ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની ૫ ગદ્ય રચના રજૂ કરવામાં આવે છે.
વિષય : વટ.વચન.વેર વિષયક રચનાઓ – .દિવસ – ૫
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
નિર્ણાયક મંડળ :જયશ્રીબેન પટેલ, માયાબેન દેસાઈ
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews
NOG SS NO 0098
प्रकार:- गद्य
विषय:- वट, वचन, वैर
शीर्षक:- आदर्श मार्गदर्शिका।
विषयानुसार मेरी मम्मी के जीवन काल के पृष्ठ हैं। मम्मी के मुख से अनेकों बार सुनी, उन्हीं की जुबानी, शब्दों के माध्यम से आपके समक्ष साझा कर उन्हें जीवंत कर रही हूँ!
जब भी मम्मी इस बात को हम सबके साथ,याँ अन्य के साथ साझा करती थीं,तो वट के साथ करती थीं, और साथ ही साथ दुआएं भी देती जाती थीं,कि सभी बहन बेटियों को मेरे जैसी सासू माँ मिले।
(मम्मी की जुबानी)
एक दिन अचानक हमारे घर मेरे विवाह का प्रस्ताव (बिचौलियों) के माध्यम से आया, और सभी कुछ औपचारिकताए शीघ्र ही हुई। फिर कुछ ही दिनों के अंतराल में मुझे देखने ससुराल पक्ष से आए। जलपान के दौरान ही मुझे पसंद कर लिया गया। कुछ सवाल मुझसे भी सासू माँ ने किए। विवाह का मुहूर्त भी बहुत जल्दी निकलवाया। शादी हुई उस समय मैंने मैट्रिक कर लिया था। हमारे समय में शादी के बारे में अपनी राय या चर्चा करने की छूट नहीं होती थी। घर के बड़े बुजुर्गो द्वारा लिया गया फैसला सर्वमान्य होता था। मेरे पीहर में हम भाई-बहनों को जहां तक पढ़ने की इच्छा हो, उतनी छूट थी। हालांकि लड़कियों को ज्यादा पढ़ाते नहीं थे।
शादी के बाद मेरी पढ़ाई छूट जाएगी,इसी बात से परेशान रहती थी।
शादी के बाद मैंने पढ़ाई के विचारों को तिलांजलि दे दी।
ससुराल में बड़ी बहू का दर्जा प्राप्त हुआ था। भरा-पूरा परिवार मिला। सासु माँ को मम्मी कहती थी।१साल तक मम्मी ने घर के रीति-रिवाज, खान-पान, सिलाई बुनाई सिखाई, और अपने घर के अनुरूप ढाल लिया।
एक दिन अचानक मम्मी आईं , और कहने लगीं,बेटा कमरकस लो कल से तुम पढ़ने जाओगी। मैंने कहा नहीं मम्मी मुझसे नहीं होगा अब। उन्होंने मेरी एक न सुनी। वो मेरा दाखिला विद्यालय में करवा के आ चुकी थीं।अगले दिन से मैं अपनी ननद रानी (विभा) के साथ पढ़ने जाने लगी। नियमानुसार रोज रात को १घंटा पढ़ाती भी थीं। क्यों कि वो खुद भी उस जमाने की शिक्षित महिला थी।
मम्मी ने मुझे स्नातक (डिग्री)तक पढ़ाया। उसके बाद उन्होंने अपने मन की बात कही,बेटा जब हम तुम्हारे घर विवाह का प्रस्ताव लेकर आए थे,तभी मैंने तुम्हारे मन की स्थिति को भांप लिया था, और मन ही मन वचनबद्ध किया था अपने को,कि तुम्हारे सपने मैं पूरा करूंगी, लेकिन एक साल के लिए घर गृहस्थी की पढ़ाई भी जरूरी थी। तुम घर की बड़ी बहू भी तो हो। मम्मी का इतना कहते ही मैं उनसे गले लिपट कर खूब रोई। रोते-रोते उनके प्रति वैर भाव मन में उठे थे कभी,वो सब अश्रु धारा में बह गए, और कृतज्ञता के भाव समा गये। मेरी आदर्श, मेरी मार्गदर्शिका ,मेरी आदरणीया मम्मी।
✍️
लीना शर्मा
हालोल।
“****************************************
NOG SS NO.0031
વિષય:- વટ
વિભાગ:-ગદ્ય
પ્રકાર:-ટૂંકી વાર્તા
શીર્ષક:- અભિમાન
સવિતાબેન પાડોશી સુધાબેનને બે દીકરીઓ હોવાથી તેની સામે પોતાને બે દીકરા હોવાનો બહુ વટ કરતાં.હંમેશા સુધાબેનને કહેતા,’પાછલી જિંદગીમાં દીકરાની “મા” રાજ કરે અને જેને દીકરીઓ જ હોય તે “મા” પાછલી જિંદગીમાં ઢસરડા જ કરે.”
આજે પચીસ વર્ષ પછી સુધાબેને સોસાયટીમાંથી બીજે રહેવા જતાં રહેલ સવિતાબેનને આ વૃધ્ધાશ્રમમાં જોઇ તરત એમની પાસે ખબર અંતર પૂછવા ગયા.સવિતાબેને તેમને વૃધ્ધાશ્રમમાં આવવાનું કારણ પૂછ્યું.સુધાબેને કહ્યું ,” મારી બંને દીકરીઓ અમેરિકા છે અને જમાઇ પણ બંને બહુ સારા છે.બંને દીકરીઓનાં સાસુ-સસરા પણ ત્યાં જ છે.તો એમના સાસુ-સસરાએ બહુ જ આગ્રહ કર્યો કે તમારે એકલા અહીં નથી રહેવું એટલે દીકરીઓ અને જમાઇ અમને તેડવા આવ્યા છે.ભગવાને અમને ઘણું આપ્યું છે તો થયું કે જતાં પહેલાં કંઇ દાન પુણ્ય કરતા જઇએ એટલે અહીં રહેતા લોકોને ભોજન કરાવવા આવ્યા છીએ.તમે પણ કદાચ એ માટે જ આવ્યા હશોને સવિતાબેન?”
આ સાંભળી સવિતાબેનની આંખમાંથી આંસુઓનો ધોધ છૂટી પડ્યો અને કહ્યું,” ના બેન હું ને તમારા ભાઈ તો અહીં જ રહીએ છીએ.દીકરા વહુને મા-બાપ ભારે પડતાં અમને અહીં વૃધ્ધાશ્રમમાં મૂકી ગયા.બેન હું તમારી સામે દીકરાની મા હોવાનો બહુ વટ કરતી.પણ જુઓ આજે મારી હાલત.અમારે કોઇના ઓશિયાળા થઇને જીવવું પડે છે.અને તમારે દીકરીઓ હોવાં છતાં કેવા વટથી જીવો છો.મારું અભિમાન મને જ ભારે પડ્યું.”
મેઘલ ઉપાધ્યાય ‘મેઘુ’ રાજકોટ
******************************************
NOG SS No : 0042
વિભાગ ગદ્ય
વિષય-વટ,વચન,વેર
પ્રકાર-લઘુકથા
શીર્ષક-માનવતા
કોરોનાની આ મહામારીમાં કસોટી કરતો ભગવાન ક્યારેક માનવતા અને વચનબદ્ધતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પણ પૂરું પાડે છે.
કાલાવડ તાલુકાના નાનકડાં ગામમાં રહેતાં જયેશભાઈને મોડી રાત્રે ‘જી.જી.હોસ્પિટલ જામનગર’ માંથી કોરોનાની સારવાર લઈ રહેલા સ્વજનના મૃત્યુંનાં અને તુરંત મોઢું જોઈ જવાના સમાચાર આવ્યા.
રાત્રી લોકડાઉન અને નાનકડું ગામ જવું કઈ રીતે? વાહન તો મળે નહીં! અચાનક ગલીમાં ભાડે રહેવા આવેલો રફીક રિક્ષાવાળો યાદ આવ્યોને તેના ઘરે જઈ તેને ઉઠાડ્યો. જયેશભાઈને જોઈ તે બોલ્યો,”ચાચા આટલી મોડી રાત્રે? શું થયું?”
જયેશભાઈએ માંડીને બધી વાત કરી અને પૂછ્યું,”આવીશને બેટા?”
“ચાચા,મારે રોજુ રહેવાનું છે,એટલે ફટાફટ પાછા આવી જવું પડશે.”
પરિવારના મોભીના અવસાનથી દુઃખી જયેશભાઈએ હા પાડી અને પત્ની સાથે જામનગર જવા નીકળી પડ્યાં.
હોસ્પિટલ આગળ રિક્ષા પાર્ક કરતા રફીકને ત્યાંની પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો અને તે બોલ્યો,”ચાચા,ચાલો હું તમને તમારે જ્યાં જવાનું છે ત્યાં મૂકી જાઉં. તમે આરામથી તમારાં સ્વજનું મોં જોઈ લો. અંતિમવિધિ પણ પતાવી લેજો કોઈ ઉતાવળ નથી. મેં રસ્તામાં તમારી અને ચાચીની વાત સાંભળી તમારાં સ્વજન વિશે અને તમારી બીમારી વિશે પણ સાંભળ્યું અને મેં મારા ખુદાને વચન આપ્યું,જ્યાં સુધી ચાચાનું કામ નહીં પતે ત્યાં સુધી હું ઘરે નહીં જાઉં. ભલે ભૂખ્યો તરસ્યો રહીને પણ હું રોજુ રહી લઈશ પણ આવા દુઃખના સમયે તેમને એકલા નહીં છોડું.”
ઉપર આકાશ તરફ જોતા જયેશભાઈ બોલ્યા,”વાહ રે.. મારા ભગવાન હજી માનવતા નથી પરવારી હોં! જ્યાં સુધી આવા યુવાનોનાં દિલમાં દયા છે,ત્યાં સુધી ગમે તેવો કપરો સમય આવે એ પણ પસાર થઈ જવાનો.”
પૂજા(અલકા)કાનાણી
****************†*******†****************
*NOG SS NO:-0011*
*સાહિત્ય સરિતા*
*શબ્દ:- વટ,વચન ને વેર*
*વિભાગ:- ગદ્ય*
*પ્રકાર- લઘુકથા*
*શીર્ષક: વેરની શ્રદ્ધાંજલિ*
નવોઢા બનીને આવેલી નવલબેનને સાસરિયાના બે મહિના રાજીખુશીથી પસાર થયા.પણ અખાત્રીજનો દિવસ ગોઝારો બની ગયો. સુરસિંહ અને તેના સસરા દિલાવરસિંહ ખેતરે અખાત્રીજનું મુર્હૂત કરવા ગયા હતા. ત્યાં ખેતરમાં જાલમસિંહે બંનેને તલવારથી રહેંસી નાંખ્યાં પોતાના જીવનમાં આજે અંધારું થઈ ગયું હતું.
પણ,ચાંદનો બીજ પોતાના પેટમાં હતો. એનું શું?
એક દિવસ ઉબકા આવતાં સાસુમાએ વૈદ તેડાવ્યા.ને પછી આજુબાજુનાં બૈરાં ગણગણવા લાગ્યાં. આટલી વારમાં આવું થતું હશે? કોણ જાણે કોનું પાપ છે? આ શબ્દો તીરની જેમ નવલબેનને વાગતાં હતાં.
પોતાના પતિની હત્યાનો બદલો લેવા રણચંડી બને તેટલી તાકાત હતી. પણ પોતાના પેટમાં રહેલા બાળકને કારણે વેરની આગને ઠારતી રહી. પોતાના પુત્રના જન્મ પછી તેણે પોતાના પુત્રને ઠંડી,ગરમી અને વરસાદની ઋતુમાં દરેક શસ્ત્ર વિદ્યાનું જ્ઞાન આપ્યું.
ચંદ્ર વધે તેમ સૂરજની માફક પરાક્રમસિંહ ચમકતો હતો. પરાક્રમસિંહ યુવાન થતાં જ ગરમ લોખંડ પર હથોડો મારી ઘાટ અપાય તેમ તેને વેરનો પોરો ચડાવતાં. દુશ્મનને ધોળે દિવસે તારા દેખાડી તાકાતનો પરચો બતાવવવાનો હતો.
તેના પતિની હત્યાનો બદલો લેવા યોજના કરવાનું કહેતી કે તારા પિતા ભોળા હતા. તેમને જાલમસિંહે બગલાની જાળમાં દેડકો ફસાય તેમ પાછળથી એમની હત્યા કરી હતી. ને તે આજે સમાજમાં મોભાદાર વ્યક્તિ થઈને ફરે છે. એની મનસા હું ને આપણું કુટુંબ સારી રીતે જાણીએ છીએ.
પરાક્રમસિંહ જાલમસિંહને ખેતરમાં, બજારમાં, મહેલમાં, કે રસ્તામાં મારવા માટે ઘણી યોજનાઓ ઘડતો.પણ આજુબાજુ સીકયુરીટી અને તેના માણસો હોવાથી એ પ્રયત્નો નિષ્ફળ જતાં.
પરાક્રમસિંહ નવલબેનને કહે,”મા ,હવે હું એવી ચાલ રમીશ કે જાલમસિંહે મરશે તડપી તડપીને…હા..હા”
જાલમસિંહના ચાલતા ચરસ, હેરોઈન ડ્રગ્સ ને દેશી તથા વિદેશી દારૂનાં ગેરકાયદેસર કારખાનાં પર સીબીઆઈની રેડ પાડી જાલમસિંહના ધંધાઓ લોકો આગળ ચરિત્ર રજુ કર્યું. ઇન્કમટેક્સનો દરોડો પાડી બધી મિલકત જપ્ત કરાવી દીધી. પરાક્રમસિંહને આ બાતમી બદલ સરકાર તરફથી ઈનામમાં નોકરી,મેડલ તથા રોકડ રકમ મળી.
બીજે દિવસે સમાચારપત્રમાં છપાયું,” મોતનો કારોબાર કરનાર મોતની કોટડીમાં.” નવલબેને સુરસિંહને વેરની શ્રદ્ધાંજલી આપી.
મનોજકુમાર પંચાલ
‘મન’
પાલનપુર
*****************************************
NOG SS No : 055
વિષય : વેર
વિભાગ : ગદ્ય
પ્રકાર : ટુંકી વાર્તા
શીર્ષક : વેરથી વેર ન શમે.
********************
રૂપનો કટકો એટલે સુગંધા..
ચાંદની ચાંદની એટલે સુગંધા..
સૂરીલી સિતાર એટલે સુગંધા…
આવી સુગંધા જેને માટે નાતનાં એક એક ઘરેથી માંગુ આવ્યું હતું, તે સુગંધા આજે ઘરેથી ભાગી ગઈ હતી, ચૌરે અને ચૌટે એક જ ચર્ચા હતી. ઘણાં ચૌદશિયા અને પંચાતિયા આનું કારણ જાણવા જાણે આતુર હતાં, ભાગી ભાગી ને ભાગી તો પેલા લલ્લુ જેવા જયંત સાથે?
અરે! હોંશિયાર છે તો શું થયું? દેખાવડો થોડો છે સુગંધા જેવો? હે! રામ.. શું થયું? ઈર્ષા અને બળતરા ચરમસીમા એ પહોંચી ત્યારે
સુગંધા તેની ખાસ બહેનપણી સાથે વાત કરી રહી હતી, ” જો..આ જયલા સાથે લગ્ન કરવાનું એક જ કારણ છે કે વર્ષો પહેલાં તેના પિતાના મૃત્યુનું કારણ મારા પિતા બન્યાં હતા,ભલે અજાણતાં …
હવે હું આ વેરની પરંપરા આગળ વધવા દેવા જ નહોતી માંગતી આથી વાત અહીં જ અટકી જાય તે માટે….”
શ્રદ્ધા ભટ્ટ
વાપી