ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની ચાર રચનાઓ
વિષય :.” શિક્ષક દિન રચનાઓ(૧૭-૯-૨૦૨૧)દિવસ – ૧
Jan fariyad & News of Gandhinagar daily
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મેનેજિંગ તંત્રી : મીનાક્ષી રાવલ(ઈમેજ મેકર,ગ્રાફિક્સ)
પ્રતિભાવ : વિભૂતિબેન દેસાઈ.ઘાસવાલા.બીલીમોરા
website : www.janfariyadnews.com
What’s up calling No : 9824653073
Email : prdpraval42@gmail.com
Email : prdpraval@yahoo.co.uk
YouTube : janfariyadnews
News portal : janfariyadnews
Twitter : @prdpraval
*******************************************
NOG SS No : 0089
વિષય: શિક્ષકદીન
શીર્ષક: શિક્ષિકા
રેખા શુકલ- અમેરિકા
“ભાષાની પ્યાલીના નવરસ પીનાર શોધું છું,
ગઝલ તો ઘણી લખાય સમજનાર શોધું છું.”
કહી ભિખુભાઇ સાહેબ કલાસમાં ચોતરફ નજર ફેરવતા ભૂલકાંઓનું અવલોકન કરી રહ્યા. આશા કેમ રડી તે જોઇ રહ્યા. બીજા અઠવાડિયે શિક્ષક દિન આવ્યો ત્યારે
ઘણા બધા વિદ્યાર્થીઓની જેમ આશાએ પણ ગુજરાતી ભાષા ના શિક્ષક અને ચિત્રકળા નો મનપસંદ વિષય પસંદ કર્યો મોનીટર બનેલા વનરાજે અંગ્રેજી નો કલાસ બહુ સરસ રીતે લીધો. બીજા દિવસે બધાએ ભેગા થઇ પોતપોતાની પુસ્તકોનનું મંદિર બનાવી આશાને
“ મા સરસ્વતી “ તરીકે વધાવી હવે સમજાયું કેરેકટરનું ભજવી ઉમદા રજૂઆત કરે તે શિક્ષક. બાળક પહેલા માતા પિતા પાસેથી શીખે ને શિક્ષકદિને શિક્ષિકા જન્મે … !! તે શિક્ષક દિન કંઇ રીતે ભૂલી શકાય. પતંગિયા જેવા ડાળ પર બેસી બેંચ પર બેઠેલા સાડી માં સજેલ શિક્ષિકાઓને નિહાળી રહ્યાં કેવો સરસ રહે શિક્ષકદીન…!!
છું આજ શિક્ષિકા સાડીમાં સાદગીનો પ્રભાવ છું
બેલ વાગે ને પિરિયડ ચાલુ રીસેસની મજા ઓર છે
ચંબુ ને કશનળી સાયંસ ના પ્રયોગ રીત સભર છે
ભૂગોળનો સમય ઉત્સુકતા ને નક્ષામાં સ્થાન રંગુ છું
મોટી રીસેસ પતી ગઇ વ્યાયામ મેદાનમાં ધ્વજવંદન
શિક્ષકદિન ની યાદગાર મજા સ્મૃતિ પટે અકબંધ છે
— રેખા શુકલ
********************************
NOG SS No 0092
પ્રકાર:-પદ્ય
શીર્ષક:- મારા એ વંદનીય શિક્ષક
‘બહારની દુનિયામાં મારા સહુથી પહેલા, મિત્ર,માર્ગદર્શક અને આત્મીયજન એવા મારા એ શિક્ષક.
હું સાવ કોરી સ્લેટ જેવી,
ભોળી સી પારેવા જેવી,
મારી, ‘મારી’ સાથે ઓળખ કરાવનાર એવા મારા એ શિક્ષક.
મારામાં નીડરતા,આત્મ-વિશ્વાસ અને નેતૃત્વના ગુણોનું, આરોપણ કરનાર એવા મારા એ શિક્ષક.
પ્રમાણિકતા, ખેલદિલી, દયા,મૈત્રી જેવા મૂલ્યોને, વિકસાવનાર એવા મારા એ શિક્ષક.
છીપની અંદર છુપાયેલા મોતી સમા મારા કૌશલ્યથી,
મને પરિચિત કરાવનાર એવા મારા એ શિક્ષક.
૫ સપ્ટેમ્બરે સાડી પહેરીને જ્યારે વર્ગમાં ભણાવવા જાઉં ત્યારે,
મલકાતા-મલકાતા તાગ કાઢે એવા મારા એ શિક્ષક.
ઘરના બે બાળકોનેય સાંભળવા મુશ્કેલ હોય ત્યાં,
પુરા પચાસને એકસાથે સંભાળે એવા મારા એ શિક્ષક.
ઊંચ-નીચ,અમીર-ગરીબ કે હોંશિયાર-ઠોઠના ભેદ વગર,
સહુ વિદ્યાર્થીને એકસરખા ચાહે એવા મારા એ શિક્ષક.
ધરા પર મા સરસ્વતી આવી ન્હોતી શકતી,
મોકલ્યા જેને એમના દૂત બનાવી એવા મારા એ શિક્ષક.
મારા જીવનના બીજા આદર્શ,
જેને જ્યાં પણ મળું,
ચરણોમાં ઝૂકી જવાનું મન થાય એવા મારા એ શિક્ષક.
મારા ગામની મોભાદાર વ્યક્તિઓમાંની,
સહુંથી મોભાદાર ગણાતી વ્યક્તિ એવા મારા એ શિક્ષક.
ઇતિહાસ-ભૂગોળ ના પાઠની સાથે જ, જીવનના પાઠ સરળતાથી ભણાવનાર એવા મારા એ શિક્ષક.
જેને પોતાના વિદ્યાર્થીઓમાં, હંમેશા ભાવિ વૈજ્ઞાનિક,ઈજનેર, ડોકટર અને ઉધોગપતિઓ દેખાય એવા મારા એ શિક્ષક.
આજે જે કાંઈ છું એ વંદનીય શિક્ષકોને લીધે છું,
છતાં એને મારો જ શ્રેય ગણાવે એવા મારા એ શિક્ષક.
મા-બાપ પછી બીજું ગરવું સ્થાન છે જીવનમાં જેનું,
ને ઋણ એમનું ક્યારેય ના ઉતારી શકાય એવા મારા એ શિક્ષક.
અલકા મહેતા
ગાંધીનગર
૦૪/૦૯/૨૧
********************************
NOG. SS NO.0095
વિષય :– ” શિક્ષકદિન ”
માં બાળકને જન્મ આપે છે ત્યારે ગુરુ વિદ્યાર્થીને જીવન આપે છે. એટલે જ કહેવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિના જીવનમાં બે વ્યક્તિનો મહત્ત્વનો ફાળો હોય છે. જેમાં માતા બાળકને જન્મ આપે છે. તેને ઉછેરે છે, અને બાળકનો શારીરિક વિકાસ કરે છે. બાળકનુ ઘડતર કરી જીવનમાં આગળ વધવા માટે દિશા બતાવી પ્રોત્સાહન પૂરું પડે છે. તેમજ દરેક વિદ્યાર્થીના જીવનમા શિક્ષકનુ મહત્ત્વ હોય છે. તમારા મનમાં કોઈ શિક્ષક સારી એવી છબી છોડી જાય છે. તે છબીને ક્યારેય તમારા મનમાંથી ભૂસી શકતા નથી. સમાજનુ ઘડતર કરવામાં શિક્ષકનો મહત્ત્વનો ભાગ હોય છે. શિક્ષક વિદ્યાર્થીને સાચી દિશા બતાવે છે. અને તે દિશા તરફ આગળ વધવા માટે પ્રોત્સાહન આપે છે. આજનો વિદ્યાર્થી આવતીકાલનો નાગરિક છે. તેને શ્રેષ્ઠ નાગરિક બનાવવામાં શિક્ષકનો મહત્ત્વનો ફાળો છે. દરેક વિદ્યાર્થીઓનુ ભવિષ્ય શિક્ષકના હાથમાં હોય છે.
શિક્ષક એટલે…
શિસ્તનો આગ્રહી બને તે શિક્ષક.
શાળારૂપી મંદિરનો પૂજારી બને તે શિક્ષક.
એકતા, અખંડિતતા, દેશપ્રેમના પાઠો શીખવે તે શિક્ષક.
સૂર્યરૂપી તેજસ્વીતા અને ચંદ્રરૂપી શીતળતા બક્ષે તે શિક્ષક.
મા રૂપી મમતા અને પિતારૂપી જવાબદાર બને તે શિક્ષક.
શિક્ષક દિને દરેક સ્કૂલોમાં સ્વયં શિક્ષણ દિનની ઉજવણી કરવામાં આવે છે તેના ભાગરૂપે વિદ્યાર્થીઓ એક દિવસ માટે શિક્ષક બનીને અભ્યાસ કરાવતા હોય છે. સ્કૂલોનું સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે .તેમજ સ્કૂલોનું શૈક્ષણિક કાર્ય સ્કૂલોના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે તેવું આયોજન કરવામાં આવતું હોય છે. વિવિધ વિષયોના શિક્ષણ કાર્ય માટે સ્કૂલોના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓને પૂર્વ તૈયારી કરાવવામાં આવતી હોય છે. સાથે વિવિધ સંસ્કૃતિક કાર્યક્રમોનુ પણ આયોજન કરવામાં આવતું હોય છે. આ કાર્યક્રમમાં સ્કૂલોમાં સેવા આપેલા નિવૃત શિક્ષકોને સન્માન આપવામાં માટે નિમંત્રણ આપવામાં આવતા હોય છે.
5 સપ્ટેબર 1888ના રોજ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ છે, તેમની યાદમાં શિક્ષક દિન ઘોષિત કરવામાં આવ્યો હતો.
અભ્યાસની બાબતે તેઓ વિશ્વને એક વિદ્યાલય માનતા હતા. તેમનું માનવું હતું કે શિક્ષા દ્વારા માનવીના મગજનો ઉપયોગ કરી શકાય છે. તેમની જ ઈચ્છા હતી કે એમનો જન્મદિવસ શિક્ષકદિન તરીકે હંમેશાં ઉજવાતો રહે .
1962માંભારતના
રાષ્ટ્રપતિ બની રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું હતું .16 એપ્રિલ 1975ના રોજ તેમનુ અવસાન થયું હતું.
દીપિકા ચાવડા ” તાપસી “.
********************************
NOGSS no 19
વિષય.્.શિક્ષક દિવસ
પ્રકાર…ગદ્ય
શીર્ષક…ગુરુવંદના
સુમંતભાઈ ઉત્તર બુનિયાદી શાળામાં ભણેલાં, એટલે બાળકોને સ્વાવલંબનનાં ગુણ કેળવાય એ રીતે શાળામાં સતત પ્રયત્નશીલ રહેતાં. સ્ટાફના ઘણાંને આ વેદિયાવેડાં લાગતાં. પણ સુમંતભાઈ એમની નિષ્ઠા અને પરિશ્રમને વળગી રહેતાં. રોજ શાળા સમય પહેલાં આવી બાળકો સાથે શાળાની સાફ..સફાઇ,બાગકામ, પાણીની વ્યવસ્થા સંભાળી દરેક બાળકને કચાશ રહેતાં વિષયમાં અલગ માર્ગદર્શન આપતાં. એમને પોતાને સંતાન ન હતું, પણ એમને એનો રંજ નહોતો. શાળાનાં બાળકોને પોતાનાં માનતાં. શાળાનાં આચાર્ય શ્રી અને બીજા શિક્ષકોને બહુ મહેનત ન કરવી પડતી.કેમ કે સુમંતભાઈ એ તૈયાર કરેલો વિદ્યાર્થી ટકોરાબંધ જ હોય. સરકારી ગમે તે પ્રોગ્રામ આવે એ ઉત્સાહથી ભાગ લઇ બાળકોને પ્રોત્સાહિત કરતાં. આચાર્ય કહેતાં પણ ખરાં કે,” સુમંતભાઈ, તમારા કામનાં ફોટાઓ પાડી વ્યવસ્થિત ફાઈલ બનાવો.તમને રાજ્યનો એવોર્ડ મળે.”
પણ સુમંતભાઈ એવોર્ડથી છેટાં જ રહેતાં. એ માનતાં કે આપણને જે પગાર મળે છે, એનું વળતર આપણે વાળીએ છીએ. એ તો શાળાનું નવિનીકરણ કર્યા રહેતાં. ગામનાં લોકો પણ એમનું માન જાળવતાં.એમનાં સાથી શિક્ષક એમનાં પ્રોગ્રામ નાં ફોટા પોતાનાં નામે ચઢાવી વાહ વાહી મેળવતાં. એક શિક્ષક ને તો ક્રિયેટીવ શિક્ષક નો એવોર્ડ પણ મળી ગયો. સુમંતભાઈ આ બધું જાણતાં પણ પોતાનું કાર્ય આગળ વધારતાં. વર્ષોની મહેનતના પરિણામ સ્વરૂપ શાળા ખૂબ આકર્ષક અને હરિયાળી બની.ઔષધબાગ,રામહાટ,લાઈબ્રેરી, સ્વચ્છતા, પ્રાર્થના, વિ.માં શાળા આગવી ઓળખ ધરાવતી થઈ ગઈ. વિદ્યાર્થીઓ ખૂબ હોશિયાર બની રમત ગમત,લેખન,કાવ્ય,ચિત્ર ક્ષેત્રમાં નામના મેળવવા લાગ્યાં. આ તમામ શ્રેય સુમંતભાઈ ને જતું. એમનાં ભણાવેલાં અનેક વિદ્યાર્થીઓ સારાં પદ મેળવી નોકરીમાં સ્થાઈ થયાં હતાં.
કાલે 5 મી સપ્ટેમ્બર ,શિક્ષક દિવસ હતો. સુમંતભાઈ બાળકોને શિક્ષકના જીવન વિશે માર્ગદર્શન આપતાં હતાં, ત્યાં શાળામાં ટપાલી એક કવર આપી ગયો. આચાર્ય શ્રી એ ટપાલ ખોલી તો સૌનાં આશ્ચર્ય વચ્ચે આ વર્ષે રાજ્ય પારિતોષિક.. શ્રેષ્ઠ શિક્ષક તરીકે સુમંતભાઈ ને આપવામાં આવનાર છે. એ મતલબનો પત્ર હતો. બધાને નવાઈ લાગી.ખુદ સુમંતભાઈ ને પણ નવાઇ લાગી.ત્યાં એમનો ફોન રણક્યો.
“હેલ્લો, સાહેબ, નમસ્કાર! હું ગૌરવ બોલું છું.”
“અરે, ગૌરવ, બોલ બેટા ,તું ક્યાં છું?”
“સાહેબ, આપે મને જે નિષ્ઠા અને લગનીથી ભણાવ્યો, એટલે હું આજે એક ઉચ્ચ અધિકારી તરીકે છું. આપને કોઈ એવોર્ડ મળે એ ગમતું નહોતું, પણ આપની જાણ બહાર મેં આપની તમામ માહિતી ની ફાઇલ બનાવી સરકારમાં રજુ કરી છે.
હું પસંદગી સમિતિનો સભ્ય છું. આપની ગુરુવંદના બીજી કઇ રીતે કરી શકું?”
સુમંતભાઈ ગળગળા થઈ ગયાં. આખી શાળામાં આનંદ છવાઈ ગયો.
સુમંતભાઈ ને આવાં વિદ્યાર્થીઓ તૈયાર કરવાનું ગૌરવ થયું.
જય શિક્ષક..
કલ્પના બેન ત્રિવેદી સુરેન્દ્રનગર
*******************************
N. O. G. SS NO. 0026.
લગાગાગા ૪ હજઝ છંદ.
ગુરુ — મારા વિચારો.
શિક્ષક દિ’ નિમિત્તે..
વિષય – ગુરુ
ગુરુનાં જ્ઞાન થી ભવભવનો સાચો સાર પામી જા,
સમજ આપી છે પથદર્શક થઈ, ઉદ્ધાર પામી જા.
હટાવી દે બધાં વાદળ અગર અજ્ઞાન ના ઘેરે,
અનોખો એક તેજોમય નવો સંસાર પામી જા.
‘ગુરુ માતા, ગુરુ વિદ્યા, ગુરુ જીવનનું ચણતર છે,’
જીવનનો મંત્ર છે સાચો, જરા અણસાર પામી જા.
ગુરુની છે અગર છાયા, પછી શું કામ છે ઈશનું?
જગતનો તાત ખુદને કહે, તું પણ આધાર પામી જા.’
ઘણો મહિમા અનેરો છે ગુરુ-ગોવિંદનો જગમાં,
તું નતમસ્તક થઈ દિલથી, એ એકાકાર પામી જા.
અંજના ગાંધી “મૌનુ”
વડોદરા