરમ્!
તો બની જાય અનેરો બ્રહ્મનાદ શબ્દ!
શાશ્વત બની કરે દૂર અજ્ઞાન માનવનું,
કેવો અપરંપાર છે મહિમાવંત શબ્દ!
પ્રફુલ્લા “પ્રસન્ના”
અમદાવાદ