Press Brief 07.05.2020 Gujarat 17.00 hrs
(Gujarat city wise corona Report by Govt)
GN_08-5-20 (News of gandhinagar daily PdF file…click and open to read)
-
GN_08-5-20(News of Gandhinagar)
-
-
[5/7, 12:18 PM] Uday Vaisnav: *મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ અમને અમારું સમાજ પ્રત્યેનું ઋણ અદા કરવા ની તક આપી છે*
*શહેરના નામાંકિત ખાનગી તબીબોએ કોવિડ હોસ્પિટલમાં સ્થાનિક તબીબો સાથે બેઝલાઇન સ્ટ્રક્ચર બનાવી સેવા સુશ્રુષા શરૂ કરી*
……
*અહીં જ ભણીને ડોક્ટર બનેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ઋણ ચૂકવવાનો સંકલ્પ કર્યો*
……
*અમારા માટે ઋણ ચૂકવવાની તક છે*
*કોરોના સામેનો જંગ સૌ સાથે મળીને લડીશું અને જીતીશું પણ*
– *ખાનગી તબીબોનો સેવા અભિગમ*
…….
કોરોના દર્દીઓની સારવારમાં ખાનગી તબીબોને જોડાવાની મુખ્યમંત્રીશ્રીની અપીલ ને લઈને શહેરના ચાર ડોક્ટરો covid19 ડેડીકેટેડ હોસ્પિટલમાં સારવારમાં જોડાયા છે અને આજથી જ તેમણે કોરોના દર્દીઓની સારવાર સુશ્રુષા શરૂ કરી દીધી છે.*મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા રાજ્યવ્યાપી પગલા લીધા છે તે શૃંખલામાં મુખ્યમંત્રીશ્રીએ શહેરના ખાનગી તબીબોને પણ આ સેવાયજ્ઞ માં જોડાવા અપીલ કરી છે*
*આ અપીલ નો પ્રતિસાદ આપતા નામાંકિત ડોક્ટર તુષાર પટેલ, ડોક્ટર જીગર મહેતા, ડોક્ટર ગોપાલ રાવલ, અને ડોક્ટર અમરીશ સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલી 1200 બેડ ની covid ડેડીકેટેડ હોસ્પિટલમાં ની મુલાકાત લઈ દર્દીઓની સેવા સારવારમાં જોડાયા છે*
*અત્રે ઉલ્લેખનીય છે કે સિવિલ પરિસરમાં કોવિડ હોસ્પિટલ ઉપરાંત કેન્સર હોસ્પિટલને પણ કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી છે*
. *અહીં હોસ્પિટલમાં કાર્યરત નિષ્ણાત તબીબો દર્દીઓનિ સેવા સુશ્રુષા કરે જ છે પરંતુ દર્દીઓની વધતી સંખ્યાને લઈને મુખ્યમંત્રીશ્રીએ ચિંતા વ્યક્ત કરી ખાનગી તબીબોને પણ આ સેવાયજ્ઞ માં જોડાવા અપીલ કરી હતી*
. *વિજય ભાઈ રૂપાણી ની આ અપીલ ના પ્રતિસાદરૂપે આ ચાર તબીબોએ રોજ અહીં ત્રણ થી ચાર કલાક જેટલો સમય ફાળવીને આ દર્દીઓની સારવાર માં જોડાયા છે*
સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ સુપરિટેન્ડન્ટ ડો.જયપ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે આ ચાર તબીબો ભૂતકાળમાં અહીં જ ભણીને બહાર નીકળ્યા છે, ત્યારે રાજ્ય સરકારની અપીલના પગલે આ તબીબો રોજ ત્રણથી ચાર કલાક જેટલો સમય ફાળવીને કોરોના દર્દીઓને સારવાર કરવા કટિબદ્ધ બન્યા છે.
અહીં અદ્યતન માળખાગત સુવિધાઓ છે જ પરંતુ બહારના ખાનગી નિષ્ણાત તબીબો પણ તેમાં જોડાય તો સંયુક્ત રીતે બહુ ઝડપથી આ દર્દીઓની સારવાર થઈ શકે તેવા ઉદ્દેશથી આ અભિગમ હાથ હાથ ધરાયો છે.સિવિલ હોસ્પિટલના મેડીસીન વિભાગના પ્રાધ્યાપક ડોક્ટર કમલેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ‘અહીં સર્વ શ્રેષ્ઠ સારવાર સુવિધા ઉપલબ્ધ છે અને દર્દીઓને સઘન સારવાર અપાય છે. 228 વેન્ટિલેટર સાથે અહીં અદ્યતન તબીબી સંસાધનો ઉપલબ્ધ છે ત્યારે ખાનગી નિષ્ણાત તબીબોની સેવા ફળદાયી પરિણામ લાવશે.
કે.ડી હોસ્પિટલ માં ક્રિટીકલ કેર કન્સલ્ટન્ટ તરીકે સેવા આપતા ડો. જીગર મહેતાએ જણાવ્યું હતું કે ઇન્ડિયન સોસાયટી ઓફ ક્રિટીકલ કેર ના અમે સભ્યો છીએ આજે કોવિડ હોસ્પિટલમાં જે દર્દીઓ વેન્ટિલેટર કે બાયપેક પર છે એવા દર્દીઓ સાથે સીધી વાત કરી તેમની માહિતી મેળવી છે એટલું જ નહીં તબીબો પાસેથી તેમની સારવારની જાણકારી મેળવી છે. જો કે અહીં અપાતી સારવાર શ્રેષ્ઠ જ છે પરંતુ દર્દીઓની મોટી સંખ્યા ધ્યાને લઈને રાજ્ય સરકારની અપીલના પગલે અમે પણ આ સેવાયજ્ઞ માં જોડાવાનો નિર્ધાર કર્યો છે. આ દર્દીઓની 24 કલાક ખડેપગે સેવા કરતા હોસ્પિટલના તબીબોના અભિગમને તેમણે બિરદાવ્યો હતો.
*શહેરની કે.ડી હોસ્પિટલ અને સ્ટર્લિંગ હોસ્પિટલમાં પલમોનોલોજીસ્ટ તરીકે સેવા આપતા ડોક્ટર તુષાર પટેલે કહ્યું હતું કે મુખ્યમંત્રીશ્રી અને આરોગ્ય મંત્રીશ્રી ની અપીલના પગલે અમે સ્વેચ્છાએ અહીં આવ્યા છીએ*
*સાથે સાથે અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર અને આરોગ્ય સચિવ શ્રીમતી જયંતી રવિ એ પણ અમારી સાથે આ અંગે ચર્ચા કરી હતી આજે અમે અહીં મુલાકાત લઇને બેઝલાઇન સ્ટ્રક્ચર બનાવ્યું છે*
*અહીં તમામ માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ છે તેનો ઉપયોગ કરીને અહીંના ડોક્ટરો અને અમે સૌ ભેગા મળીને કોરોના સામેના યુદ્ધને જીતવા ટીમ વર્કથી કામ કરીશું તેમ તેમણે ઉમેર્યું હતું*
સ્ટર્લિંગ હોસ્પિટલમાં ક્રિટીકલ કેર સ્પેશ્યાલિસ્ટ તરીકે સેવા આપતા ડોક્ટર ગોપાલ રાવલે કહ્યું હતું કે અમારા માટે આ ઋણ ચૂકવવાની તક છે. દર્દીઓની સેવા એ અમારો મૂળ મંત્ર છે અહીંના તબીબો મેડિકલ ગાઇડલાઇન પ્રમાણે જ સેવા આપી રહ્યા છે પરંતુ આટલા બધા દર્દીઓની એક સાથે સંભાળ લેવા નું કામ કપરું હોઇ અમે પણ આ સેવામાં સ્વેચ્છાએ જોડાવાનો નિર્ણય કર્યો છે અને આ અમારી સેવા નિશુલ્ક રહેશે. અમે અહીં જ ભણ્યા છીએ અને અહીંના તબીબો અને અમે સૌ ભેગા મળીને સંયુક્ત પણે કોરોના ને હરાવીને જ જંપીશું એમ તેમણે ઉમેર્યું હતું.
*ખાનગી તબીબોના અહીં જોડાવાના અભિગમને દર્દીઓએ પણ આવકાર્યો હતો*
………
[5/7, 6:18 PM] Uday Vaisnav: *ગુજરાતમાંથી ૪ લાખ ૨૫ હજાર જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારો ને પોતાના વતન રાજ્યમાં પહોચાડવામાં આવ્યા*
……
-: *મુખ્યમંત્રીશ્રીએ ભારત સરકાર સાથે સંકલન કરી વિશેષ ટ્રેન વ્યવસ્થા ગોઠવી* :-
…..
-: *અત્યાર સુધીમાં ૬૭ વિશેષ ટ્રેન રવાના થઇ* :-
*ઉત્તરપ્રદેશ ૩૯ – ઓરિસ્સા ૧૩ – બિહાર ૧૩ – ઝારખંડ-ર*
……
*ગુરૂવારે વધુ વિશેષ ટ્રેન-ઉત્તરપ્રદેશ ર૦-બિહાર ૪-ઓરિસ્સા પ- મધ્યપ્રદેશ ર સહિત રાજ્યો ૩૪ ટ્રેન રવાના થશે*
…….
-: *વિશેષ ટ્રેન મારફતે ૧ લાખ ર૧ હજાર શ્રમિકો વતન પહોચ્યા* :-
……
*અન્ય રાજ્યોમાં લોકડાઉનની સ્થિતીમાં અટવાઇ ગયેલા ર૯પ૪૦ યાત્રિકો-વિધાર્થીઓ મુખ્યમંત્રીશ્રીના દિશાનિર્દેશનમાં ગુજરાત સહિસલામત પરત આવ્યા*
……
*૬૧ લાખ APL-1 કાર્ડધારકોને બીજવાર વિનામૂલ્યે અનાજ વિતરણમાં પ્રથમ દિવસે જ આઠ લાખ કાર્ડધારકોને લાભ*
…..
-: *મુખ્યમંત્રીશ્રીના સચિવે આપી વિગતો* :-
……
ગુજરાતમાં રોજી-રોટી, રોજગાર માટે આવેલા દેશના અન્ય રાજ્યોના ૪ લાખ ૨૫ હજાર જેટલા શ્રમિકો-કામદારોને પોતાના વતન રાજ્ય-પ્રદેશ પહોંચાડવાની વ્યવસ્થાઓ રાજ્ય સરકારે સુવ્યવસ્થિત ઢબે પાર પાડી છે.
મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ અંગેની સંપૂર્ણ વિગતો આપી હતી.
તેમણે જણાવ્યું કે, અત્યાર સુધીમાં વિશેષ ટ્રેન સેવાઓ દ્વારા ૧ લાખ ર૧ હજાર, બસ સેવાઓના માધ્યમથી પપ હજાર તેમજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ખાનગી વાહનો-ખાનગી બસો દ્વારા ૧ લાખ ૬૭ હજાર જેટલા તથા સુરત મહાનગરમાંથી ખાનગી વાહનો-સ્વ વાહનો દ્વારા ૧ લાખ ૧૪ હજાર જેટલા પરપ્રાંતિય શ્રમિકો પ્રવર્તમાન લોકડાઉનની પરિસ્થિતીમાં પોતાના વતન રાજ્ય ગયા છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આવા શ્રમિકોને વતન રાજ્ય જવા માટેની વ્યવસ્થા અંગે ભારત સરકાર સાથે પરામર્શમાં રહીને ગુજરાતમાં વસતા ઓરિસ્સા, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ સહિતના રાજ્યોના શ્રમિકો માટે વિશેષ ટ્રેન તા. ર મે થી શરૂ કરાવી છે.
મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રીએ આ વિશેષ ટ્રેનોની વિગતો આપતાં કહ્યું કે, તા. ર મે થી તા. ૬ મે દરમ્યાન ૬૭ વિશેષ યાત્રી ટ્રેન ગુજરાતમાંથી રવાના થઇ છે તેમાં ઉત્તરપ્રદેશ માટે ૩૯, ઓરિસ્સા માટે ૧૩, બિહાર માટે ૧૩ અને ઝારખંડ માટે ર ટ્રેનનો સમાવેશ થાય છે.
આ દરેક ટ્રેનમાં ૧ર૦૦ જેટલા શ્રમિકોને સોશિયલ ડિસ્ટન્સીંગ નોર્મ્સના પાલન સાથેની વ્યવસ્થાઓ અન્વયે જિલ્લાતંત્ર દ્વારા તેમના વતન રાજ્યમાં મોકલવામાં આવ્યા છે.
શ્રી અશ્વિનીકુમારે કહ્યું કે, ગુરૂવારે તા. ૭મી મે ના દિવસે વધુ ૩૪ વિશેષ ટ્રેન જેમાં યુ.પી.ની ર૦, બિહારની ૪, ઝારખંડની ર, ઓરિસ્સાની પ, મધ્યપ્રદેશની ર અને છત્તીસગઢની ૧, ટ્રેન ગુજરાતમાં સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, મોરબી, મહેસાણા, ગોધરા, જામનગર, જુનાગઢ જેવા સ્ટેશન્સથી રવાના થવાની છે.
આમ, સમગ્રતયા વિશેષ ટ્રેન મારફતે ૧ લાખ ર૧ હજાર શ્રમિકોને પોતાના વતન રાજ્ય પહોચાડવાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે તેમ એમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીના સચિવે જણાવ્યું કે, લોકડાઉનની સ્થિતીમાં દેશના અન્ય રાજ્યોમાં અટવાઇ ગયેલા-ફસાઇ ગયેલા એવા ગુજરાતના વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ યાત્રિકોને મુખ્યમંત્રીશ્રીના દિશા-નિર્દેશનમાં સંબંધિત રાજ્યો સાથે સંકલન કેળવીને ગુજરાત પરત લાવવાની કાર્યવાહી અંતર્ગત ર૯પ૪૦ ગુજરાતીઓ અત્યાર સુધીમાં રાજ્યમાં સહિસલામત પરત લાવવામાં આવ્યા છે.
આવા મૂળ ગુજરાતી યાત્રિકો-પ્રવાસીઓમાં મહારાષ્ટ્રમાંથી ૧પ,પર૩, રાજસ્થાનથી ૪રપર, ઉત્તરપ્રદેશથી ૧૪૧ર, મધ્યપ્રદેશથી ૧પ૯૦, કર્ણાટકથી ૧૧૩૮ મળીને દિલ્હી, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણામાંથી પણ લોકડાઉનની સ્થિતીમાં ત્યાં અટવાઇ ગયેલા ગુજરાતીઓને રાજ્ય સરકારના સંકલનથી પરત લાવવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના ૬૧ લાખ APL-1 કાર્ડધારકો એટલે કે ર.પ૦ કરોડથી વધુ મધ્યમવર્ગીય લોકોને પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં સરળતાએ અનાજ મળી રહે તે માટે એપ્રિલ માસમાં વિનામૂલ્યે અનાજ વિતરણની જાહેરાત કરીને સફળતાપૂર્વક તંત્ર મારફતે વિતરણ પાર પાડયું હતું તેની વિગતો શ્રી અશ્વિનીકુમારે આપી હતી.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, લોકડાઉનનો સમય લંબાવાતા મુખ્યમંત્રીશ્રીએ મે મહિના માટે પણ આવા APL-1 કાર્ડધારકોને બીજીવાર વિનામૂલ્યે અનાજ વિતરણની ભેટની જાહેરાત રાજ્યના ૬૦મા સ્થાપના દિને કરી હતી.
મુખ્યમંત્રીશ્રીની આ જાહેરાતના અનુસંધાને અમદાવાદ શહેર સિવાય સમગ્ર રાજ્યમાં ૧૭ હજારથી વધુ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનોથી આ અનાજ વિતરણનો ગુરૂવાર તા. ૭મી મે થી તબક્કાવાર પ્રારંભ થયો છે.
શ્રી અશ્વિનીકુમારે આ વિતરણ વ્યવસ્થાની જાણકારી આપતાં ઉમેર્યુ કે, વિતરણ શરૂ થયાના પ્રથમ દિવસે બપોર સુધીમાં ૪ લાખ જેટલા કાર્ડધારકોએ સોશિયલ ડિસ્ટન્સીંગ, માસ્ક પહેરવા વગેરે નોર્મ્સ સાથે અનાજ વિતરણનો લાભ મેળવ્યો છે.
તેમણે એવી અપેક્ષા દર્શાવી કે અનાજ વિતરણના આ તબક્કાના પ્રથમ દિવસે આઠ લાખ લોકો પોતાનું અનાજ રાત્રે ૧૦ વાગ્યા સુધીમાં મેળવી લેશે.
મુખ્યમંત્રીશ્રીના સચિવે ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને કચ્છ જિલ્લામાં હાલ તીડના આક્રમણનો કોઇ જ ખતરો ન હોવાનું સ્પષ્ટપણે જણાવ્યું હતું.
આ અંગે તેમણે કહ્યું કે, રાજસ્થાનના જેસલમેર વિસ્તારમાં મર્યાદિત સંખ્યામાં જોવા મળેલા તીડનું ગુજરાતના આ સરહદી જિલ્લાઓમાં આક્રમણ થવાની કોઇ શકયતા હાલ નથી.
આમ છતાં, ભારત સરકારના કૃષિ સચિવે રાજ્યના કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી અને સંબંધિત જિલ્લાના કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને સ્થિતીની ચર્ચાઓ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીના સચિવે કહ્યું કે, તીડના આવા કોઇપણ સંભવિત આક્રમણ થાય તો પણ તેની સામે સજ્જતાથી પહોચી વળવા જરૂરી દવાઓ, ટ્રેકટર માઉન્ટેડ સ્પ્રે ગન્સ વગેરેની સંપૂર્ણ વ્યવસ્થાઓ કૃષિ વિભાગે કરી રાખી છે.
મુખ્યમંત્રીશ્રીના સચિવે એમ પણ જણાવ્યું કે, આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક ખાનગી કંપનીના પ્લાન્ટમાં ગેસ ગળતરની ઘટનામાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ઝેરી ગેસની વ્યાપકતા ઘટાડવા તત્કાલ મદદ મોકલી છે.
આ અંગેની વિસ્તૃત વિગતોમાં તેમણે ઉમેર્યુ કે, આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમની કંપનીમાં થયેલ ગેસ ગળતરની ઘટનામાં આ ગેસ ગળતરની અસરો સામે ઉપયોગી કેમિકલ PTBCનું ઉત્પાદન માત્ર ગુજરાતમાં થાય છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીશ્રીએ આ કેમિકલ વિશાખાપટ્ટનમ મોકલવા ટેલિફોનિક વાતચીત કરીને વિનંતી કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ અંગે સતર્કતા અને સંવેદના દર્શાવી વાપીની ખાનગી ઉત્પાદક કંપની પાસેથી પ૦૦ કિલો PTBCનો જથ્થો દમણથી એરલીફટ કરાવીને મોકલવા ઊદ્યોગ અગ્ર સચિવ અને વલસાડ કલેકટર મારફતે હાલની સ્થિતીમાં પણ ખાસ કિસ્સામાં યાતાયાત વ્યવસ્થાઓ કરાવીને આપત્તિકાલમાં આપદ ધર્મની ભાવના નિભાવી છે.
સી.એમ-પીઆરઓ/અરૂણ …..