# GN_04-7-20 (News of Gandhinagar PDF)
# (લેટેસ્ટ ન્યૂઝ ઓફ ગાંધીનગર પેપર વાચવા ઉપરોક્ત લિંક ઉપર ક્લિક કરી બ્રાઉસર ઓપન કરો)
# https://m.facebook.com/story.php?story_fbid=593622081558553&id=100027322995343
(ઉપરોકત લિંક ઓપન કરી વાચો.આજે સરકાર ના ત્રણ નિવૃત્ત સનદી અધિકારીઓ ને સુરત અર્બન ડેવલપમેન્ટ માં સ્પેશિયલ ઓફિસર તરીકે નિયુક્તિ આપી જેમાં બે આઈએ એસ ને નિયમ વિરુદ્ધ નિયુક્તિ આપેલ ચર્ચા એ જોર પકડ્યું છે.)
# https://m.facebook.com/story.php?story_fbid=593626954891399&id=100027322995343
# https://m.facebook.com/story.php?story_fbid=593624178225010&id=100027322995343
# શાસક સરકાર નું બાકી હતું તે આરોગ્ય સેવા ૧૦૮ કર્મચારી શોષણ ૨૧.૦૦૦ પગાર માં સહી લઈ ૧૧,૦૦૦/ચૂકવાય,કરોડો નું કૌભાંડ કરનાર પણ નકલી ભગવા શાશક ના પરિવાર કોન્ટ્રાકટર લોકો..
# https://m.facebook.com/story.php?story_fbid=593535541567207&id=100027322995343
# https://m.facebook.com/story.php?story_fbid=593474304906664&id=100027322995343
#
https://m.facebook.com/story.php?story_fbid=593451704908924&id=100027322995343
#. https://m.facebook.com/story.php?story_fbid=593451211575640&id=100027322995343
#. https://m.facebook.com/story.php?story_fbid=593449181575843&id=100027322995343
#. https://m.facebook.com/story.php?story_fbid=593383561582405&id=100027322995343
#. https://m.facebook.com/story.php?story_fbid=593446241576137&id=100027322995343
#. https://m.facebook.com/story.php?story_fbid=593450078242420&id=100027322995343
#. https://m.facebook.com/story.php?story_fbid=593450374909057&id=100027322995343
@@@@@@@@@@@@@@@@@@@@
#ન્યૂઝ ઓફ ગાંધીનગર સાહિત્ય વિભાગ સમાચાર#
કરંટ ટોપિક( સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પાછળ ઘૂંટાતુ રહસ્ય)
શીર્ષક : રમત
રમત રમતો હું ખૂબ
પણ સંસારની રમતમાં હું ફાવ્યો નહીં,
ભણ્યો ગણ્યો પણ ખૂબ,
પણ ખોટા સંબંધોનું ગણિત આવડ્યુ નહીં!
ભૂમિતીનાં પ્રમેય સાબિત બહુ કર્યા
પણ; સાચો હોવા છતાં,
પોતાની જાતને સાચી પૂરવાર કરતાં મને આવડ્યુ નહીં!
ખૂબ કિધા પ્રયોગો મેં
પણ;
આ સંસારની પ્રયોગશાળામાં અવલોકન કરતાં આવડ્યુ નહીં!
દાખલા ને ઉખાણાં ઉકેલવામાં પાવરઘો હું
દંભી લોકોના કોકડામાં ગૂંચવાઈ ગયો!
હોંશિયારી મારી સઘળી એળે ગઈ,
પાખંડીઓ સામે હું ફાવ્યો નહીં!
✍️ વૈશાલી જે મહેતા
****************************** ************
-એક શહીદ….🌸
NG_ 0038
વિભાગ :- કરંટ ટોપિક …”પદ્ય “
હું આવ્યો માઁ
શરીર ઉપર લપેટી તિરંગો
ઘેર હું આવ્યો માઁ….!!
તું મને કહેતી ને
દીકરો મારો બહાદુર છે
બહાદુરી બતાવી આવ્યો માઁ…!!
ધૂળ ચટાવી દુશ્મનને
ઉંચી રાખી શાન ભારતમાની
છેલ્લે શ્વાસ સુધી લડ્યો માઁ…!!
ના ઝૂકવા દીધો મેં તિરંગો,
ને રક્ષા કરી મેં ભારત માઁ ની
વતનનું નામ રોશન કરી આવ્યો માઁ….!!
જોઈ લપેટાયેલો મને તિરંગામાં
દિલ તારું તડપતું હશે
તારું ઋણ ઉતારવા
ફરીથી હું આવીશ માઁ…!!
શીલા પટેલ…..ગાંધીનગર
*””””************************* *************
*NG/ ૦૦૩૯*
*વિભાગ*કરંટ ટોપિક*
*ચીની માલનો બહિષ્કાર*
ચીને આખા વિશ્વમાં ફેલાવેલ કોરોનાની બીમારી આપણાં દેશમાં પણ ખૂબ પ્રસરી છે.સંક્રમકતા ઘટાડવા માટે અનેક વાર લોકડાઉન આપવું પડ્યું છે.જેની દેશના આર્થિક વિકાસ ઉપર ઘેરી અસર પડી છે. આપણે અત્યારે એક કટોકટીમાંથી પસાર થઈ રહ્યાં છીએ. વળી ચીને દેશની સરહદ ઉપર આક્રમણ કરીને આપણાં અનેક સૈનિકોને શહીદ કરી નાંખ્યા છે. *ચીન જો આપણી પાસેથી પૈસા મેળવીને આપણને પાયમાલ કરવાના ઈરાદા રાખતું હોય તો આપણે ચીની માલનો બહિષ્કાર કરવો જોઈએ.* ચીન સસ્તો સામાન બનાવી શકે છે એટલે લોકો એ સામાન ખરીદવા પ્રેરાય છે તો *શું આપણે આપણી ઔદ્યોગિક નીતિઓમાં સુધારા કરીને સસ્તો સમાન ન બનાવી શકીએ*?સરકાર ચીનમાંથી આવતા સામાન પર વધારે જકાત નાંખીને એને મોંઘો બનાવી દે તો લોકો સ્વદેશી વસ્તુઓ વાપરતા થઈ જાય. આયાત ઉપર પ્રતિબંધ પણ મૂકવો સહેલો નથી કારણકે આપણા ઉદ્યોગોમાં વપરાતું રો મટીરીયલ ચીનથી આવે છે. *ચીનથી આવતી દરેક સસ્તી વસ્તુ આપણા દેશમાં જ બને એ રીતે ટેક્નોલોજીનો વિકાસ કરવો એ પાયાની બાબત છે.* *સરકારે આપણી ઔદ્યોગિકનીતિઓ, વ્યાપારની નીતિઓ અને વિદેશી નીતિઓમાં જે સુધારા કરવા પડે એ કરીને દેશને આત્મનિર્ભર કરવાના રસ્તે લઈ જવો જોઈએ.* થોડું અઘરું છે, ચીનની વસ્તુનો સદંતર બહિષ્કાર એમ તરત શક્ય નથી. પણ એ માટે બનતા પ્રયત્નો ચાલુ કરી દેવા જોઈએ અને સ્વદેશી વસ્તુઓ વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ.
*પ્રફુલ્લા”પ્રસન્ના”*અમદાવાદ
****************************** *****†******
*NG/0032*
*વિભાગ : કરંટ ટોપિક*
*ગદ્ય*
*શીર્ષક:-* *” કોરોના લોકડાઉન”*
જીવનમાં કયારેય આપણી પરીક્ષા નબળાઈ
બતાવવા નથી થતી હોતી પણ આપણી તાકાત જાણવા માટે થાય છે.
લોક ડાઉનમાં થી આપણે શુ શીખ્યા???
LOCKDOWN
L. :- Limit
આપણે આવતીકાલના સોનેરી દિવસો
શોધવાના છે .નહી કે ગઈકાલ સુધી બનેલી ઘટનાઓની ચિંતા કરવાની.
મર્યાદામાં રહીને મર્યાદા ઓને પાર કરો
*O*:- Opportunity .
તક એ એક મોટરબસ જેવી હોયછે
એક જશે તો બીજી ચોકક્સ આવશેજ
*C* :- Creativity, courage over
comfort, Confidence
રચનાત્મક પ્રવૃતિ ,હિમંત અને વિશ્વાસ આ ત્રણેય
નો સુમેળ એટલે સફળતા
*K*:- KNOWLEDGE
જ્ઞાન મેળવવું એ ડહાપણ નું પ્રથમ પગથિયું છે
આપણે જે કર્મો કરીએ છીએ તેની કોઈ સીમા હોતી નથી.
D:- Diversity, Direction, Discipline
વિવિધતા, દિશાનિર્દેશ, અને અનુશાસન મળે
એટલે નવા વિચારોને સફળતા મળે
O:- Optimisam
આશાવાદ એવુ આરક્ષણ છે કે જે સફળતા અને
સુખ સાથે અન્ય કરતા ખૂબજ વધારે સંકળાયેલું છે
W:-Wisdom, willpower
ડહાપણ અને મનોબળ ચમત્કાર સર્જે છે
*N*:- Never give upnever accept
less than tha best
જયા સુધી લીધેલા કે આદરેલા કામમાં
ઉત્તમ પરિણામ ના મળે ત્યા સુધી એ કામ જતુ
ના કરવુ .
*મીના માંગરોલીયા મીનું*
*અમદાવાદ* 29/6/2020
****************************** ***********
: NG/0033
વિભાગ:સુરતી હઝલ
શિષક :એની વાત ‘ કદી ‘ તું કરતો ની
પ્રેમમાં પડવાનું મન થાય,તો પણ એમાં તું પડતો ની
પડતા એમાં જો પડી જવાય , તો પેટ ભરીને રડતો ની.
અત્યારે તો બોલતો છે કે હું એનો ને એ મારી
પણ દોસ્તારને કે કોઈને હો એની વાત કરી તું કરતો ની
ધક ધક કરતા મારા હૈયામાં એ જ વસે છે વર્ષોથી
ચપ્પુ લઈ જોવા દોડે પાછળ તો યે તું પણ ડરતો ની.
આખ્ખો દ્હાડો ને રાતે પણ બસ કાયમ મનમાં એ ને એ
‘થા જરા દૂર મારાથી’ એવું સ્હેજે પણ બોલતો ની
પાર્લર હોય કે હોટલ મૉલ એક દિવસ પણ છોડે નહીં
ખાલી થઈ જાતાં ખીસ્સા તારા જોઈ જોઈ તું લડતો ની.
હોય ભલે ભરપૂર તને એના પર પ્રેમ છતાં ‘કૃણાલ’
મા બાપ રહે વંચિત તારા પ્રેમે
એવું તું કરતો ની.
ટેલર કૃણાલ શાંતિલાલ #kt…સુરત
****************************** ***********
NG – 0037
વિભાગ – કરંટ ટોપિક.
શીર્ષક – ગદ્ય. અનુકૂલનનો અવસર.
વિશ્વ ખૂબ ઝડપથી પ્રગતિના પંથે આગળ વધી રહ્યું હતું.પણ અચાનક વિકટ પરિસ્થિતિનો સમય આવ્યો.વિશ્વની રફતાર રોકાઈ ગઈ.’ કોરોના ‘ નામની મહામારી લોકોને પાંખ હોવા છતાં, આકાશે ઉડી ન શકે એવા પંખી જેવા મજબૂર બનાવી મૂક્યાં.શહેરો,મંદિરો,મહેલો, રસ્તાઓ સ્મશાન સમાન બની ગયાં.આમ પણ ટેકનોલોજીએ માનવ માનવ વચ્ચે મનના અંતર વધાર્યા હતાં.’ કોરોના ‘ એ એક બીજાથી દૂર રહેવા મજબૂર કર્યા.
આવા કપરા સમયમાં ઘણા સમયથી ઘરમાં બંધ રહેતો,નાનો હર્ષ, ‘કોરોના ‘ નામના વાયરશની વાતો, ન્યુઝ, સમાચાર પત્રો, સાંભળી ,સાંભળી કંટાળી ગયો. પોતાના દાદાજીને પૂછીયું, દાદાજી આપ તો કહેતાં હતાં, આપણે બધાં માનવીઓ ખૂબ શક્તિશાળી છીએ. આપણે બધાએ સાથે મળીને ખૂબ પ્રગતિ કરી છે. અવકાશમાં મિસાઈલો તરતી મૂકી છે. તો પછી આ ‘ કોરોનાને ‘ કેમ હાકી નથી શકતાં ? દાદાજી થોડો સમય સાવ શાંત રહ્યાં. હર્ષ કહે,” હુ હવે આમ ઘરમાં બંધ નથી રહેવાનો. મારે એની સાથે લડવું છે.”
દાદાજી હર્ષની વાત સાંભળી ખુશ થયા. શાંતિ પૂર્વક હર્ષના પ્રશ્નનો ઉત્તર આપે છે. જો હર્ષ, આ ‘ કોરોના ‘ એ કોઈ વ્યક્તિ કે રાક્ષશ નથી. જેની સાથે લડી શકાય. એ તો અદ્રશ્ય વાયરસ છે. એની સાથે લડવા માટે સાવચેતી,સમજદારી પૂર્વક એકબીજાથી દૂર રહી, એને ફેલાતો અટકાવવો એ જ લડાઈ કહેવાય.હર્ષ પણ દાદાજીની વાત એક ચિત્તે સાંભળી રહ્યો છે.
દાદાજી કહે,” સત્ય તો એ છે, આપણે બધાએ પ્રગતિની દોડમાં પ્રકૃતિ સાથે અન્યાય કર્યો છે. આપણે જ આપણા પગ પર કુહાડો માર્યો છે. અમૃતથી છલકાતા આ વિશ્વમાં આપણેજ વિષ ઘોળ્યા છે. પણ તું ચિંતા ના કરીશ. ઈશ્વર ખૂબ દયાળું છે. કહેવાય છે ને દરેક નવ નિર્વાણ પહેલાં વિસર્જન થાય છે.” ક્રિશ કહે જી દાદાજી. દાદાજી કહે, મે ઘણા સમયથી આપણે આંગણે આવતાં પંખીઓ નો કલરવ સાંભળ્યો નથી.પણ તું જુએ છે ને ક્રિશ ! હમણાંથી કેટલાં બધાં પંખીઓ જોવા મળે છે. કેટલાં મોજથી દાણા પાણી ખાઈ ઉડતા હોય છે. ક્રિશ કહે, “જી દાદાજી, મે ન્યૂઝમાં સાંભળું છે, લોકડાઉનને કારણ પ્રદૂષણનું પ્રમાણ ઓછું થયું છે, નદીના નીર સ્વચ્છ થયાં છે. વનસ્પતિઓનો વિકાસ ઝડપી થઈ રહ્યો છે.આકાશ પણ એકદમ સફેદ બન્યું છે. જાણે પહેલાં કરતાં વધુ પ્રકાશ આપી રહ્યું હોય.” દાદાજી કહે, ક્રિશ આ બધાં સંકેતો સારા છે.હવે કઈક નવું સર્જન થશે. આપણે બધાં ‘ કોરોના ‘ વાયરસ સામેની જંગ જરૂરથી જીતશું.
” હજારો નિરાશાઓમાં અમર આશા છુપાયેલી હોય છે.’ આજનો સમય ભલે બધાં માટે વિકટ બની રહ્યો છે, પણ આજે પ્રકૃતિની ગોદમાં નીરવ શાંતિનો અહેસાસ થાય છે. આજ મનની શાંતિ આપણા બધાંનો આત્મવિશ્વાસ વધારે. ક્રિશ પણ હવે દાદાજીની વાતોથી એકદમ ખુશ ખુશાલ થઈ બોલો ઉઠ્યો, ” આપણે બધાં સાથે મળીને આ વિશ્વ મહામારી સાથેની જંગ જરૂર જીતીશું અને ભારતનું નવ સર્જન કરીશું. ભારત ફરી એકવાર सोनेकी चिड़िया बनेगा ।
હેમલતા ટી. દિવેચા. જૂનાગઢ.
“”””””************************ *************
NG 0031
વિભાગ:- કરંટ ટોપિક
શીર્ષક:- એકાદશીનું મહત્વ
ભારત એક ધાર્મિક પરંપરા મુજબ ચાલનારો દેશ છે.ભારતની મોટાભાગની વસ્તી હિંદુ ધર્મ ને જ અનુસરે છે.તેથી અહીં ઘણા બધા વાર, તહેવાર,વ્રત, ઉપવાસનું પણ ઘણું જ મહત્વ છે.દરેક રાજ્યમાં જુદાં જુદાં વ્રતનું મહત્ત્વ છે પણ એકાદશી એક એવું વ્રત છે જેનું મહત્વ પૂરા ભારતમાં એકસરખું જ છે.
વર્ષો પૂર્વે ભારતના ઋષિમુનિઓએ સ્વર્ગ-નકૅ આદિનો વિચાર મનુષ્ય સામે મૂકી તેમને સારા માર્ગે ચાલવા, સારા કર્મો કરવા જપ,તપ,વ્રત, ઉપવાસ કરવા સૂચન કર્યું છે, જેમાં એકાદશી વ્રતનું ખૂબ જ મહત્વ છે.
હિંદુ પંચાંગ મુજબ વર્ષના બાર મહિના છે અને આ બાર મહિનામાં સુદની અને વદની થઇ ચોવીસ એકાદશી આવે છે ઉપરાંત દર ત્રણ વર્ષે અધિક માસ આવે છે.જે વર્ષે અધિક માસ હોય તે વર્ષે ૨૬ એકાદશી આવે છે.
બધી એકાદશીઓને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે અને તે એકાદશી શું મહત્વ ધરાવે છે તેની ધાર્મિક કથાઓ પણ છે.જો એ બધી લખીએ તો ગ્રંથોના ગ્રંથો ભરાય જાય તેમ છે.
એકાદશીનું વ્રત શિવ, વૈષ્ણવ અને ક્ષૂદ્ર દરેક કરી શકે છે.જે લોકો બાર મહિના અગિયારસ ન કરી શકે તેઓએ દેવશયની એકાદશીથી કારતક સુદ એકાદશી એટલે કે પ્રબોધિની એકાદશી સુધીની સાડાચાર મહિનાની એકાદશી કરવી જોઇએ.
એકાદશીના વ્રતમાં ઉપવાસ કરવો જરૂરી છે.બને ત્યાં સુધી ઉપવાસમાં ફક્ત ફળાહાર કરવો જોઈએ.જુદી જુદી ફરાળી વાનગીઓ બનાવીને ચટાકેદાર ન આરોગવું જોઇએ.પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે દિવસમાં એક વખત ભોજન લઇને એકાદશીનું વ્રત કરનારને એક દિવસના પાપ નાશ પામે છે અને ઉપવાસ કરનારના ભવોભવના પાપ નાશ પામે છે.એકાદશીનું વ્રત આલોક અને પરલોકનું સુખ આપનાર છે.
એકાદશીનું ધાર્મિક મહત્વ તો છે જ સાથે આપણા આરોગ્ય માટે પણ ખૂબ જ મહત્વનું વ્રત છે.
દેવશયની એકાદશી થી પ્રબોધિની એકાદશી સુધીનો સમય ચોમાસું અને શરદ ઋતુ કહેવાય છે અને આ ઋતુમાં રોગો થવાની સંભાવના સૌથી વધુ હોય છે . માટે જે પણ વ્યક્તિ આ સાડાચાર મહિનાની એકાદશી કરે તો દર પંદર દિવસે તેને ઉપવાસ કરવો પડે તેથી તે દિવસ તેના પાચનતંત્રને આરામ મળે અને તેના પેટના અવયવો ફરીથી સારી રીતે કાર્ય કરી શકે.આર્યુવેદમાં કહ્યું છે ને કે ‘જેનું સારું પેટ,તેનાથી રોગ ભાગે વેંત’એટલે જેને પેટ દર્દની કોઈ સમસ્યા ન હોય તેને કોઈ રોગ થવાની સંભાવના બહુ ઓછી છે.
આમ એકાદશીનું આધ્યાત્મિક અને આર્યુવેદીક બંને રીતે આગવું મહત્ત્વ છે.
✍️ મેઘલ ઉપાધ્યાય રાજકોટ
****************************** ************
ન્યુઝ ઓફ ગાંધીનગર
વિભાગ : કરંટ ટોપિક
NG No. :0034
શીર્ષક : માસ્ક,મુખોટું
ચહેરા પર ચહેરો લગાવીને ફરે છે
ઓ માનવ! તું શાને આટલો ડરે છે
પ્રકૃતિને અવગણીને, કર્યો સંહાર તે
કાળાં કૃત્યો છુપાવવા તું મુખોટું પ્હેરે છે!!
વર્તમાન પરિસ્થિતિમાં માસ્ક શબ્દથી સૌ કોઈ પરિચિત છે. અત્યાર સુધી માસ્કનો ઉપયોગ સામાન્ય જીવનમાં નહીંવત્ જ થતો હતો.પરંતુ સમગ્ર વિશ્વમાં કોરોના નો આંતક કેર વર્તાવી રહ્યો છે ત્યારે આ સૂક્ષ્મ વાયરસથી બચવાના એક નાનકડાં હથિયાર તરીકે માસ્કનો ઉપયોગ ખૂબ જરૂરી બન્યો છે.અલગ-અલગ ઓર્ગેનાઈઝેશન અને ખુદ સરકારે પણ માસ્ક પહેરવાનું ફરજિયાત કર્યું છે.
માસ્કનો ઈતિહાસ પણ રસપ્રદ અને ખૂબ પુરાણો છે.ચહેરાને છૂપાવવા કે દેવસ્થાનમાં પૂજા સમયે માસ્કનો ઉપયોગ થતો.શિકાર વખતે, યુદ્ધમાં રક્ષણ માટે ને રંગભૂમિ માં મનોરંજન માટે પણ મુખોટાંનો ઉપયોગ થતો. વિશ્વના ઘણાં દેશોમાં અલગ-અલગ નામથી ને જરુરિયાત પ્રમાણે માસ્કનો ઉપયોગ વર્ષોથી થતો રહ્યો છે.
અત્યારે બજારમાં અવનવી ડિઝાઇનનાં માસ્ક જોવા મળે છે.કોટન કાપડમાંથી બનાવેલ માસ્ક અમુક ટકા જ રક્ષણ આપે છે.મેડિકલ માસ્ક (સર્જીકલ અને નોન સર્જીકલ), N-95 માસ્ક કે જે વધુ પ્રોટેક્શન આપે છે.જો કે માસ્કની સાથે-સાથે બીજી સાવધાની પણ રાખવી પડશે. માસ્કના યોગ્ય ઉપયોગ વિશે સમજણ કેળવવી પડશે. માસ્ક બનાવવાનાં ગૃહઉદ્યોગથી ઘણાં પરિવારોને રોજી-રોટી મળી છે એ પણ વાસ્તવિકતા છે. તો સામે માસ્કની કાળાંબજારી થાય છે એ વાત કેટલી શરમજનક છે!! માસ્ક પહેરવું આવશ્યક છે ત્યારે માનવતા નેવે મૂકીને અમુક તત્વો હજુ પણ સુધરવા નથી માંગતા!!
વાસ્તવિકતા એ છે કે પ્રકૃતિને પ્રદૂષિત કરીને માનવજાતે પોતાનાં પગ પર સ્વયં કુહાડી મારી છે.હવા, ધરતી,નભ,જળ બધું જ પ્રદૂષિત થઈ ચૂક્યું છે. પ્રકૃતિની ચેતવણીને અવગણીને મનુષ્ય સતત તેને નુકશાન કરતો રહ્યો છે. પોતાનાં કાળાં કૃત્યોને પરિણામે જ આજે તેને મોં છુપાવવાનો વારો આવ્યો છે.જેમ વર્ષો પહેલાં ચોર લૂંટારુઓ મોંઢે બુકાની બાંધીને ફરતાં.. શું આજે દરેક મનુષ્ય પ્રકૃતિનાં ચક્રને છંછેડવાની સજા ભોગવી રહ્યો છે ??
— ડૉ. રેખા શાહ