ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની ચાર રચનાઓ
વિષય :.” શ્રાદ્ધ પક્ષ.માતૃ,પિતૃ શ્રાદ્ધ મહત્વ” વિષયક રચનાઓ(૧૬-૯-૨૦૨૧)દિવસ – ૫
Jan fariyad & News of Gandhinagar daily
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મેનેજિંગ તંત્રી : મીનાક્ષી રાવલ(ઈમેજ મેકર,ગ્રાફિક્સ)
પ્રતિભાવ : વિભૂતિબેન દેસાઈ.ઘાસવાલા.બીલીમોરા
website : www.janfariyadnews.com
What’s up calling No : 9824653073
Email : prdpraval42@gmail.com
Email : prdpraval@yahoo.co.uk
YouTube : janfariyadnews
News portal : janfariyadnews
Twitter : @prdpraval
******************************************,*
NOG.SS.No 0102.
વિષય:-શ્રાદ્ધ પક્ષ ,માતૃ શ્રાધ,પિતૃ શ્રાદ્ધ નું મહત્વ.
પ્રકાર:-ગદ્ય.
શીર્ષક:-માતૃ શ્રાદ્ધ નું મહત્વ.
જેઓએ આપણે જન્મ આપ્યો છે ,એવા માતા-પિતા અને પિતૃઓનું આપણા ઉપર ભારે ઋણ છે .તે આપણે ચૂકવવું જોઈએ ,તેઓના મૃત્યુની તિથિને દિવસે આપણે તેઓને યાદ કરીને શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણ ભોજન કરાવવું જોઈએ. તર્પણ વિધિ કરવી જોઈએ
સ્વજનોના મૃત્યુ થયા પછી તેનો આત્મા તેર દિવસ સુધી ભટકતો રહે છે. ઉત્તર ક્રિયા દરમિયાન તેમની મુક્તિ થાય છે, અને તેઓ પિતૃ યોનિ માં પ્રવેશ કરે છે.
અકાળે મૃત્યુ ,શસ્ત્રથી મૃત્યુ, આત્મઘાત ,વગેરે જેવા મૃત્યુ થતા હોય છે તેઓનો આત્મા અતૃપ્ત હોય છે ,એ ખુદ જ નહીં પરંતુ આપણા સ્વજનો ના મૃત્યુ પછી તેઓની ઉત્તર ક્રિયા જો બરોબર ન થાય તો, આવા આત્માઓ પ્રેત યોનિમાં ભટક્યા કરે છે, અને પોતાની મુક્તિ માટે તેઓ પ્રયત્ન કરે છે. ધાર્મિક વિધિ પૂર્ણ થયા પછી તેઓનો આત્મા પિતૃ બની અને સ્વજનોની ઉપર કૃપા વરસાવે છે અને તે આત્માની મુક્તિ થઈ જાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
ગરુડ પુરાણમાં આ બાબતમાં ખૂબ જ સ્પષ્ટતાથી વાતો કરવામાં આવી છે.
જો તમને આધિ, વ્યાધિ ,કે ઉપાધિ હોય તમારા ઘરમાં શાંતિ ન રહેતી હોય, ઘરમાં કંકાસ થતા હોય, કાયમ બીમારી રહેતી હોય, બીમારીની લાખો રૂપિયા દેવા છતાં પણ દવા કરવવાથી તેનો કોઇ ઇલાજ ન મળે ,તેવી બીમારી લાગુ પડે ,ધંધામાં નુકસાન ,ઘરમાં સંતાનનું ન થવું ,તેમજ અનેક પ્રકારની માનવજીવનની મુશ્કેલીમાં પિતૃદોષ હોવાના સંકેતો જોવા મળે છે.
આજે હું આપને માતૃશ્રાધ ની વાત કરીશ. આપણી માતાનું આપણા જીવનમાં ઘણું મહત્વ છે તેમના મૃત્યુ પછી તેમની ઉત્તરક્રિયા સારી રીતે થાય અને શ્રાદ્ધ પક્ષમાં તેની તિથી આવતી હોય ત્યારે સંપૂર્ણ શ્રદ્ધાથી ધાર્મિક વિધીપૂર્વક તેની શ્રાદ્ધ વિધિ કરવામાં આવે તો માતાના આશીર્વાદ આપણે મળે છે.
સામાન્ય રીતે મૃતાત્મા ની તિથી હોય તે દિવસે ઘરે શ્રાદ્ધ વિધિ કરી શકાય આ ઉપરાંત માતૃશ્રાધ નું પણ ખાસ વિશેષ મહત્વ છે જે આ પ્રમાણે છે.
પૌરાણિક કથા પ્રમાણે કપિલમુનિએ પોતાની માતા દેવહુતી ને સાંખ્ય શાસ્ત્ર અને આત્માના ઉદ્ધાર માટેની કથાઓ કહી આ દરમિયાન માતાની આંખમાંથી આંસુ નીકળ્યા અને આ આશું માંથી એક સરોવર બન્યુ જેને આપણે બિંદુ સરોવરના નામે ઓળખીએ છીએ. પ્રભાસ પાટણ સિદ્ધપુર પાસે આ બિંદુ સરોવર આવેલું છે,.અને ત્યાં માતાનું શ્રાદ્ધ કરવામાં આવે છે.
બિંદુ સરોવર જઈ માતૃશ્રાદ્ધ કરી અને માતૃ ઋણમાંથી મુક્તિ મેળવી શકાય છે. ત્યાં રહેલા પુરોહિતો આ શ્રાદ્ધ વિધિ ખૂબ સારી રીતે કરાવે છે. પૂજન માટે જોઇતી સામગ્રી ,વસ્ત્રો ,દાન-દક્ષિણા વિગેરે કરવાનું હોય છે ,પુરોહિત પિંડદાન અને તર્પણ કરાવે છે અને આપણી માતાઓ અને વંશ માં રહેલી તમામ સ્ત્રીઓની પિંડ અને તર્પણ વિધિ કરવામાં આવે છે ,અને ત્યાર પછી માતૃ ઋણમાંથી મુક્તિ મળે છે. આ ધાર્મિક વિધિ પૂર્ણ થયા બાદ બ્રહ્મભોજન ,ગૌ ગ્રાસ, કાગવાસ, સ્વાન ભાગ ,વગેરે પણ આપવાનું હોય છે, બ્રાહ્મણને દક્ષિણા આપી તેના આશીર્વાદ મેળવવામાં આવે છે અને આ રીતે વિધિ બાદ આપણે આપણી માતાના ઋણમાંથી મુક્ત થઈ જઈએ છીએ માતાનો આત્મા મોક્ષ ગતિને પ્રાપ્ત કરે છે અને તે આપણે આશીર્વાદ આપે છે આ માતૃ શ્રાધ નું મહત્વ છે.
દરેક વ્યક્તિએ પોતાના માતૃ ઋણમાંથી મુક્ત થવા માટે આ શ્રાદ્ધ કરવું બહુ જરૂરી છે. આ ઉપરાંત શ્રાદ્ધ પક્ષમાં તેની તિથિને દિવસે બ્રહ્મભોજન વિગેરે પણ કરવા જોઇએ તેની વાર્ષિક તિથિને દિવસે પણ આ ક્રિયા કરવી જોઈએ જેથી માતાના આશીર્વાદ આપણે પ્રાપ્ત થાય છે અને આપણા જીવનમાં મુશ્કેલી ઓછી થઈ જાય છે.
શ્રદ્ધાપૂર્વક માતૃશ્રાદ્ધ કરો માતાના આશીર્વાદ મેળવો અને તેની કૃપાથી જીવનનો આનંદ માણો.
રતીલાલ વાયડા.
૧૩/૯/૨૦૨૧. સોમવાર.
નવી મુંબઈ .
***************************,**
NOG.SS.No. 0102
વિષય:-શ્રાદ્ધ પક્ષ ,માતૃ શ્રાદ્ધ અને પિતૃ શ્રાદ્ધ નું મહત્વ.
પ્રકાર:-ગદ્ય
શીર્ષક:-પિતૃ શ્રાદ્ધનું મહત્વ.
આપણા જીવનમાં પિતા અને પિતૃઓનું આપણી ઉપર ઘણું ઋણ છે. તે આપણે ચૂકવવું જોઈ એ. શ્રાદ્ધ પક્ષમાં પિતાનું મૃત્યું જે તિથી એ થયું હોય તે દિવસે શ્રદ્ધાપૂર્વક, શ્રાદ્ધ વિધિ, બ્રહ્મભોજન ,તેમજ દાન, અને દક્ષિણા આપવા તેથી પિતાનો આત્મા તૃપ્ત થાય છે. તે આપણે આશીર્વાદ આપે છે..
મૃત્યુ પછીનું જીવન કેવું છે તે બાબતમાં ગરુડ પુરાણમાં ઘણો ઉલ્લેખ આપેલો છે.
ભાદરવા મહિનામાં વદ તિથિમાં પિતાનું શ્રાદ્ધ કરવામાં આવે છે. આ વિધિ ઘરમાં પણ થાય છે. તેમજ ખાસ તો તેની સંપૂર્ણ મુક્તિ માટે આપણે પિતૃશ્રાદ્ધ પણ કરવું જોઈએ.
પિતૃ શ્રાદ્ધ બૌદ્ધગયા પાસે ગયા મુકામે ફાલ્ગુની નદીના કિનારે કરવામાં આવે છે.
દરેક જ્ઞાતિના અલગ પુરોહિતો હોય છે જે યજમાન પાસે પિતૃ શ્રાદ્ધ વિધિપૂર્વક કરાવે છે .શ્રાદ્ધની સામગ્રી વસ્ત્ર દાન-દક્ષિણા વગેરે કરવું પડે છે.પુરોહિત ની સૂચના પ્રમાણે વિધિ કરવાની હોય છે આ વિધિ પૂર્ણ થયા બાદ પિંડને નદીમાં વિસર્જન કરવામાં આવે છે ,અને ત્યાર પછી આ વિધિ પૂર્ણ થાય , બ્રાહ્મણ ભોજનની ક્રિયા કરવી પડે છે. આમ કરવાથી આપણા પિતા નું શ્રાદ્ધ પૂર્ણ થાયછે.
ખોડખાપણ વાળા સંતાન પેદા થવા, ઘરમાં કંકાસ, બીમારી ,ઘરમાં પારણું ન બંધાવું, યોગ્ય ઉંમરે લગ્ન ન થવા, પ્રમોશન ન મળવું ,નોકરીમાં મુશ્કેલી વગેરે કારણોમાં પણ પિતૃદોષ જોવા મળે છે. આ પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે શ્રાદ્ધ વિધિ તે ઉત્તમ ઉપાય છે. એવું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે.
આજના વિજ્ઞાન ના જમાનામાં પણ આ વાત માનવાને માટે ઘણા બધા લોકોને સાક્ષાત્કાર થયેલો છે .માટે આપણે આપણા પિતૃઓનું ઋણ અદા કરવા માટે હંમેશા શ્રદ્ધાપૂર્વક તેનું શ્રાદ્ધ કરવું જોઈએ તેની વાર્ષિક તિથી આવે ત્યારે પણ પ્રેમથી બ્રહ્મભોજન દાન-દક્ષિણા વગેરે કરવા જોઈએ જેથી આપણા પિતા આપણા ઉપર રાજી થાય છે તેઓ આશીર્વાદ આપે છે અને આપણા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ની સ્થાપના થાય છે .એવું શાસ્ત્રોમાં વિધાન છે
આ ઉપરાંત સર્વ પિતૃઓના આત્માને શાંતિ અને મોક્ષ ની પ્રાપ્તિ માટે બદ્રીનાથમાં બ્રહ્મ કાપાલિક , શ્રાધ થાય છે. દ્વારકામાં ગોમતી નદીને કિનારે હરિદ્વારમાં ગંગા કિનારે ,રામેશ્વર ,ચાર ધામ સપ્તપુરી અને અનેક નદીઓના કિનારે પણ શ્રાદ્ધ વિધિ શ્રદ્ધાપૂર્વક કરવાથી આપણા તમામ પિતૃઓની મુક્તિ થાય છે ,તેઓને મોક્ષ મળે છે અને આપણે તેઓ આશીર્વાદ આપે છે, અને તેથી જ આપણું જીવન સુખ શાંતિપૂર્વક વીતે છે. માટે આપણે પણ આપણા પિતૃ ઋણમાંથી મુક્ત થવા માટે આ શ્રાદ્ધ કરવું એ બહુ જરૂરી છે.
રતીલાલ વાયડા.
૧૩/૯/૨૦૨૧.સોમવાર.
નવી મુંબઈ.
********************†**********
NOG SS No.0019
વિષય..શ્રાદ્ધ
પ્રકાર.. ગદ્ય
શીર્ષક….. થયું શ્રાદ્ધ
——————-
પીઠમાં ક્યારેક સહન ના થાય એવા દુઃખાવાની ફરિયાદ કરતી માએ વૉશિંગ મશીન નું સપનું જોયું ,પણ દિકરાની ફોન ખરીદવાની જીદ નજર સામે આવતાં, માએ એજ ક્ષણે વૉશિંગ મશીનના સપનાનું *શ્રાદ્ધ* કર્યું.
બાપાના બૂટના તળિયાં દેખાવા માંડતા નવા બૂટ ખરીદવા માટે બરોબર મન બનાવી જ લીધું હતું, ત્યાં તો દિકરાને સ્કુલ શુઝ અપાવવાના આનંદમાં બાપે પોતાના બૂટ ખરીદવાના સપનાનું એક જ ઝાટકે *શ્રાદ્ધ* કર્યું.
ભીની પથારી કરે,ગમે ત્યારે ડાઇપર બદલવા
મમ્મીએ ઘણીવાર પોતાની ઊંઘનું *શ્રાદ્ધ* કર્યું.
સંતાનોને ભાવતાં ભોજન પીરસી પોતાની માટે જરાય ન વધેલી વાનગી માટે ગૃહિણીએ ભાવતી વસ્તુઓનું *શ્રાદ્ધ* કર્યું.
કલ્પનાબેન ત્રિવેદી સુરેન્દ્રનગર
*******************************
*નામ*- ડો. મનીષા વ્યાસ
*NOG SS NO-* 0088
*વિષય શબ્દ*- માતૃ – પિતૃ શ્રાદ્ધ તર્પણ
*પ્રકાર*- ગદ્ય
*શીર્ષક*- તર્પણ એક સામાજિક સાનિધ્ય
******************************
*”જ્યાં કર્યું સમર્પણ જીવનનું ત્યાં અર્પણ કરવું શું બાકી?*
*ખોળામાં પિતૃ ખેલાવે ત્યાં તર્પણ કરવું શું બાકી?”*
સ્વાધ્યાય પરિવારના ભાવગીતની આ બે પંક્તિઓ.. શ્રાદ્ધ અને તર્પણ વિશે ઘણું બધું કહી જાય છે. આમ તો આખા ભાવગીતનો એકેએક શબ્દ સમજવા લાયક છે. આ ઉપરાંત પરમ પૂજ્ય પાંડુરંગ દાદાનું “શ્રાદ્ધ” નામનું પુસ્તક પણ માતૃ – પિતૃ તર્પણના તત્વચિંતન થી ભરેલું છે. તેને વાંચ્યા પછી જ માતૃ અને પિતૃ શ્રાદ્ધ કેમ? અને કેવી રીતે? તે વિશેની તેમની ઊંડી સમજ પૂરી પડે શકે.
માતાપિતાની હયાતીમાં તેઓની કરવામાં આવતી સારસંભાળ એ જ મોટામાં મોટું તર્પણ કહી શકાય.
આજકાલ નવો ટ્રેન્ડ ચાલે છે કે મૃત્યુ પછીની તર્પણવિધી અને શ્રાદ્ધ વગેરેની શું જરૂરિયાત ? આવા ખોટા ખર્ચા કરી પૈસાનો બગાડ શું કામ?
જ્યારે એ જ વસ્તુ લગ્ન જેવા સમારભો.. જે એક દિવસથી વધીને ત્રણચાર દિવસના બની ગયા છે.. ત્યાં લાગું નથી પડતું.
માતાપિતાના મૃત્યુ પછીની ઉત્તરક્રિયા જેવી કે તર્પણવિધી અને શ્રાદ્ધ…આ બંને વિધી સંતાનો માટે તેઓના આત્માના કલ્યાણ અર્થે આખરી મોકા તરીકે હોય છે..
હા હું પણ દેખાદેખી કે ખોટા કર્મકાંડથી આર્થિક બોજો પડે અને સંતાનો દેવાના ડુંગર તળે દટાઇ જાય તેવા તર્પણની હિમાયત નથી કરતી.. પણ માબાપના આશિર્વાદથી જેની પાસે સગવડ છે, તેમણે સાદાઈથી પણ તેમની મરણોત્તર ઇચ્છા પ્રમાણે શ્રાદ્ધ અને તર્પણ કરવાં જોઈએ..
તેમાં ઘર અને કુંટુંબના સ્વજનો બેચાર દિવસ સાથે રહેતાં.. જમતાં. ત્યારે પરસ્પર સૈા એકબીજાની નજીક આવતાં. આ સાનિધ્યને પરિણામે પરસ્પરની તકલીફો અને સુખદુઃખથી પરિચિત થતાં અને મોટાભાગની સામાજિક સમસ્યાઓનું નિવારણ ઘર અને કુંટુંબના સ્વજનો કરી દેતાં..
ઘરની વાત ઘરમાં રહેતી અને આજની જેમ સામાજિક છૂટાછેડા, માનસિક બીમારીઓ અને આત્મહત્યા જેવાં કૃત્યો ઓછાં થતાં.
માણસ માણસની નજીક આવતો અને સ્વજનોને હકથી સુખદુઃખ વહેંચતો. ભાઈચારાની ભાવના પ્રબળ બનતી.
*નામ -ડો. મનીષા વ્યાસ* ✍️
*અમદાવાદ*