ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની ૫ પદ્ય, રચના
વિષય : ” મોક્ષ – માયા,, પ્રાણ – પ્રકૃતિ ” વિષયક રચનાઓ. દિવસ – ૩ (૨૧-૭-૨૦૨૧)
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મેનેજિંગ તંત્રી : મીનાક્ષી રાવલ(ઈમેજ મેકર,ગ્રાફિક્સ)
પ્રતિભાવ : વિભૂતિબેન દેસાઈ.ઘાસવાલા.બીલીમોરા
Email : prdpraval42@gmail.com
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews
NOG SS No :-0038
વિષય :- પ્રાણ, પ્રકૃતિ
વિભાગ :- પદ્ય
શીર્ષક :- પ્રકૃતિ ( સ્વભાવ )
—————————————————–
પ્રકૃતિ બદલ તારી મનવા’
પ્રાણ પળમાં વહી જાય રે.
પ્રકૃતિ બદલવી હાથમાં તારા
તું ભલે મંદિર મંદિર જાય રે.
લમણે લખ્યા રઝળપાટ તારે,
માનવતા ભૂલી જાય રે.
કુદરતને લલકારે તું મનવા,
એની તાકાત ભૂલી જાય રે.
ગરીબને આપે નહિ કટકોને,
ફૅસનમાં તારા રૂપિયા જાય રે.
આટ આટલી વાગે થપ્પડ તોએ,
જલ્દી બધુંજ ભૂલી જાય રે.
નવું નવું શોધી કાઢશે ને,
પોતે એમાં ફસાય જાય રે.
ખુદને બદલી શરણે જા પ્રભુના,
તારી પ્રકૃતિ ઘણું કરી જાય રે.
✍️શીલાપટેલ “આકાંક્ષા”
********************************
NOG SS No :0091
વિષય: પ્રાણ પ્રકૃતિ
પ્રકાર: પદ્ય
શીર્ષક: પ્રાણ પ્રકૃતિ સાથે જાય.
રાંડ્યા પછીનું ડહાપણ આવે, વાતમાં કોઈ સાર નથી.
અવગણી દીકરીને વાવો તુલસી, શાણપણ એમાં કોઈ નથી.
મનમાં રાખે ઈર્ષા એનું, સંબંધમાં કોઈ માન નથી.
વ્યભિચારી ને દુરાચારીનું સમાજમાં કોઈ સ્થાન નથી.
ઉપદેશો આપે આડંબરમાં, ગીતાનું કોઈ જ્ઞાન નથી.
પ્રેમ લાગણી નો ઉજાસ કર, આગ ચાંપવી સારી નથી.
પ્રાણ અને પ્રકૃતિ સાથે જાશે, એ વાત હજુ સમજાતી નથી.
પ્રેમ ભાવ રાખી જીવનમાં, સાચું કેમ જીવાતું નથી.
સમજીએ આ તત્વોને તો, પૃથ્વી પણ દુઃખી થતી નથી.
સ્વર્ગ બનતા આ ધરતીને કોઈ રોકી શકતું નથી.
જિજ્ઞાસા યુ જોષી
“શુક”
*******************************
NOG SS No: 0015
વિષય: મોક્ષ- માયા
વિભાગ:- પદ્ય
પ્રકાર:- ગઝલ (ગા 8)
શીર્ષક:- ઇશની ભેટ
સાવ સરળ ને ખુબ સસ્તો.
મોક્ષ સુધીનો જીવન રસ્તો.
ભાવને ભાંગી કરતો ભૂક્કો,
ભોગો ભોગવવા જે ભસતો.
ગેબી, ભેદી, ભવ સાગરમાં,
કર્મ કરીને, આતમ હસતો.
મોહ ને માયા ત્યાગી દઇને,
લો ઉગારી! હા, જીવને ફસતો.
છે જગતને, અનમોલ મળેલો,
ઇશની ભેટનો આ ગુલદસ્તો.
માનવ દેહની છે બલિહારી,
શિવ જ્યાં જીવ થઇને વસતો.
મેહુલ ત્રિવેદી (ઘાયલ મેઘ) ખેરાળી
*******************************
NOG SS NO – 0037
વિષય – પ્રાણ,પ્રકૃતિ,મોહ, માયા.
વિભાગ – પદ્ય.
શીર્ષક – માયાજાળ.
હે…માનવ શત… શત… વંદન તને,
માનવ દેહ મળ્યો તને….!
સૃષ્ટી મોહ, માયાનું ચક્ર સર્જનહારનું,
માનવ અવતાર શ્રેષ્ઠ સર્જન ઈશનું…!
માનવ જન્મને ઉજાગર કર,
તું જ તારો ભાગ્ય વિધાતા બન….!
જો જે સંસારમાં રહીને,
સંસારની માયા તારા આતમને ના સ્પર્શે..!
સત્ કર્મનું ભાથું બાંધ,
મોક્ષ મેળવવાનો એક માત્ર માર્ગ..!
સંસારના સુખ, સર્વે ક્ષણિક,
અંતર મનનાં ચક્ષુ ખોલ…!
પરમ પિતાના સંતાન છીએ,
એમને ગમતાં કાર્ય કરી, ગમતાં રહીએ…!
મોહ,માયાની માયાજાળ છોડ,
ફરી મોંઘેરો માનવ દેહ નહીં મળે..!
હેમલતા દિવેચા.જૂનાગઢ
**†***”****”****************”****
NOG.SS.No. 0027
વિષય :- મોહ-માયા
પ્રકાર :- ગીત
*સખી, શું સમજું ?*
હૈયાનાં ખૂણે મારા ફૂટે અરમાનોને,
ઓરડે વઢાય મારી કૂણી કૂંપળો,
સખી,સમજું તો શું હું યે સમજું?
આંખ્યુંના ખૂણે મારા સજતાં સપનાઓને,
પાંપણના નેવે મારું ચૂએ ચોમાસું,
સખી, કે’વું તો કોને જઈ કે’વું?
અધરોનાં ખૂણે મારા ગીતો છલકાય ને,
રૂંધાતો કંઠ મારો બારણાંની સાખે,
સખી, ગાવું તો કેમ કરી ગાવું?
પગમાં પાયલ મારી બોલે છમછમ ને,
પગલાંઓ પર મારા બેડીના બંધન,
સખી, જાવું તો ક્યાં મારે જાવું?
દલડે પ્રગટે મારી “જ્યોતિ” અપાર ને,
પોતીકો પવન મને મારે થપાટ,
સખી, ઝળકું તો કેમ કરી ઝળકું?
— જ્યોતિ આચાર્ય
અમદાવાદ