ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની ૫ ગદ્ય રચના
વિષય : ” મોક્ષ – માયા,, પ્રાણ – પ્રકૃતિ ” વિષયક રચનાઓ. દિવસ – ૪ (૨૨-૭-૨૦૨૧)
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મેનેજિંગ તંત્રી : મીનાક્ષી રાવલ(ઈમેજ મેકર,ગ્રાફિક્સ)
પ્રતિભાવ : વિભૂતિબેન દેસાઈ.ઘાસવાલા.બીલીમોરા
Email : prdpraval42@gmail.com
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews
NOG S.S. NO. 0098
प्रकार:- गद्य
विषय:- मोक्ष-माया
शीर्षक:- लघुकथा
एक सेठजी थे।जो बहुत धनी थे और काफी मशहूर थे। सेठजी के द्वार पर साधू संतो का तांता लगा रहता था। सेठजी भी पूजा पाठ, भजन कीर्तन , प्रवचनों में बहुत रुचि रखते थे। सेठजी के एक गुरु जी थे।
एक बार गुरुजी उनके निकट के इलाके में आए हुए थे। सेठजी भी वहां पहुंच गए। गुरुजी विशाल मैदान में प्रवचन सुना रहे थे। समाप्ति के बाद सेठजी ने पूछा “आपके प्रवचन का महत्व ज्यादा है या हमारी दौलत का”?
गुरुजी ने कहा बेटा इसका जवाब उचित समय पर दूंगा।
कुछ समय बाद गुरुजी ने सेठजी को हरिद्वार गंगा किनारे बने पंडाल में एक सौ स्वर्ण मुद्राएं लाने को कहा। गुरुजी वहां प्रवचन कर रहे थे। सेठजी ने अपने स्वर्ण मुद्राओं से भरा थैला गुरुजी के पास रख दिया और पीछे बैठकर प्रवचन सुनने लगे। वहां एक थाल रखा था जो खाली था।
प्रवचन समाप्त होने के बाद गुरुजी ने सेठजी के थैले की स्वर्ण मुद्राओं को थाली में खाली किया।उसे बहुत बार खनखनाया। भीड़ को पता चल गया कि सेठजी द्वारा स्वर्ण मुद्राओं को भेंट किया गया है। थोड़ी देर बाद अचानक गुरुजी ने थाल से स्वर्ण मुद्राओं को उठाकर गंगा में फैंकना शुरू कर दिया।यह देखकर वहां अफरातफरी मच गई। उसमें से कुछ लोग मुद्राएं लेने गंगा में कूद पड़े। भगदड़ में कुछ लोग घायल ही गये। धक्का -मुक्की मारपीट भी होने लगी।
सेठजी को समझ में नहीं आ रहा था कि आखिर गुरुजी ने यह सब क्यों किया? तभी गुरुजी ने जोर से कहा ‘ भाईयों,असली स्वर्ण मुद्राएं मेरे पास हैं। गंगा में फैंकी गयी मुद्राएं नकली हैं।
आप लोग शांति से बैठ जाए।सब लोग बैठ गये,तब सेठजी पूछा, आपने यह सब क्यों किया? धन के लालच में (माया) लोग एक-दूसरे के प्राण के प्यासे हो जाते हैं। गुरुजी ने कहा मैंने जो कुछ किया वह आपके प्रश्न का उत्तर था।बेटा भक्ति मोक्ष की ओर ले जाती है और माया लोगों को सर्वनाश की ओर ले जाती है।प्रवचन तो लोगों में शांति और सौहार्द्र, सद्भावना का संदेश देता है मगर दौलत तो विखंडन का रास्ता है। इतना सुनते ही सेठजी गुरुजी के चरणों में गिर पड़े। उन्हें उनके प्रश्न का उत्तर मिल चुका था।
✍️
लीना शर्मा.हालोल. पंचमहाल
********************************
NOG SS No : 0059
પ્રકાર: ગદ્ય લેખ.
શબ્દ: મોક્ષ-માયા
પ્રાણ-પ્રકૃતિ.
શીર્ષક: ” જીવનનું ધ્યેય “.
શબ્દો: ૨૮૦.
માનવજીવ,જન્મ ધારણ કરતાંની સાથેજ, પ્રથમ દિવસથી, તે અંત યાને મૃત્યુ સુધી, માયાના ભિન્ન ભિન્ન બંધનોથી, સમયે- સમયે બંધાતો જાય છે.
પ્રથમ, માયાનું બંધન એટલે માતા – પિતા સાથેના અરસ પરસના હેત- પ્રેમનું બંધન.
આગળ જતાં, પારિવારિક સ્નેહનું બંધન, ભાઈ-બ્હેનનાં સંબંધો,શિષ્ય -ગુરૂનું બંધન, વધુ આગળ જતાં નોકર- શેઠનું બંધન.
સાંસારિક સંબંધોથી જોડાયાં બાદ સમજોને માયાનાં જુદા જુદા સંબંધોની માયાજાળ માનવને ચોંટે.
પત્ની, પુત્ર- પુત્રી ,સાસુ -સસરા,
સાળા- સાળી વિગેરે જેવા સંબંધોના, માયાના બંધનોની લાંબી લાઈન તો પાછી અલગ !
આમ તો માનવ જન્મ એટલે મોક્ષ
પ્રાપ્તિ માટેનું ઉત્તમ સાધન ગણાયુછે. જો વાપરતા આવડેતો!
જન્મ- મરણનાં અવિરત ચાલતાં ફેરામાંથી માનવને મુક્ત કરે, પણ અહીં તો માયા તેને વધુ બાંધે છે.
પ્યારે” અહીં બધું વિપરીતજ છે!
માટે જ સંતો- મહંતો નક્કર સત્ય જણાવે છે કે જેટલાં મોહ
માયાથી દૂર ,,તેટલાં તમે મોક્ષની સમીપ.
જૂઠી જગની,છે આ મોહ- માયા
પ્યારે’ ખોટી બંધાણી આ કાયા !
માનવ જીવન સાથે જન્મથી જ જોડાયેલાં અને અતૂટ સંબંધ ધરાવતાં બે શબ્દો છે-
‘પ્રાણ’અને ‘પ્રકૃતિ’.
પ્રકૃતિના પાછા બે અર્થ
પ્રકૃતિ = સ્વભાવ .
પ્રકૃતિ =કુદરત.
જીવનમાં આ બે અર્થ જે બરાબર સમજે અને સંવારે તે
માનવજીવનનો મહારથી !
લોકજીભે ચડેલી કહેવત ,
‘પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય’.
પરંતુ તેમાં મારી દ્રષ્ટિએ મોટો સુધારો જરૂરી છે કે,
‘સમય જતાં પ્રાણ ભુલાશે પણ પ્રકૃતિ વર્ષો સુધી યાદ રહેશે’ માટે આપણે આપણી પ્રકૃતિ યાને સારા
સ્વભાવની એવી અમીટ છાપ મૂકી જવા,જગતનાં સર્વે સાથે આપણે સ્વભાવનો ઉત્તમ વ્યવહાર રાખી,અણમોલ માનવજીવનને સાર્થક કરીએ.
મોક્ષ-માયા ને પ્રાણની, વાત છોડો,
પ્યારે’,ફક્ત ‘પ્રકૃતિ,’ નેજ નિખારો.
©️જયકાન્ત ઘેલાણી.’ પ્યારે’.
*******************************
NOG SS No – 0039
વિષય — મોક્ષ- મોહ કે પ્રાણ – પ્રકૃતિ
પ્રકાર – ગદ્ય – લેખ ( મોક્ષ – મોહ )
શીર્ષક — માયા મારે છે.
શબ્દો – ૩૪૯
“ઘડી હસાવે ઘડી રડાવે એ મોહ છે,
સર્વમાંથી મુક્તિ અપાવે એ મોક્ષ છે.”
(સ્વરચિત)
મૃત્યું પછીની મુક્તિ એટલે મોક્ષ નહિ. ચોર્યાસી લાખ અવતારમાંથી મુક્તિ મળે એ મોક્ષ. એ માટે માણસે કર્મ કરવું પણ એનાંથી કોઈ નવું કર્મ ના બંધાય અને જૂનાં કર્મનો ક્ષય થાય એ રીતે કરવું. ભવભવાન્તરના કર્મોથી મુક્તિ મેળવવી.
મનુષ્યજીવનનાં ચાર પુરુષાર્થ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ પાયો છે. અર્થ અને કામ પુરુષાર્થનાં સાધનો છે જેનાં થકી મોક્ષ પામવાનો છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર્ય દ્વારા વ્યક્તિ જન્મજન્માંતરમાંથી મુક્તિ મેળવીને મોક્ષ પામેં છે. ધર્મ વગર એ શક્ય નથી.મોહ, માયા, લોભ, ક્રોધ, રાગ, દ્વેષ વગેરેનો ક્ષય એટલે જીવનની મુક્તિ કે મોક્ષ કહેવાય.દેહભાવનાં બંધનમાંથી છૂટીને ઈશ્વર સાથે બંધાવું એટલે મોક્ષ.
મોહ એટલે ઘેલછા, આકર્ષણ. સ્વાર્થ પ્રમાણે મોહમાં વધઘટ થાય, પ્રેમમાં ના થાય. મોહ મારે છે, પછાડે છે, રડાવે છે, સંતાપે છે જ્યારે પ્રેમ હોય ત્યાં મન શાંત હોય છે.એકબીજા પ્રત્યે નિઃસ્વાર્થ લાગણી, અતૂટ સ્નેહ એટલે પ્રેમ. મારાંપણાંનો ભાવ, અપેક્ષા, લાલચ અને મોહમાં હોય, પ્રેમમાં ના હોય!
મોહનું વિશુદ્ધ સ્વરૂપ એટલે પ્રેમ. પ્રેમ હોય ત્યાં માણસ ઊંચો ઉઠે છે, સંબંધોમાં સંવાદિતા જળવાય છે,સ્નેહ અને માન જળવાય છે.
મોહ ખરાબ ફળ આપે છે જેનાં થકી કર્મો બંધાય છે. એનાથી વ્યક્તિનું ભાગ્ય ઘડાય છે. એની નિયતી નક્કી થાય છે. પ્રેમ તારે છે, મોહ ડૂબાડે છે.
મોહમાં જ્યારે સારાં નરસાંનો ભેદ ભૂલીને, યોગ્ય- અયોગ્યનું ભાન ભૂલીને વિવેકહીન વર્તન કરવામાં આવે ત્યારે એ વિકારગ્રસ્ત બની જાય છે અને વ્યક્તિને અનિષ્ટની ખાઈમાં ધકેલે છે. જ્યાં મોહ છે ત્યાં માયા છે. આ મોહ- માયા કોઈ વસ્તુ પ્રત્યે, વ્યક્તિ પ્રત્યે, ધન-દોલત કે મિલ્કત, કોઈની પણ પ્રત્યે હોઈ શકે. સાચો પ્રેમ હોય ત્યાં વ્યક્તિ શાંત રહીને ગમ ખાય છે, જતું કરે છે, બદલાની ભાવના સહેજ પણ હોતી નથી અને પરદુઃખભંજન બનીને નિર્લેપ ભાવે પણ પ્રેમથી વ્યક્તિ સંબંધ નિભાવે છે. મિથ્યા આશક્તિ, આંધળો પ્રેમ એટલે મોહ.
અલ્પકાલીન પ્રેમ એટલે મોહ. એ વ્યક્તિને તારતો નથી પણ ડૂબાડે છે. વ્યક્તિ એમાં આસક્ત બનીને આંધળો વિશ્વાસ મૂકે છે. વ્યક્તિની મતિ મરી જાય છે, આમ આંધળો પ્રેમ એટલે મોહ. મોહ, માયા, રાગ, દ્વેષ, લોભ અને ક્રોધમાં વ્યક્તિ ભાન ભૂલી જાય છે અને પોતાની જાતને પણ સાચવી શકતી નથી.
પ્રફુલ્લા “પ્રસન્ના”
અમદાવાદ
*******************************
NOG SS No :0042
વિષય-પ્રાણ-પ્રકૃતિ
પ્રકાર-ગદ્ય-વાર્તા
શીર્ષક-પરોપકાર
શબ્દો-૨૭૦
“વિનોદ, હમણાં કેમ સાવ નિરાશ થઈ ગયા છો? મહામારીનાં શિકાર તો બધાં થયાં છે. એમ હિંમત હાર્યે કંઈ થોડું ચાલે! આપણે તો ભગવાનની દયા છે. આપણું ગુજરાન ચાલે એટલું તો ભગવાને આપ્યું છે.” ચિંતા વ્યક્ત કરતાં વનિતા બોલી.
“વનિતા, તને ખબર છે ને? નાનપણથી મારા દાદા,મારા પિતાજી બીજાનું ભલું કરતાં આવ્યા છે. એ પ્રકૃતિ મારામાં પણ આવી છે. મહામારીમાં બીમાર પડેલાંની હાલત જોઈ મને વિચાર આવે કે જેની પરિસ્થિતિ સારી નહીં હોય, વેપાર- ધંધો બંધ થઈ ગયા હશે તેની હાલત કેવી હશે! ડોક્ટરની ફી, દવાનાં બિલ કેવી રીતે પહોંચતાં હશે! મને કંઈક કરવાની ઈચ્છા છે,પણ આપણી પાસે પણ એટલી મૂડી ક્યાં છે?”
” તમારા મિત્રો ને પૂછો ને!જે તમારા જેવા પરોપકારી અને બીજાનું ભલું કરનારા હોય.”
વિનોદે ચાર પાંચ મિત્રો સાથે ફોનમાં વાત કરી પ્લાન બનાવી લીધો.
બીજા દિવસે સરકારી હોસ્પિટલ સામે એક રેંકડીમાં દર્દી ખાઈ શકે એવા ફ્રુટ ગોઠવી બાજુમાં એક બોર્ડમાં લખ્યું ‘માનવ સેવા એજ પ્રભુસેવા છે.’ નાણાંની લેવડદેવડ વગર જરૂરિયાત મંદ લોકો કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર અહીંથી વિના સંકોચે ફ્રૂટ લઈ શકે છે. સાંજ પડ્યે રેંકડી ખાલી થઈ ગઈ. સામે વડલાના છાયા હેઠળ બેઠેલા બધા મિત્રો ખુશ થઈ ગયા અને બધાના મનમાં પરોપકારનું ઝરણું વહેવા લાગ્યું એ પણ વિના વરસાદે.
ધીરે ધીરે થોડા સમય પછી ફ્રૂટની રેકડીની બાજુમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ ગોઠવાય ને મૂકાવા લાગી અને દાતાઓની સરવાણી પણ વહેવા લાગી. પરોપકારનું ઝરણું વિશાળ સાગરમાં પરિવર્તિત થઈ ગયું.
જેની પ્રકૃતિમાં સંસ્કારમાં પરોપકારની ભાવના વણાયેલી હોય એ ગમે તે પરિસ્થિતિમાં માર્ગ કાઢી બીજાનું ભલું અવશ્ય કરે છે.
પૂજા(અલકા)કાનાણી
******************************
NOG SS No : 0081
વિષય : મોક્ષ માયા
પ્રકાર : ગદ્ય/ લેખ
શીર્ષક : માયા એટલે !
મોક્ષ માયા
મોક્ષ એટલે મુક્તિ ,ભવ ભવનાં બંધનમાંથી છૂટકારો.આમ તો ૮૪ લાખ યોનિ બાદ માનવ જેવી ઉચ્ચ યોનિમાં જન્મ મળે છે.આ એક જ એવો જન્મ છે જેમાં આપણે ગત અને આવનારા જન્મો વિશે વિચારી શકીએ, મુક્તિ માટે પ્રયાસ કરી શકીએ.
આ માટે સારાં કર્મો કરવાં એ અગ્રક્રમે છે. સારાં વિચારો દ્વારા સારાં કર્મો માટે પ્રેરણા મળે છે ,જે માટે સત્સંગ અને સારું વાંચન આવશ્યક છે.વળી એ માટે નામ સ્મરણ કે જાપ એ અમોઘ શસ્ત્ર છે એમ કહેવાય છે. આ માનવજીવને જન્મ લેતાં જ અનેક સંબંધ રુપી માયા જકડવા લાગે છે જેમાં એ નિરંતર બંધાતો જાય છે. આ મોહ,આ માયાનું પડળ એટલું ગાઢ હોય છે કે
માનવ ત્યારે એમાંથી છૂટવા વિચાર સુદ્ધાં કરતો નથી.
આવાં મોહ અને મોક્ષની સુંદર કથા એટલે ગજેન્દ્ર મોક્ષ.એક હજાર વર્ષ ચાલેલું આ યુદ્ધ ,ગજ અને ગ્રાહ્ય એટલે મગર વચ્ચે રસાકસી.છેવટે ગજરાજની
કાકલૂદી સામે હરિએ નમતું જોખ્યું અને ગજ તથા ગ્રાહ્યનો મોક્ષ થયો.આ રૂપક આપણાં માટે આંખો ખોલનારું છે.
લાખ ચાહવા છતાં ગજરાજની પ્રિય પત્ની,મિત્ર બાળકો કે અન્ય એને કાદવમાંથી ઉગારી ન શક્યાં,જે માયાનું નિરર્થક હોવું દર્શાવે છે.પ્રિયજન,સ્વજન કે આત્મજન મોક્ષ અપાવી નથી શકતાં.એ માટે સ્વ એ
હરિને સમર્પિત થવું એ જ માર્ગ છે.આ પ્રસંગ એ પણ સૂચવે છે કે જે દેખાય છે તે સત્ય નથી , કાદવમાં રહેનાર મગર ગજરાજને કદી દુશ્મન ના ભાસ્યો.મૃત્યુ સામે આવ્યું ત્યારે જ હરિ સમર્યા,જે સૌનાં માટે એક જાગૃત થવાની ઘંટડી સમાન છે.
હરિશરણ જ મોક્ષને માર્ગે લઈ જાય છે અને આ શરણ લેવા માયામાંથી છૂટવું આવશ્યક છે .માયાનો અર્થ સમજાય ત્યારે દુન્યવી દરેક વસ્તુ આભાસી લાગે. પ્રતીતિ થઈ જાય કે આ જન્મ લીધો એની ફરજ જળકમળવત્ થઈ નિભાવવી એ જ સત્ય છે . કોઈ સગપણ,પદ , પ્રતિષ્ઠા કાયમી નથી અને એ મિથ્યાભાસનું જ્ઞાન થાય એ જ મોક્ષ! માયાનું જ્ઞાન અને એનાં આભાસી ચક્રવ્યૂહમાંથી છૂટવાની
કોશિશ એટલે મોક્ષ તરફ પહેલું સોપાન …પણ એ માટે ગજેન્દ્રની જેમ અંત સુધી ન રોકાઈને શુભસ્ય શીઘ્રમ્ કરીએ.
# માયા દેસાઈ
મુંબઈ ભારત .