https://m.facebook.com/story.php?story_fbid=584852518904678&id=100021398047345
[5/5, 5:45 PM] Uday Vaisnav: *પ્રવર્તમાન કોરોના વાયરસ લોક ડાઉન વાયરસ-લોકડાઉનની સ્થિતીમાં ગુજરાતમાં રોજી-રોટી માટે વસતા અન્ય રાજ્યો-પ્રાંતના ૩.રપ લાખ શ્રમિકો-વ્યકિતઓને વતન – રાજ્ય મોકલવામાં આવ્યા*
…..
-: *મુખ્યમંત્રીશ્રીના દિશાનિર્દેશનમાં* :-
*અત્યાર સુધીમાં ભારત સરકારના સહયોગથી ૩પ વિશેષ ટ્રેન દ્વારા ૪૨ હજાર જેટલા શ્રમિકોની વતન-રાજ્ય જવાની વ્યવસ્થા થઇ*
…….
*ઓરિસા-બિહાર-ઝારખંડ-
ઉત્તરપ્રદેશ માટે સુરત અમદાવાદ રાજકોટ નડિયાદ પાલનપુર વિરમગામ થી વિશેષ ટ્રેન રવાના થઇ*
…….
*સૌ ધીરજ-સંયમ રાખે-ટ્રેનની વ્યવસ્થા કરીને તબક્કાવાર સૌને મોકલવામાં આવશે*:-મુખ્યમંત્રીશ્રી
……
*સુરતમાં વસતા સૌરાષ્ટ્રના ભાવનગર-બોટાદ-અમરેલી તેમજ ગુજરાતના અન્ય જિલ્લાઓના વતની રત્ન કલાકારોને વતન જવા દેવા માટે મુખ્યમંત્રીશ્રીનો મહત્વપૂર્ણ નિર્ણય*
-: *મુખ્યમંત્રીશ્રીના સચિવે આપી વિગતો*:-
……..
*આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી કુમાર કાનાણીની અધ્યક્ષતામાં સમિતીની રચના*
*બુધવારથી સુરત કલેકટર કચેરી દ્વારા પોર્ટલ કાર્યરત કરી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાશે*
*એક કન્ટેઇનમેન્ટ ઝોનથી બીજા કન્ટેઇનમેન્ટ ઝોનમાં જવા-આવવાની પરવાનગી નહીં અપાય*
*રત્ન કલાકારોને અરજી મંજૂર થયેથી આરોગ્ય પરિક્ષણ કરી-સોશિયલ ડિસ્ટન્સીંગના નોર્મ્સ પાલન સાથે ઓલપાડ-અંકલેશ્વર-જંબુસર માર્ગે તબક્કાવાર વતન જવા દેવાશે*
*વતન જિલ્લામાં પણ આરોગ્ય પરિક્ષણ કરાશે-૧૪ દિવસ કવોરેન્ટાઇન થવું પડશે*
*તાવ-શરદી-ખાંસી-ઉધરસ જેવી બિમારીના લક્ષણો હશે તો વતન જવાની પરવાનગી નહિં અપાય*
*વતન જિલ્લા-ગામ ગયા બાદ ૪૫ દિવસ સુધી પરત નહિં ફરી શકાય*
…….
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના દિશાનિર્દેશનમાં રાજ્ય સરકારના વહિવટી તંત્રએ ભારત સરકાર સાથેના સંકલન દ્વારા અત્યાર સુધીમાં ૩પ વિશેષ ટ્રેન દ્વારા ૪૨ હજાર જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-વ્યકિતઓને તેમના વતન રાજ્ય મોકલવાની વ્યવસ્થા કરી છે.
મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ અંગેની વધુ વિગતો આપતાં જણાવ્યું કે, આ ૩પ વિશેષ ટ્રેન ઉપરાંત એસ.ટી બસ મારફતે પપ૦૦ તેમજ ખાનગી વાહનો મારફતે ૧.૬૭ લાખ જેટલા અને સુરત મહાનગરમાંથી પરમીટ આપીને પોતાના વાહનો કે ખાનગી વાહનો દ્વારા ૧.૧૪ લાખ મળી સમગ્રતયા ૩.રપ લાખ જેટલા અન્ય રાજ્યો યુ.પી. બિહાર, ઝારખંડ, ઓરિસાના શ્રમિકો-વ્યકિતઓને અમદાવાદ-સુરત અને ગુજરાતથી તેમના વતન રાજ્ય મોકલવામાં આવ્યા છે.
આવા અન્ય રાજ્યોના શ્રમિકો, કામદારો જે રોજી-રોટી માટે ગુજરાત વસેલા છે તેમને પોતાના વતન રાજ્ય જવાની ઇચ્છા હોય તો રાજ્ય સરકાર પાસ સહિતની વ્યવસ્થાઓ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં કરી આપવા પ્રતિબદ્ધ છે તેની વિગતો પણ શ્રી અશ્વિનીકુમારે આપી હતી.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, અન્ય રાજ્યોના હોય અને ગુજરાતમાં રોજી-રોટી માટે વસેલા હોય તેવા શ્રમિકોનું ગુજરાતના વિકાસમાં મહત્વનું પ્રદાન છે. આવા શ્રમિકોને વતન જવા માટે તબક્કાવાર આયોજન કરીને તથા સંબંધિત રાજ્યો સાથે પરામર્શ સંકલન કરીને તેમને વતન રાજ્ય મોકલવાની વ્યવસ્થા હાથ ધરવામાં આવી રહી છે.
તેમણે આવા અન્ય રાજ્યોના પરપ્રાંતિય શ્રમિકોને શાંતિ અને સંયમ જાળવવાની મુખ્યમંત્રીશ્રીની અપિલના સંદર્ભમાં જણાવ્યું કે, દરેક શ્રમિકને તેના વતન રાજ્યમાં જવાની વ્યવસ્થાઓમાં સહયોગ તેઓ આપે.
જિલ્લા કલેકટર તંત્રમાં નોંધાયેલા શ્રમિકોને વતન મોકલવામાં આવે છે અને આવા શ્રમિકોને કલેકટર કચેરીમાં નોંધણી કરાવ્યાથી વતન મોકલવાની વ્યવસ્થાઓ પણ થઇ રહી છે.
મુખ્યમંત્રીશ્રીના સચિવે જણાવ્યું કે, ભારત સરકારની ગાઇડ લાઇન પ્રમાણે તા. ર મે થી અન્ય રાજ્યોના શ્રમિકોને ખાસ ટ્રેન મારફતે તેમના વતન રાજ્યમાં મોકલવામાં આવી રહ્યા છે.
તદ્દઅનુસાર, સુરતથી ઓરિસા માટે ૮, બિહાર માટે ૧, ઝારખંડ માટે ૧, વડોદરાથી યુ.પી માટે ર, અમદાવાદથી બિહાર માટે ૩ અને યુ.પી. માટે ૪, ગોધરા, નડિયાદ, પાલનપુર અને રાજકોટથી યુ.પી. માટે એક એક ટ્રેન સહિત કુલ-ર૩ ટ્રેન દ્વારા અંદાજે ર૮ હજાર શ્રમિકોને ત્રણ દિવસમાં વતન રાજ્ય મોકલવામાં આવ્યા છે.
એટલું જ નહિ, મંગળવારે પાંચમી મે એ સુરતથી ઓરિસા માટે ૩, યુ.પી. માટે ૩, બિહાર અને ઝારખંડ માટે ૧-૧ એમ કુલ ૮ ટ્રેન મારફતે અંદાજે ૯૬૦૦ લોકો, વિરમગામથી યુ.પી. માટે ર ટ્રેન દ્વારા ર૪૦૦ અને અમદાવાદથી બિહાર અને યુ.પી. માટે એક-એક ટ્રેન એમ કુલ-૧ર ટ્રેન દ્વારા ૧૪ હજાર શ્રમિકો પોતાના વતન રાજ્યમાં જવા રવાના થવાના છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને સુરતમાં વસવાટ કરી રહેલા સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી વગેરે તેમજ ગુજરાતના અન્ય જિલ્લાઓના રત્ન કલાકારોને તેમના વતન ગામ જવા દેવાનું પણ સમયબદ્ધ આયોજન ઘડયું છે.
મુખ્યમંત્રીશ્રીએ આ હેતુસર નાયબ મુખ્યમંત્રીશ્રી સહિત વરિષ્ઠ સચિવો સાથે યોજેલી બેઠકમાં આ આયોજન કરાયું છે તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીના સચિવે આપી હતી.
તેમણે આ નિર્ણય અંગેની વધુ વિગતો આપતાં જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રીએ આવા રત્ન કલાકારોને પોતાના વતન જિલ્લા-ગામ જવાની સમગ્ર સંકલન વ્યવસ્થા માટે આરોગ્ય રાજ્યમંત્રી શ્રી કિશોરભાઇ કાનાણીની અધ્યક્ષતામાં એક સમિતીની રચના કરી છે.
આ સમિતીમાં કમિશનર ઓફ મ્યુનિસીપાલિટીઝ એડમીનીસ્ટ્રેશન શ્રી એમ. એસ. પટેલ, નાયબ પોલીસ કમિશનર શ્રી મુલિયાણા, નાયબ મ્યુનિસીપલ કમિશનર શ્રી ઉપાધ્યાય અને સ્ટેમ્પ ડયુટી નાયબ કલેકટર શ્રી જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ આ સમિતીને બોટાદ, અમરેલી, ભાવનગર તથા ગુજરાતના અન્ય સંબંધિત જિલ્લાના કલેકટર, એસ.પી સાથે સંકલનમાં રહીને સુરતથી પોતાના વતન જિલ્લા-ગામ જનારા રત્ન કલાકારોને માર્ગમાં પણ કોઇ તકલીફ ન પડે તે સુનિશ્ચિત કરવા સૂચવ્યું છે.
મુખ્યમંત્રીશ્રીના સચિવે આ વિષયે વધુ વિગતો આપતાં જણાવ્યું કે, સુરતમાંથી સૌરાષ્ટ્રના આવા જિલ્લાઓમાં તેમજ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં જવા ઇચ્છતા રત્ન કલાકારોનું આવતીકાલ-બુધવારથી રજિસ્ટ્રેશન જિલ્લા કલેકટર કચેરી ખાતે ઓનલાઇન કરવામાં આવશે.
આ માટે એક પોર્ટલ તૈયાર કરવામાં આવશે અને તે પોર્ટલ પર એક જિલ્લાથી અન્ય જિલ્લામાં ખાસ કરીને સુરતથી અન્ય જિલ્લામાં જનારા વ્યકિતઓએ અરજી કરવાની રહેશે.
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, એક કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી બીજા કન્ટેઇનમેન્ટ ઝોનમાં જવા-આવવાની પરવાનગી આપવામાં આવશે નહિ.
મુખ્યમંત્રીશ્રીના સચિવે ઉમેર્યુ કે, પોર્ટલ પર અરજી મંજૂર થયા પછી રત્ન કલાકારોનું સ્કીનીંગ કરીને સોશિયલ ડિસ્ટન્સીંગના નોર્મ્સ અને ફરજીયાત માસ્ક પહેરવાની શરત સાથે બસમાં કે ખાનગી વાહનોમાં આવા રત્ન કલાકારોને ઓલપાડ, અંકલેશ્વર, જંબુસરના માર્ગે વતન સૌરાષ્ટ્ર અથવા અન્ય જિલ્લાઓમાં જવાની તબક્કાવાર મંજૂરી અપાશે.
તેમણે એમ પણ ઉમેર્યુ કે, જો કોઇ વ્યકિતને શરદી, તાવ, ઉધરસ કે અન્ય રોગના લક્ષણો જણાશે તો તેને જવાની મંજૂરી આપવામાં આવશે નહિ.
એટલું જ નહિ, રત્ન કલાકારોનું પોતાના વતન જિલ્લા-ગામ પહોચ્યા પછી પણ ફરીથી આરોગ્ય પરિક્ષણ કરાશે અને તેમને ૧૪ દિવસ માટે હોમ કવોરેન્ટાઇન કે જરૂર જણાયે ઇન્સ્ટીટયુશનલ કવોરેન્ટાઇન પણ થવું પડશે એમ પણ તેમણે જણાવ્યું હતું. જો શરદી, તાવ, ઉધરસ, શ્વાસની તકલીફ જણાશે તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં મોકલી અપાશે.
આવા રત્ન કલાકારો વતન જિલ્લા-ગામ ગયા પછી ૪૫ દિવસ સુધી સુરત પરત આવી શકશે નહિ એમ પણ મુખ્યમંત્રીશ્રીના સચિવે સ્પષ્ટપણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં વસતા અન્ય રાજ્યોના શ્રમિકો અને સુરત મહાનગરમાં વસતા સૌરાષ્ટ્રના જિલ્લાઓના રત્ન કલાકારોને પ્રવર્તમાન સ્થિતીમાં પોતાના વતન રાજ્ય-જિલ્લા-ગામ જવા દેવા માટે સંવેદનાપૂર્ણ નિર્ણયો કર્યા છે ત્યારે શ્રમિકો, રત્ન કલાકારો પણ ધીરજ-શાંતિ ધરીને અત્યાર સુધી જે રીતે સહયોગ આપ્યો છે તેને યથાવત રાખે તેવી અપીલ પણ શ્રી અશ્વિનીકુમારે કરી હતી.
સીએમ-પીઆરઓ/અરૂણ ……
[5/5, 6:37 PM] Uday Vaisnav: *કોરોના પોઝિટિવ વ્યકિતના સંપર્કમાં આવતા અમદાવાદ મ્યુનિસીપલ કમિશનર શ્રી વિજય નહેરાએ બે અઠવાડિયા માટે હોમ કવોરેન્ટન થવાનો નિર્ણય કર્યો છે*.
*શ્રી વિજય નહેરાની મ્યુનિસીપલ કમિશનર તરીકે ફરજ પરની તેમની ગેરહાજરી દરમિયાન અમદાવાદ મ્યુનિસીપલ કમિશનરનો ચાર્જ ગુજરાત મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન અને સી.ઇ.ઓ. શ્રી મુકેશકુમારને સોંપવામાં આવ્યો છે*
*અમદાવાદ શહેરમાં કોવિડ-19ની સમગ્ર કામગીરીના દેખરેખ, સંકલન, સુપરવિઝન અને મોનિટરીંગ માટે વિશેષ અધિકારી તરીકે વન પર્યાવરણના અધિક મુખ્ય સચિવ શ્રી ડૉ. રાજીવકુમાર ગુપ્તાની નિમણૂંક કરવામાં આવી છે*
*કોવિડ-19 ની સમગ્ર રાજ્યમાં આરોગ્યને લગતી તમામ કામગીરીનું સંકલન, સુપરવિઝન અને મોનિટરીંગ કરવા માટે વિશેષ અધિકારી તરીકે મહેસૂલના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમારની નિમણૂંક રાજ્ય સરકારે કરી છે*
[5/5, 8:18 PM] Uday Vaisnav: મુખ્ય સચિવશ્રી અનિલ મુકિમે અમદાવાદ શહેરની કોરોના વાયરસ સંક્રમણની છેલ્લામાં છેલ્લી સ્થિતીનો ઝોન વાઇઝ તાગ મેળવવા મંગળવારે મોડી સાંજે અમદાવાદમાં સાબરમતિ રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કંપનીની કચેરીમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાશનાથન અને નવનિયુકત વિશેષ અધિકારી શ્રી ડૉ. રાજીવકુમાર ગુપ્તા અને મ્યુનિસીપલ કમિશનર શ્રી મુકેશકુમાર સાથે બેઠક યોજી હતી.
આ બેઠકમાં બધા જ નાયબ મ્યુનિસીપલ કમિશનરો પણ વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા અને કોરોનાની સ્થિતીની સમીક્ષા અને આગામી રણનીતિ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.
[5/5, 8:21 PM] Uday Vaisnav: રાજ્યમાં કોરોના વાયરસ – કોવિડ-19ની પ્રવર્તમાન સ્થિતીમાં
આરોગ્યલક્ષી કામગીરી સઘન બનાવવા મુખ્યમંત્રીશ્રીના મહત્વપૂર્ણ નિર્ણયો
……
કોરોના પોઝિટીવ વ્યકિતના સંપર્કમાં આવતા બે અઠવાડિયા માટે હોમ કવોરેન્ટાઇન થયેલા અમદાવાદ મ્યુનિસીપલ કમિશનર શ્રી વિજય નહેરાના સ્થાને શ્રી મુકેશકુમારને ચાર્જ
…….
અમદાવાદ રાજ્ય સરકારની ટોપ પ્રાયોરિટી ઉપર
કોરોના વાયરસના વ્યાપને નિયંત્રણમાં રાખવા
રાજ્યના વરિષ્ઠ અધિક મુખ્ય સચિવ શ્રી ડૉ. રાજીવકુમાર ગુપ્તા વિશેષ અધિકારી નિમાયા
…..
કોવિડ-19ની સમગ્ર રાજ્યમાં આરોગ્યને લગતી તમામ કામગીરીનું સુચારૂં સંકલન- સુપરવિઝન અને મોનિટરીંગ માટે ગુજરાતના કોવિડ-19ના વિશેષ અધિકારી તરીકે
મહેસૂલના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમારની નિમણૂંક
……
મુખ્ય સચિવશ્રીએ મંગળવારે મોડી સાંજે અમદાવાદના નવનિયુકત વિશેષ અધિકારી અને મ્યુનિસીપલ કમિશનર-નાયબ કમિશનરો સાથે તત્કાલ વિડીયો કોન્ફરન્સ બેઠક યોજી કોરોનાની સ્થિતીની સમીક્ષા અને આગામી રણનીતિ અંગે વિચાર-વિમર્શ કર્યા
……
અમદાવાદ મ્યુનિસીપલ કમિશનર શ્રી વિજય નહેરાએ તેઓ કોરોના પોઝિટીવ વ્યકિતના સંપર્કમાં આવતા બે અઠવાડિયા માટે હોમ કવોરેન્ટાઇન થવાનો તેમણે નિર્ણય કર્યો છે તેની જાણ રાજ્ય સરકારને કરી હતી.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ મહાનગરમાં કોરોના વાયરસ- કોવિડ-19ની પ્રવર્તમાન સંક્રમણની સ્થિતીની સંવેદના પારખીને અગ્રતાના ધોરણે અગત્યના નિર્ણયો કર્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ કરેલા આ નિર્ણય અનુસાર શ્રી વિજય નહેરાની મ્યુનિસીપલ કમિશનર તરીકે ફરજ પરની ગેરહાજરી દરમિયાન અમદાવાદ મ્યુનિસીપલ કમિશનરનો ચાર્જ ગુજરાત મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન અને સી.ઇ.ઓ. શ્રી મુકેશકુમારને સોંપવામાં આવ્યો છે.
શ્રી મુકેશકુમાર અગાઉ અમદાવાદ શહેરના મ્યુનિસીપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકયા છે અને અમદાવાદ શહેરની સ્થિતી તેઓ પરિચિત છે તે ધ્યાને લેતા મુખ્યમંત્રીશ્રીએ શ્રી મુકેશકુમારને અમદાવાદ મ્યુનિસીપલ કમિશનરનો ચાર્જ સોંપ્યો છે.
અમદાવાદમાં કોરોના વાયરસના વ્યાપને નિયંત્રણમાં રાખવા માટે સર્વેલન્સ, ટેસ્ટીંગ અને ટ્રીટમેન્ટ તથા મોનિટરીંગ અને સુપરવિઝનની કામગીરી સઘન અને વધુ સુવ્યવસ્થિત બનાવવા રાજ્યના વરિષ્ઠ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની કામગીરી ટુંકાગાળામાં સફળતાપૂર્વક પાર પાડનારા વન પર્યાવરણના અધિક મુખ્ય સચિવ શ્રી ડૉ. રાજીવકુમાર ગુપ્તાને વિશેષ અધિકારી તરીકે નિમણૂંક આપવાનો આદેશ પણ મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ કોવિડ-19ની સમગ્ર રાજ્યમાં આરોગ્યને લગતી તમામ કામગીરીનું સંકલન, સુપરવિઝન અને મોનિટરીંગ કરવા માટે વિશેષ અધિકારી તરીકે મહેસૂલના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમારની નિમણૂંક કરી છે.
શ્રી પંકજકુમાર અગાઉ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં અગ્ર સચિવ તરીકે સેવાઓ આપી ચૂકયા છે અને હાલ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકેની તેમની ફરજ દરમિયાન રાજ્યના જિલ્લા કલેકટરોની કામગીરીનું માર્ગદર્શન, સુપરવિઝન અને મોનિટરીંગ પણ તેઓ સંભાળતા હોઇ કોવિડ-19ની સમગ્ર રાજ્યમાં આરોગ્યને લગતી તમામ કામગીરીનું સંકલન તેઓના માર્ગદર્શનમાં સુચારૂં રીતે થાય તે હેતુસર મુખ્યમંત્રીશ્રીએ શ્રી પંકજકુમારને આ વિશેષ અધિકારી તરીકે જવાબદારી સોંપી છે.
મુખ્ય સચિવશ્રી અનિલ મુકિમે અમદાવાદ શહેરની કોરોના વાયરસ સંક્રમણની છેલ્લામાં છેલ્લી સ્થિતીનો ઝોન વાઇઝ તાગ મેળવવા મંગળવારે મોડી સાંજે અમદાવાદમાં સાબરમતિ રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કંપનીની કચેરીમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાશનાથન અને નવનિયુકત વિશેષ અધિકારી શ્રી ડૉ. રાજીવકુમાર ગુપ્તા અને મ્યુનિસીપલ કમિશનર શ્રી મુકેશકુમાર સાથે બેઠક યોજી હતી.
આ બેઠકમાં બધા જ નાયબ મ્યુનિસીપલ કમિશનરો પણ વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા અને કોરોનાની સ્થિતીની સમીક્ષા અને આગામી રણનીતિ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.
સીએમ-પીઆરઓ/અરૂણ ……
[5/5, 9:12 PM] Uday Vaisnav: CM Mr Vijay Rupani instructed Chief Secretary Mr Anil Mukim, CPS to CM Mr K Kailasnathan, OSD Mr Rajiv Kumar Gupta and Municipal Commissioner Mr Mukesh Kumar to immediately take stock of the situation with all deputy municipal commissioners and report back.
These senior officers are conducting review meeting at Riverfront office of AMC with Dy MCs.
It’s worth mentioning that while orders were issued around 6 pm today, these officers have rushed to the field under instructions of CM Mr Rupani and have already started working in Ahmedabad. CM earlier said that Ahmedabad is going to be his top priority and the team led by Mr Rajiv Gupta and Mr Mukesh Kumar will work for controlling the spread of Covid19 in new areas of Ahmedabad.
________________________________________
[5/5, 5:45 PM] Uday Vaisnav: *પ્રવર્તમાન કોરોના વાયરસ લોક ડાઉન વાયરસ-લોકડાઉનની સ્થિતીમાં ગુજરાતમાં રોજી-રોટી માટે વસતા અન્ય રાજ્યો-પ્રાંતના ૩.રપ લાખ શ્રમિકો-વ્યકિતઓને વતન – રાજ્ય મોકલવામાં આવ્યા*
…..
-: *મુખ્યમંત્રીશ્રીના દિશાનિર્દેશનમાં* :-
*અત્યાર સુધીમાં ભારત સરકારના સહયોગથી ૩પ વિશેષ ટ્રેન દ્વારા ૪૨ હજાર જેટલા શ્રમિકોની વતન-રાજ્ય જવાની વ્યવસ્થા થઇ*
…….
*ઓરિસા-બિહાર-ઝારખંડ-
ઉત્તરપ્રદેશ માટે સુરત અમદાવાદ રાજકોટ નડિયાદ પાલનપુર વિરમગામ થી વિશેષ ટ્રેન રવાના થઇ*
…….
*સૌ ધીરજ-સંયમ રાખે-ટ્રેનની વ્યવસ્થા કરીને તબક્કાવાર સૌને મોકલવામાં આવશે*:-મુખ્યમંત્રીશ્રી
……
*સુરતમાં વસતા સૌરાષ્ટ્રના ભાવનગર-બોટાદ-અમરેલી તેમજ ગુજરાતના અન્ય જિલ્લાઓના વતની રત્ન કલાકારોને વતન જવા દેવા માટે મુખ્યમંત્રીશ્રીનો મહત્વપૂર્ણ નિર્ણય*
-: *મુખ્યમંત્રીશ્રીના સચિવે આપી વિગતો*:-
……..
*આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી કુમાર કાનાણીની અધ્યક્ષતામાં સમિતીની રચના*
*બુધવારથી સુરત કલેકટર કચેરી દ્વારા પોર્ટલ કાર્યરત કરી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાશે*
*એક કન્ટેઇનમેન્ટ ઝોનથી બીજા કન્ટેઇનમેન્ટ ઝોનમાં જવા-આવવાની પરવાનગી નહીં અપાય*
*રત્ન કલાકારોને અરજી મંજૂર થયેથી આરોગ્ય પરિક્ષણ કરી-સોશિયલ ડિસ્ટન્સીંગના નોર્મ્સ પાલન સાથે ઓલપાડ-અંકલેશ્વર-જંબુસર માર્ગે તબક્કાવાર વતન જવા દેવાશે*
*વતન જિલ્લામાં પણ આરોગ્ય પરિક્ષણ કરાશે-૧૪ દિવસ કવોરેન્ટાઇન થવું પડશે*
*તાવ-શરદી-ખાંસી-ઉધરસ જેવી બિમારીના લક્ષણો હશે તો વતન જવાની પરવાનગી નહિં અપાય*
*વતન જિલ્લા-ગામ ગયા બાદ ૪૫ દિવસ સુધી પરત નહિં ફરી શકાય*
…….
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના દિશાનિર્દેશનમાં રાજ્ય સરકારના વહિવટી તંત્રએ ભારત સરકાર સાથેના સંકલન દ્વારા અત્યાર સુધીમાં ૩પ વિશેષ ટ્રેન દ્વારા ૪૨ હજાર જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-વ્યકિતઓને તેમના વતન રાજ્ય મોકલવાની વ્યવસ્થા કરી છે.
મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ અંગેની વધુ વિગતો આપતાં જણાવ્યું કે, આ ૩પ વિશેષ ટ્રેન ઉપરાંત એસ.ટી બસ મારફતે પપ૦૦ તેમજ ખાનગી વાહનો મારફતે ૧.૬૭ લાખ જેટલા અને સુરત મહાનગરમાંથી પરમીટ આપીને પોતાના વાહનો કે ખાનગી વાહનો દ્વારા ૧.૧૪ લાખ મળી સમગ્રતયા ૩.રપ લાખ જેટલા અન્ય રાજ્યો યુ.પી. બિહાર, ઝારખંડ, ઓરિસાના શ્રમિકો-વ્યકિતઓને અમદાવાદ-સુરત અને ગુજરાતથી તેમના વતન રાજ્ય મોકલવામાં આવ્યા છે.
આવા અન્ય રાજ્યોના શ્રમિકો, કામદારો જે રોજી-રોટી માટે ગુજરાત વસેલા છે તેમને પોતાના વતન રાજ્ય જવાની ઇચ્છા હોય તો રાજ્ય સરકાર પાસ સહિતની વ્યવસ્થાઓ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં કરી આપવા પ્રતિબદ્ધ છે તેની વિગતો પણ શ્રી અશ્વિનીકુમારે આપી હતી.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, અન્ય રાજ્યોના હોય અને ગુજરાતમાં રોજી-રોટી માટે વસેલા હોય તેવા શ્રમિકોનું ગુજરાતના વિકાસમાં મહત્વનું પ્રદાન છે. આવા શ્રમિકોને વતન જવા માટે તબક્કાવાર આયોજન કરીને તથા સંબંધિત રાજ્યો સાથે પરામર્શ સંકલન કરીને તેમને વતન રાજ્ય મોકલવાની વ્યવસ્થા હાથ ધરવામાં આવી રહી છે.
તેમણે આવા અન્ય રાજ્યોના પરપ્રાંતિય શ્રમિકોને શાંતિ અને સંયમ જાળવવાની મુખ્યમંત્રીશ્રીની અપિલના સંદર્ભમાં જણાવ્યું કે, દરેક શ્રમિકને તેના વતન રાજ્યમાં જવાની વ્યવસ્થાઓમાં સહયોગ તેઓ આપે.
જિલ્લા કલેકટર તંત્રમાં નોંધાયેલા શ્રમિકોને વતન મોકલવામાં આવે છે અને આવા શ્રમિકોને કલેકટર કચેરીમાં નોંધણી કરાવ્યાથી વતન મોકલવાની વ્યવસ્થાઓ પણ થઇ રહી છે.
મુખ્યમંત્રીશ્રીના સચિવે જણાવ્યું કે, ભારત સરકારની ગાઇડ લાઇન પ્રમાણે તા. ર મે થી અન્ય રાજ્યોના શ્રમિકોને ખાસ ટ્રેન મારફતે તેમના વતન રાજ્યમાં મોકલવામાં આવી રહ્યા છે.
તદ્દઅનુસાર, સુરતથી ઓરિસા માટે ૮, બિહાર માટે ૧, ઝારખંડ માટે ૧, વડોદરાથી યુ.પી માટે ર, અમદાવાદથી બિહાર માટે ૩ અને યુ.પી. માટે ૪, ગોધરા, નડિયાદ, પાલનપુર અને રાજકોટથી યુ.પી. માટે એક એક ટ્રેન સહિત કુલ-ર૩ ટ્રેન દ્વારા અંદાજે ર૮ હજાર શ્રમિકોને ત્રણ દિવસમાં વતન રાજ્ય મોકલવામાં આવ્યા છે.
એટલું જ નહિ, મંગળવારે પાંચમી મે એ સુરતથી ઓરિસા માટે ૩, યુ.પી. માટે ૩, બિહાર અને ઝારખંડ માટે ૧-૧ એમ કુલ ૮ ટ્રેન મારફતે અંદાજે ૯૬૦૦ લોકો, વિરમગામથી યુ.પી. માટે ર ટ્રેન દ્વારા ર૪૦૦ અને અમદાવાદથી બિહાર અને યુ.પી. માટે એક-એક ટ્રેન એમ કુલ-૧ર ટ્રેન દ્વારા ૧૪ હજાર શ્રમિકો પોતાના વતન રાજ્યમાં જવા રવાના થવાના છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને સુરતમાં વસવાટ કરી રહેલા સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી વગેરે તેમજ ગુજરાતના અન્ય જિલ્લાઓના રત્ન કલાકારોને તેમના વતન ગામ જવા દેવાનું પણ સમયબદ્ધ આયોજન ઘડયું છે.
મુખ્યમંત્રીશ્રીએ આ હેતુસર નાયબ મુખ્યમંત્રીશ્રી સહિત વરિષ્ઠ સચિવો સાથે યોજેલી બેઠકમાં આ આયોજન કરાયું છે તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીના સચિવે આપી હતી.
તેમણે આ નિર્ણય અંગેની વધુ વિગતો આપતાં જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રીએ આવા રત્ન કલાકારોને પોતાના વતન જિલ્લા-ગામ જવાની સમગ્ર સંકલન વ્યવસ્થા માટે આરોગ્ય રાજ્યમંત્રી શ્રી કિશોરભાઇ કાનાણીની અધ્યક્ષતામાં એકસમિતીની રચના કરી છે.
આ સમિતીમાં કમિશનર ઓફ મ્યુનિસીપાલિટીઝ એડમીનીસ્ટ્રેશન શ્રી એમ. એસ. પટેલ, નાયબ પોલીસ કમિશનર શ્રી મુલિયાણા, નાયબ મ્યુનિસીપલ કમિશનર શ્રી ઉપાધ્યાય અને સ્ટેમ્પ ડયુટી નાયબ કલેકટર શ્રી જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ આ સમિતીને બોટાદ, અમરેલી, ભાવનગર તથા ગુજરાતના અન્ય સંબંધિત જિલ્લાના કલેકટર, એસ.પી સાથે સંકલનમાં રહીને સુરતથી પોતાના વતન જિલ્લા-ગામ જનારા રત્ન કલાકારોને માર્ગમાં પણ કોઇ તકલીફ ન પડે તે સુનિશ્ચિત કરવા સૂચવ્યું છે.
મુખ્યમંત્રીશ્રીના સચિવે આ વિષયે વધુ વિગતો આપતાં જણાવ્યું કે, સુરતમાંથી સૌરાષ્ટ્રના આવા જિલ્લાઓમાં તેમજ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં જવા ઇચ્છતા રત્ન કલાકારોનું આવતીકાલ-બુધવારથી રજિસ્ટ્રેશન જિલ્લા કલેકટર કચેરી ખાતે ઓનલાઇન કરવામાં આવશે.
આ માટે એક પોર્ટલ તૈયાર કરવામાં આવશે અને તે પોર્ટલ પર એક જિલ્લાથી અન્ય જિલ્લામાં ખાસ કરીને સુરતથી અન્ય જિલ્લામાં જનારા વ્યકિતઓએ અરજી કરવાની રહેશે.
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, એક કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી બીજા કન્ટેઇનમેન્ટ ઝોનમાં જવા-આવવાની પરવાનગી આપવામાં આવશે નહિ.
મુખ્યમંત્રીશ્રીના સચિવે ઉમેર્યુ કે, પોર્ટલ પર અરજી મંજૂર થયા પછી રત્ન કલાકારોનું સ્કીનીંગ કરીને સોશિયલ ડિસ્ટન્સીંગના નોર્મ્સ અને ફરજીયાત માસ્ક પહેરવાની શરત સાથે બસમાં કે ખાનગી વાહનોમાં આવા રત્ન કલાકારોને ઓલપાડ, અંકલેશ્વર, જંબુસરના માર્ગે વતન સૌરાષ્ટ્ર અથવા અન્ય જિલ્લાઓમાં જવાની તબક્કાવાર મંજૂરી અપાશે.
તેમણે એમ પણ ઉમેર્યુ કે, જો કોઇ વ્યકિતને શરદી, તાવ, ઉધરસ કે અન્ય રોગના લક્ષણો જણાશે તો તેને જવાની મંજૂરી આપવામાં આવશે નહિ.
એટલું જ નહિ, રત્ન કલાકારોનું પોતાના વતન જિલ્લા-ગામ પહોચ્યા પછી પણ ફરીથી આરોગ્ય પરિક્ષણ કરાશે અને તેમને ૧૪ દિવસ માટે હોમ કવોરેન્ટાઇન કે જરૂર જણાયે ઇન્સ્ટીટયુશનલ કવોરેન્ટાઇન પણ થવું પડશે એમ પણ તેમણે જણાવ્યું હતું. જો શરદી, તાવ, ઉધરસ, શ્વાસની તકલીફ જણાશે તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં મોકલી અપાશે.
આવા રત્ન કલાકારો વતન જિલ્લા-ગામ ગયા પછી ૪૫ દિવસ સુધી સુરત પરત આવી શકશે નહિ એમ પણ મુખ્યમંત્રીશ્રીના સચિવે સ્પષ્ટપણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં વસતા અન્ય રાજ્યોના શ્રમિકો અને સુરત મહાનગરમાં વસતા સૌરાષ્ટ્રના જિલ્લાઓના રત્ન કલાકારોને પ્રવર્તમાન સ્થિતીમાં પોતાના વતન રાજ્ય-જિલ્લા-ગામ જવા દેવા માટે સંવેદનાપૂર્ણ નિર્ણયો કર્યા છે ત્યારે શ્રમિકો, રત્ન કલાકારો પણ ધીરજ-શાંતિ ધરીને અત્યાર સુધી જે રીતે સહયોગ આપ્યો છે તેને યથાવત રાખે તેવી અપીલ પણ શ્રી અશ્વિનીકુમારે કરી હતી.
સીએમ-પીઆરઓ/અરૂણ ……
[5/5, 6:37 PM] Uday Vaisnav: *કોરોના પોઝિટિવ વ્યકિતના સંપર્કમાં આવતા અમદાવાદ મ્યુનિસીપલ કમિશનર શ્રી વિજય નહેરાએ બે અઠવાડિયા માટે હોમ કવોરેન્ટન થવાનો નિર્ણય કર્યો છે*.
*શ્રી વિજય નહેરાની મ્યુનિસીપલ કમિશનર તરીકે ફરજ પરની તેમની ગેરહાજરી દરમિયાન અમદાવાદ મ્યુનિસીપલ કમિશનરનો ચાર્જ ગુજરાત મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન અને સી.ઇ.ઓ. શ્રી મુકેશકુમારને સોંપવામાં આવ્યો છે*
*અમદાવાદ શહેરમાં કોવિડ-19ની સમગ્ર કામગીરીના દેખરેખ, સંકલન, સુપરવિઝન અને મોનિટરીંગ માટે વિશેષ અધિકારી તરીકે વન પર્યાવરણના અધિક મુખ્ય સચિવ શ્રી ડૉ. રાજીવકુમાર ગુપ્તાની નિમણૂંક કરવામાં આવી છે*
*કોવિડ-19 ની સમગ્ર રાજ્યમાં આરોગ્યને લગતી તમામ કામગીરીનું સંકલન, સુપરવિઝન અને મોનિટરીંગ કરવા માટે વિશેષ અધિકારી તરીકે મહેસૂલના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમારની નિમણૂંક રાજ્ય સરકારે કરી છે*
[5/5, 8:18 PM] Uday Vaisnav: મુખ્ય સચિવશ્રી અનિલ મુકિમે અમદાવાદ શહેરની કોરોના વાયરસ સંક્રમણની છેલ્લામાં છેલ્લી સ્થિતીનો ઝોન વાઇઝ તાગ મેળવવા મંગળવારે મોડી સાંજે અમદાવાદમાં સાબરમતિ રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કંપનીની કચેરીમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાશનાથન અને નવનિયુકત વિશેષ અધિકારી શ્રી ડૉ. રાજીવકુમાર ગુપ્તા અને મ્યુનિસીપલ કમિશનર શ્રી મુકેશકુમાર સાથે બેઠક યોજી હતી.
આ બેઠકમાં બધા જ નાયબ મ્યુનિસીપલ કમિશનરો પણ વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા અને કોરોનાની સ્થિતીની સમીક્ષા અને આગામી રણનીતિ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.
[5/5, 8:21 PM] Uday Vaisnav: રાજ્યમાં કોરોના વાયરસ – કોવિડ-19ની પ્રવર્તમાન સ્થિતીમાં
આરોગ્યલક્ષી કામગીરી સઘન બનાવવા મુખ્યમંત્રીશ્રીના મહત્વપૂર્ણ નિર્ણયો
……
કોરોના પોઝિટીવ વ્યકિતના સંપર્કમાં આવતા બે અઠવાડિયા માટે હોમ કવોરેન્ટાઇન થયેલા અમદાવાદ મ્યુનિસીપલ કમિશનર શ્રી વિજય નહેરાના સ્થાને શ્રી મુકેશકુમારને ચાર્જ
…….
અમદાવાદ રાજ્ય સરકારની ટોપ પ્રાયોરિટી ઉપર
કોરોના વાયરસના વ્યાપને નિયંત્રણમાં રાખવા
રાજ્યના વરિષ્ઠ અધિક મુખ્ય સચિવ શ્રી ડૉ. રાજીવકુમાર ગુપ્તા વિશેષ અધિકારી નિમાયા
…..
કોવિડ-19ની સમગ્ર રાજ્યમાં આરોગ્યને લગતી તમામ કામગીરીનું સુચારૂં સંકલન- સુપરવિઝન અને મોનિટરીંગ માટે ગુજરાતના કોવિડ-19ના વિશેષ અધિકારી તરીકે
મહેસૂલના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમારની નિમણૂંક
……
મુખ્ય સચિવશ્રીએ મંગળવારે મોડી સાંજે અમદાવાદના નવનિયુકત વિશેષ અધિકારી અને મ્યુનિસીપલ કમિશનર-નાયબ કમિશનરો સાથે તત્કાલ વિડીયો કોન્ફરન્સ બેઠક યોજી કોરોનાની સ્થિતીની સમીક્ષા અને આગામી રણનીતિ અંગે વિચાર-વિમર્શ કર્યા
……
અમદાવાદ મ્યુનિસીપલ કમિશનર શ્રી વિજય નહેરાએ તેઓ કોરોના પોઝિટીવ વ્યકિતના સંપર્કમાં આવતા બે અઠવાડિયા માટે હોમ કવોરેન્ટાઇન થવાનો તેમણે નિર્ણય કર્યો છે તેની જાણ રાજ્ય સરકારને કરી હતી.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ મહાનગરમાં કોરોના વાયરસ- કોવિડ-19ની પ્રવર્તમાન સંક્રમણની સ્થિતીની સંવેદના પારખીને અગ્રતાના ધોરણે અગત્યના નિર્ણયો કર્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ કરેલા આ નિર્ણય અનુસાર શ્રી વિજય નહેરાની મ્યુનિસીપલ કમિશનર તરીકે ફરજ પરની ગેરહાજરી દરમિયાન અમદાવાદ મ્યુનિસીપલ કમિશનરનો ચાર્જ ગુજરાત મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન અને સી.ઇ.ઓ. શ્રી મુકેશકુમારને સોંપવામાં આવ્યો છે.
શ્રી મુકેશકુમાર અગાઉ અમદાવાદ શહેરના મ્યુનિસીપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકયા છે અને અમદાવાદ શહેરની સ્થિતી તેઓ પરિચિત છે તે ધ્યાને લેતા મુખ્યમંત્રીશ્રીએ શ્રી મુકેશકુમારને અમદાવાદ મ્યુનિસીપલ કમિશનરનો ચાર્જ સોંપ્યો છે.
અમદાવાદમાં કોરોના વાયરસના વ્યાપને નિયંત્રણમાં રાખવા માટે સર્વેલન્સ, ટેસ્ટીંગ અને ટ્રીટમેન્ટ તથા મોનિટરીંગ અને સુપરવિઝનની કામગીરી સઘન અને વધુ સુવ્યવસ્થિત બનાવવા રાજ્યના વરિષ્ઠ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની કામગીરી ટુંકાગાળામાં સફળતાપૂર્વક પાર પાડનારા વન પર્યાવરણના અધિક મુખ્ય સચિવ શ્રી ડૉ. રાજીવકુમાર ગુપ્તાને વિશેષ અધિકારી તરીકે નિમણૂંક આપવાનો આદેશ પણ મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ કોવિડ-19ની સમગ્ર રાજ્યમાં આરોગ્યને લગતી તમામ કામગીરીનું સંકલન, સુપરવિઝન અને મોનિટરીંગ કરવા માટે વિશેષ અધિકારી તરીકે મહેસૂલના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમારની નિમણૂંક કરી છે.
શ્રી પંકજકુમાર અગાઉ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં અગ્ર સચિવ તરીકે સેવાઓ આપી ચૂકયા છે અને હાલ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકેની તેમની ફરજ દરમિયાન રાજ્યના જિલ્લા કલેકટરોની કામગીરીનું માર્ગદર્શન, સુપરવિઝન અને મોનિટરીંગ પણ તેઓ સંભાળતા હોઇ કોવિડ-19ની સમગ્ર રાજ્યમાં આરોગ્યને લગતી તમામ કામગીરીનું સંકલન તેઓના માર્ગદર્શનમાં સુચારૂં રીતે થાય તે હેતુસર મુખ્યમંત્રીશ્રીએ શ્રી પંકજકુમારને આ વિશેષ અધિકારી તરીકે જવાબદારી સોંપી છે.
મુખ્ય સચિવશ્રી અનિલ મુકિમે અમદાવાદ શહેરની કોરોના વાયરસ સંક્રમણની છેલ્લામાં છેલ્લી સ્થિતીનો ઝોન વાઇઝ તાગ મેળવવા મંગળવારે મોડી સાંજે અમદાવાદમાં સાબરમતિ રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કંપનીની કચેરીમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાશનાથન અને નવનિયુકત વિશેષ અધિકારી શ્રી ડૉ. રાજીવકુમાર ગુપ્તા અને મ્યુનિસીપલ કમિશનર શ્રી મુકેશકુમાર સાથે બેઠક યોજી હતી.
આ બેઠકમાં બધા જ નાયબ મ્યુનિસીપલ કમિશનરો પણ વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા અને કોરોનાની સ્થિતીની સમીક્ષા અને આગામી રણનીતિ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.
સીએમ-પીઆરઓ/અરૂણ ……
[5/5, 9:12 PM] Uday Vaisnav: CM Mr Vijay Rupani instructed Chief Secretary Mr Anil Mukim, CPS to CM Mr K Kailasnathan, OSD Mr Rajiv Kumar Gupta and Municipal Commissioner Mr Mukesh Kumar to immediately take stock of the situation with all deputy municipal commissioners and report back.
These senior officers are conducting review meeting at Riverfront office of AMC with Dy MCs.
It’s worth mentioning that while orders were issued around 6 pm today, these officers have rushed to the field under instructions of CM Mr Rupani and have already started working in Ahmedabad. CM earlier said that Ahmedabad is going to be his top priority and the team led by Mr Rajiv Gupta and Mr Mukesh Kumar will work for controlling the spread of Covid19 in new areas of Ahmedaba