ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની ૫ ગદ્ય,પદ્ય રચના રજૂ કરવામાં આવે છે.
વિષય : રામાયણ ના પાત્રો વિષયક રચનાઓ – .દિવસ – ૫
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
નિર્ણાયક મંડળ :જયશ્રીબેન પટેલ, માયાબેન દેસાઈ
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews
NOG SS No.0050
વિષય- રામાયણનાં કોઈ એક પાત્ર પર લેખન.
શીષૅક – ઊર્મિલા .
………………………………..
………………………………..
એક…ત્યાગમૂર્તિ…!
ઓરડામાં ગૂંગળાતો શ્વાસ
એકબીજાં પર નો વિશ્વાસ ,
રામને સીતાજી તો સાથે જીવ્યાં પણ..!
સાચે સાચું કહીશ કે વનવાસ લક્ષ્મણ વગર ઊર્મિલાનો ખરો હતો.
ઊર્મિલા એટલે ફરીથી ઉપેક્ષિત નહીં પણ મજબૂત મનોબળ ધરાવતી મહિલા નું ઉત્કૃષ્ટ ઉદાહરણ.
શ્રી રામના વિવાહ પ્રસંગે જનક નંદિની ઊર્મિલા નો અછડતો ઉલ્લેખ જ છે માત્ર પછી ૧૪ વર્ષનાં વનવાસ નો હ્રદય ચીરી નાખે એવો પ્રસંગ છે .જ્યારે લક્ષ્મણ શ્રીરામ સાથે જવાનો આગ્રહ કરે છે .
ત્યારે ઊર્મિલા પણ વનવાસ વેઠવાનું કહે છે, પ્રસ્તાવ મૂકે છે. લક્ષ્મણ સાથે જવા સહમત નથી માતા-પિતાને
સંભાળવાની જવાબદારી ઊર્મિલાનાં નાજુક ખભા પર નાખે છે.
ચૌદ વરસનો કઠિન વિયોગ ઊર્મિલાના ભાગ્યમાં લખાય છે, હસતાં મોઢે પતિનો આદેશ માથે ચડાવે છે. પતિવ્રતા ધર્મ બહુમતીથી નિભાવે છે .
કાળખંડમાં અડગ મનનાં ઊર્મિલા પતિવ્રતા ધર્મ તેમની અજાણતાં પણ થયેલી અવગણનાને ભુલાવી દે છે. આ જ બાબત મહાનતા બક્ષે છે, પતિના વિયોગ નો વિલાપ નહીં કરે ,મનથી સ્વસ્થ નહીં રહે તો પરિવારને કાળજી નહીં રાખી શકીએ પછી આંસુ નહીં સારવાનું કેટલું કપરું બને છે. કલ્પના કરો પતિ વિયોગ આકરો, પિયર મિથિલા જવાની ના પાડે છે. પતિની ગેરહાજરીમાં માતાઓની સારસંભાળ રાખવાની જવાબદારી સોંપીને ગયા છે લક્ષ્મણ.
સૌ જાણે છે વનવાસ દરમિયાન લક્ષ્મણજી શ્રીરામની
સેવા કરતાં 14 વર્ષ સૂતાં નહોતાં .
રામાયણમાં કુંભકર્ણ અને ઊર્મિલાની નિંદ્રાનો ઉલ્લેખ છે .પ્રથમ દિવસે લક્ષ્મણ ચોકી કરતાં નિંદ્રાદેવી સ્વરૂપે પ્રગટ થયા ને પૃચ્છા કરી નિંદ્રાદેવીએ ઓળખાણ આપી ,”૧૪ વર્ષ ના ઉંઘવું કુદરતનાં નિયમ વિરુદ્ધ છે પણ તારા ભાગ્યની નિંદ્રા કોઈ ભોગવવા તૈયાર હોય તો તને નિંદ્રા થી મુક્તિ મળી શકે છે”. જેથી પોતાની પત્ની ઊર્મિલા પાસે જવાનું કહ્યું અને પતિવ્રતા ધર્મ નિભાવવા ચૌદ વરસ ઊર્મિલા ઊંઘતા રહ્યાં.
સાચી વાત, મૌનનું તપસ્વી રૂપ એટલે ઊર્મિલા નું સમર્પણ.
ત્યાગ ને ધૈર્યનું દિવ્ય રૂપ એટલે ઊર્મિલાનું જીવન કવન.
ચૌદ વર્ષ સુધી વન તરફ જવાના માર્ગે એકીટશે પ્રતીક્ષા કરતું એક વિરહી અસ્તિત્વ.
એક નિર્મલ, નિર્દોષ,પવિત્ર ત્યાગમૂર્તિ ..!
જેને કોઈનાં માટે કોઈ જ ફરિયાદ નથી ને કોઈ જ અસંતોષ નથી, જેને કોઈ પણ જાતનો બદલો જોઈતો નથી, જેની કોઈ માંગ નથી. જેને ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાવાની કે પ્રશંસા ને જગ પ્રસિદ્ધિની અપેક્ષા જરાપણ નથી. અરે..! જેને ભૌતિક સુખની કલ્પના માત્ર નથી.તે તો રામ કાર્યમાં જીવનની આહુતિ આપવામાં અને તેમાં નિમિત્તરૂપ બનવામાં જીવનની ફલશ્રુતિ માને છે.
તપ ,મર્યાદા,સંયમ,વૈરાગ્ય,પ્રભુ પ્રેમ, વિશુદ્ધ ભક્તિ, પતિવ્રતા…(પતિને જે વ્રત આપી માનવજીવન ને સાર્થક કરવામાં નિમિત્તરૂપ બને તે ) સદગુણોથી શોભતી ,
સંસારસુખને તૃણ સમાન માનનારી એક આર્ય નારી..! એટલે “ઊર્મિલા ”
જેણે મહેલમાં રહીને કઠોર વનવાસ ભોગવ્યો છે, એવી તપસ્વિની આર્ય સંસ્કૃતિનું આ શિરમોર પાત્ર જેણે સંસ્કૃતિ કાજે ત્યાગી જીવન અપનાવી જીવનને સાર્થક કર્યું..
એવી આર્ય નારીને નમન..!
રાગીની શુક્લ “રાગ”
(મુંબઈ, કાંદિવલી.)
*********”***********”***””””***********†**
NOG SS No. – 0039
વિષય – રામાયણનું કોઈ પણ એક પાત્ર
શીર્ષક – શત્રુઘ્ન
શબ્દો – ૨૩૩
રાજા દશરથના ચાર દીકરા, રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન.
રામાયણનું નાનું એવું પાત્ર લાગતાં શત્રુઘ્નનું પણ ઘણું મોટું યોગદાન છે.
કાશીની રાજકુમારી અને રાજા દશરથની ત્રીજી પત્ની સુમિત્રાનો દીકરો શત્રુઘ્ન, લક્ષ્મણનો જોડકો ભાઈ હતો.રામ કૌશલ્યનો અને ભરત કૈકેયીનો પુત્ર હતાં.
હિન્દુ મહાકાવ્ય વાલ્મિકી રામાયણ અનુસાર શત્રુઘ્ન વિષ્ણુના પ્રકટ અવતારનો અડધો ભાગ છે એવું માનવામાં આવે છે.
શત્રુઘ્નના લગ્ન રાજા જનકના નાના ભાઈ કુશલધ્વજની દીકરી શ્રુતકીર્તિ સાથે થયાં હતાં. સીતા શ્રુતકીર્તિની કાકાની દીકરી હતી.
શત્રુઘ્ન અને શ્રુતકીર્તિનાં બે બાળકો હતાં. શત્રુઘતિ અને સુબાહુ.
સંસ્કૃત ભાષામાં શત્રુઘ્નનો અર્થ દુશ્મનને હણનાર, એનો નાશ કરનાર એવો થાય છે.વિષ્ણુ સહસ્ત્રનામમાં વિષ્ણુનું ચારસો બારમું નામ શત્રુઘ્ન છે.
રામના વનવાસ ગયા પછી કૈકેયી પાસેથી દાગીના અને મોટું ઈનામ મેળવીને નીકળતી કૈકેયીના કાન ભરનાર મંથરાને મારવા દોડ્યો હતો પણ સમતાભાવી ભરતે આ વાત મોટાભાઈ રામને નહિ ગમે એમ માનીને એને રોક્યો હતો.
રામ ભરતને રાજગાદી સોંપીને સીતા અને લક્ષ્મણ સાથે વનવાસ ગયા ત્યારે ભરતે રાજગાદીએ રામની પાદુકાઓ સ્થાપીને રાજ્યની બહાર વાસ કર્યો હતો ત્યારે શત્રુઘ્નએ રાજપાટ સંભાળ્યું હતું.
ભરત નંદીગ્રામમાં રોકાઈ ગયા હતા ત્યારે રાજ્ય અને ત્રણેય માતાઓને સાંભળવાની સંપૂર્ણ જવાબદારી શત્રુઘ્ન ઉપર આવી ગઈ હતી.
મથુરાના દાનવ રાજા લવણાસુરનો વધ પણ શત્રુઘ્નએ કર્યો હતો.
વિષ્ણુના સાતમા અવતાર રામે ધર્મપૂર્વક રાજ ચલાવી દસ હજાર વર્ષ પૂરાં કર્યાં ત્યારે પોતાનાં શાશ્વત મહાવિષ્ણુ અવતારમાં વિલીન થવા માટે સરયૂ નદીમાં સમાધિ લીધી. એમની સાથે ભરત અને શત્રુઘ્ન પણ મહાવિષ્ણુમાં વિલીન થયા.
શત્રુઘ્નના નામના મંદિરો ભારતમાં કેરળ, ઋષિકેશ અને મથુરામાં આવેલાં છે.
પ્રફુલ્લા “પ્રસન્ના”
અમદાવાદ
***†*************************************
*નામ*- ડો. મનીષા વ્યાસ
*NOG SS NO-* 0088
*વિષય શબ્દ*- રામાયણનું એક પાત્ર
*પ્રકાર*- પદ્ય
*શીર્ષક*- અહલ્યા બની શલ્યા!
******************************
ધરાર! ઊંચી ઊઠી, આજ ધરતીની ચીખ કરી ચિત્કાર!
હે! રામ, જલ્દી આવો આ દુનિયાની છે, અનોખી શીખ!
મારા હૈયે! કઈંક; રમણી સદીઓથી, પત્થર! થઈ પડી!
પ્રાણ! અટક્યા એના પ્રાણપતિ તુજ પર, ચાલે છેક! નાડી!
પાપભીરું, નિશ્ચેતન! થઈ પડી જે મારા પંડે અહલ્યા !
મારા રામ! જલ્દી આવો, નથી જીરવાતી નિષ્પ્રાણ શલ્યા!
હું મા! મરતી ના ભાળું તનુજા મૂર્છિત! પડી જે, મુજ કૂંખે!
વ્હાલા રામ! કરી સ્પર્શ દઈ દો, ચેતનાનાં દાન એ ઝંખે!..
લાંછન લાગ્યું, સતીને વ્યભિચારી, પતિતા ગ્રહણ તણું!
પૂછું પ્રશ્ન એક, હું “ધરા” સમગ્ર પુરુષ જાતને ભણું ?
કપટ! કર્યું જે ઈન્દ્રે, લઈ વેશ પતિ ગૌતમઋષિ તણો!
નથી, શ્રાપ! પામી બની શલ્યા અહલ્યા, ઋષિપતિ તણો ,
જે પતિવ્રતા, અર્ધાંગના કરે શું શંકા કદી સખ્ય! પતિ સંગ તણી?
કપટે, શીલભંગના ભારથી, પ્રાણ સાથે ઇંદ્રિય! લીધી તાણી!
સાક્ષી! હું યુગોની! નથી કોઈ પુરુષ, કપટે પાષાણ થાતો ?
સેવે કોઈ વારુણીને રામજની છતાં! ના પતિત પથરો થઈ પડતો?..
*નામ -ડો. મનીષા વ્યાસ* ✍️
*અમદાવાદ*
*****************************************
NOG SS NO. 0076
વિષય :- રામાયણનું પાત્ર
પ્રકાર :- ગદ્ય
શીર્ષક :- નલ -નીલ
રામા્યાનમાં રામ-રાવણનું યુદ્ધ ક્યારે શક્ય બન્યું? 100 યોજનનો સમુદ્ર પાર કર્યા વગર શું એ શક્ય હતું? યુદ્ધ વગર સીતાજીને પાછા કઈ રીતે લાવી શકાત ? ભગવાન શ્રી રામ જયારે સેના સહીત સમુદ્ર તટે પહોંચ્યા અને સમુદ્રને રસ્તો કરી આપવા વિનંતી કરવા છતાં સમુદ્ર રસ્તો કરી આપવા તૈયાર ન થતાં, પ્રભુ શ્રી રામ પોતાનાં એક બાણથી સમુદ્રને સુકવવા તૈયાર થયાં.
ભયભીત થયેલ સમુદ્રએ હાથ જોડીને કહ્યું કે આપની સેનામાં નલ – નીલ નામનાં બે વાનર છે, જેમને શ્રાપ છે કે એમની ફેંકેલી કોઈપણ વસ્તુ સમુદ્રમાં નહીં ડૂબે, માટે આપ એક સેતુનું નિર્માણ કરવામાં એમની મદદ લઈને સમુદ્ર પાર કરી શકો છો.
પૌરાણિક માન્યતા અનુસાર નલ અને નીલ વિશ્વકર્માનાં પુત્રો હતાં, એક દંતકથા અનુસાર બાલ્યાવસ્થામાં નલ અને નીલ ઋષિમુનીઓને ખૂબ હેરાન કરતા હતાં, ઋષિઓની ઘણી વસ્તુઓ સમુદ્રમાં ફેંકી દેતા હતાં, બાળકોની આ પજવણીથી થાકીને ઋષિમુનીઓએ શ્રાપ આપ્યો કે તેઓ જે વસ્તુ પાણીમાં નાખશે એ ડૂબશે નહીં.
બાળપણમાં મળેલો એ શ્રાપ હવે રામસેતુના નિર્માણમાં વરદાન સાબિત થઈ રહ્યો.
વાલ્મિકી રામાયણ અનુસાર આ સેતુ બનાવવામાં 5 દિવસ લાગ્યા હતાં, જેમાં પ્રથમ દિવસે 14 યોજન, બીજા દિવસે 20 યોજન, ત્રીજા દિવસે 21 યોજન, ચોથા દિવસે 22 યોજન અને પાંચમા દિવસે 23 યોજન સેતુ બન્યો હતો .આ રીતે કુલ 100 યોજનનો પુલ બન્યો હતો.
આમ, પ્રભુ અહરી રામ અને સમગ્ર વાનરસેનાને લંકા સુધી પહોંચાડવામાં મુખ્ય મદદરૂપ રામસેતુનું નિર્માણ નલ -નીલ ની મદદથી સંભવ બન્યું.
તુલસીદાસજી રચિત રામા્યાનમાં નલ -નીલ બંનેનો ઉલ્લેખ છે, જયારે રામાયણ સાથે જોડાયેલી અન્ય વાર્તાઓમાં ફકત નલનો જ ઉલ્લેખ છે.
રામસેતુનાં નિર્માણમાં નલ -નીલનો બહુમૂલ્ય ફાળો છે.
પારૂલ ઠક્કર “યાદ”
ભાવનગર
******************************************
NOG SS No:- 0010
વિભાગ: ગદ્ય
પ્રકાર :- લઘુકથા
વિષય :- રામાયણનાં પાત્રો
શીર્ષક :- મુલકાસુર
રામાયણનાં લગભગ અડતાલીસ મુખ્ય પાત્રો જણાય છે. ઘણાં બહુ જાણીતાં અને ઘણાં ઓછાં જાણીતાં છે. એમાંનું એક પાત્ર મુલકાસુર એ કુંભકર્ણનો પુત્ર છે. કુંભકર્ણ એને જંગલમાં છોડી આવ્યો હતો. ત્યાં એને મધમાખીઓએ સાચવી લીધો હતો. એ જ્યારે તરુણ થયો ત્યારે તપસ્યા કરીને બ્રહ્માજીને પ્રસન્ન કરી એમની પાસેથી વરદાન પણ પ્રાપ્ત કર્યું હતું. એ વાતનું એટલું બધું અભિમાન હતું કે એ બધાંને ખૂબ જ હેરાન કરતો હતો. એને ખબર પડી કે રામે લંકા જીતી લીધી છે અને રાજ્ય વિભીષણને આપ્યું છે એટલે એણે એનાં પાતાળવાસી સાથીઓને લઈને લંકામાં વિભીષણ ઉપર આક્રમણ કર્યું. છ મહિના સુધી યુધ્ધ ચાલ્યું ત્યારે વિભીષણ પત્ની અને મંત્રીની સાથે એક સુરંગ માંથી બહાર નીકળી ભગવાન શ્રીરામની મદદ માટે અયોધ્યા આવ્યાં
ત્યાં એમણે મુલકાસુરનો સઘળો વૃત્તાંત શ્રીરામને સંભળાવ્યો. વિભીષણના વધ પછી એ શ્રીરામનો પણ વધ કરશે એવી એની વાત પણ જણાવી. ભગવાન શ્રીરામ, લવ- કુશ, લક્ષ્મણ અને વાનર સેના સાથે પુષ્પક વિમાનમાં લંકા પહોંચ્યા ત્યાં મુલકાસુર સાથે સાત દિવસ સુધી ભયંકર યુધ્ધ ચાલ્યું. આ બાબતે શ્રીરામ ચિંતામાં હતાં ત્યારે અચાનક બ્રહ્માજી શ્રીરામ પાસે આવ્યાં અને કહ્યું :’ હે રઘુનંદન, મેં આ રાક્ષસને કોઈ સ્ત્રી દ્વારા વધ થશે એવું વરદાન આપ્યું છે. એક વખત મુનિઓની વચ્ચે અપશબ્દો બોલતો હતો ત્યારે માતા સીતા માટે ચંડી શબ્દથી ઉપહાસ કરી અપમાનજનક શબ્દો બોલતાં એક મુનિએ ગુસ્સામાં એને શ્રાપ આપ્યો કે :’હે દુષ્ટ જેને તું ચંડી કહે છે એ જ સીતા તારાં મૃત્યુનું કારણ બનશે. ત્યારે આ રાક્ષસે એનો વધ કર્યો હતો અને બધાં મુનિ ડરીને ભાગી ગયાં. એટલે સીતાજીને બોલાવો એ જ આ મુલકાસુરનો વધ કરવા સક્ષમ છે એમનાં હાથે જ આનો વધ થશે . બાકી બીજાં બધાં પ્રયત્નો નિષ્ફળ જશે.’ આટલું કહીને બ્રહ્માજી ચાલ્યાં ગયાં.
શ્રીરામના કહેવાથી હનુમાનજી સીતાજીને સુરક્ષિત લઈ આવ્યાં. શ્રીરામે મુલકાસુરની વાત કરી.એ સાંભળીને ભગવતી એકદમ ગુસ્સે થઈ ગયાં. ભયંકર અવાજ સાથે શરીરમાંથી એક તામસી શક્તિ નીકળવા લાગી એ લંકા પહોંચ્યા, એમને જોઈને મુલકાસુરે કહ્યું :’ હું સ્ત્રી ઉપર હાથ નથી ઉઠાવતો, તું અહીંથી ભાગી જા.’
સીતાજીએ એને કહ્યું :’ હું તારી મૃત્યુચંડી છું. તે મારાં પક્ષપાતી બ્રાહ્મણને મારી નાખ્યો, તને મારીને હું ઋણ ઉતારીશ.’ કહીને સીતાજીએ એનાં ઉપર બાણ ચલાવ્યાં. મુલકાસુરે પણ બાણ ચલાવ્યા.
છેલ્લે ચંડિકાશસ્ર ચલાવી સીતાજીએ જ મુલકાસુરનું માથું જ ઉડાવી દીધું. એનું માથું લંકાના દરવાજા પર જ પડી ગયું. એ જોઈને બધાં રાક્ષસો ભાગી ગયાં. સીતાજી પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયાં.
આ રીતે મુલકાસુર રાક્ષસનો અંત થયો હતો.
દીપ્તિ પટેલ ‘શ્રીકૃપા’
વડોદરા.