NOG SS No : 100
શીર્ષક :*અમૂલાં મોતી*
નામ : બીજલ જગડ
સમયની રેતમાં પ્રતીક્ષા દબાવી,
વિયોગ-યોગની વિભાવના રહી.
મારા હોવાપણામાં તું રજરજ,
ખુદનાં પડછાયામાં હું ખુદ મળી.
હૈયે ધરપત આપ દો છો પણ,
પીપળા સન્મુખ હું ઊભી રહી.
દીઠો મેં ઘર ઘર દુંદાળો દીઠો,
જાસુંદ ચૂંટવા જીવતર ભરાઈ.
તું ત્વચા ફાડી અવતેરજે હવે,
તું ક્યાં નથી ? પ્રશ્નનો ઉત્તર બની.
ચમકતા હતા જેના ભાગ્ય-તારા,
ધીમે ધીમે શ્રદ્ધા શ્વાસ લેતી થઈ.
આંખોમાં નવા તેજ સમાયા એથી,
મળ્યા મોતી અમૂલાં શીશ નમાવી.
~ *બીજલ જગડ*
મુંબઈ ઘાટકોપર
********************************
NOG SS No : 102
*🌱जय द्वारकाधीश🌱*
*👉नो वाचवु हौय तो पण👆एकवार वाचसोजी👈*
*❤️શ્રાદ્ધની સમજ💔*
*આ સૃષ્ટી એટલે કે પૂરા બ્રહ્માંડને🌏 ૧૨ 🌍 રાશિથી બાંધ્યું છે. તેમાં 🔴મેષ રાશિને સમગ્ર ⛩️વિશ્વનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે અને તેજ પ્રમાણે 🛣️મીન રાશિ મોક્ષનું દ્વાર માનવામાં આવે છે.*
*આ 🟡મીન રાશિ 🌱બ્રહ્મલોક કે 🌿દેવલોક સાથે જોડાયેલી છે જ્યારે 🟢કન્યા રાશિ 🤍પિતૃલોક કે ⚪ચંદ્રલોક સાથે જોડાયેલી છે*
*હવે ખગોળ શાસ્ત્રના આધારે ૧૫ જુલાઈ પછી🌄 સૂર્યદેવતાની દક્ષિણયાત્રાની શરૂઆત થાય છે જેને આપણે દક્ષિણાયણના સૂર્ય કહીયે છીએ.*
*આ 🌄દક્ષિણાયનના સૂર્ય ધીમે ધીમે 🟢કન્યા રાશિ અને ⚪તુલા રાશિ તરફ જાય છે અને ત્યાં 🤍પિતૃલોકને જગાડે છે.*
*આ દક્ષિણાયનના સૂર્યની યાત્રા 🟢૧૫ સપ્ટેમ્બર પછી કન્યા રાશિમાં પ્રવેશે છે 🌌ત્યારે પાતાળલોકમાં રહેલા પ્રેતયોનીને જાગ્રત કરે છે*
*હવે સમજવાની વાત એ છે કે સંસારમાં ✈️મૃત આત્માની ગતિ ✌️બે રીતની હોય છે.*
*જેઓ🙏 સંતકક્ષાના અને પુણ્યશાળી જીવો હોય તેઓ મરણ બાદ દેવયાન ✈️તરફ ગતિ કરે છે અને 🛩️અતૃપ્ત આત્મા પ્રેતયાન તરફ ગતિ કરે છે. ✈️દેવયાનનો સીધો સંબંધ 🌞સૂર્ય સાથે હોય છે અને પ્રેતયાનનો સબંધ 🌃ચંદ્ર સાથે હોય છે ચંદ્ર સૂક્ષ્મ 🤏જગતને સંભાળે છે અને તેથી ચંદ્રલોકને 🤍પિતૃલોક પણ કહેવાય છે.*
*📕શાસ્ત્રમાં વર્ણવ્યા મુજબ 🌙ચંદ્રની ૧૬ કળા છે આ ૧૬ કળા આપણા 📔હિન્દૂ પંચાગની ૧૬ તીથી સાથે જોડાયેલી છે ⚪પુનમથી ⚫અમાસ ૧૬ તીથી હોય છે તેમ સુદ અને વદ ની તમામ તીથી રિપીટ થાય છે.*
*આમ મૃત્યુ પછી આત્મા જે તિથિએ મરણ પામે તે મુજબ 🌙ચંદ્રની કળામાં સ્થાન પામે છે. 👆એકમનું મરણ થયું હોય તે પહેલી કળામાં તે મુજબ જે પણ તિથિએ મરણ પામે તે ચંદ્રની કળા માં સ્થાન પામે છે*.
*જ્યારે🟢 સૂર્ય કન્યા રાશિમાં આવે છે ત્યારે ⚪ભાદરવા સુદ પૂનમ આવી જાય છે અને તે ચંદ્રલોકમાં 🤍પિતૃઓને જગાડે છે. તે સમયે ચંદ્રની ૧૫મી કળાના દ્વાર ઉઘડી જાય છે અને તેમાં રહેલા. 🤍પિતૃ પૃથ્વી પરના તેમના સંબંધીને ત્યાં જઈ શકે તેવી 👌વ્યવસ્થા છે. આમ પુનમથી પછી દરેક કળાના દ્વાર ખુલતા જાય છે અને તેમાં વસતા પિતૃઓ પોતપોતાના ઘરે🏬 આવવા ✊શક્તિમાન બને છે*.
*ચંદ્રનું આધિપત્ય દૂધ અને ખીરનું રહેલું હોવાથી શ્રાદ્ધ પક્ષમાં🍽️ દૂધપાક કે ખીરનું મહત્વ વિશેષ છે.*
*આમ દરેક પિતૃ તેમના નજીકના સ્વજન પુત્ર કે પૌત્રના ઘરે આવે છે અને શ્રાદ્ધ પામી સંતૃપ્ત થાય છે અને 🤌આશીર્વાદ આપતા જાય છે જે પરિવાર કુટુંબની ઉન્નતિ કરે છે. 👉જે પિતૃનું શ્રાદ્ધ કરવામાં નથી આવતું તે અતૃપ્ત 😙અવસ્થામાં પાછા જાય છે અને મનોમન ઉદાસ બની જાય છે તેનું વિપરીત પરિણામ કુટુંબને ભોગવવું પડતું હોય છે.👈*
આ અતૃપ્ત પિતૃ ફરી એકવાર અમાવસયાને દિવસે *અચૂક* પાછા પોતાના સ્વજનના ઘરે આવે છે જેથી તેને આપણે *સર્વપિતૃ અમાવાસ્યા* કહીયે છીએ. આ દિવસે *ભૂલ્યાચૂક્યાં* દરેક પિતૃનું શ્રાદ્ધ મહિમા ઘણો છે અને તે *અનાયાસે* બાકી રહેલા પિતૃઓને સંતૃપ્ત કરવાનો મોકો મળે છે.
*આથી દરેક પરિવારે શ્રાદ્ધ કરવું જ જોઈએ* તે દિવસે 📿બ્રાહ્મણ, 📿બહેન📿 દીકરી અને 📿ભાણેજોને જમાડી શક્તિમુજબ *દક્ષિણા* આપવાથી અને કાગવાસ નાખવાથી પિતૃને પહોંચે છે
*આ હકીકત શાસ્ત્ર આધારિત છે* અને સૌ જન આમાં *શ્રધ્ધા* રાખી કરે તે માટે તેને *શ્રાદ્ધ* નામ આપવામાં આવ્યું છે.
*👉શક્ય છે કે આજ ના દિવસો માં ઉપરોક્ત જ્ઞાન જો હોય તો કદાચ શ્રાદ્ધ ની પ્રવૃત્તિ નું માહાત્મ્ય ખબર પડે👈*.
રતિભાઈ વાયડા.મુંબઈ
********************************
NOG SS No : 105
પ્રકાર : ગદ્ય
શિર્ષક : આજનું બાળક રેસનો ઘોડો
આજનું બાળક કે રેસનો ઘોડો
આજનું બળક જન્મ લે એ પહેલાં જ માતા-પિતા એના માટે અનેક સપનાઓ સજાવી લે છે. આ વસ્તુ સહજ છે. એ દુનિયામાં આવે એ સાથે જ એના અલગ અલગ સ્ટાઇલમાં ફોટા પાડવા , એની દરેક હિલચાલની વિડીયો ઉતારવી વગેરે કરી એને ઓનલાઈન ચમકતું રાખે. આ શું થઈ રહ્યું છે એની બાળકને કશી ગતાગમ ના પડતી હોય. પણ માતા-પિતાનો ઉત્સાહ જ બહુ ભારી હોય છે. ઘણા વ્લોગર બાળકની આખા દિવસની દિનચર્યા ઓનલાઈન મૂકે અને એમાંથી પૈસા કમાય. જાણે બાળક પૈસા કમાવવાનું સાધન હોય.
બાળક જેમ જેમ મોટું થતું જાય તેમ તેમ તેને સારામાં સારા પ્લે ગૃપ , નર્સરીમાં મૂકવાનું ,સારામાં સારી સ્કૂલમાં એડમિશન લેવું. આ બધી વસ્તુની જાણે હરોળ લાગી હોય.જે સ્કૂલની ફીસ વધારે એ સ્કૂલ સારી જાણે કે એક સ્ટેટસ હોય એ રીતે મા-બાપ લાખો રૂપિયા એડમિશન માટે પણ ખર્ચી કાઢે. આપણે કોલેજ સુધી ભણ્યા તો જેટલો ખર્ચો ના થયો હોય એટલો એના સ્કૂલના છ મહિનાનો ખર્ચો હોય.
થોડો મોટો થાય એટલે એને ભણવા સાથે સાથે અલગ અલગ ક્લાસીસ કરાવવાના. કોઈનું છોકરું ક્લાસ કરે તો આપણું કેમ પાછળ રહી જાય એમ વિચારી એને આખો દિવસ આ બધી પ્રવૃત્તિમાં બીઝી રાખે. એને રમવાનો પણ સમય ના મળે. વેકેશન પણ માણવા નહીં દેવાનું. અલગ અલગ ક્લાસમાં એનું એડમિશન લઈ લેવાનું. સ્કૂલમાં વપરાતા કંપાસ બોક્સ , ટીફીન બોક્સ , સ્કૂલ બેગ પણ મોંઘી લેવાની. મારું છોકરું બધાથી અલગ તરી આવવું જોઈએ એવું જાણે સ્ટેટસ સિમ્બોલ. ૧૦ માં આવે એટલે સારા ટકા મેળવવા એને આખું વર્ષ દબાણ કરવાનું. નહીં તો મા – બાપને નીચું જોવા જેવું થાય. કઈ લાઈન લેવી એ પણ મા – બાપ નક્કી કરે. પૈસા ગમે તેટલા ખર્ચી જાણે પણ છોકરાઓએ પેરેન્ટ્સની મરજી પ્રમાણે જ બનવાનું એવું દબાણ.
મા-બાપની દેખાદેખીમાં છોકરાઓની નિર્દોષતા ચાલી જાય છે. એ પોતાના મનથી જીવી નથી શકતો. રેસના ઘોડાની જેમ તમે એને દોડાવ્યા કરો અને એને દોડવાનું. શું કામ સરખામણી કરી એનું પોતાનું વ્યક્તિત્વ ઢાંકી દેવાનું.બીજા કોઈના છોકરાએ આમ કર્યું એટલે તારે કરવાનું જ .
આમાં એ પોતાનું વ્યક્તિત્વ નિખારી નથી શકતો . આજનો બાળક સમજું છે . એને શું કરવું એને નક્કી કરવા દો. હા સમજણ આપવાની પણ જડતા પૂર્વક પોતાનો અભિપ્રાય થોપી ના બેસાડો.
તમારે એના માલિક નહીં પણ મિત્ર બની એનો સાથ આપવો જોઈએ. આજના માતા-પિતા પોતાના બાળક પાછળ કેટલાય ખોટા ખર્ચા કરી નાખે છે. આના કરતાં જરૂર હોય એ ખર્ચા કરી કોઈ ગરીબના બાળકને વધારાના પૈસાથી ભણાવવો જોઈએ.
બીજાની સરખામણી કરવા ખાતર શું કામ ખોટા ખર્ચા કરવાના ? આજના માતા-પિતા સમજણપૂર્વક વર્તન કરી બાળકને રેસનો ઘોડો નહીં પણ સમાજની સમજદાર વ્યક્તિ બનાવશો તો સમાજને સારા નાગરિકો મળશે.
અલ્પા રાજેશ શાહ . ગામ – ઊંડણી . મલાડ – મુંબઈ