[5/3, 9:38 PM] Uday Vaisnav: *રાજ્ય સરકારે કોરોના વાયરસ Kovid 19 ની સારવાર માટે આજે વધુ 4 ખાનગી હોસ્પિટલો ને માન્યતા આપી છે*. *આ હોસ્પિટલો માં કોરોના સંક્રમિત વ્યક્તિઓ પોતાની સારવાર ઈલાજ સ્વખર્ચે કરાવી શકશે* *રાજ્ય સરકારે આ અગાઉ એચ.સી જી હોસ્પિટલ સ્ટરલિંગ હોસ્પિટલ અને નારાયણ હોસ્પિટલ ને આવી સારવાર માટે મંજૂરી આપી છે*. *હવે વધુ 4 હોસ્પિટલ શેલબી હોસ્પિટલ નરોડા અને વિજય નગર સેવિયર હોસ્પિટલ હોસ્પિટલ સ્ટેડિયમ રોડ તેમજ તપન હોસ્પિટલ આનંદ નગર ને કોરોના વાયરસ Kovid 19 ની સારવાર ઈલાજ માટે ખાનગી હોસ્પિટલ તરીકે માન્યતા આપી છે* *કોરોના સંક્રમિત વ્યક્તિઓ હવે આ હોસ્પિટલ માં પણ સ્વ ખર્ચે સારવાર કરાવી શકશે* [5/4, 3:22 PM] Uday Vaisnav: -:કોરોના સંક્રમણ અટકાવવા કચ્છના ગ્રામીણ પરિવારોનો અનોખો સેવાયજ્ઞ :- કચ્છ માધાપર જૈન સમાજ અને દરજી યુવાઓ રોજના એક લાખ માસ્ક તૈયાર કરી કચ્છ પંથકમાં વિનામૂલ્યે વિતરણ કરે છે …… કોરોના જંગના મૂક યોદ્ધાઓને મુખ્યમંત્રીશ્રીએ વિડીયો કોન્ફરન્સથી અભિનંદન પાઠવ્યા ……. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસ કોવિડ-19 સામેના જંગમાં મૂક યોદ્ધા તરીકે સેવાકાર્ય થકી રોજના ૧ લાખ માસ્ક બનાવી વિનામૂલ્યે વિતરણ કરતા કચ્છી યુવાઓની સેવાપરાયણતાને અભિનંદન પાઠવ્યા છે. માધાપર (કચ્છ) જૈન સમાજ અને દરજી યુવાઓ સંયુકતપણે રોજના ૧ લાખ માસ્ક તૈયાર કરે છે અને વહિવટીતંત્રના સહયોગથી વિનામૂલ્યે તેનું વિતરણ કરી કોરોના વાયરસ સંક્રમણને ફેલાતું અટકાવવાના મૂક સિપાઇ બન્યા છે. શ્રી વિજયભાઇ રૂપાણીએ આ સેવાવ્રતીઓ સાથે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ સંવાદ કરીને તેમની સેવાભાવનાને બિરદાવી હતી. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આ લડાઇ લાંબી છે અને જનસહયોગ-લોકજાગૃતિ અને સ્વયં માસ્ક બાંધી રાખવો, વારંવાર હાથ ધોવા જેવા નિયમોના અનુપાલનથી આપણે તેમાં પાર ઉતરવાનું છે. તેમણે આ સેવાવ્રતીઓની સેવાને ઇશ્વરીય કાર્ય ગણાવતા કહ્યું કે, ઇશ્વરે માનવ સેવાના સારા-ઉમદા કાર્ય કરવાની તમને સૌને પ્રેરણા આપી છે એટલે તમને સૌને આ માસ્ક બનાવવાની અને તેનું વિતરણ કરીને કોરોના વાયરસની આ કપરી સ્થિતીમાં જીવન બચાવવાની સેવા તક મળી છે. ‘‘માસ્ક ન પહેરનાર વ્યકિત સ્વયં તો સંક્રમિત થાય છે જ પરંતુ પોતાના મ્હોમાંથી થૂંક-લાળ કે વાતચીત દ્વારા નીકળતા વાયરસથી અન્યને પણ સંક્રમિત કરે છે એટલે કે આત્મહત્યા અને ખૂન બેય ગૂના કરે છે’’ એવો મત વ્યકત કરતાં શ્રી વિજયભાઇ રૂપાણીએ આ બે-બે ગૂનામાંથી શકય તેટલા વધુ લોકોને બચાવવાના પ્રેરણા કાર્ય માટે માસ્ક બનાવવાથી વિતરણ સુધીની સેવાપ્રવૃત્તિમાં જોડાયેલા સૌને બિરદાવ્યા હતા અને કચ્છને કોરોનામુકત રાખવાનો સંકલ્પ પાર પાડવા અપિલ કરી હતી. આ યુવાઓએ પણ કોરોના સામેના જંગમાં રાજ્ય સરકાર મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં જે ઝડપી અને અસરકારક પગલાં લઇ રહી છે તેનો આભાર વ્યકત કર્યો હતો. સીએમ-પીઆરઓ/અરૂણ …… [5/4, 5:00 PM] Uday Vaisnav: *કોરોના વાયરસ કોવિડ-19ના રોગની ઇન્ટરનેશનલ કલીનીકલ ટ્રાયલ ‘સોલીડારિટી ટ્રાયલ’ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને તેના અન્ય સહયોગીઓ દ્વારા ૧૦૦ થી વધુ દેશોમાં અમલી બનાવવામાં આવી રહી છે*. *ભારતમાં પણ આવી સોલીડારિટી ટ્રાયલ ઇન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રિસર્ચ WHO ની સહભાગીતાથી હાથ ધરવાનું છે* *ગુજરાતમાં પણ આ સોલીડારિટી ટ્રાયલના પ્રયોગો હાથ ધરવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહને રજુઆત-વિનંતી કરી હતી*. *મુખ્યમંત્રીશ્રીની આ વિનંતી-રજુઆતનો સાનુકૂળ પ્રતિસાદ આપતાં ભારત સરકારે ગુજરાતમાં આ સોલીડારિટી ટ્રાયલ કરવાની સ્વીકૃતિ આપી છે* *આ હેતુસર, રાજ્યની બી.જે.મેડિકલ કોલેજને ભારત સરકારે અનુમતિ આપી દીધી છે અને ત્યાં કોવિડ-19 પેશન્ટસના રજીસ્ટ્રેશન આવા ટ્રાયલ ટેસ્ટ માટે શરૂ થઇ ગયા છે* *રાજ્યની વધુ ૪ હોસ્પિટલો એસ.વી.પી. અમદાવાદ, જી.એમ.ઇ.આર.એસ મેડીકલ કોલેજ ગોત્રી-વડોદરા, ગવર્મેન્ટ મેડીકલ કોલેજ અને ન્યૂ સિવીલ હોસ્પિટલ સુરત, તેમજ પી.ડી.યુ. મેડીકલ કોલેજ રાજકોટ માટે પણ આવી અનુમતિ મેળવવાની કાર્યવાહી રાજ્ય સરકારે શરૂ કરી દીધી છે* *આ સપ્તાહમાં જ આવી અનુમતિ ભારત સરકાર તરફથી મળતાં જ આ હોસ્પિટલોમાં પણ કોવિડ-19 પેશન્ટસ રજીસ્ટ્રેશન કરીને ૪ જેટલી દવાઓના ટ્રાયલ ફોર ટ્રીટમેન્ટ –સોલીડારિટી ટ્રાયલ શરૂ કરી દેવાશે* *જે ૪ દવાઓના આવા પરિક્ષણો-ટ્રાયલ થવાના છે તેમાં Remdesivir, Lopinavir, Interferon (beta 1 a) અને hydroxychloroquine અથવા Chloroquine નો સમાવેશ થાય છે*. *આ પ્રયોગો-ટ્રાયલને પરિણામે કોરોના કોવિડ-19 રોગ સામે ઝડપથી અસરકર્તા દવા મળી રહેશે* *એટલું જ નહિ, સંક્રમિતોના ત્વરિત સાજા થવાની સંભાવનાઓ પણ વધી જશે*. ……. [5/4, 6:36 PM] Uday Vaisnav: -: *કોરોના વાયરસ કોવિડ-19ની ઇન્ટરનેશનલ કલીનીકલ ટ્રાયલ સોલીડારિટી ટ્રાયલ માટે ગુજરાતને મંજૂરી*:- *મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્રીય ગૃહમંત્રી સમક્ષ કરેલી રજૂઆતનો સફળ પ્રતિસાદ* ….. *WHO અને તેના સહયોગીઓ દ્વારા ૧૦૦થી વધુ દેશોમાં ઇન્ટરનેશનલ કલીનીકલ ટ્રાયલ-સોલિડારિટી ટ્રાયલ અમલી બનાવવામાં આવી રહી છે* *ભારતમાં WHOની સહભાગીતાથી ICMR ટ્રાયલ હાથ ધરશે* *ગુજરાતની બી.જે. મેડિકલ કોલેજને સોલિડારિટી ટ્રાયલ માટે મંજૂરી મળી* *વધુ ૪ હોસ્પિટલો એસ.વી.પી. અમદાવાદ-જી.એમ.ઇ.આર.એસ મેડીકલ કોલેજ ગોત્રી, વડોદરા-ગવર્મેન્ટ મેડીકલ કોલેજ અને ન્યૂ સિવીલ હોસ્પિટલ સુરત તેમજ પી.ડી.યુ. મેડીકલ કોલેજ રાજકોટને મંજૂરી મળવાની કાર્યવાહિ પ્રગતિમાં* *આ સપ્તાહમાં કોવિડ-19 પેશન્ટસ રજીસ્ટ્રેશન કરીને ૪ જેટલી દવાઓના ટ્રાયલ ફોર ટ્રિટમેન્ટ શરૂ કરાશે* *કોરોના કોવિડ-19 રોગ સામે ઝડપથી અસરકર્તા યોગ્ય દવા મેળવવાની દિશામાં મહત્વપૂર્ણ કદમ* ……. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં કોરોના કોવિડ-19 વાયરસની સોલીડારિટી ટ્રાયલના પ્રયોગો હાથ ધરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ સમક્ષ કરેલી રજૂઆતને સફળતા મળી છે. કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ ગુજરાતમાં આવી સોલીડારિટી ટ્રાયલ માટે અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજને અનૂમતિ આપી છે અને વધુ ૪ હોસ્પિટલોની આવી મંજૂરી-અનૂમતિની પ્રક્રિયા-કાર્યવાહિ પ્રગતિમાં છે. બી.જે.મેડિકલ કોલેજને ભારત સરકારે અનુમતિ આપતા ત્યાં કોવિડ-19 પેશન્ટસના રજીસ્ટ્રેશન આવા ટ્રાયલ ટેસ્ટ માટે શરૂ થઇ ગયા છે. આ સપ્તાહમાં આવી મંજૂરી મળી જતાં રાજ્યની રાજ્યની વધુ ૪ હોસ્પિટલો એસ.વી.પી. અમદાવાદ, જી.એમ.ઇ.આર.એસ મેડીકલ કોલેજ ગોત્રી-વડોદરા, ગવર્મેન્ટ મેડીકલ કોલેજ અને ન્યૂ સિવીલ હોસ્પિટલ સુરત, તેમજ પી.ડી.યુ. મેડીકલ કોલેજ રાજકોટની આ હોસ્પિટલોમાં પણ કોવિડ-19 પેશન્ટસ રજીસ્ટ્રેશન કરીને ૪ જેટલી દવાઓના ટ્રાયલ ફોર ટ્રીટમેન્ટ –સોલીડારિટી ટ્રાયલ શરૂ કરી દેવાશે. જે ૪ દવાઓના આવા પરિક્ષણો-ટ્રાયલ થવાના છે તેમાં Remdesivir, Lopinavir, Interferon (beta 1 a) અને hydroxychloroquine અથવા Chloroquine નો સમાવેશ થાય છે. કોરોના વાયરસ કોવિડ-19ના રોગની ઇન્ટરનેશનલ કલીનીકલ ટ્રાયલ ‘સોલીડારિટી ટ્રાયલ’ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને તેના અન્ય સહયોગીઓ દ્વારા ૧૦૦ થી વધુ દેશોમાં અમલી બનાવવામાં આવી રહી છે. ભારતમાં પણ આવી સોલીડારિટી ટ્રાયલ ઇન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રિસર્ચ WHO ની સહભાગીતાથી હાથ ધરવાનું છે. ગુજરાતમાં પણ આ સોલીડારિટી ટ્રાયલના પ્રયોગો હાથ ધરવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહને રજુઆત-વિનંતી કરી હતી. મુખ્યમંત્રીશ્રીની આ વિનંતી-રજુઆતનો સાનુકૂળ પ્રતિસાદ આપતાં ભારત સરકારે ગુજરાતમાં પણ આ સોલીડારિટી ટ્રાયલ કરવાની સ્વીકૃતિ આપી છે. આ પ્રયોગો-ટ્રાયલને પરિણામે કોરોના કોવિડ-19 રોગ સામે ઝડપથી અસરકર્તા યોગ્ય દવા મળી રહેશે. એટલું જ નહિ, સંક્રમિતોના ત્વરિત સાજા થવાની સંભાવનાઓ પણ વધી જશે. સીએમ-પીઆરઓ/અરૂણ …… [5/4, 7:09 PM] Uday Vaisnav: *ગુજરાતમાં વસતા અન્ય રાજ્યોના ર૧પ૦૦ શ્રમિકો ત્રણ દિવસમાં ૧૮ જેટલી વિશેષ ટ્રેન મારફત વતન રાજ્યમાં મોકલવામાં આવ્યા* …… -: *મુખ્યમંત્રીશ્રીના સચિવે આપી વિગતો* :- *સુરતમાં વસતા સૌરાષ્ટ્રના વતની રત્ન કલાકારોને પણ વતન ગામ જવા માટે રાજ્ય સરકાર યોગ્ય સમયે-યોગ્ય નિર્ણય કરશે* *૬૧ લાખ મધ્યમવર્ગીય APL-1 કાર્ડધારકોને તા. ૭મી મે થી બીજીવાર વિનામૂલ્યે અનાજ વિતરણ તબક્કાવાર હાથ ધરાશે* *માસ્ક નહિ તો અનાજ નહિ નો અભિગમ અપનાવાશે* *રાજ્યમાં જામનગર-જૂનાગઢ મહાનગરમાં ૩ હજાર જેટલા ઊદ્યોગો શરૂ થયા-૩૦ હજાર વ્યકિતઓને રોજગારી મળતી થઇ* ……. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં અન્ય રાજ્યોના ગુજરાતમાં વિવિધ શહેરોમાં વસતા શ્રમિકોને પોતાના વતન-રાજ્ય જવાની વ્યવસ્થા માટે ભારત સરકારના દિશાનિર્દેશ મુજબ રાજ્ય સરકારના તંત્રને પ્રેરિત કર્યુ છે. શનિવારથી અત્યાર સુધીમાં ત્રણ દિવસમાં ૧૮ ટ્રેન મારફતે ર૧પ૦૦ જેટલા શ્રમિકોને તેમના વતન-રાજ્ય મોકલવામાં આવ્યા છે તેમ મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે જણાવ્યું હતું. આ અંગેની વિસ્તૃત વિગતો આપતાં તેમણે કહ્યું કે, આ હેતુસર અત્યાર સુધીમાં સુરતથી ઓરિસ્સા માટે ૭ ટ્રેન, ઝારખંડ ને બિહાર માટે એક-એક ટ્રેન, અમદાવાદથી યુ.પી માટે ૬ ટ્રેન, બિહાર માટે ૩ ટ્રેન તેમજ વડોદરા, નડિયાદ અને પાલનપુરથી યુ.પી. માટે એક-એક ટ્રેન એમ ૧૮ ટ્રેનની વ્યવસ્થાઓ ભારત સરકારે રાજ્ય સરકાર સાથેના સંકલનમાં કરી આપી છે. મુખ્યમંત્રીશ્રીના સચિવે જણાવ્યું કે, આવા પરપ્રાંતિય અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારો માટેની ટ્રેન વ્યવસ્થા ભારત સરકાર દ્વારા રાજ્યને જેમ ટ્રેન મળતી જશે તેમ કરવામાં આવશે. એટલું જ નહિ, આવા શ્રમિકોએ જે-તે જિલ્લા કલેકટરની હેલ્પલાઇન ૧૦૭૭ ઉપર નોંધાવાનું પણ રહેશે. મુખ્યમંત્રીશ્રીએ ખાસ કરીને સુરતમાં વસેલા-સૌરાષ્ટ્રના બોટાદ, અમરેલી, ભાવનગર વગેરે જિલ્લાઓના વતની રત્નકલાકારો જો પોતાના વતન જવા માંગતા હોય તો એ અંગે પણ યોગ્ય વિચારણાઓ હાથ ધરી છે. મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રીએ આ સંદર્ભમાં જણાવ્યું કે, આવા રત્નકલાકારો જ્યારે તેમના વતન ગામ જાય ત્યારે કોરોના ફેલાય નહિ અને તેઓ સુરતમાં પરત પણ ફરી શકે તે માટેની સમગ્ર બાબતો અંગે રાજ્ય સરકાર વિચારાધિન છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, આ સમગ્ર બાબતે રાજ્ય સરકાર યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરશે. હાલ આ અંગે કોઇ નિર્ણય કરાયો નથી. તેમણે આ અંગે વધુમાં જણાવ્યું કે, આવા રત્ન કલાકારોને તબક્કાવાર અને સોશિયલ ડીસ્ટન્સીંગ સાથે મંજૂરી, મળે તેમનું સુરતમાં સ્ક્રીનીંગ થાય તેમજ તેમના વતન જિલ્લામાં જ્યારે તે પહોચે ત્યારે ત્યાં પણ સ્કીનીંગ થાય, ગ્રામ પંચાયત કે નગરપાલિકા નક્કિ કરે તે રીતે ૧૪ દિવસ માટે આવા રત્ન કલાકારને હોમ અથવા પબ્લીક કવોરેન્ટાઇન સ્થળે કવોરેન્ટાઇન થવાનું રહેશે. તેમજ જો શરદી, તાવ, ખાંસી કે બિમારીના લક્ષણો હોય તો તેમને જવા દેવાની પરવાનગી નહિ અપાય અને તેઓ એકવાર પોતાના વતન જાય તે પછી ૧૪ દિવસ અને ૧ માસ સુધી સુરત પાછા ફરી નહિ શકે તેવી બધી જ બાબતોની સર્વગ્રાહી રણનીતિ સુરત જિલ્લા કલેકટર સૌરાષ્ટ્રના જે-તે જિલ્લા કલેકટરો સાથે મળીને રાજ્ય સરકારના દિશાનિર્દેશનમાં તૈયાર કરશે એમ પણ શ્રી અશ્વિનીકુમારે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીશ્રીના સચિવે ઉમેર્યુ કે, ગુજરાતના સ્થાપના દિવસે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના મધ્યમવર્ગીય પરિવારોના ૬૧ લાખ APL-1 કાર્ડધારકોને અઢી કરોડ જેટલા લોકોને બીજીવાર વિનામૂલ્યે અનાજ વિતરણની જાહેરાત કરી છે તેનો આગામી તા. ૭મી મે થી રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવશે. આ અનાજ વિતરણ રાજ્યની ૧૭ હજાર જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનોએથી સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમો સાથે કરવામાં આવશે. એટલું જ નહિ, અનાજ મેળવવા આવનારા તમામ ગ્રાહકો માટે માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે. ‘માસ્ક નહિં તો અનાજ નહિ’ એ અભિગમ અપનાવશે એમ તેમણે ઉમેર્યુ હતું. શ્રી અશ્વિનીકુમારે આ અનાજ વિતરણની જે ક્રમબદ્ધ વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે તેની વિગતો પણ આપી હતી. તેમણે જણાવ્યું કે, જે APL-1 કાર્ડધારકોના રેશનકાર્ડના છેલ્લા આંક ૧ અને ર છે તેમને તા. ૭મી મે, ૩ અને ૪ છેલ્લા આંક વાળા કાર્ડધારકોને તા. ૮મી મે, પ અને ૬ છેલ્લો આંક હોય તેમને તા. ૯મી મે તથા ૭ અને ૮ વાળા કાર્ડધારકોને તા. ૧૦મી તેમજ ૯ અને ૦ આંક ધરાવનારા APL-1 કાર્ડધારકોને તા. ૧૧મી મે એ અનાજ વિતરણ કરવામાં આવશે. શ્રી અશ્વિનીકુમારે કહ્યું કે, જો કોઇ APL-1 કાર્ડધારક લાભાર્થી તેના નિર્ધારીત ફાળવેલા દિવસે અનાજ લેવા ન જઇ શકે તો તેને તા. ૧રમી મે એ અનાજ વિતરણ કરવામાં આવશે. મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇન્સ મુજબ ગુજરાતમાં લોકડાઉનના ત્રીજા તબક્કાના અમલ અંગે ઓરેંજ-ગ્રીન ઝોનમાં ઊદ્યોગો શરૂ કરવાની આપેલી છૂટછાટ અન્વયે આશરે ૩ હજાર જેટલા ઊદ્યોગો જામનગર અને જૂનાગઢ મહાનગર વિસ્તારોમાં શરૂ થયા છે. અંદાજે રપ થી ૩૦ હજાર શ્રમિકોને રોજગાર મળતો થયો છે. તેમણે ઉમેર્યુ કે, આવા ગ્રીન ઝોન વિસ્તારોમાં એસ.ટી. બસ સેવાઓ પણ પચાસ ટકા પેસેન્જર ક્ષમતા સાથે ધીરે ધીરે શરૂ થઇ જશે. રાજ્યના ગ્રીન-ઓરેન્જ ઝોન વિસ્તારોમાં જનજીવન ઝડપથી પૂર્વવત થઇ રહ્યું છે અને દુકાનો, ઊદ્યોગો-વેપાર વણજ પણ શરૂ થવા માંડયા છે એમ તેમણે ઉમેર્યુ હતું. સીએમ-પીઆરઓ/અરૂણ ……