ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની ૬ ગદ્ય રચના રજૂ કરવામાં આવે છે.
વિષય : રામાયણ ના પાત્રો વિષયક રચનાઓ – .દિવસ – ૪
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
નિર્ણાયક મંડળ :જયશ્રીબેન પટેલ, માયાબેન દેસાઈ
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews
*NOG SS No . 0027*
વિષય:- રામાયણનું કોઈ પાત્ર
પ્રકાર:- ગદ્ય
શીર્ષક:- મહાસતી મંદોદરી
ભારતીય સંસ્કૃતિની અનોખી સુગંધ એનાં વિશિષ્ટ પાત્રો વતી પ્રગટ થાય છે. મયાસુર અને અપ્સરા હેમાની પુત્રી મંદોદરી પણ આવું જ એક વિરલ પાત્ર હતી. લંકેશ રાવણની એ પત્ની હતી પણ, ઢીલી કે કમજોર પત્ની નહોતી.
જે સમયે રાવણ વિરુદ્ધ એક શબ્દ બોલવાની હિંમત મોટાં મોટાં દેવતાઓ પણ નહોતાં કરતાં, અરે પરિવારમાં પણ વિભીષણ, કુંભકર્ણ વગેરે સંકોચ સાથે રજુઆત કરતાં એવા સમયે રાવણને રોકડું પરખાવનારી આ સ્ત્રી ખરેખર મજબૂત મનની નારી હતી.
આપણી સંસ્કૃતિએ મંદોદરીને સીતા, દ્રૌપદીની સમકક્ષ સ્થાન આપ્યું છે. એ રાવણના રાજ્યમાં જીવતી હતી પણ, એનો ધર્મ એણે બખૂબી નિભાવ્યો હતો. જ્યારે રાવણ સીતાનું અપહરણ કરી લાવે છે ત્યારે એ લંકેશને સાફ શબ્દોમાં સંભળાવે છે કે, રાજાનાં કુકર્મનું ફળ સમગ્ર રાજ્યને ભોગવવું પડશે. સીતા સમી પવિત્ર સ્ત્રી ઉપર અધિકાર જમાવવો તમને શોભતો નથી.
મને લાગે છે કે રાવણને સતત આવું કડવું સત્ય સંભળાવી મંદોદરીએ સીતાના માનની રક્ષા કરી હતી. તમે જ્યારે સતત કોઈની ભૂલોને એની નજર સમક્ષ રાખો છો ત્યારે એ વ્યક્તિ પર જબરદસ્ત દબાણ ઉભું થાય છે. દશાનન ઉપર પોતાની પત્નીનું દબાણ કાયમ હતું. મોટાભાગે એવું બનતું કે આખો દિવસ રાજસભામાં રાજાને પ્રશસ્તિ જ સાંભળવા મળતી પણ, ઘરમાં એની રાણી ધર્મને વરેલી હતી. એણે કાયમ ધર્મનો પક્ષ લીધો, સીતાનો પક્ષ લીધો, એકપણ મુલાકાત વગર જેમનાં ગુણો સાંભળ્યાં એ રામનો પક્ષ લીધો. અરે, રાવણ સામે રામની પ્રશંસા કરી છે. કેમકે,એ જાણતી હતી કે ધર્મ રામના પક્ષમાં છે. એ માટે પતિને કડવું સત્ય સંભળાવી દેતી. એ અર્થમાં, એ આદર્શ પત્ની અને આદર્શ મહારાણી બની રહી.
રાવણ વધ અને લંકાનું પતન થાય છે પછી રામ જયારે મંદોદરીને વિભીષણ સાથે લગ્ન કરવાનું કહે છે ત્યારે મંદોદરી મનાઈ કરે છે એ યુગમાં એક સામાન્ય બાબત કહેવાતી. એવું પણ કહેવાય છે કે, પાછળથી વિભીષણ સાથે લગ્ન થયાં હતાં. જે હોય તે… મંદોદરી રામાયણ કાળનું સૌથી અનન્ય પાત્ર હતું. એની સત્યનિષ્ઠા, એનો વિવેક, એનો ધર્મ, એનો રાજ્યપ્રેમ, એનો પુત્રપ્રેમ, વહુ સુલોચના પ્રતિ એનો સખીભાવ ( જે આજની આધુનિક સાસુ વહુ વચ્ચે પણ શક્ય નથી.) એ રીતે મંદોદરી રામાયણનું એક શ્રેષ્ઠ પાત્ર સાબિત થાય છે.
— જ્યોતિ આચાર્ય
અમદાવાદ
******************************************
NOG SS No:.0059
વિષય : ‘રામાયણનું કોઈ પાત્ર’.
પ્રકાર : ગદ્ય.
શબ્દો : ૩૦૭.
શીર્ષક :’રામાયણમાં ભક્તિ દર્શન’
.
મારી દ્રષ્ટિએ, રામાયણનાં કોઈ ખાસ પાત્ર અંગે લખવું તે અનાયાસે જે તે પાત્રને અન્યાય કરવાં બરાબર.
મુખ્ય અડતાલીસ પાત્રો, દરેક પાત્રને તેના સમઠાણ,(શરીર)
સમય,સ્થળ અને સંજોગોને આધીન વિવિધતા ભર્યાં રોલ ભજવવાના હતાં.
દરેકે પોતાનાં શિરે આવેલાં રોલ
બહેતરીન રીતે ભજવ્યાં છે.
મારી નજરે, રામાયણનાં દરેક પાત્રે આપણને ઊચ્ચ કોટીની ભક્તિના જરૂર દર્શન કરાવ્યાં છે.આપણે તેઓની ભક્તિને જાણીએ અને માણીએ.
સનાતન ધર્મમાં ઈશ્ર્વર તરફનો આપણો અહોભાવ દર્શાવવા,નવ
પ્રકારની ભકિત બતાવીછે.
નવ પ્રકાર: શ્રવણ,કીર્તન,સ્મરણ,
પાદસેવા,અર્ચના,વંદન,સખ્ખમ,
(મિત્રતા), દાસ્યં અને આત્મનિવેદન.(સમર્પણ).
રાજ્યાભિષેકના સમયે જ,રાજા દશરથનો પુત્ર રામને,રાજ્યને બદલે ચૌદ વર્ષના વનવાસનો
આદેશ !
હસ્તા મુખે શ્રીરામનો સ્વીકાર,
પુત્ર રામનો માતા પિતા પ્રત્યેનાં વંદનભાવ સાથે પરિવાર પ્રત્યેના સમર્પણ ભાવનાં દર્શન કરાવેછે.
સતી સીતા,લઘુબંધુલક્ષ્મણનું,રામ સાથે વનવાસ જવું એટલે સતી સીતાજીના પતિ,શ્રીરામ પ્રત્યેનાં
પાદસેવા સાથે,સીતા તથા લક્ષ્મણના સમર્પણ ભાવ સાથે સખ્ખાભાવને ઉજાગર કરેછે.
રામ ભક્ત હનુમાનજીનાં, પ્રભુ
રામચંદ્રજી પ્રત્યેનાં દરેક ભાવને
વ્યક્ત કરેછે, સાથે દાસત્વભાવનું બેજોડ ઉદાહરણ બતાવેછે.
પછાત જાતિ, પાકટ ઉંમર, ગરીબી, જંગલમાં રહેતી શબરીનો ભગવાન રામ પ્રત્યેનો અનન્ય આદરભાવ,સમજોને આપણને ભક્તિનાં બધાં ભાવનાં દર્શન કરાવેછે.શબરીના એઠાં બોર ખાઈને, ભગવાન રામ પણ આપણને,ભક્ત- ભગવાન ના સમર્પણ ભાવનુ અદ્ભુત દ્રષ્ટાંત બતાવછે.
ખિસકોલી જેવું નાનું પ્રાણી
બંધાતા વિરાટ સેતુમાં પોતાનું
અલ્પ રેતી આપવાનું યોગદાન આપી ધન્ય બનેછે, જેમાં તેનાં દાસ્યભાવ દેખાયછે, તો ભગવાન રામચંદ્રજી પણ સ્મરણમાં રહે તેવાં ત્રણ આંગળીના નિશાન કરી
તેની સેવાને બિરદાવેછે.
રામાયણનો અનુપમ બોધપાઠ
જો જીવનમાં અપનાવીએ તો આપણું જીવન ઘણુંજ આનંદદાયક અને
રોચક બની શકેછે, તે માટે યુવાનોએ વડિલો પ્રત્યેનો વંદનભાવ સાથે પરિવાર પ્રત્યેના
સમર્પણ ભાવને અપનાવવો પડશે,
શ્વસુરવાસ, બ્હેનોએ, પરિવારજનોને, પિયરપક્ષ
સ્વરૂપે અપનાવી,ઉપરનાં નવ ભાવો સાથે પરિવારની ભકિત શરુ કરવાની સાથે સાથે વડિલોએ,
વિશેષરુપે શ્રવણભાવ સાથે સમર્પણ ભાવે પરિવારને સંભાળવો જરૂરી બનેછે.
ભકિતનો પહેલો શ્રવણભાવ અને છેલ્લો સમર્પણ ભાવ, જો વિશ્વનાં દરેક પરિવાર સમજદારીપૂર્વક અપનાવી લેશે તે દિવસે ઘર ઘરમાં આનંદ અને સુખ સંતોષનું શાસન દીપી ઉઠશે.
ચાલો આપણે સૌ,વધુ સાભંળીએ,વધુ સમજીએ અને ફકત જરૂર પૂરતું બોલી,ઘરને, પરિવારને, સમાજ સાથે વિશ્વને સુખદ શાન્તિનો અનુભવ કરાવવામાં આપણું અમૂલ્ય
યોગદાન આપી ઘોંઘાંટનુ પણ પ્રદુષણ ઓછું કરીએ.
©️જયકાન્ત ઘેલાણી ‘પ્યારે’.
*†*******************†*†*****************
NOG SS No:-0011*
સાહિત્ય સરિતા
વિષય:- ‘રામાયણનું કોઈ પણ પાત્ર’
વિભાગ:- ગદ્ય
પ્રકાર:- લેખ
શબ્દો:- ૨૭૩
શીર્ષક:- શ્રી રામ..ત્યાગની મૂર્તિ
રામાયણમાં ત્યાગ એક મહત્વનું પરિબળ પુરવાર થયું છે. જેમના નામ થકી જ દર્દ મટી જાય. આપણી સંસ્કૃતિનાં પાયામાંનું મૂલ્ય ત્યાગ છે. ત્યાગની અભિવ્યક્તિ રામાયણમાં ખૂબ જ શ્રેષ્ઠ પુરવાર થઇ છે.
શ્રી રામે દરેક ભોગનો ત્યાગ કર્યો.લક્ષ્મણે રામની સાથે રાજપાટનો ત્યાગ કર્યો. સીતામાતાએ પત્ની તરીકે પતિના દુઃખમાં સાથે રહેવા રાજમહેલનો ત્યાગ કર્યો. જે એક નારી માટે ત્યાગનાં પ્રતિક બન્યાં.
જ્યારે રાવણ ભોગનું પ્રતિક બન્યો. પોતાની લંકા નગરી સોનાની બનાવી. દરેક જાતનાં ભોગવિલાસની સગવડ કરી. એક પારકી સ્ત્રીને પોતાની રાણી બનાવાની તથા રામ સાથે બદલો લેવાની મહેચ્છા તેનાં નાશનું કારણ બન્યાં.
દશરથ રાજા રામનો વિયોગ સહન કરી શક્યા નહીં. જેને કારણે તેઓ રામ…રામ… કહીને અંત સમયે મૃત્યુ પામ્યાં. કોઈ પણ વસ્તુનો ત્યાગ કરવું ખૂબ કઠિન છે. સંસારમાં બધી મર્યાદા પાળવી ખૂબ અઘરું છે.
હનુમાનની ભક્તિ શ્રીરામ માટે સર્વશ્રેષ્ઠ ભક્તિ છે. શ્રીરામ ભગવાને કેટલાંય રાક્ષસોનો સંહાર કરી તેઓનાં રાજ્યો તેમનાં અનુગામીને સમર્પિત કરી દીધાં.
સુગ્રીવને અન્યાય કરનાર ભાઈ વાલીનો સંહાર કરીને શ્રીરામ સુગ્રીવને રાજસિંહાસન પર બેસાડ્યો. એ જ રીતે લંકાને જીતીને તેની રાજગાદીએ વિભીષણને બેસાડ્યો..
રાવણને કામ અને ભોગની લાલચ હતી. વિજય તો સમર્પણ અને ત્યાગનો થાય છે. અહંકારનો અને આસુરી શક્તિનો હંમેશા પરાજય થાય છે. દેવી શક્તિ પણ ત્યાગની વાત કરતાં હોય છે.
રામ જેવાં જે માણસો સુખ અને સંપત્તિનો ત્યાગ કરી શકે છે. તેમનાં વિચારોને હાલ જે અનુસરે છે. તે માનવ હંમેશા પૂજનીય બની જાય છે.
શ્રીરામને મર્યાદા પુરુષોત્તમની સાથે ત્યાગની મૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે જન્મથી માંડીને છેક અંત સુધી કોઈ દિવસ, કોઈ ક્ષણે ભોગવિલાસ, કામ, ક્રોધ, લાલચ, માયા તરફ નજર નથી કરી એ વાતનો ઇતિહાસ સાક્ષી છે.
આવા મર્યાદા પુરુષોત્તમ શ્રીરામને શત્ શત્ વંદન છે. જય શ્રી રામ….
– મનોજકુમાર પંચાલ
‘મન’©
પાલનપુર.
******************************************
NOG SS NO. 0031
વિષય:-રામાયણના પાત્રો
વિભાગ:- ગદ્ય
શીર્ષક:- મંથરા
રામાયણમાં સૌથી ધિક્કારનું પાત્ર એટલે મંથરા.એણે જ તો રાણી કૈકયીની કાન ભંભેરણી કરી શ્રી રામને ચૌદ વર્ષનો વનવાસ અને ભરતને રાજગાદી આપવાનું વચન રાજા દશરથ પાસેથી લેવા કહ્યું અને કૈકેયીએ તેમ જ કર્યું.રાજા દશરથ પણ વચનથી બંધાયેલ હોવાથી તેમને રામને વનવાસ આપવો પડ્યો.
પરંતુ આમ જોવા જઈએ તો જો મંથરાના કહેવાથી જો કૈકેયીએ રામને વનવાસ ના અપાવ્યો હોત તો સુવર્ણ મૃગ બની આવેલ મારીચ નામના રાક્ષસનો નાશ કેવી રીતે થાત? વર્ષોથી રામનાં દર્શનની રાહ જોતી શબરીનો મેળાપ કઇ રીતે થાત? વીર હનુમાન અને રામની મિત્રતા કેમ થાત? જો રામ વનવાસ ના ગયાં હોત તો સીતાનું અપહરણ રાવણ ક્યારેય પણ ના કરી શકત અને જો એમ ના બનત તો અહંકારી રાવણનો રામના હાથે ક્યારેય પણ વધ ના થાત.
નિયતીને આ બધું રામ પાસે કરાવવું હતું એટલે તો તેણે મંથરાના મનમાં આ વિચારો રોપ્યાં અને કૈકેયી પાસે તેનો અમલ કરાવડાવ્યો.
આમ જોઈએ તો મંથરા રામાયણનું એક મહત્ત્વનું પાત્ર જ ગણાય કારણ કે એ ન હોત તો રામ રાવણનું યુદ્ધ ક્યારેય પણ ના થાત અને અહંકારી રાવણના રાજમાં બધાએ ડરી ડરી રહેવું પડત.
મેઘલ ઉપાધ્યાય ‘મેઘુ’ રાજકોટ
*****”*””********************************
NOG SS NO :- 0090
પ્રકાર: પદ્ય
વિષય: હનુમાન
શીર્ષક: ભક્તની હનુમાનને પ્રાર્થના
ભક્તની હનુમાનને પ્રાર્થના/
દીપક જગતાપ
………………………..
હે પ્રભુ હનુમાનજી,
તમે તો અજરામર છો
મૃત્યુ તમને અડી શકે નહીં,
એટલે કોરોના તો તમારું કશું જ બગાડી શકે એમ નથી.
તો આ કોરોના વાઈરસને તમારી સામે હાજર કરો
અને યુદ્ધમાં એને હરાવો અને
કોરોનાનું રામ નામ સત્ય કરો.
આ પૃથ્વી લોકમાં કોરોનાથી મરતાં લોકોને બચાવો એ જ આ ભક્તની આપને મારી દિલી પ્રાર્થના છે.
******************************************
NOG . SS . NO. 0095
વિષય :– રામાયણનાં પાત્રો
પ્રકાર :– ગદ્ય
શીર્ષક :– ‘ પંચમુખી હનુમાનજી ‘
આપણને પંચમુખી હનુમાનની પ્રતિમાનાં દર્શન જવલ્લેજ થાય છે. તો ચાલો આજે આપણે આ પંચમુખી હનુમાનજી વિશે જાણીએ. પરમ રામભક્ત શ્રી હનુમાન શક્તિનાં દેવતા પણ છે. પંચમુખી સ્વરૂપનાં હનુમાનજીનાં દર્શનનું પણ વિશેષ મહત્ત્વ છે. ઘરની વિપદાઓ દૂર કરવા માટે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે.
પંચમુખી સ્વરૂપી હનુમાનજીની પાછળ પણ એક પૌરાણિક કથા છે. જ્યારે લંકામાં રામ – રાવણની સેનાઓ વચ્ચે ભયંકર યુદ્ધ ચાલતું હતું , ત્યારે રાવણને અચાનક જ પોતાનાં પરાજયનો સમય નજીક દેખાવા લાગ્યો. તેને તરતજ પોતાનો માયાવી ભાઈ આહિરાવણ યાદ આવ્યો. આહિરાવણ દુર્ગામાતાનો પરમ ભક્ત હતો. રાવણની આજ્ઞાથી તે તરત જ યુદ્ધ ભૂમિમાં પહોંચ્યો અને પોતાની માયાવી શક્તિથી તેણે શ્રી રામની સેનાને સૂવડાવી દીધી અને શ્રી રામ – લક્ષ્મણ નું અપહરણ કરીને પાતાળલોકમાં લઈ ગયો.
આહિરાવણની માયાનો પ્રભાવ ઓછો થયા બાદ આખી વાનરસેના જાગી તો એમણે જાણ્યું કે આહિરાવણે જ આ કામ કર્યું હતું. તરતજ તેમણે હનુમાનજીને વિનંતી કરીને કહ્યું કે તમે પાતાળલોકમાંથી શ્રી રામ અને લક્ષ્મણને લઈ આવો.
હનુમાનજી પાતાળલોકમાં ગયા ત્યાં તેમને મુખ્ય દ્વાર પર મકરધ્વજ મળ્યો. હનુમાનજીએ એને યુદ્ધમાં હરાવ્યો અને શ્રી રામ – લક્ષ્મણને બંધક બનાવેલાં જુએ છે. તંત્રશક્તિથી બંધાયેલાં રામ – લક્ષ્મણની આસપાસ પાંચ દીવા બળતાં હતાં અને એનું મુખ પાંચ અલગ અલગ દિશામાં હતું. જે દુર્ગામાતા માટે પ્રગટાવ્યા હતાં. એમને યાદ આવ્યું કે એકવાર વિભીષણે એમને કહ્યું હતું કે આ પાંચ દીવાઓને એકસાથે બુઝાવવાથી આહિરાવણનું મૃત્યુ થશે.
હનુમાનજીએ તરતજ પંચમુખી રૂપ ધારણ કર્યું. ઉત્તરમાં વરાહમુખ , દક્ષિણમાં નરસિંહરૂપ , પશ્ચિમમાં ગરુડમુખ , આકાશ તરફ હયગ્રીવ મુખ, અને પૂર્વ દિશામાં હનુમાન મુખ. પછી એકસાથે પાંચેય દીપકને બુઝાવી દીધાં અને આહિરાવણનું મૃત્યુ થયું.શ્રી રામ અને લક્ષ્મણ તેનાં બંધનમાંથી મુક્ત થયાં . ત્યારથી હનુમાનજીનું આ પંચમુખી સ્વરૂપ પ્રખ્યાત થયું હતું. આજે પણ જો કોઈ વિશેષ પરિસ્થિતિ ઊભી થઇ હોય તો પંચમુખી હનુમાનજીનું સ્મરણ કરવાથી ગમે તેવાં સંકટમાંથી મુક્તિ મળે છે
દીપિકા ચાવડા. ‘ તાપસી ‘.