ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની ૫ પદ્ય રચના રજૂ કરવામાં આવે છે.
વિષય : રામાયણ ના પાત્રો વિષયક રચનાઓ – .દિવસ – ૩
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
નિર્ણાયક મંડળ :જયશ્રીબેન પટેલ, માયાબેન દેસાઈ
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews
NOG SS NO : 0015
વિષય: રામાયણનું પાત્ર
વિભાગ:- પદ્ય
શીર્ષક:- ક્યારે પધારશો રામ?
હૈયું હારી ચૂક્યું છે હવે હામ,
તમે ક્યારે પધારશો મારાં રામ?
જીવન હારી ચૂક્યું છે હવે દામ,
તમે ક્યારે પધારશો મારાં રામ?
જગત-અહલ્યામાં કેવું સરખાપણું!
શીલ ને શીલામાં કેવું ખાલીપણું!
પથ્થરતા પામ્યું છે દયા કેરું નામ,
તમે ક્યારે પધારશો મારાં રામ?
ચીંથરા ઊડે છે આજે લાજના,
રગેરગમાં વ્યાપી છે બસ વાસના,
રૂપ નારીત્વ બન્યું છે કેવળ કામ,
તમે ક્યારે પધારશો મારાં રામ?
વાટલડી જોઈને થાકી છે આંખડી,
સંસાર વનમાં બનાવી છે હાટડી,
બોરથી ભર્યાં છે શબરીએે ઠામ,
તમે ક્યારે પધારશો મારાં રામ?
મેહુલ ત્રિવેદી
(ઘાયલ મેઘ)
ખેરાળી
**************************************
NOG :SS No : 0089
પ્રકાર: પદ્ય
વિષય: રામાયણ
શીર્ષક: અમર શિશુ રામ
રેખા શુકલ- અમેરિકા
“અમર શિશુ રામ “
અજર અમર પદ દાતા રામ….મારા રોમ રોમમાં રામ કે જે ઘટ ઘટનાં છે. નાથ કહાની બોલી રેત સે તન મનમાં વસે જે ઢોલ ધબૂક્યા અવધપુરીએ , પધાર્યાં રઘુકુળે ચારો ચંદ રાય દશરથ હરખ વધાવે, પ્રગટ ભયો કૌશલ્યા નંદ કહેવાયાં રઘુનંદન આપણી અંતર ચેતના કરે આરતી, મંગલ સુમંગલ દીસે ચોદિશ, ધન્ય ધરાતલ પુણ્ય ભૂમિ તું, રામ થઈને આવ્યા ઈશ પાપનો નાશ કરવા અવતર્યા પ્રભુ
ગગન ગોખે ઘૂમતાં ગરુડે, રમતાં સદા તમે આંતરિયાળ ,ચૈત્ર સુદ નવમીએ થયા રામજી, તો જાણ્યા કે કેવા હોય છે ભગવાન
… ચૌદ લોકના નાથ વિધાતા, બોલાવ્યાં ભક્તે છે ઘૂમાવો વિશ્વ અવિરત દિનરાત થયાં શીશુ રામ,પણ ન ભૂલ્યાં માગ્યો રમવા બ્રહ્માંડનો ચાંદ પાણીમાં દેખાડ્યો ચાંદ
ગુરુ વિશ્વામિત્ર સંગ વને ચાલ્યાં, હણ્યાં આતતાયી એકલ હાથ પણ રઘુકુળ રીતિ સદા પ્રમાણી, અજર અમર પદ દાતા રામ, સીતા સ્વયંવરે કીધું શિવ ધનુષ્ય ભંગ, જેથી રામ બન્યાં માત જાનકીનાં થયાં ભરથાર,ત્યજ્યું રાજસુખ જગત કાજે,
અર્પ્યું સુખ રામ રાજ્યનું સંસાર, રાજધર્મ રઘુકુળ વચન દીધું વ્યવહારે, નગર ત્યજી ચાલ્યા વનવાસ !!
કેવટ અહલ્યા ને માત શબરીનાં, ભાવે ભીંજાયા લક્ષ્મણ ભ્રાત ધનુર્ધારી રઘુવીર ધર્મ ધુરંધર, હણ્યો દશાનન લંકા ધામ
મંગલ પર્વ દીપાવલિ હરખે, જનજન સ્મરે જય સીતા રામ, રામનામમાં સઘળાં તીરથ,
ગાયે વાલ્મિકી રામનાં ગાન ..રામ લખન જાનકીના નાથ, પાજો સદા પ્રેરક અમૃત પાન
પહેલે નાશ મનુષ્ય કા આતા હૈ વિવેક ચલા જાતા હૈ તે રાવણ.મર્યાદા પુરુષોત્તમ માટે
કવિ કહે છે રામ તમે સીતાજી ની તોલે ન આવો … !! સત્ય વચન પ્રતિક પ્રાણ જાય પણ વચન ન તૂટે તે હતાં રામ. કરુણા ને સહનશીલ પતિવ્રતાનુ ઉદાહરણ રહ્યાં સીતાજી. આધુનિક જમાનામાં રામ બનાતું નથી. રાવણ ઘેર ઘેર પેદા થઈ ગયાં.
પવિત્રતા ને પતિવ્રતા નામનિશાન ન રહ્યું… હાથીનાં દાંત ખાવાનાં ને બતાવવાના જુદાં તેમ માણસો જીવે ત્યારે સીતા સહેવાતી નથી… દ્રૌપદી જીરવાતી નથી. સૌ મિત્રોને રામનવમી
ની શુભેરછા.
—- રેખા શુકલ.અમેરિકા
**”*”””””””””********************************
NOG સાહિત્ય સરિતા
NOG SS NO :- 0090
પ્રકાર: પદ્ય
વિષય: રામ
શીર્ષક:કવિતા :
રામનો સંદેશ /
દીપક જગતાપ
……………………….
રામનો સંદેશ
…………………………
દીપક જગતાપ
…………………………
રામનવમીએ
ભગવાન રામની પાલખી યાત્રા મારા ઘર આગળથી પસાર થઈ. ત્યારે ભગવાન રામે મારી તરફ જોયુ.
મને કોરોનાની ભીડથી દૂર રહેવા કહ્યું.
હું દૂર જતો રહ્યો.
પછી ભીડમા
ભગવાનની ના છતાં પાલખી યાત્રામાં અનેક ભકતો જોડાયાં.
એમાં એક ભક્ત કોરોના સંક્રમિત થયો. ને પછી એનું રામ નામ સત્ય થઈ ગયું…
રામનો સંદેશ એ જ હતો કે
મને અયોધ્યામા કે મંદિરોમાં શોધશો નહીં. મારી યાત્રામા પણ મને શોધશો નહીં
મને પણ બીક લાગે છે કોરોનાની…
હું અત્ર તત્ર સર્વત્ર છું.
હું તમારા હૃદયમાં જ છું.
અને મારા મુખમાંથી શબ્દો સરી પડ્યાં
“જય શ્રી રામ “….
*****************************************
NOG: NOG સાહિત્ય સરિતા
NOG SS NO : ૧૦૦
પ્રકાર : પદ્ય
વિષય : રામ
શીર્ષક : *જય શ્રી રામ*
राह-ए-वफ़ा पे चल के त्याग बताया है राम ने, चौदह बरस दिलों पे राज कर दिखाया राम ने।
कहने पे अपनी माँ के कहा घर को ख़ैर-बाद,
रुख़्सत हुए तो भी ना शिकवा जताया राम ने।
हिन्दोस्ताँ में ना है ना कोई उन जैसी मिसाल,
भाई के हक में तख्तों ताज छोड़ दिया राम ने।
तुलसी की रामायन के राम की लीला वाले राम,
ख़ुद खा के झूठे बेर दिया दर्स-ए-इत्तिहाद राम ने।
बे-शक उन्हीं के नाम से रौशन है नाम-ए-हिंद,
तू असीम तू शिव तू ही करीम समझाया राम ने।
राम नाम ही सार है दो अक्षर समा पूरा संसार,
राम नाम जपके भव सागर पार कराया राम ने।
जो भर लो ह्रदय में प्रभु श्री राम का नाम,
काया माया बादल छाया बदल दी प्रभु श्री राम ने।
जूठा
~ *बिजल जगड*
मुंबई घाटकोपर
****************************************
: NOG SS No/0044
વિષય:- રામાયણનું પાત્ર
પ્રકાર:- ગદ્ય
શીર્ષક:- કૈકેયી
રામાયણનું સૌથી વધુ તિરસ્કૃત પાત્ર એટલે કૈકેયી.રાજા દશરથની ત્રણ પત્નીમાંના એક, કૈકેયીએ રામને ચૌદ વર્ષનો વનવાસ અને પોતાનાં પુત્ર ભરતને રાજગાદી આપવાનું વચન માંગતાં જ તિરસ્કારને પાત્ર બન્યાં.
આજ સુધી કોઈએ વિચાર્યું કે,રામ તો કૈકેયીને સૌથી વહાલાં પુત્ર ,પોતાનાં પુત્ર ભરત કરતાં પણ, રામ માટે અપાર સ્નેહ.એ જ પુત્રને રાજસિંહાસને બેસવાની ઘડીએ જ ચૌદ વર્ષનો વનવાસ આપે!
કૈકેયીએ દિલ પર પથ્થર મૂકીને રામને આપેલું વચન પાલન કરવા માટે દશરથ રાજા પાસે આવું વચન માંગવું પડ્યું.આવું વચન માંગતી વખતે કૈકેયીને થયેલાં વલોપાતનો તો કોઈ જગ્યાએ ઉલ્લેખ જ નથી.
કથાકારો, ધર્મગુરુઓ, વિવેચકોએ કૈકેયીને ખરાબ ચીતરવામાં કંઈ જ બાકી નથી રાખ્યું.એટલે જ સૌ એને તિરસ્કારે.
તો,ચાલો, આજે આપણે કૈકયીનાં બીજાં પાસાને જોઈએ.
રાજા દશરથે રામનો રાજ્યાભિષેક કરવાનું જાહેર કર્યું ત્યારે કૈકેયીનો ઉમંગ સમાતો નહોતો.એક જ રટણ,” મારાં રામ ગાદીએ બેસવાનાં.” આ હર્ષોલ્લાસ રાતોરાત કેમ ફેરવાઈ ગયો?
રામે અવતાર જ રાક્ષસસોનો નાશ કરવા લીધેલો. રાજા તરીકે સિંહાસન પર બેસે તો ઋષિ મુનિઓને કનડતાં દાનવોનો અને રાવણનો નાશ કેવી રીતે કરે!
કૈકેયી બુધ્ધિશાળી અને પરાક્રમી હતાં.રાજા દશરથ સાથે યુધ્ધમાં કાયમ સાથે રહેતાં.એક સમયે રથની ધરી નીકળી જતાં રાજાને ખલેલ ન પડે માટે ધરીની જગ્યાએ પોતાની આંગળી મૂકેલી, દર્દથી પીડાતાં રહ્યાં ચૂપચાપ, યુધ્ધ પુરું થયું ત્યાં સુધી.રાજાનો વિજય થયો અને જ્યારે આ વાત જાણી ત્યારે રાણીની સમયસૂચકતા અને બુદ્ધિમત્તા પર પ્રસન્ન થઈ વરદાન માંગવા કહ્યું, ત્યારે રાણીએ બે વચન માંગેલાં.ઈચ્છા થશે ત્યારે પૂર્ણ કરાવવાની શરતે.
રામ, માતા કૈકેયીને રાજ્યાભિષેકને આગલે દિવસે મળવા ગયાં અને માતા પાસે વચન લીધું કે રાજા દશરથ પાસે પેલાં બે વચનની પૂર્તિ કરાવી રામને માટે વનવાસ માંગે અને ભરત માટે ગાદી.તો જ અસુરોનો નાશ કરી શકાશે અને ભરતની કાબેલિયતથી રાજ્ય પણ સચવાશે.આ કાર્ય પૂર્ણ કરવા જ માનવ તરીકે લીધેલો અવતાર સાર્થક થશે.
મિત્રો,ન છૂટકે દિલ પર પથ્થર રાખી કૈકેયીએ રામને વચન આપ્યું,” તારી ઈચ્છા મુજબ હું રાજાજી પાસે વચન માંગીશ.” અને રામને આપેલું વચન પૂર્ણ કરવા રાજા દશરથ પાસે,” રામને ચૌદ વર્ષ વનવાસ અને ભરતને ગાદી.”એવાં બે વચન માંગી લીધાં.
આમ કરવાથી આઘાતથી રાજા દશરથનું મૃત્યુ થયું.ઠેરઠેરથી ધિક્કાર વરસ્યો.ખુદનાં પુત્ર ભરતે પણ તિરસ્કાર કરી માતાને દોષિત ઠરાવી.
વિચારો! આ વખતે કૈકેયીની હાલત!
રામ અને કૈકેયી બે ને જ આ માટેનું કારણ ખબર હતી.બંન્નેએ મૌન સેવ્યું.મનોમન રામે કૈકેયીનો આભાર માન્યો.
વનવાસ પૂરો કરી,અસુરોનો નાશ કરી રાવણ પર વિજય મેળવી રામ અયોધ્યા પધાર્યાં ત્યારે સૌપ્રથમ માતા કૈકેયીને મળવા ગયાં.
પગે લાગી માનાં આશીર્વાદ લઈ, કહ્યું,” મા, આ તમારું ઋણ એવું છે કે કોઈ કાળે ન ચૂકવાય.”
આ છે કૈકેયીનું ઊજળું પાસું.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.