GN_09-5-20 (NEWS of Gandhinagar daily PDF file,.click for open and read..
: *પરપ્રાંતિય શ્રમિકો-કામદારોને વતન રાજ્ય જવા દેશમાં 163 વિશેષ ટ્રેનોમાંથી
97 એકલા ગુજરાતમાંથી રવાના થઇ* …… *શુક્રવારે વધુ 33 વિશેષ ટ્રેન રવાના થશે* ……. *ઉત્તરપ્રદેશ માટે 57-ઓરિસ્સા માટે 16- બિહાર 16- ઝારખંડ-4 સહિત 94 વિશેષ ટ્રેન દ્વારા અત્યાર સુધીમાં 1 લાખ 50 હજારથી વધુ શ્રમિકો વતન પહોચ્યા* …… *રાજ્યમાં મનરેગાના 4272 ગામોમાં કામો ચાલુ થયા-3 લાખ 32 હજાર શ્રમિકોને રોજગારી મળતી થઇ* *સુજલામ સુફલામ જળ અભિયાનના કામોથી 62754 શ્રમિકો- 4 લાખ 78 હજાર માનવદિન રોજગારી* *26.88 લાખ ઘનમીટર જળસંચયનું કામ પૂર્ણ* *61 લાખ APL-1 મધ્યમવર્ગીય પરિવારોમાંથી બે જ દિવસમાં 15 લાખ પરિવારોએ વિનામૂલ્યે અનાજ વિતરણનો બીજીવાર લાભ મેળવ્યો* …… *મુખ્યમંત્રીશ્રીના સચિવે આપી વિગતો* ….. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના દિશાનિર્દેશનમાં રાજ્ય સરકારના વહિવટી તંત્રએ ભારત સરકાર સાથેના સંકલન દ્વારા ગુરૂવાર સુધીમાં 94 વિશેષ ટ્રેન અને આજે અન્ય 33 ટ્રેનો એમ કુલ મળીને 127 જેટલી ટ્રેનો દ્વારા 1 લાખ 53 હજાર જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-વ્યક્તિઓને તેમના વતનમાં મોકલવાની વ્યવસ્થા કરી છે. મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનિકુમારે આ અંગેની વધુ વિગતો આપતા જણાવ્યું કે, સમગ્ર દેશમાંથી આવી 163 વિશેષ ટ્રેનની ગુરૂવાર સુધીમાં પરપ્રાંતિય શ્રમિકોને વતન રાજ્ય માટે ચલાવવામાં આવી છે તેમાં સૌથી વધુ 94 ટ્રેન એકલા ગુજરાતમાંથી રવાના થઇ છે. શુક્રવારે વધુ 33 સ્પેશિયલ ટ્રેનના માધ્યમથી પરપ્રાંતિઓ, શ્રમિકો અને મજૂરોને ઉત્તરપ્રદેશ, બિહાર, ઓરિસ્સા, ઝારખંડ અને અન્ય રાજ્યોમાં પહોંચાડવામાં આવશે, એમ તેમણે ઉમેર્યુ હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, ગઇકાલ રાત્રી સુધીમાં સુરત શહેરમાંથી 39 ટ્રેનો રવાના કરવામાં આવી છે. જૈ પૈકી ઉત્તરપ્રદેશ માટે 16 ટ્રેનો, ઓરિસ્સા માટે 16, બિહાર માટે 4 અને ઝારખંડ માટે 3 ટ્રેનનો સમાવેશ થાય છે. અમદાવાદના સાબરમતી અને વિરમગામ સ્ટેશન પરથી ગઇકાલ રાત્રી સુધીમાં કુલ 24 ટ્રેનો રવાના થઇ છે, જેમાં ઉત્તરપ્રદેશ માટે 18, બિહાર માટે 6 ટ્રેનનો સમાવેશ થાય છે. વડોદરા શહેરમાંથી 9 ટ્રેન રવાના થઇ છે, જેમાંથી 8 ઉત્તરપ્રદેશ અને 1 બિહારનો સમાવેશ થાય છે. રાજકોટમાંથી કુલ 4 ટ્રેનો રવાના થઇ છે જેમાં 2 યુ.પી, 1 બિહાર અને 1 મધ્યપ્રદેશ, ગોધરામાંથી કુલ 3 ટ્રેનો, જેમાં 1 ઉત્તરપ્રદેશ અને 1 બિહાર, જામનગરમાંથી કુલ 2 ટ્રેનો જેમાં ઉત્તરપ્રદેશ 1 અને બિહારની 1 ટ્રેનનો સમાવેશ થાય છે. જ્યારે કચ્છ ભૂજમાંથી ઉત્તરપ્રદેશ માટે 1 ટ્રેન, મહેસાણાથી ઉત્તરપ્રદેશ માટે 1, મોરબીથી ઝારખંડ માટે 1, નડિયાદથી ઉત્તરપ્રદેશ માટે 3 , પાલનપુરથી ઉત્તરપ્રદેશ માટે 1, આણંદથી કુલ 2 ટ્રેનો રવાના થઇ છે, જેમાં 1 બિહાર અને 1 ઉત્તરપ્રદેશ, અંકલેશ્વર-ભરૂચથી 1 ટ્રેન ઉત્તરપ્રદેશ, ભરૂચથી 1 ટ્રેન બિહાર, ભાવનગરથી 1 ટ્રેન ઉત્તરપ્રદેશ માટે રવાના થઇ છે એમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રીએ આ વિશેષ ટ્રેનોની વિગતો આપતા કહ્યું કે, ગઇકાલ રાત્રી સુધીમાં ઉત્તરપ્રદેશ માટે કુલ 57 ટ્રેનો, ઓરિસ્સા માટે 16 ટ્રેનો, ઝારખંડ માટે 4 ટ્રેનો, બિહાર માટે 16 ટ્રેનો અને મધ્યપ્રદેશ માટે 1 ટ્રેન એમ કુલ 94 ટ્રેનના માધ્યમથી 1 લાખ 13 હજાર પરપ્રાંતિઓ, મજૂરો, શ્રમિકોને ખુબ સારી વ્યવસ્થા અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ટ્રેનમાં તેમના વતન રાજ્યમાં રવાના કરવામાં આવ્યા છે. આ વ્યવસ્થામાં કોઇપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય એના માટેની ચોક્કસ વ્યવસ્થા અને પ્રબંધ સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ, નડિયાદ, પાલનપુર, મહેસાણા અને અન્ય જિલ્લાઓના વહિવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, શુક્રવાર કુલ 33 ટ્રેનો ગુજરાતના અલગ-અલગ શહેરમાંથી રવાના થશે. જેમાં ઉત્તરપ્રદેશની કુલ 25 ટ્રેનો, બિહારની 4, ઝારખંડની 1, મધ્યપ્રદેશની 2 અને રાજસ્થાનની 1 ટ્રેનનો સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યું કે, આજે સુરતમાંથી કુલ 9 ટ્રેનોમાંથી 5 ટ્રેન ઉત્તરપ્રદેશ, 2 ટ્રેન બિહાર, 1 ટ્રેન ઝારખંડ અને 1 ટ્રેન રાજસ્થાન રવાના થશે. વડોદરામાંથી કુલ 3 ટ્રેનો રવાના થશે, જેમાં ઉત્તરપ્રદેશ માટે 2 અને બિહારની 1 ટ્રેનનો સમાવેશ થાય છે. અમદાવાદમાં કુલ 7 ટ્રેનો રવાના થશે. જેમાંથી સાબરમતી સ્ટેશન પરથી ઉત્તરપ્રદેશ જવા માટે 5 ટ્રેન અને વિરમગામથી 2 ટ્રેન રવાના થશે. આ ઉપરાંત અમરેલી, આણંદ, ભરૂચ, ભાવનગર, દાહોદ, હિંમત્તનગર, જૂનાગઢ, જામનગર, પોરબંદર, રાજકોટ, તાપી, નડિયાદમાંથી 1 ટ્રેન અને મોરબીમાંથી 2 ટ્રેન રવાના થશે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના 61 લાખ APL-1 કાર્ડઘારકો એટલે લગભગ 2.50 કરોડથી વધુ મધ્યમવર્ગીય લોકોને પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતિમાં બીજીવાર વિનામુલ્યે અનાજ વિતરણની તા. ૧લી મે એ જાહેરાત કરીને સફળતાપૂર્વક તંત્ર મારફતે આ વિતરણ પાર પડી રહ્યું છે, તેની વિગતો શ્રી અશ્વિની કુમારે આપી હતી આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આ અન્ન વિતરણ વ્યવસ્થાના બીજા દિવસે એવા લોકો જેમનો રેશકાર્ડનો છેલ્લો અંક 3 અથવા 4 હોય તેમને સસ્તા અનાજની દુકાન ઉપરથી રાશન આપવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં લગભગ 12 લાખ જેટલા કુટુંબોએ સસ્તા અનાજની દુકાન પરથી પોતાનો પુરવઠો મેળવી લીધો છે. શુક્રવારે રાત્રે 10 વાગ્યા સુધીમાં આ આંકડો વધીને 15 લાખ થવાની શક્યતા છે. માત્ર બે દિવસમાં જ રાજ્યના આશરે 15 લાખ જેટલા મધ્યમવર્ગીય કુટુંબો જેમની પાસે APL-1 કાર્ડ છે તેમને રાશન વિતરણ થયું છે. શ્રી અશ્વિનીકુમારે જણાવ્યું કે, રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં જનજીવન ઝડપી પૂર્વવત્ થાય, શ્રમિકોને રોજગારી મળે સાથોસાથ સોશિયલ ડિસ્ટનસનું પાલન પણ થાય તેવી પુરતી સતર્કતા સાથે મનરેગાના કામો શરૂ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આવા મનરેગા કાર્યક્રમ હેઠળ 3 લાખ 32 હજાર 439 શ્રમિકો રોજી-રોટી મેળવી રહ્યા છે. 4 હજાર 272 ગ્રામપંચાયતમાં મનરેગાના કામો ચાલું છે. જેમાં દાહોદમાં 46,522, ભાવનગર 31,510, નર્મદા 25,974, પંચમહાલ 19,376, છોટાઉદેયપુર 18,955, તાપી, 16621, સાબરકાંઠા 16,195 એમ સમગ્ર રાજ્યમાં કુલ 4 હજાર 272 ગ્રામપંચાયતમાં 3 લાખ 32 હજાર 439 શ્રમિકો પોતાની મનરેગાના કાર્યોના માધ્યમથી રોજી-રોટી મેળવી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રીએ સુજલામ-સુફલામ જળ અભિયાનની વિગતો આપતા જણાવ્યું કે, અત્યાર સુધીમાં 26,88,718.91 ઘનમીટર જળસંચય થઇ શકે તેટલું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. 4 લાખ 78 હજાર માનવદીનનું સર્જન પણ થયેલું છે. અત્યારે 3,538 કામો પ્રગતિ હેઠળ છે અને 374 કામો પૂર્ણ થયા છે. હાલની તકે આ કામો ઉપર 62 હજાર 754 શ્રમિકો કામ કરીને રોજી-રોટી મેળવી રહ્યા છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, છેલ્લા બે વર્ષોમાં રાજ્યમાં 23 હજાર 500 લાખ ઘન ફીટ વધારાના પાણીનો સંગ્રહ આ યોજના થકી કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અતંર્ગત ગામડાઓમાં તળાવ, ચેકડેમ, નાની નદીઓને ઉંડી કરવાની કામગીરી હાથ ઘરવામાં આવે છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને ફળદ્રૂપ અને સારી માટી ખેતીવાડી માટે વગર મૂલ્યે મળી રહે અને તળાવોને ખોદવાથી વધારાનું જળસંચય થાય, જેથી વોટર સિક્યોરિટી મેળવી શકાય એ છે. સી.એમ-પીઆરઓ/અરૂણ ….. [5/8, 6:49 PM] Uday Vaisnav: *કોરોનાની સ્થિતી પછી વિશ્વના અર્થતંત્ર-ઊદ્યોગોમાં આવનારા ફેરફારોનો મહત્તમ લાભ લેવા ગુજરાત સજ્જ* ….. *મુખ્યમંત્રીશ્રીએ જાપાન-કોરિયા-યુરોપિયન રાષ્ટ્રો-એશિયન કન્ટ્રીઝના વિવિધ ઊદ્યોગોને ગુજરાતમાં ઉત્પાદન-કારોબાર માટે પ્રેરિત કરવા આયોજનબદ્ધ કાર્યયોજનાને ઓપ આપ્યો* ……. *ગુજરાત સરકારે ભારત સરકારના ઊદ્યોગ મંત્રાલય-વિદેશ મંત્રાલયના સહયોગથી વિવિધ રાષ્ટ્રોની એમ્બેસીઝ-ઊદ્યોગોનો ગુજરાતમાં રોકાણો-ઊદ્યોગો માટે પ્રેરિત થવા સંપર્ક-સંકલન શરૂ કર્યુ* ……. *બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ-ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ હબ’’નું સ્થાન ગુજરાત જાળવી રાખવા સંકલ્પબદ્ધ* ……. *નવા આવનારા ઊદ્યોગોની મુખ્યમંત્રીશ્રીએ કરી મહત્વપૂર્ણ જાહેરાતો*:- *રાજ્યની ઔદ્યોગિક વસાહતો-SEZમાં કુલ ૩૩ હજાર હેકટર જમીન પ્લગ એન્ડ પ્રોડયુસ સુવિધા સાથે GIS લેન્ડ બેન્ક દ્વારા ઉપલબ્ધ કરાવાશે* *નવા ઊદ્યોગોને જમીન ફાળવણી ૭ દિવસમાં અન્ય જરૂરી પરવાનગી ૧પ દિવસમાં ઓનલાઇન અપાશે* *અન્ય દેશોના આવનારા ઊદ્યોગોને મદદ માટે અલગ-અલગ ડેસ્ક –નોડલ ઓફિસરો* *નવા ઊદ્યોગો રાજ્યમાં પ્રોડકશન શરૂ કરે તેના ૧ર૦૦ દિવસ માટે મિનીમમ વેજીસ એકટ- ઇન્ડસ્ટ્રીયલ સેફટી એકટ-લેબર કોમ્પનસેશન એકટ સિવાયના શ્રમ કાયદાઓથી મુક્તિ અપાશે* …… મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વૈશ્વિક મહામારી કોરોનાને પરિણામે સર્જાયેલી સ્થિતી પછી જનજીવન ઝડપભેર પૂર્વવત્ થાય, આર્થિક અને ઔદ્યોગિક ગતિવિધિઓ પૂન: ધબકતી થાય ત્યારે ગુજરાત તેનું મહત્વનું કેન્દ્રબિંદુ બને તે દિશામાં આયોજનબદ્ધ રીતે આગળ વધવાનો નિર્ધાર કર્યો છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં વિશ્વના અગ્રણી રાષ્ટ્રોના ઊદ્યોગો, રોકાણો મોટાપાયે આવે, રોજગારી વધે સાથોસાથ આનુષાંગિક ઊદ્યોગોને પણ વેગ મળે અને સ્થાનિક રોજગારીની તકો પણ મહત્તમ વધે તે માટે એક ઉચ્ચસ્તરિય બેઠક યોજીને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. કોરોના વાયરસની સ્થિતીના પગલે જાપાન, કોરિયા, એશિયન દેશોની કંપનીઓ તેમજ અમેરિકા-યુરોપની કંપનીઓ-ઉત્પાદન એકમો ચાયનાથી અન્ય રાષ્ટ્રો-દેશો તરફ પોતાનો વેપાર-ઉત્પાદન કારોબાર લઇ જવા વિચારાધિન છે. મુખ્યમંત્રીશ્રીએ આવી વિદેશી કંપનીઓ માટે ભારત અને ખાસ કરીને દેશનું અગ્રણી રાજ્ય ઇન્ડસ્ટ્રીયલ હબ-મેન્યૂફેકચરીંગ હબ એવું ગુજરાત શ્રેષ્ઠ વિકલ્પ બની રહે તે દિશામાં સક્રિય આયોજનો કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ હેતુસર મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં ૩૩ હજાર હેકટર જમીન વિવિધ ઔદ્યોગિક વસાહતો ખોરજ, સાણંદ, દહેજ SEZ, સાયખા, ધોલેરા SEZ તેમજ અન્ય પ્રાયવેટ SEZમાં ઉપલબ્ધ છે તેની સંપૂર્ણ વિગતો અને પ્લગ એન્ડ પ્રોડયુસ સુવિધા GIS બેઝડ લેન્ડ બેન્કના માધ્યમથી સરળતાએ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાતે ર૦૧૯-ર૦ના વર્ષમાં પ્રથમ કવાર્ટરમાં રૂ. ર૪ હજાર કરોડનું વિદેશી મૂડીરોકાણ FDI મેળવેલું છે. એટલું જ નહિ, છેલ્લા ત્રણ વર્ષમાં દેશમાં સ્થપાયેલા ૨૫૭૪ મોટા ઊદ્યોગોમાંથી ૭૩૪ ઊદ્યોગો ગુજરાતમાં છે. ઇન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રેન્યોર્સ મેમોરેન્ડમ IEMમાં દેશનો ૫૧ ટકા હિસ્સો ગુજરાત ધરાવે છે. આ બધી જ વિશેષતાઓ ઉપરાંત પારદર્શી અને ઓનલાઇન એપ્રુવલ્સ નોપેન્ડન્સી, સહિતની ઊદ્યોગ સાનુકુળ સંપૂર્ણ ઇકોસિસ્ટમ સાથે ગુજરાત દેશમાં ઔદ્યોગિક રોકાણો માટે બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બનેલું છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની આ પ્રગતિ-ગતિ સતત જળવાઇ રહે અને ચાયનાથી અન્યત્ર ઉત્પાદન એકમો ખસેડવા માંગતા દેશો-રાષ્ટ્રોના ઊદ્યોગો માટે ગુજરાત શ્રેષ્ઠ વિકલ્પ બની શકે તે માટે તંત્રને પ્રેરિત કર્યુ છે. મુખ્યમંત્રીશ્રીએ આવા જે નવા ઊદ્યોગો રાજ્યમાં આવે તેમને મંજૂરીની બધી જ પ્રક્રિયા ઓનલાઇન કરીને માત્ર ૭ દિવસમાં જમીન ફાળવણી અને અન્ય જરૂરી પરવાનગીઓ ૧પ દિવસમાં આપી દેવાની પણ આ બેઠકમાં સૂચનાઓ આપી હતી. શ્રી વિજયભાઇ રૂપાણીના દિશાદર્શનમાં ગુજરાત સરકારના ઊદ્યોગ વિભાગે કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રમોશન, વિદેશ મંત્રાલયના સહયોગથી જે-તે રાષ્ટ્રની એમ્બેસીઝનો અને ઊદ્યોગોનો સંપર્ક કરીને ગુજરાતમાં ઊદ્યોગ શરૂ કરવા પરામર્શ કર્યો છે. એટલું જ નહી, જાપાન એકસર્ટનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન-જેટ્રો, કોરિયાની કોરિયા ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સી-કોટ્રા, તેમજ અમેરિકાની યુ.એસ.આઇ.એસ.પી.એફ અને યુ.એસ.આઇ.બી.સી.ના સંકલનમાં પણ રાજ્ય સરકારે ગુજરાતમાં આવનારા દિવસોમાં તેમના દેશોના ઊદ્યોગો પ્રેરિત કરવા કાર્યવાહિ હાથ ધરી છે. મુખ્યમંત્રીશ્રીએ આવા વિવિધ દેશોના ઊદ્યોગોને જમીન મેળવવા સહિતની પ્રારંભિક કામગીરીમાં સરળતા માટે અલગ અલગ ડેસ્ક બનાવવાનો તેમજ રાજ્યમાં આવનારા આવા પ્રોજેકટ્સના સંકલન માટે નોડલ ઓફિસર નિમવાનો પણ નિર્ણય કર્યો છે. શ્રી વિજયભાઇ રૂપાણીએ આવા નવા પ્રોજેકટ્સ આવતાં વધુ લોકોને રોજગાર મળી રહે સાથોસાથ કામદારો-શ્રમિકોના હિતોનું રક્ષણ પણ થાય તેવી નેમ સાથે શ્રમ સુધારા લેબર રિફોર્મ્સની પણ કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો આ બેઠકમાં કરી છે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં નવા આવનારા પ્રોજેકટ-ઊદ્યોગોને પ્રોડકશન શરૂ કરે તેના ૧ર૦૦ દિવસ સુધી લઘુત્તમ વેતન દર-મિનીમમ વેજીસ એકટ, ઇન્ડસ્ટ્રીયલ સેફટી રૂલ્સ તેમજ શ્રમિક અકસ્માત વળતર-કોમ્પેનસેશન એકટની જોગવાઇઓના અમલ સિવાય અન્ય એકટ્સના પ્રાવધાનથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે રાજ્યના શ્રમ વિભાગને આ હેતુસર ઓર્ડિનન્સ તૈયાર કરવા પણ સૂચનાઓ આપી છે. મુખ્યમંત્રીશ્રીએ આવા અન્ય રાષ્ટ્રોના જે ઊદ્યોગો ગુજરાતમાં આવે તેમને જો ઇચ્છા હોય તો જોઇન્ટ વેન્ચર પાર્ટનર શોધવા પણ રાજ્ય સરકાર મદદરૂપ થાય તેવું સૂચન ઊદ્યોગ અગ્ર સચિવશ્રીને બેઠક દરમ્યાન કર્યુ હતું. મુખ્યમંત્રીશ્રીના કુશાગ્ર નેતૃત્વમાં ગુજરાત દેશના વિકાસનું રોલ મોડેલ છે. દેશના GDPમાં ૭.૯ ટકા અને નિકાસમાં ર૦ ટકા યોગદાન આપીને અગ્રીમ રાજ્ય બન્યું છે. હવે, વિશ્વના અર્થતંત્રની આવનારા દિવસોમાં બદલાનારી સ્થિતીમાં વિશ્વભરના ઊદ્યોગો માટે ગુજરાતને આકર્ષણનું કેન્દ્ર બનાવી રાજ્યમાં મહત્તમ રોજગારી, MSME વૃદ્ધિ અને આનુષાંગિક વેપાર ઊદ્યોગને ધબકતા કરીને ગુજરાત ફરી એકવાર દેશનું દિશાદર્શન કરે તેવી સ્થિતીના નિર્માણ માટે મુખ્યમંત્રીશ્રીએ આ બેઠકમાં ગહન માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસ અને શ્રમ-રોજગારના અધિક મુખ્ય સચિવ શ્રી વિપૂલ મિત્રા આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. સી.એમ-પીઆરઓ/અરૂણ ….. [5/8, 7:22 PM] Uday Vaisnav: *મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહને પ્રવર્તમાન કોરોના-કોવિડ-૧૯ની સ્થિતીમાં ગુજરાતમાં માર્ગદર્શન માટે શ્રેષ્ઠ તબીબોની ટીમ મોકલવા કરેલી રજૂઆતનો ગૃહ મંત્રીશ્રીએ સફળ પ્રતિસાદ આપ્યો છે* *એમ્સ નવી દિલ્હીના ડાયરેકટર અને વરિષ્ઠ તબીબ ડૉ. રણદીપ ગુલેરીયા અને ડૉ. મનીષ સુનેજા આજે શુક્રવાર રાત્રે અમદાવાદ પહોંચશે* *આ તબીબો આવતીકાલ શનિવારે સિવીલ હોસ્પિટલ કેમ્પસની કોવિડ-૧૯ હોસ્પિટલ અને એસ.વી.પી હોસ્પિટલની મૂલાકાત લેશે* *આ બન્ને વરિષ્ઠ તબીબો ગુજરાતમાં કોરોનાગ્રસ્તોની સારવાર કરતા તબીબો, પેરામેડિકલ સ્ટાફ તેમજ દર્દીઓ સાથે વાતચીત કરીને જરૂરી સલાહ અને માર્ગદર્શન પૂરૂં પાડશે*. …… [5/8, 10:14 PM] Uday Vaisnav: *સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનો સંવેદનાસભર નિર્ણય* ——————————– *કોરોનાની સારવાર કરતા કોવીડ19 હૉસ્પિટલના સાચા વૉરિયર્સને વિશેષ પ્રોત્સાહક મહેનતાણું અપાશે* —————————–
કોરોનાની સારવાર માટે ઊભી કરાયેલી સરકારી કૉવીડ19 હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર કરતા સાચા ‘કૉરોના વૉરિયર્સ’ ડોક્ટરો, પેરામેડિકલ કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ અને અન્ય અધિકારી-કર્મચારીઓને રાજ્ય સરકાર વિશેષ પ્રોત્સાહન આપશે. સમર્પણ અને સેવાભાવથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા મેડિકલ અને પેરામેડિકલ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ નિર્ણય લીધો છે.
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રીમતી ડૉ. જયંતી રવિએ આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના આ નિર્ણયની જાહેરાત કરતાં કહ્યું હતું કે, કોરોનાના દર્દીઓ સાથે સીધા સંપર્કમાં રહીને નિદાન, તપાસ અને સારવાર આપતા ડોક્ટરો, પેરામેડિકલ કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ, લેબ ટેકનીશીયન તેમજ કોરોનાના શંકાસ્પદ દર્દીઓના નમૂના લેવાની કામગીરી સાથે સંકળાયેલા અધિકારી-કર્મચારીઓ કે જેમણે 30 દિવસ કે તેનાથી વધારે દિવસો સુધી આ કામગીરી કરી હોય તેમના આ સમર્પિત ભાવને પ્રોત્સાહિત કરવા ખાસ પ્રોત્સાહક માનદવેતન આપવાનો મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ નિર્ણય કયો છે. તેમણે જણાવ્યું હતું કે, વર્ગ-૧ અને વર્ગ-૨ સંવર્ગના તબીબી અધિકારીઓને પ્રોત્સાહન રૂપે રૂ. 25,000 નું માનદ મહેનતાણું આપવામાં આવશે. નર્સિંગ સ્ટાફ, લેબ આસિસ્ટન્ટ સહિત વર્ગ-૩ના કર્મચારીઓને રૂ. 15,000 નું માનદ પ્રોત્સાહક મહેનતાણું અપાશે. વર્ગ-૪ સંવર્ગમાં ફરજ બજાવતા કર્મચારીઓને રૂ. 10,000 નું માનદ મહેનતાણું અપાશે. જ્યારે આઉટસોર્સિંગ અને ફિક્સ પગારમાં સેવા આપતા કર્મચારીઓને રૂ. 5,000 નું માનદ મહેનતાણું પ્રોત્સાહન તરીકે અપાશે. તેમની સેવાઓની કદર કરીને આ પ્રોત્સાહક મહેનતાણું એક વખત એટલે કે સિંગલ ટાઈમ અપાશે.
—————– [5/9, 9:58 AM] Uday Vaisnav: *મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહને પ્રવર્તમાન કોરોના-કોવિડ-૧૯ની સ્થિતીમાં ગુજરાતમાં માર્ગદર્શન માટે શ્રેષ્ઠ તબીબોની ટીમ મોકલવા કરેલી રજૂઆતનો ગૃહ મંત્રીશ્રીએ સફળ પ્રતિસાદ આપ્યો છે* *એમ્સ નવી દિલ્હીના ડાયરેકટર અને વરિષ્ઠ તબીબ ડૉ. રણદીપ ગુલેરીયા અને ડૉ. મનીષ સુનેજા અમદાવાદ આવી પહોંચ્યા છે* *આ તબીબો આવતીકાલ શનિવારે સિવીલ હોસ્પિટલ કેમ્પસની કોવિડ-૧૯ હોસ્પિટલ ની મુલાકાત શરુ કરી છે* …… [5/9, 10:00 AM] Uday Vaisnav: *મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહને પ્રવર્તમાન કોરોના-કોવિડ-૧૯ની સ્થિતીમાં ગુજરાતમાં માર્ગદર્શન માટે શ્રેષ્ઠ તબીબોની ટીમ મોકલવા કરેલી રજૂઆતનો ગૃહ મંત્રીશ્રીએ સફળ પ્રતિસાદ આપ્યો છે* *એમ્સ નવી દિલ્હીના ડાયરેકટર અને વરિષ્ઠ તબીબ ડૉ. રણદીપ ગુલેરીયા અને ડૉ. મનીષ સુનેજા અમદાવાદ આવી પહોંચ્યા છે* *આ તબીબો એ શનિવારે સિવીલ હોસ્પિટલ કેમ્પસની કોવિડ-૧૯ હોસ્પિટલ ની મુલાકાત શરુ કરી છે* ……