ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની છ રચનાઓ
વિષય :.” શબ્દાર્થ ” શબ્દ ની અનંત યાત્રા..શબ્દ વિષયક રચનાઓ(૦૨-૧૦-૨૦૨૧) દિવસ – ૪
Jan fariyad & News of Gandhinagar daily
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મેનેજિંગ તંત્રી : મીનાક્ષી રાવલ(ઈમેજ મેકર,ગ્રાફિક્સ)
પ્રતિભાવ : વિભૂતિબેન દેસાઈ.ઘાસવાલા.બીલીમોરા
website : www.janfariyadnews.com
What’s up calling No : 9824653073
Email : prdpraval42@gmail.com
Email : prdpraval@yahoo.co.uk
YouTube : janfariyadnews
News portal : janfariyadnews
Twitter : @prdpraval
********************************
NOG SS NO : 105
વિષય : શબ્દ
વિભાગ : પદ્ય
શીર્ષક : શબ્દની માયા
શબ્દ કરે મહાભારતનું સર્જન
શબ્દ કરે સંબંધોનું વિસર્જન
શબ્દ આપે છે દિલના ભાવોને વાચા
શબ્દની છે મનમોહક ભાષા
શબ્દ જ કરે છે આ મન પર વાર
શબ્દ જ કરે મલમ બની દિલનો ઉપચાર
શબ્દ જ છે તુજ સંસ્કારોનો શણગાર
શબ્દથી જ બને છે એક સંત અણગાર
શબ્દથી થાય પ્રભુ કેરી ભક્તિ
શબ્દોમાં રહેલી છે અઢળક શક્તિ
શબ્દ જ કરે અહંકારનું પ્રદર્શન
શબ્દ જ કરાવે વિવેકતાનું દર્શન
સમજી ગયા તમે શબ્દ તણા ઉપયોગનો સાર
તરી ગયા તમે આ માનવભવ પાર
અલ્પા શાહ.મુંબઈ – મલાડ
********************************
*NOG SS No : 0077*
*વિભાગ:પદ્ય*
*વિષય:શબ્દાર્થ/શબ્દ એક કથા/શબ્દો થકી સાહિત્ય યાત્રા*
*શીર્ષક:શબ્દ બ્રહ્મ*
શબ્દ જ બને ભ્રંમ તો ક્યારેય
શબ્દ જ બને પરબ્રહ્મ …!
શબ્દ જ બને લાગણીઓનો સેતુ ,
તો ક્યારેક
શબ્દ જ જાળવી રાખે જીવનનો હેતુ..!
શબ્દ જગાવે
સુક્ષ્મ સંવેદના ,
તો ક્યારેય
શબ્દ જણાવે
વણકહી વેદના..!
શબ્દ સર્જે ઘેરાયેલાં વાદળ,
તો ક્યારેક
શબ્દ જ સળગાવે દાવાનળ..!
શબ્દ જ શ્વસે
બની શ્વાસ,
તો ક્યારેક
શબ્દ જ નાંખે
ક્યાંક ઊંડો નિ:શ્વાસ…!
શબ્દ છતી કરી તમારી પ્રકૃતિ,
તો ક્યારેક
શબ્દથી જ બને
તમારી પ્રતિકૃતિ..!
શબ્દથી કરાય છલના,
તો ક્યારેક
શબ્દથી લલચાય રૂપલલના..!
શબ્દ અર્પે આલિંગન
તો ક્યારેક
શબ્દથી જ
મળતું ઘણાંયને ઈંજન..!
શબ્દથી જ સરતા ઘણાં અર્થ,
તો ક્યારેક
શબ્દથી જ સર્જાતાં અનર્થ…!
શબ્દ એક
આખે આખો
જીવીત કોશ,
તો ક્યારેક
શબ્દ મરેલાંને અપાવતો હોશ…!
શબ્દથી રચાતી
આખી સૃષ્ટિ,
તો ક્યારેક
શબ્દોનો અતિરેક
લાવતો અતિવૃષ્ટિ…!
શબ્દ સમગ્ર બ્રહ્માંડની ચેતના,
તો ક્યારેક
શબ્દ સમગ્ર
માનવ અસ્તિત્વની
નિહારીક કેતના..!
શબ્દનો ના પામી શક્યું હજી સુધી કોઈ પાર ,
તો ક્યારેક
શબ્દ એ ઉપાસનાની
અસીમ શક્તિનો
અમાપ ઉભાર..!
શબ્દ પોષણ કરતો બની વિશ્વંભર,
તો ક્યારેક
શબ્દ જ તડપાવતો બનીને સાવ નીંભર..!
-ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*
********************************
NOG:SS:NO.:0101
*વિષય: શબ્દો/શબ્દો થકી સાહિત્ય..*
*વિભાગ: પદ્ય* (અછંદાસ)
*શીર્ષક: શબ્દની ભીનાશ*
શબ્દ છે ખૂબસૂરત કાવ્ય
નવરસના નવરંગમાં છલકે
અક્ષરો સરતા જાય નદીના
વહેણમાં પહોંચે પ્રિયાને કાંઠે
કોતરે નામ તેનું રેતીના પટ પર
મોજું હાથ બની તેના પર પ્રસરે
તેની ભીનાશ અંતરને સ્પર્શે
બંધ પાંપણ પલળતી રહે
ઉરના ધબકારા મૌનની વાણી બને
મારી મંઝિલ ક્યાં છે સમજાય મને.
( રચના : ભરત સાંગાણી )
********************************
NOG SS NO.: 0059.
વિષય,શબ્દ: શબ્દાર્થ.
પ્રકાર: ગદ્ય.
શબ્દો: ૩૪૦
શીર્ષક: ‘શબ્દોની જાદુઈ
માયાજાળ ‘.
‘શબ્દોની જાદુઈ માયાજાળ’,
શબ્દ વાંચતાંજ આપ ચોંકી
ગયાને !
આપણી સમજ પ્રમાણે જાદુ, ફક્ત જીવંત વ્યકિત જ કરી શકે છે, જે વાત તદન ખોટી છે.
ગુજરાતી અક્ષરો તેમ જ શબ્દો પણ જાદુઈ છે , ’પ્યારે’ ચાલો, આજે આપને હું ‘શબ્દોનાં જુદા જુદા ભાવાર્થ સાથે તેની માયાજાળનો જાદુ બતાવું.
.
શબ્દની અકલ્પનીય તાકાતનો અણસાર બતાવું, સાથે તેનો અર્થ પણ જણાવું.
જાદુ એટલે કંઈક વિશેષ!
આપણી ધારણા કરતાં કાંઈક અણધાર્યું ,બરાબરને ?
આપણી માતૃભાષા ગુજરાતીનાં
દરેક અક્ષરો સાથે નાના અનુસ્વરો પણ શબ્દ જેટલાં જ તાકાતવર છે,અને અર્થ નો અનર્થ કરવાની
અકલ્પનિય તાકાત ધરાવેછે.
‘તો’ અક્ષર બે વાક્યોને અલગ કરેછે તો, તેજ ‘તો’ અક્ષર અનેક પ્રશ્ર્નાર્થ ? ,ઊભાં કરવાની અતૂટ તાકાત દર્શાવે છે.
જગત નો ‘જ’ વિશાળતાના દર્શન કરાવે છે તો તેજ ‘જ’ ભારવાચક સંકુચિતતા દર્શાવતાં જરા પણ સંકોચ અનુભવતો નથી!
નાની એવી બિન્દી પણ રજનું ગજ કરવાનું સામર્થ્ય ધરાવેછે, દા.ત. રજકણ માટે વપરાતો શબ્દ ‘રજ ‘ પામરતા બતાવેછે તો તેની ઉપર નાની બિન્દી મૂકતાં બનતો શબ્દ ‘ રંજ ‘ દુ:ખ ના દાવાનળને
દર્શાવવાની તાકાત ધરાવે છે.
બે બળદ જોડેલાં વાહનનું નામ ‘ગાડું’. પરંતુ ‘ગા’ ઉપર બિન્દી લગાડતાં બનતો શબ્દ “ગાંડુ ” મગજની અસ્થિરતા બતાવવા લાગે છે.
અભિમાન અને મોટાઈ માટે વપરાતો શબ્દ ‘મદ’ઉપર બિન્દી લાગતાં ‘મંદ’ બને છે જે નિર્બળતા,ધીમું સાથે અલ્પ બુધ્ધિ નો એહસાસ દર્શાવે છે.
આ છે, નાનાં અક્ષર અને અનુસ્વરની અદમ્ય તાકાત દર્શાવતા અલ્પ ઉદાહરણ!
આપણી ગુજરાતીભાષાનો દરેક શબ્દ,અનેક અર્થ બતાવવાનું અદકેરું કૌશલ્ય ધરાવે છે.
હક્ક=કબજો,દાવો,અધિકાર વિ.
હાર=પરાજય,પંક્તિ, ફૂલમાળા વિ.
ઉત્તર= દિશાસૂચક , જવાબ વિ.
વાર=દિવસ, સમયનો વિલંબ, વિ.
અંક=રકમ, સંખ્યા,ખોળો વિ.
‘પ્યારે’, અક્ષર ફક્ત અઢી જે
નામ બતાવે છે, તો સાથે સાથે પ્રેમસભર સંબોધન છે, અને આ લેખના લેખકનું ઉપનામ પણ શોભાવે છે.
આપણી મીઠી મધુરી,શૌર્યભરી, વિશ્ર્વની લોકપ્રિય, માતૃભાષા ગુજરાતીનો આ છે રાજવી દબદબો!
જેમાં અક્ષરે અક્ષરે , જોડણી પ્રમાણે ,સમયે -સમયે અર્થ બદલાયછે તો શબ્દાર્થ પણ !
શબ્દો ના સથવારે મા સરસ્વતીના ઉપાસક,લેખકો,કવિઓ, ગઝલકારો ,પોતાના મનમાં ઉગતી ઊર્મીઓ, અને અવનવી કલ્પના
અને વિચારોને કલમના કસબીઓ અવનવી સાહિત્ય કૃતિઓ રચી ધબકતું રાખે છે સાહિત્ય જગત !
પ્યારે’ ચાલો જોડાઓ શબ્દાર્થ ના સથવારે, અને કલ્પના ની પાંખે ઊડી, માણો સાહિત્યની સફરને !
©️જયકાન્ત ઘેલાણી ‘પ્યારે’.
*******************************
NOG SS NO /0044
વિષય:- શબ્દાર્થ
વિભાગ:- ગદ્ય
શબ્દો :- ૨૭૩
શીર્ષક :- શબ્દની કરામત.
પુરુષ મહેનત કરે તે પુરુષાર્થ, સ્ત્રી મહેનત કરે તે સ્ત્રીઆર્થ. વિચારીએ કે શબ્દાર્થ એટલે શું?
અક્ષરોને ભેગાં કરીએ એટલે શબ્દ બને, એને કાના, માત્રા વગેરેથી શણગારી સુંદર કવિતા, વાર્તા,લેખ, સુભાષિતો,ભજન વગેરેની રચના થાય અને આ રચના,રચનારને અમર બનાવે જેમકે નરસિંહ મહેતા, મીરાંબાઈ, પાનબાઈ,અખો, સ્નેહરશ્મિ, પન્નાલાલ પટેલ,ર.વ.દેસાઈ,અવિનાશ વ્યાસ વગેરે.
આપણી ગુજરાતી ભાષામાં વિપુલ પ્રમાણમાં શબ્દભંડોળ છે.કેટલીક વખત બોલવામાં સમાન લાગતાં શબ્દનો અર્થ અલગ હોય તો અનેક શબ્દનો અર્થ એક જ હોય, જેમકે પવન,અનિલ, સમીર વાયરો વગેરે.
જળ,નીર, પાણી ,ભૂલ,વારિ, સલિલ વગેરે.
એ જ રીતે બોલવામાં સમાન લાગતાં પરંતુ જોડણી અલગ હોય એવાં શબ્દનો અર્થ અલગ જ હોય, જેમકે-
પતિ- જીવનસાથી
પતી- ખલાસ
વારિ- જળ
વારી- નથણી
સુરત- શહેરનું નામ
સૂરત- ચહેરો.
એ જ રીતે બોલવામાં, લખવામાં સમાન હોય પરંતુ અર્થ અલગ હોય ત્યારે વાક્યમાં કયા અનુસંધાનમાં શબ્દ વપરાયો તે જોવાય.
દા.ત.
રેખા- સ્ત્રીનું નામ,લીટી
સીમા- સ્ત્રીનું નામ,હદ
કર- હાથ, જકાત
કર્ણ- પુરુષનું નામ, કાન
અનિલ- પુરુષનું નામ,પવન
સમીર- પુરુષનું નામ, પવન
આકાશ- પુરુષનું નામ,નભ
આશા- સ્ત્રીનું નામ, મનોરથ
નયન- પુરુષનું નામ, આંખ
પંકજ- પુરુષનું નામ,કમળ
કુસુમ- સ્ત્રીનું નામ, ફૂલ
સરિતા- સ્ત્રીનું નામ, નદી.
આવાં તો અસંખ્ય ઉદાહરણ છે.શબ્દ એટલે આપણાં બોલ,બહુ જ સાચવીને ઉચ્ચાર કરવો પડે.શબ્દ મારે ને શબ્દ તારે.
બોલવામાં ગરબડ થઈ જાય તો વર્ષો જુનાં સંબંધોનો અંત આવી જાય.અર્થનો અનર્થ ન થઈ જાય એનું ધ્યાન રાખવું જોઈએ.
‘ તલવારના ઘા રૂઝાય છે વાણીનાં ઘા રૂઝાતા નથી.’
કેટલીક વખત સાચું કહેવું પડે તો પણ એવી રીતે કહેવું કે સામાવાળાને કટુવચન ન લાગતાં સત્ય સમજાય અને ખોટું પણ ન લાગે.એટલે જ તો કહેવાયું છે કે,
‘ કાણાને કાણો કહીએ કડવા લાગે વેણ ધીરે રહીને પૂછીએ શીદને ખોયાં નેણ?’
આવી છે શબ્દોની કરામત.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
********************************
NOG SS NO:004
*વિષય*: *શબ્દાર્થ ” શબ્દ એક કથા..(શબ્દો થી વેર,ઝેર અને સંબંધ પણ..શબ્દો ની સાહિત્ય અનંત યાત્રા.)*
*પ્રકાર: લેખ શબ્દોની સાહિત્ય અનંત યાત્રા*
*શબ્દો:*૩૪૫*
*શીર્ષક:*ભાષાની સાચી ઓળખ એટલે સાચી જોડણી*
આજથી સદીઓ પહેલાં કે કરોડો વર્ષો પહેલાં સોધાયેલી લીપી ને તેમાંથી ઉદ્ભવેલ અધધધ ભાષાઓ.
દેવનાગરી કે સંસ્કૃતનાં ચલણમાં માનવ કેવું બોલતો હશે કે નાના શબ્દો ધીરે ધીરે અપભ્રંશ થયાં. તેનું ચલણ વધ્યું
ને માનવ પોતાની પોતાની રાજ્યને અનુલક્ષી આ સ્પષ્ટ ભાષા કરતાં પણ અપભ્રંશી ભાષા બોલવા લાગ્યો. અંગ્રેજો અંગ્રેજી
જાપાની જાપાનીસ
ફ્રેન્ચ લોકો ફ્રેન્ચ
ડચ લોકો ડચ
હિન્દુસ્તાની સંસ્કૃત/ દેવનાગરી
યુરોપ – યુરોપિયન
ચીન- ચીની.. વગેરે વગેરે.
આપણો દેશ શિક્ષિત થયો તો ગુલામીનાં સો વર્ષમાં કેટલીય ભાષા બોલનાર આવ્યા. એક ઉદાહરણ છે કે આઝાદીનાં પંચોતેર વર્ષ પછી પણ પોંડીચેરીમાં ફ્રેન્ચ કોલોનીમાં ફ્રેન્ચ ને ડચ ભાષાનો ઉપયોગ થાય છે. શિક્ષિત થતાં આપણી ચોવીસ રાજ્યોની ચોવીસ ભાષાઓ સામે એક અંગ્રેજી ભાષાની પક્કડ મજબૂત
બનતી ગઈ. વિશ્વભરમાં એ ભાષા સંભાષણ માટે સામાન્ય બની ગઈ. શું એક સ્પેલીંગની જોડણી એ ભાષાને પણ *શબ્દાર્થ*થીઅલગ અર્થ કરી દે છે.
Peace અને piece એક સરળ દાખલો આપું છું. મિત્રો શું તમે ભૂલ કરશો? ને કરશો તો જરૂર *શબ્દાર્થ* બદલાય જ જશે ને?
ઓહ! સમજી ગયાં મારું કહેવાનું કે તમારી માતૃભાષા પણ આ જ માંગે છે. બાળક જન્મે ને જે માહોલમાં મોટું થાય તે માહોલની જ ભાષા સૌ પ્રથમ બોલે.. ગુજરાતી, હિન્દી, તામિલ, કન્નડ કે મદ્રાસી કે પંજાબી. જો તે પહેલેથી જ સ્પષ્ટ ભાષા અપનાવે તો સ્પષ્ટ શબ્દાર્થ સમજે.શબ્દાર્થ સમજે તો સ્પષ્ટ સ્વચ્છ સાહિત્યનો જન્મ થાય. સાહિત્યમાં ભાષા કે શબ્દો ખોટી રીતે વપરાયને ત્યારે અપભ્રંશી ભાષા જન્મે.. તેથી ગુજરાતમાં બોલાતી ગુજરાતી કહેવત પ્રમાણે * બાર ગામે બોલી બદલાય* જેવી છે ને તેથી તે લખતા સાહિત્યકારો તેને તળપદી ભાષા કહી દે છે. એ ખાલી ને ઠાલી આત્મસ્લંઘના છે. જોડણીની છૂટ લેવાય છે એ એક ભાષા સાથેની અધોપતનની નિશાની જ છે.
*ભાષાની સાચી ઓળખ તેની સાચી જોડણી છે*
આપણી ભાષામાં ગણિતશાસ્ત્ર જેવું છે. નાની રકમ કે વત્તા, ગુણાકાર , ભાગાકાર કે બાદબાકીને જેમ યોગ્ય રીતે ન વાપરીએ તો જરૂર દાખલો ખોટો પડી જાય તેમજ યોગ્ય વિરામ ચિન્હ કે યોગ્ય અનુસ્વાર કે વ્યંજન કે સ્વર યોગ્ય જગ્યાએ ન મૂકાય તો * શબ્દાર્થ* અર્થનો અનર્થ કરી નાંખે (દા.ત. ચિતા અને ચિંતા, ભાગ્યો અને ભાંગ્યો)
માટે તે વાપરી સાચી જોડણી લખી ભાષાની સાચી ઓળખ ઊભી કરો.તો સુંદર સાહિત્ય રચાશે.
જયશ્રી પટેલ
૨૬/૯/૨૧