ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની ૬ ગદ્ય રચના રજૂ કરવામાં આવે છે.(આ વિષય નો છેલ્લો દિવસ)
વિષય : રામાયણ ના પાત્રો વિષયક રચનાઓ – .દિવસ – ૬
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
નિર્ણાયક મંડળ :જયશ્રીબેન પટેલ, માયાબેન દેસાઈ
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews
NOG SS No ; 0079
વિષય રામાયણનું પાત્ર
શીર્ષક: સીતા-રામ
પ્રકાર : ગદ્ય
————-
રામને ‘રામ’ બનવા માટે ‘સતી સીતા’નો સહારો સાંપડ્યો હતો. એમાં અતિશયોક્તિ નથી. જો સીતાએ પોતાનું ગૌરવ ન જાળવ્યું હોત તો રામ,” મર્યાદા પુરુષોત્તમ “નું બિરુદ મેળવી શક્યાં ન હોત .
રાજા દશરથે રામને વનવાસનો આદેશ આપ્યો . સીતા શા માટે વનમાં ગઈ. સીતાએ વિચાર્યું , ત્રણ સાસુ સાથે રહેવું તેના કરતા વનવાસ અને વલ્કલ શું ખોટાં ?
રાવણને ત્યાં પવિત્રતા જળવાઈ હતી, છતાં રામની આમન્યા જાળવી . અગ્નિ પરીક્ષા આપી. રામ સત્યથી વાકેફ હતા .
પહેલી વખત મા બનવાનાં સમયે પતિની આજ્ઞાનું પાલન કર્યું. શું સીતા તેનો અનાદર ન કરી શકી હોત ?
૨૧મી સદીમાં શું આ શક્ય બને ? રામને મહાન કહેતા પહેલા સો વખત વિચાર કરજો ! આજની તારીખમાં ‘સીતારામ’ બોલાય છે.
અરે! રામે અશ્વમેધ યજ્ઞ કર્યો ત્યારે સીતાની પ્રતિમા બાજુમાં બેસાડી હતી. લગ્નના પવિત્ર બંધનમાં બંધાયેલા પતિદેવે સીતાની પતિ ભક્તિને શિરોમાન્ય કરી.
કોઈ પણ પુરુષના ઉત્કર્ષમાં પત્ની સહભાગી બને છે. પછી ભલેને એ પુરુષ ‘રામ’ પણ કેમ ન હોય !
પ્રવિણા કડકિયા
*********†*****************************
NOG SS No:: 0087
વિભાગ ::ગદ્ય
વિષય ::રામાયણનું કોઈપણ પાત્ર
શીર્ષક ::લક્ષ્મણ
ભગવાન વિષ્ણુએ જયારે શ્રીરામના રૂપમાં રાજા દશરથના ઘરે જન્મ લીધો ત્યારે જ શેષનાગે પણ રામનાં નાના ભાઇ લક્ષ્મણ તરીકે જન્મ લીધો. રાણી સુમિત્રાના પુત્ર લક્ષ્મણ સૌમિત્ર, રામાનુજ, સુમિત્રાનંદન વગેરે નામોથી પણ ઓળખાય છે. લક્ષ્મણને નાનપણથી જ પ્રભુ રામ પ્રત્યે વિશેષ પ્રેમભાવ હતો. રામ જ તેમનાં માટે માતાપિતા, ગુરુ, ભાઈ બધું હતાં અને શ્રીરામની આજ્ઞાનું પાલન જ એમનો મુખ્ય ધર્મ હતો. તેઓ પડછાયાની જેમ રામની સાથે રહેતા હતાં. કોઈપણ પ્રભુ રામ વિષે અપમાનજનક બોલે તે તેમનાથી જરા પણ સહન થતુ નહી. શાંત, ગંભીર, સહનશીલ શ્રીરામના સ્વભાવથી વિપરીત લક્ષ્મણ ક્રોધી હતાં.મંદિરમાં રામ-સીતા ની સાથે લક્ષ્મણની પણ પૂજા થાય છે.
ચૌદ વર્ષનો વનવાસ રામને મળ્યો હતો છતાંય લક્ષ્મણ રામ ની સેવા કરવા માટે પત્નીથી દૂર, રાજમહેલનાં સુખ ત્યજીને તેમની સાથે વનમાં ગયા.
વનવાસ દરમિયાન લક્ષ્મણ રામસીતાની કુટિર બહાર પહેરો ભરતા હતાં. દિવસ-રાત પ્રભુની સેવા કરવા માટે લક્ષ્મણે નિંદ્રાદેવી પાસે ચૌદ વર્ષ નિંદ્રામુક્ત રહેવાનું વરદાન માંગ્યું હતું.
પંચવટીમાં શૂર્પણખા રાક્ષસી જયારે સીતાને મારવા જાય છે ત્યારે લક્ષ્મણ ક્રોધિત થઈને તેના નાક -કાન કાપી નાંખે છે.
સ્વર્ણ મૃગની લાલચમાં સીતા રામને મૃગ પાછળ મોકલે છે. ઘણો સમય પીછો કર્યા બાદ રામ મૃગને બાણ મારે છે ત્યારે તે માયાવી રામના અવાજમાં લક્ષ્મણને પોકારે છે. રામની આજ્ઞાનું પાલન કરતા લક્ષ્મણ ત્યાં જ સીતા પાસે ઊભા હોય છે ત્યારે રામનો અવાજ સાંભળી વ્યાકુળ સીતા લક્ષ્મણને કડવાં વેણ કહે છે.ત્યારે લક્ષ્મણ પોતાની શક્તિથી કુટિરની ચારે બાજુ લક્ષ્મણરેખા બનાવે છે અને સીતામાતાને તે લાંઘીને બહાર ન આવવાનું કહે છે.સીતા લક્ષ્મણરેખા ઓળંગે છે. રાવણ સીતાને ઉપાડીને લંકા લઈ જાય છે.
સીતાની શોધમાં ફરતી વખતે વનમાં સીતાના આભૂષણ મળે છે. રામ લક્ષ્મણને પૂછે છે, “આ સીતાના આભૂષણ ઓળખ્યાં ?”ત્યારે લક્ષ્મણ કહે છે, બીજાં આભૂષણો વિષે મને ખબર નથી પણ પ્રતિદિન ચરણ સ્પર્શ કરતી વેળા માતાનાં ઝાંઝર મેં જોયાં છે.
રામ રાવણ વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે. યુદ્ધ દરમિયાન લક્ષ્મણ મૂર્છિત થઇ જાય છે ત્યારે વૈદ્ય સુશેનની સલાહથી હનુમાન પવનવેગથી ઊડીને સંજીવની બુટી લાવ્યાં અને લક્ષ્મણનાં પ્રાણ બચાવ્યા.
રાવણનાં વધ પછી સીતા મુક્ત થાય છે ત્યારે પ્રભુ રામ લક્ષ્મણને અગ્નિ પ્રગટાવવા કહે છે જેથી સીતા અગ્નિપરીક્ષા આપે. આ સાંભળીને જીવનમાં પહેલીવાર લક્ષ્મણ રામ પાર ક્રોધિત થાય છે. માતા સીતાના ચારિત્ર પર સંદેહ કરવા માટે રામ વિરુદ્ધ વિદ્રોહ કરે છે. પછી સત્ય હકીકત જાણતાં તેમનો ક્રોધ શાંત થાય છે.
ચૌદ વર્ષનો વનવાસ પૂરો થયા પછી શ્રીરામનો રાજ્યાભિષેક થાય છે. ત્યારબાદ સંજોગવશ રામ સીતાનો ત્યાગ કરે છે. રામના આદેશને લીધે લક્ષ્મણ સીતાને વનમાં મૂકી રડવા લાગે છે. સીતામાતાને પોતાનો પુત્ર માની સેવા કરવા, સાથે રહેવા દેવા વિનંતી કરે છે. ત્યારે માતા સીતા સીતારેખા દોરે છે અને તેને પાર ન કરવાનો આદેશ આપે છે. લક્ષ્મણ ભારે હૈયે પાછાં ફરે છે.
સમય વીતે છે. લક્ષ્મણને ત્યાં બે પુત્રો અંગદ, ચંદ્રકેતુનો જન્મે છે.
પ્રભુ શ્રીરામનો પૃથ્વી નિવાસનો સમય પૂર્ણ થવાનો હોય છે ત્યારે લક્ષ્મણનું એમનાથી પહેલાં જવું આવશ્યક હોય છે.યમરાજ પ્રભુ રામ સાથે આ વિષયમાં વાત કરવા આવે છે ત્યારે લક્ષ્મણને દ્વાર પર પહેરો આપવાનું કહેવામાં આવે છે. કોઈપણ અંદર આવશે એને મૃત્યુદંડ આપવો એવું નક્કી થાય છે. તે જ સમયે ઋષિ દુર્વાસા રામને મળવાની જીદ્દ કરે છે, નહીંતર અયોધ્યાને શ્રાપથી ભસ્મ કરશે એવું કહે છે.અયોધ્યાને બચાવવા લક્ષ્મણ રામની આજ્ઞા વિરુદ્ધ તેમનાં ખંડમાં પ્રવેશ કરે છે. લક્ષ્મણને જોતાં જ યમરાજ જતાં રહે છે. રામની આજ્ઞાનું ઉલ્લંઘન થયું તેથી લક્ષ્મણને મૃત્યુદંડ આપવાનું નક્કી થાય છે. હનુમાનની સલાહથી રામ લક્ષ્મણનો ત્યાગ કરે છે. શાસ્ત્ર પ્રમાણે કોઈ સજ્જન વ્યક્તિનો ત્યાગ એ મૃત્યુદંડ સમાન જ હોય છે.ભાઇ શ્રીરામના દ્વારા ત્યાગ કરવામાં આવતાં લક્ષ્મણ માટે જીવવાનું કોઈ કારણ રહેતું નથી. અયોધ્યાની પાસે સરયૂ નદીમાં તેઓ જલસમાધિ લે છે અને પોતાના ધામ વૈકુંઠ જતાં રહે છે. થોડાં દિવસો પછી શ્રી રામ પણ એ જ નદીમાં સમાધિ લઇ વૈકુંઠ પહોંચી જાય છે.
✍🏻વંદના દયાળ (સુરત)
25/4/2021
****************************************
NOG SS No.0073
વિષય.. રામાયણનું પાત્ર,
પ્રકાર.. ગદ્ય
શીર્ષક.. ઊર્મિલા.
રામાયણનાં બધાંજ પાત્રો ખૂબજ મહાન છે .દરેકની પોતાની આગવી એક છાપ છે,જેમાં દરેક પાત્ર છવાઈ જાય છે,બસ એક પાત્ર એવું છે જેણે મૂંગા મોઢે પોતાનો કોઈપણ જાતનો વિરોધ નોંધાવ્યા વગર પોતાના પતિને રામ સાથે જવાની મંજૂરી આપી છે.
ઉર્મિલા લક્ષમણની પત્નિ જેણે પોતાનાં પતિને બાર વર્ષ સુધી રામ સાથે સેવામાં મોકલી પોતે પતિ વગર રહી જ્યારે સીતાજી બાર વર્ષ પછી અયોઘ્યા પાછાં આવે ત્યારે દરેક એમનું સ્વાગત કરે છે તેમાં એક સુકાયેલી કાયાવાળી શુષ્ક ચેહરાવાળી
સ્ત્રીને જોઈ સીતા પૂછે છે,” તમે કોણ છો?”ત્યારે ઉર્મિલા કહે છે,” જેનો પતિ બાર વર્ષ સુધી જેની સેવામાં રહ્યો તેની પત્ની છું,જેનો પતિ હોવા છતાંય ભર જુવાનીમાં એની સાથે ના હોય એનો ચહેરો ખીલેલો ક્યાંથી હોય!”” ઊર્મિલા તું!! હા દીદી હું તમે વનમાં પણ પતિ સાથે રહ્યાં ને હું મહેલમાં પણ પતિ વગર રહી,ચહેરાની લાલી તો પતિ સાથે હોય એની હોય પણ દીદી તમારું બલિદાન એ બલિદાન કહેવાયું ને મારી નોંધ પણ ના લેવાઈ કારણ મેં મહેલોમાં એકાંતવાસ ગુજાર્યો છે.”
સીતાજીની આંખમાં આંસુ આવી ગયાં.
“પોતાની બહેન આટલી સમજદાર કે પોતાઊના સુખનો વિચાર કર્યા વગર પોતાના પતિને મારી સેવામાં મોકલ્યાં!”
બંને મહાન પણ, ઊર્મિલાનો ઉલ્લેખ હજુ પણ કોઈ રીતે અગ્રસ્થાને હોય એવો કોઈ ઈતિહાસ નથી.
નયના પટેલ.નૈન.
વડોદરા.
****************************†**********
NOG SS No – 0042
વિભાગ-ગદ્ય
પ્રકાર-લઘુકથા
વિષય-રામાયણના પાત્રો
શીર્ષક-આધુનિક ઊર્મિલા
‘ઘરેથી ચાલ્યા ગયા છે’
પ્રિય લખન જ્યાં હોય ત્યાંથી ઘરે આવી જા. આપણાં પર આવી પડેલી મુશ્કેલીમાં હિંમતભેર એકબીજાનાં સથવારે લડી લઈશું બસ, તું આવી જા. બાળકો અને મમ્મી-પપ્પા તને યાદ કરી ખૂબ રડી રહ્યાં છે.લિ. તારી રાહ જોતી ઊર્મિ.
છાપાંમાં આપેલી આ જાહેરાતને આજે ચૌદ વર્ષ થયાં પણ હજી લખનનો પતો મળ્યો નહોતો. રોજ ઓફીસ જવા તૈયાર થતી વખતે, ડ્રેસિંગ ટેબલનાં ડ્રોવર માંથી મૂકી રાખેલાં આ છાપાનાં કટીંગને વાંચી એક આશા સાથે પરત મૂકતી.
” ઊર્મિ બેટા ટિફિન તૈયાર છે અને આજે વહેલી આવજે,મારે હોસ્પિટલમાં રૂટિન ચેકપ માટે જવાનું છે”. એમ કહી કૈકેયીબેન પણ સજળ નેત્રે ત્યાંથી નીકળી ગયા. ઊર્મિની આ રોજની ક્રિયાથી તેઓ પણ અજાણ નહોતાં, પણ શું કરે?
ટિફિન હાથમાં લઈ ફટાફટ દાદરા ઉતરતી ઊર્મિ પણ મનોમન બોલી પડી” રામાયણની ઊર્મિલાને તેનાં લક્ષ્મણ ચૌદ વર્ષે મળી ગયાં હતાં પણ મને?એ કદાચ મહેલમાં સુરક્ષિત પણ હું?કેટલું બચાવું મારી જાત ને!દુનિયાથી !કશું અજુગતું થશે તો?હજી મોડું નથી થયું,પ્લીઝ લખન આવી જા”.
રામાયણની ઊર્મિલાને લોકો તેના ત્યાગ અને બલિદાનને કારણે આજે પણ યાદ કરે છે,પણ પોતાની જાતને સુરક્ષિત રાખી, આખા પરિવારને સંભાળતી આ આધુનિક ઊર્મિને કોણ યાદ કરશે!જેનાં લખનની આવવાની અવધિ પણ નિશ્ચિત નથી.
પૂજા(અલકા)કાનાણી
મીઠાપુર.
********************************††
*NOG SS No:,0019*
*વિષય.. રામાયણનું* *કોઈ* *પણ એક પાત્ર*
*શીર્ષક… હનુમાન* *એક* *કવચ*
રામાયણનાં અનેક પાત્રો છે, પણ સૌથી મનગમતું પાત્ર એટલે રામભકત હનુમાનજી. જેમનાં માટે શ્રી રામે કહેલું, મિત્ર, તમારૂં ઋણ ચૂકવવા મારાં પ્રાણ પણ ઓછાં છે. હજુ લોકોને એવી શ્રદ્ધા છે કે જયાં રામકથા હોય ત્યાં હનુમાનજીની હાજરી હોય જ!
માતા અંજનાજી અને પિતા કેસરીનું તેજસ્વી સંતાન. એમને ભૂખ લાગતાં સૂર્યને ફળ સમજી એની નજીક ગયેલાં. રાહુ અને હનુમાનજી બંને સાથે હતાં. એટલે ઈન્દ્ર દેવે એમનાં પર પ્રહાર કરતાં એમની હડપચી પર વાગ્યું અને હનુમાન નામ પડ્યું.
એમની પૂજા સિંદૂર અને તેલથી થાય છે. એની પણ રોચક વાત છે. વનવાસ દરમ્યાન સીતા માતા પોતાનાં સેંથામાં સિંદૂર લગાવતાં હતાં, ત્યારે હનુમાનજીએ પૂછ્યું,” મા, આ શું કરો છો?” સીતાજી કહે,” આનાથી રામ પ્રસન્ન થાય છે.” આટલું સાંભળીને એમણે પોતાનાં આખાં શરીરને સિંદૂરથી રંગી નાંખ્યું. હનુમાનજીએ શનિદેવને પણ પરચો બતાવેલો અને એની પાસેથી પણ વચન લીધું કે ભગવાનનાં ભક્તોને કદી પરેશાન ન કરતાં. શનિદેવને વેદના થવાથી તેલ માંગ્યું અને હનુમાનજીએ તેની વેદના શમાવી. આથી તેલ ચડાવવાની પ્રથા થઈ. હનુમાનજી દરેક ભક્તોને મનોવાંછિત ફળ આપે છે. શ્રી રામે એમનાં માટે સુંદરકાંડમાં અનન્ય વર્ણન કરી એમને પોતાનાં હૃદયમાં સ્થાન આપ્યું. સીતાજીની શોધ કરી રામને અને સીતાજીને છાતી ચીરી જગતને ભક્તિ ભાવનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપ્યું. શનિવારે અને મંગળવારે એમની પૂજા કરાય છે. આ એક જ પાત્ર એવું છે કે જે રામાયણ અને મહાભારતમાં અર્જુનનાં રથ પર જોવામાં આવ્યું છે. ભારતભરમાં એમનાં મંદિર આવેલાં છે.
પ્રેમ, ત્યાગ,કરુણાની મૂર્તિ એટલે હનુમાનજી મહારાજ. સુંદરકાંડનું પઠન ભાવાર્થ સાથે કરીએ ત્યારે એમનાં વિરાટ દર્શનનો અનુભવ થાય છે. મનને પરમ શાંતિનો અનુભવ થાય છે.
આજની વિકટ સ્થિતિમાં એકવાર પાઠ કરવો ઉત્તમ છે.દુઃખ દર્દ દૂર કરવા આ એક અમોઘ કવચ છે.
દિન દયાળ બિરીન્દુ સંભારી…
હરહુ નાથ મમ્ સંકટ ભારી,
એક એક ચોપાઈ અનુપમ છે. રામનાં પરમ ભક્ત કે એમને કોઈ લાલચ પણ નથી સ્પર્શ કરતી.
જય મારુતિ નંદન,, જય હનુમાન.
*કલ્પનાબેન ત્રિવેદી* *સુરેન્દ્રનગર*
************************************
NOG SS NO.0081
વિષય: રામાયણનું પાત્ર
પ્રકાર : ગદ્ય
શીર્ષક : નિષાધરાજ ગુહ
શબ્દો : ૩૦૦
રામને પાછાં લાવવાં
ચિત્રકુટ જતાં ભરત સેના સાથે નિષાધરાજનાં રાજ્યમાં વિરામ લેવા રોકાયાં.
અયોધ્યા મંત્રી સુમંત્રે કહ્યું,” શૃંગવેરપુરમાં વસનારા ભીલ લોકોનાં રાજવી ગુહ તમને મળવા આવ્યાં છે. એ ચિત્રકૂટ સુધીના શ્રીરામનાં સઘળાં વૃત્તાંતને જાણે છે. રામનાં એ પરમ મિત્ર છે.” એ સાંભળી ભરત રથનો ત્યાગ કરી નીચે ઉતર્યાં અને ગુહરાજાને કહ્યું, “તમે મારાં રામની ઘણી સેવા કરી છે.મારે સ્વયં તમારી પાસે આવવું જોઈએ.”
ગુહરાજાએ ભરતની વૃત્તિની પરીક્ષા કરવા માટે ત્રણ આહારની યોજના કરી હતી.પણ ભરતનું નિર્ગુણ સ્થિતિમાં અહર્નિશ રામ સ્મરણમાં ધ્યાન લાગેલું હતું.ભરતે શત્રુઘ્નને કહ્યું,”ભાઈ, પશુ-પંખી કે માછલી ,મિષ્ટાન્ન પાછાં આપી દો.રામના પ્રિય એવા ગુહરાજની ભેટ સ્વીકાર્ય જ.માત્ર ફળ ફૂલ .મારાં રામે પણ ફળફૂલ જ ખાધાં હશે.”
ભરતે ગુહરાજને કહ્યું ,”નિષાધપતિ, તમે આ વિશાળ સેનાનું સ્વાગત કરવા ચાહો છો.પણ અમારે ત્વરાથી ચિત્રકૂટ પહોંચવું છે.અમારો માર્ગ ઘણો ભૂલભૂલામણો છે.તમે કહો કે આ પાવન ભાગીરથીને પાર કરીને અમે કઈ રીતે જલદી પહોંચીએ.”
ગુહરાજે કહ્યું, ”રાજકુમાર,તમે માર્ગદર્શકની ચિંતા સેવશો નહીં. ભોમિયાઓની સાથે હું પણ આવીશ, એટલે તમને માર્ગ વિશે કોઈ ચિંતા નહીં રહે.”
ભરતે કહ્યું, “હવે અમે જલદી ચિત્રકૂટ પહોંચી જઈશું. મારી વિશાળ સેનાને માર્ગમાં કશી મુશ્કેલી નહીં પડે.” ‘વિશાળ સેના’ શબ્દો સાંભળતાં જ ગુહરાજે ભરતને પ્રશ્ન કર્યો, “રાજપુત્ર,આપ ચિત્રકૂટ રામનાં દર્શન કરવા માટે જાઓ છો કે પછી રામની સાથે યુદ્ધ કરવા ? અયોધ્યાનું રાજસિંહાસન તમને મળ્યું છે, તે સદાકાળ તમારું જ રહે, એવી ભાવના છે આપની?આપ મારી શંકાનું સમાધાન કરો.”
શંકા સાંભળી ગદ્ગદિત કંઠે ભરતે કહ્યું,”હે રામમિત્ર,તમને આવી શંકા જાય તે સહજ છે. પણ સત્ય તો એ છે કે અયોધ્યાની ગાદી ઉપર શ્રીરામ જ શોભે. આથી ચિત્રકૂટ જઈને રામનો રાજ્યાભિષેક કરીને અયોધ્યા લાવી રાજસિંહાસન પર બિરાજમાન કરવાની મારી ભાવના છે. રાજનીતિના નિયમ પ્રમાણે રાજ્યાભિષેક સમયે રાજાને સિંહાસન અને ચતુરંગિણી સેના બંને અર્પણ થાય છે.એથી આ ચતુરંગિણી સેના મારી સાથે છે.રોમેરોમમાં રામ વસે છે ,મારે બીજું શું જોઈએ?”
ભરતનાં વચનો સાંભળીને ગુહરાજા અત્યંત હર્ષિત થઈ ઊઠ્યાં.
# માયા દેસાઈ
મુંબઈ ભારત.