મીડિયા માં આટલી હદે શાસકો ની અંધ ભક્તિ કરીને પોતાનું નામ બનાવવા માનવતા મૂકીને નેતાઓ ના પોઠિયા સમાન લેખકો ચાતુકડા હશે તે કલ્પના નહોતી ,જોકે પદ્મ શ્રી સુધી ના સન્માન વાળા આવા અખબારી આલમ ના કહેવાતા ભગવા દુભાષિયા જગ જાહેર છે જ
.. અરે..કોરોના કમળ માથી ભલે ના આવ્યો હોય પણ કમળ શાશન માં તો આવ્યો ને?…અક્કર્મી ના પડિયા કાણા તો કહેવાય ન?….૩૦૦૦ કરોડ રૂપિયા લોખંડ ના સરદાર સાહેબ ના પૂતળા પાછળ ખર્ચી શકાય,રામ મંદિર માટે ૧૫૦૦ કરોડ રૂપિયા ફંડ ઉઘરાવી શકાય,,૩૦૦ રૂમ વાળી હોટેલ સેન્ટ્રલ વિસ્ટા.ગાંધીનગર બનાવી શકાય,,વિશ્વ નું મોટું સ્ટેડિયમ રાતોરાત તૈયાર કરી નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ કરી શકાય…ધૂળ ખાતા એકઝીબિશેંન સેન્ટર રાતોરાત ઊભા કરી ને ભંગાર ની હાલત માં પાટનગર માં છે.આમ અશિક્ષિત શાશન ના લીધે ગુજરાત સરકાર આશરે ત્રણ લાખ કરોડ ના દેવામાં આ નકલી વિકાસ જેવો વિનાશ બતાવી માત્ર ભગવો વિકાસ કરીને ચાલી રહી છે.સ્ટેમ્પ નેતાઓ દિલહી ના ઇશારે શાશન કરી રહ્યા છે.૧૦૮ ગુના હિત ઇતિહાસ ધરાવનાર ભગવી પાર્ટી ના પ્રદેશ પ્રમુખ સી.એમ ની જેમ વર્તી ને તમામ જિલ્લા માં ભાજપ ની આખી ટીમ ના ખભે વર્તી રહ્યા છે. જે સરકારે કરવાનું હોય તે પોતે રાજાશાહી ની જેમ કરી રહ્યા છે.રૂપાનીજી અને નીતિન પટેલ મૂંગા મોએ બધું જોઈ રહ્યા છે. મંત્રી મંડળ ના સભ્યો અને ધારાસભ્યો,અધિકારીઓ કોરોના ના આમંત્રણ થી યુ.એન મહેતા અને સરકારી હોસ્પિટલ માં સારવાર માટે સરકારી ખર્ચે જઈ રહ્યા છે…પ્રજા માં કાર્ડ હોવા છતાં હાલાકી ભોગવી રહી છે. ઓક્સિજન ના અભાવે અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે. પહેલા રાંધણ ગેસ માં ભાવ વધારા અને હવે ઑક્સિજન ના બાટલા ની અછત…વાહ રે ભાજપ વાહ…હવે જાતે સ્વેચ્છાએ શાસકો એ ભૂલ સ્વીકાર શ્વેતપત્ર જાહેર કરવું જોઈએ તો સાચી દિશામાં પ્રાયશ્ચિત કર્યું કહેવાશે નહિ તો કોરોના ત્રીજી લહેર માં નહિ મૂકે તે નક્કી.. સી.આર.પાટીલ પોતે કાયદેસર તેમના ઉપર ગુનો લાગે તેવું કૃત્ય કર્યું છે.જેને માટે સીએમ પણ કહી ચૂક્યા કે મને ખબર નથી તે સી.આર.પાટીલ ને પૂછો કે તે ક્યાંથી લાવ્યા? ૫૦૦૦ રેમી ડીસેવર ઇન્જેક્શન ની ગેર કાયદેસર આયાત કરીને વહેચણી કરી કાયદા ની એસી ટેસી કરી પાટીલ રાજાશાહી ગુજરાત ની જનતા ને બતાવી રહ્યા છે..મીની સચિવાલય જાણે કમલમ ડ્રેગન હાઉસ માં ઉભુ કર્યું હોય તેવી પ્રતીતિ તમામ મંત્રી મંડળ અને આખા ભાજપ ને થઈ રહી છે..મોદી શાહ ના ઇશારે નાના અન મોટા બે સચિવાલય ચાલી રહ્યા છે તેવું વાતાવરણ પ્રજામાં ઉભુ ભગવા કાર્યકરો કરી રહ્યા છે….ચૂંટણીઓ કોરોના સંક્રમણ વધે તો પણ યોજી શકાય….તો શું ૩૩ જિલ્લા ની તમામ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલ ને કોરોના ની સારવાર ની તમામ છૂટ આપી આરોગ્ય ઇમરજન્સી લાદી ના શકાય?….સત્તા ઉપર જે બેઠા હોય તે લોકો ની જવાબદારી માં આવતા કામ કરવા પડે કે નહિ?..મીડિયા પ્રજા ની હાલાકી પ્રસિદ્ધિ થી સરકાર ના બેરા કાન નાક આંખ ખોલે તે ખોટું છે?.દેશ ના પીએમ મહામારી માં તાળીઓ પડાવે,દીવા પ્રગટાવી,ઘંટ વગડાવે… કયા બંધારણ માં લખ્યું છે?.. હજારો લોકો મારી રહ્યા છે પી એમ પોતીકા ગુજરાત ના લોકો માટે બે શબ્દ બોલી ના શકે અને છાસવારે રાજકીય હનીમૂન માણવા મિત્રો ને લઈને કચ્છ,સ્ટેચ્યુ ઓફ યુનિટી પોપટ રમાડવા ના શૂટિંગ કરાવવા આવી પડે. રિવર ફ્રન્ટ બંધિયાર પાણી માં બોટ માં સફર કરવા આવી પડે.. સી.પ્લેન ના નાટક કોઈ સર્વે કર્યા વિના હાસ્યાસ્પદ પ્રોજેક્ટ નીવડે….શું આ ઉછછરા પણું ના કહેવાય?.શું લોકશાહી માં બોલવાનો કહેવાનો હક રાજકીય રાજકુંવરો ને જ હોય?.ભાજપે તેના અશિક્ષિત શાશન નો ભયાનક ચહેરો ગુજરાત માં ૨૫ વરસ માં બતાવી દીધો અને કેન્દ્ર માં ૨૦૧૪ થી બતાવ્યો..હિન્દુત્વ ના પક્ષ અને શાશન લાવવાના બહાને અને ભગવાન રામ ના નામે સત્તા હશાલ કરવા અર્થ ના અનર્થ કરીને આ ભગવા શાશન ઉપર પ્રજામાં જૂઠ બોલી ને ચડી બેઠા છે તમામ ધર્મ સ્થાન માં પોતાનો હક જમાવી ને પ્રજાના આસ્થા ના કેન્દ્રો ઉપર કબજો જમાવી ચૂક્યા છે..આમ નેતા દિલ્હી ભણી અને અભિનેતા મુંબઈ સુધી ની દોટ માં સફળ થયા છે…એક એવી વસ્તુ જીવન જરૂરિયાત ની બતાવો કે જે વચનો આપ્યા પ્રમાણે સસ્તી થઇ હોય .માત્ર ભાજપ નો લોકો નો વિકાસ તેમના ભોગ વિલાસ ,સંપત્તિ ઉપર થી જોઈ શકાય છે.અસંખ્ય કમળ ની ઝંડી સાયકલ ઉપર આંદોલનો માં ફરતાં આજે આજે ઓડી,મોંઘી દાટ ગાડીઓ માં ફરતાં મહેલો માં રહેતા જોવા મળશે . મેં ૨૫ વરસ માં ભાજપ ના આવા અનેક નેતાઓ ને ગાંધીનગર માં જોયા છે .જે પહેલા પણ કશું વ્યવસાય નહોતા કરતા અને આજે પણ કોઈ વ્યવસાય નથી કરતા છતાં કરોડો માં આળોટે છે….આવા અનેક લોકો ના ઈતિહાસ હું જોઈ રહ્યો છું
…ભાજપ એક માત્ર રાજકીય પ્રાણઘાતક શાશન નો વાયરસ હોય તેવું પ્રજા અનુભવી રહી છે…
…બધા મીડિયા ગોદી .સરકાર ઉપર જીવતા ના હોય ,માટે..કોઈના બાપ ની તેને પડી ના હોય .ગમે તેવા નફ્ફટ,લુચ્ચા,ભ્રષ્ટાચારી,દબંગ લફાંગા નેતાઓ ને જાહેર કરવામાં તટસ્થ પત્રકાર ને કોઈની બીક ના હોય….સરકાર તદ્દન ફેલ ગઈ છે…… ચાતુકડાં સરકાર ની વાહ વાહ કરતા આવા પત્રકારો માનવતા મૂકી ને પણ વીઆઇપી ની વાહ વાહ માં દોરવાઈ જાય છે અને પોતાના ઘર ભરી રહ્યા છે. જે અખબારી આલમ માટે કલંક રૂપી ઘટના કહેવાય…..અકિલા ના કિરીટ કાકા જો વિડિયો થી તાદૃશ્ય સાચો રાજકોટ નો અહેવાલ આપતા ગભરાતા ના હોય અને સ્થાનિક તટસ્થ ચોથી જાગીર તરીકે ગમે તેવા રાજકીય સંબંધો હોવા છતાં મારા જેવા ની જેમ પ્રજા પ્રત્યે ફરજ અદા કરતા હોય તો આવા ગોદી,પગચંપી વાળા ડ્રેગન હાઉસ માં મહેમાનગતિ કરતા પત્રકારો શા માટે મનાવતા ભૂલ્યા હશે…યુવા મીડિયા માં ભાજપ ના કાર્યકરો જેવી સામ્યતા જોવા મળે છે..આધુનિક જીવન શૈલી માં જીવવા ટેવાયેલા આવા ગોદી મીડિયા ના ટોળા ને ભાજપ અને રાજકીય પક્ષો પોતાનાં પરસ્પર સ્વાર્થે સાચવી રહ્યો છે……જગ જાહેર છે કે કોરોના માં ભાજપ ના જ લોકો દવાઓ, સેને તાઇઝર,માસ્ક, ઇન્જેક્શન…..કોરોના ને લગતા તમામ સરકારી યોજનામાં ગત વર્ષે કૌભાંડો માં પકડાયા છે..કોઈ પગલાં સરકારે લીધા નથી. રાજકીય રૂપાણી જી ના પ્રીતિપાત્ર કમળ વાલો સંજય ગોસ્વામી કૌભાંડ માં પકડાયો છે…અનેક મોટા માથા ના નામો ખૂલે તેમ છે..છતાં સાચી દિશામાં સરકારી અધિકારીઓ નેતાઓ ના ઇશારે તપાસ કરતા નથી..ભાજપ ના તમામ નેતાઓ,કાર્યકરો,હોદ્દેદારો અને તેમના પરિવારો ને જાણે સરકારી ખભે સાચવવામાં નોટ બંધી ની માફક દિલ્હી થી જાણે ઓર્ડર થયો હોય તેમ્ ભેદભાવ આરોગ્ય બાબતે તમામ જગ્યાએ પ્રજા સાથે જોવા મળે છે…ગામડા માં ૯૦૦ ના ઇન્જેક્શન…૯૦૦૦ માં કાળા બજાર માં વેચાય છે. ભોળી પ્રજા ને ડોકટરો જ મેડિકલ સ્ટોર ના કમિશન ની લાલચે ઇન્જેક્શન માટે પણ લખી આપે અને ગ્રાહક તરીકે દલાલ ને મોકલી આપ્યા ના કિસ્સા વિડિયો માં આવતા છે..લોકો જીવ બચાવવા ગમે તે કરવા તૈયાર છે જેનો ભરપૂર ફાયદો ભાજપ ના રાજકીય વ્યવસાયી લોકો લઈ રહ્યા છે ..હજુ તો તેમના નેતાઓ આજે પણ ખેસ પહેરી રિબીનો કાપતા શરમાતા નથી..તેમના જ લોકો ને પ્રાયોરિટી અને બીજા ને કલેકટર,કમિશનર,સિવિલ સર્જન ને સંપર્ક કરો આવો ફતવો ભાજપ ના હોદ્દેદારો,નેતાઓ અને કાર્યકરો માં જાહેર કરાયો હોય તેવું જોવા મળે છે…લોકો ઑક્સિજન બેડ વિના મરી રહ્યા છે..સિવિલ અને સ્મશાન માં લાશો ના ઢેર છે…આટલી ભયાનકતા હોવા છતાં સરકારી દલાલ મીડિયા ના લોકો હજુ પોતાના સ્વાર્થ ખાતર પગચંપી કરીને માનવતા ભૂલી રહ્યા છે..કોરોના તેમના ઘેર આવીને લાલ આંખ બતાવશે ત્યારે તેઓ સુધરશે તેવું લાગે છે…હું પ્રદીપ રાવલ તંત્રી જન ફરિયાદ (૧૯૯૬) ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક (૨૦૧૪)..નિયમિત સરકારી ભીખ રૂપી જાહેર ખબર વિના ચાલવું છું. જાણીતો અન્યાય સરકાર મને ૨૫ વરસ થી કરી રહી છે પણ હું સત્ય લખવા અને પાપી રાજકીય નેતાઓ ને ખુલ્લા પડવાનું. કામ કરું છું એટલે હું સરકાર નો ભોગ સતત બની રહ્યો છું..નાપાક રાજકીય લોકો અને ભ્રષ્ટાચારી અધિકારીઓ,રાજકીય દલાલો,રાજકીય પાર્ટી ના પોપટ પ્રવક્તા અને સ્વાર્થે નોકરી ની જેમ સેવા ના નામે સરકારી ધંધો કરતા રાજકીય મીડિયા વિભાગ ના ચાતુકડાઓ મારાથી ૧૦૦ ફૂટ દૂર રહે છે તેનો મને આનંદ છે. આશા છે કે માનવતા જેના કોખ માં વશી હશે તેને મારી આ વાત ગમશે.. બાકી સરકાર અને તે a શાસકો જે પાપ કરે છે તેને ખુલ્લા પાડવામાં આવશે અને તે લોકો જવાબદાર છે જ…૨૦.૦૦૦ કરોડ નું પેકેજ અને ૬:૫૦ લાખ જનતા….. કયા ભવ માં આ કમળ વાળા પાપ ધોશે તે સમજાતું નથી..૪ ચોપડી ભણેલા કાનાણી આરોગ્ય મંત્રી અને ૧૦ પાસ મહેસૂલ મંત્રી….અધધધ
એક હિ આગ.જન ફરિયાદ દેશ વિદેશ સાપ્તાહિક,ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક..
તંત્રી/માલિક : પ્રદીપ રાવલ
What’s up calling No; 9824653073
www.janfariyadnews.com
જનતા કી પુકાર….પી એમ ને લખેલ એક પત્ર
આદરણીય શ્રી મોદી સાહેબ..
દરેક દેશવાસી વતી હું તમને એક ખુલ્લો લેટર લખી રહ્યો છું.. કેમ કે તમે હંમેશા કહેતા કે કઈ મુશ્કેલી હોય તો તમારા આ ભાઈ ને એક ૫૦ પૈસા નુ પોસ્ટકાર્ડ લખજો..
પણ પોસ્ટકાર્ડ તો આમ પણ હવે કદાચ મ્યુઝિયમ માં જ જોવા મળે છે..અને તમે પણ ડિજિટલ યુગ ના હિમાયતી છો ,એટલે આ સોશ્યલ મીડિયા ના માધ્યમ થી તમને આ લેટર લખી રહ્યો છું..
દેશ આજે ભયાનક ભય ના ઓથાર નીચે જીવી રહ્યો છે..
કોરોના નો કાળમુખો રાક્ષસ અટ્ટહાસ્ય કરી રહ્યો છે..
લોકો જ્યારે મોત સામે ઝઝુમી રહ્યા છે,ત્યારે તમે બંગાળ માં મત માટે ઝઝુમી રહ્યા છો..
સવારે તમે પ્રચાર મંત્રી બની ને પચાસ હજાર માણસો ની સભા કરો છો, અને સાંજે તમે પ્રધાન મંત્રી બની ને દો ગજ કી દુરી નો સંદેશ આપો છો..
કઈ સમજાતું નથી સાહેબ..
અમે અત્યારે ૧૫-૨૦ લોકો નુ પણ માસ્ક વગર નું ટોળું જોઈએ ને તો પણ અમારા જીવ ઉચ્ચક થઈ જાય છે, અને તમે દરરોજ હજારો માણસો ની રેલીઓ કરો..
આ તો કોરોના ને ખુલ્લું આમંત્રણ છે સાહેબ..
આપણા ડોક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ, બધા કોરોના વોરિયર્સ હવે હાંફી ગયા છે.. એ પણ માણસો છે, મશીન નથી સાહેબ..અત્યાર ના માહોલ માં આપણ ને બહાર નીકળતા ડર લાગે ત્યારે એ લોકો ને ઘરે જતા ડર લાગે છે..એમનો તો કઈક વિચાર કરો..
સાહેબ, તમને અમે દિલ ફાડી ને પ્રેમ કર્યો છે..તમે જે કહ્યું તે અમે તન મન અને ધન થી કર્યું છે..તમને જીતાવવા અમે હંમેશા મત આપવા માટે લાઈન માં ઉભા રહ્યા, તમે નોટબંધી કરી તો અમે અમારા જ પૈસા માટે બેંક માં લાઈન માં ઉભા રહ્યા..તમે આધાર ફરજિયાત કર્યું તો અમે એના માટે પણ હસતા હસતા લાઈન માં ઉભા રહ્યા..
તમે લોકડાઉન કર્યું તો પણ અમે કઈ ન બોલ્યા..
અને વળી પાછા અમારા ધંધા અને રોજગારી માટે અમે લાઈન માં રહ્યા..
પણ અત્યારે અમારું કોઈ સ્વજન કોરોના માં કણસી રહ્યું છે ત્યારે સારવાર માટે ની આ લાઈન હવે સહન નથી થતી સાહેબ..એમ્બ્યુલન્સ, ઓક્સિજેન, રેમદેસિવિર, હોસ્પિટલ બેડ.. જ્યાં જુઓ ત્યાં લાઈનો લાગી છે સાહેબ…
અમારા સ્વજનો અમારી નજર સામે લાઈન માં સારવાર ના અભાવે મોત સામે ઝઝુમી રહ્યા છે…
સાહેબ થોડા સવાલો થાય છે કે કેમ તમારી સભા માટે રાતોરાત એક લાખ માણસો સમાય તેવા ડોમ ઉભા થઇ જાય છે?
કેમ ક્યારેય તમારી સભા માટે ખુરશીઓ ખૂટી નથી પડતી?
કેમ તમારી પ્રચાર રેલીઓ માટે વાહનો નથી ખૂટી પડતા?
કેમ તમારી ચુંટણીઓ માટે સ્ટાફ નથી ખૂટી પડતો?
Evm મશીન નથી ખૂટી પડતાં?
તમારા પ્રચાર માટે ના બેનરો ને ઝંડીઓ નથી ખૂટી પડતી?
શા માટે સાહેબ??
અમારા માટે જ ઈન્જેકશન ને ને ઓક્સિજન ને હોસ્પિટલ બેડ ખૂટી જાય છે??
તમારા માટે અપાર લાગણી છે ને સાહેબ એટલે તમારા પર અપેક્ષા છે..એટલે તમને કહી છી.. તમે મન કી બાત બહુ કરી અને અમે ખૂબ સાંભળી..
આજે અમારે અમારા મન ની વાત કરવી છે, આમ તો વાત નહિ આ વેદના છે તો તમે એને સાંભળો સાહેબ પ્લીઝ..
દેશ જ્યારે મોત ના માતમ માં છે ત્યારે હજુ તમને “ટીકાઉત્સવ” જેવા શબ્દો સુજે છે..?
તમારી છપ્પન ની છાતી બતાવો અને કહી દો કે ટીકા હવે ૪૫ ઉપરના દરેક ને ફરજિયાત છે..
અને આ એપ્રિલ સુધી માં નહિ લો તો દરેક સરકારી લાભો બંધ…
બતાવો તમારી છપ્પન ની છાતી અને કહી દો કે બંગાળ માં ચુંટણી ન જીતાય તો કઈ નહિ અમે ટોળા થાય એવી એક પણ સભા કે રેલીઓ નહિ કરીએ…
સાહેબ અમે તમને ક્યારેય રાજકારણી ગણ્યા જ નથી, અમને તો તમે હંમેશા ઓલિયા પુરુષ લાગ્યા છો..
પણ તમે અમારા વિશ્વાસ અને સપનાઓ તોડી નાખ્યાં સાહેબ..
ખેર છોડો…
દેશ તો કોરોના સામે હારી રહ્યો છે, ત્યારે તમને બંગાળ આસામ અને તમિલનાડુ ને બીજા રાજ્યો માટે Best of luck..
Please share maximum to reach right people to whom it concerned 🙏🙏🙏