*મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહને અમદાવાદ મેડીસિટીમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં ભારતના ખ્યાતનામ અને શ્રેષ્ઠ ૩ તબીબોને અમદાવાદ મોકલવાનો અનુરોધ કર્યો છે*
*આ અન્વયે તેમણે એઇમ્સના ડાયરેકટર રણદીપ ગુલેરિયા, નવી દિલ્હીની એપોલો હોસ્પિટલના ડૉ. રાજેશ ચાવલા અને મુંબઇના ખ્યાતનામ પલમેનોલોજિસ્ટ ડૉ. રોહિત પંડિતને એક દિવસ માટે અમદાવાદ મોકલવા શ્રી અમિતભાઇ શાહને વિનંતી કરી છે* *આ પ્રખ્યાત તબીબો અમદાવાદમાં કોવિડ-19ની સારવાર લઇ રહેલા દર્દીઓ, સેવા આપી રહેલા તબીબો અને મેડીકલ ટીમ સાથે સંવાદ કરીને જરૂરી માર્ગદર્શન આપશે* *આ માર્ગદર્શન – સંવાદને પરિણામે સિવીલ અમદાવાદના તબીબો-મેડીકલ ટીમનું મનોબળ વધુ મજબૂત થતાં કોરોના સામેના જંગમાં વધુ સજ્જતાથી લડી શકાશે* *મુખ્યમંત્રીશ્રીએ આજે બપોરે મુખ્યમંત્રી નિવાસસ્થાને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, મુખ્ય સચિવ શ્રી અનિલ મૂકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન અને વરિષ્ઠ સચિવો સાથે બેઠક યોજીને સિવીલ કેમ્પસમાં કાર્યરત અમદાવાદમાં ૧ર૦૦ બેડની કોવિડ હોસ્પિટલની સારવાર સુવિધા વ્યવસ્થાઓ અંગે વિશદ ચર્ચા-વિચારણા કરી હતી*.
_______’______________________________ [5/6, 5:01 PM] Uday Vaisnav: *મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના રોગ ગ્રસ્તોની વધુ સારી સારવાર થાય તેવા હેતુ થી* *એઇમ્સના ડાયરેકટર રણદીપ ગુલેરિયા, નવી દિલ્હીની એપોલો હોસ્પિટલના ડૉ. રાજેશ ચાવલા અને મુંબઇના ખ્યાતનામ પલમેનોલોજિસ્ટ ડૉ. રોહિત પંડિતને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ની સ્પેશિયલ વિઝી ટ કરીને મેડિકલ ટીમ ને જરૂરી માર્ગદર્શન આપવા મોકલવા અનુરોધ કરતો પત્ર ભારત ના ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહને પત્ર લખ્યો છે.*
_____________________________________ [5/6, 6:17 PM] Uday Vaisnav: પરપ્રાંતીય શ્રમિકોને તેમના વતન પહોંચાડવા સરકાર પ્રતિબદ્ધ પરપ્રાંતીયોને યોજનાબદ્ધ રીતે ઝડપથી તેમના વતન પહોંચાડવા જે વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ છે તેમાં સૌ સક્રિય સહયોગ આપે એ જરૂરી …… દેશમાં એક માત્ર ગુજરાત જ એવું રાજ્ય છે કે સૌથી વધુ ટ્રેનો દોડાવાઈ : માત્ર ચાર દિવસમાં ૩૯ ટ્રેનો દ્વારા શ્રમિકો યુ.પી-બિહાર-ઝારખંડ અને ઓડીશા રવાના ……. • બુધવારે સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરાથી વધુ ૩૦ ટ્રેનો રવાના થશે : ૮૨,૮૦૦ શ્રમિકો વતન પહોંચશે • ખાસ વિશેષ રેલ વ્યવસ્થા હોઈ, શ્રમિકો રોડ પર ન આવે : • પ્રથમ તબક્કામાં વિદેશથી આશરે ૧૫૦૦ જેટલા ગુજરાતીઓને પરત લવાશે • પ્રવાસન સચિવ શ્રી મમતા વર્માને સંકલનની જવાબદારી સોંપાઇ • રત્નકલાકારો અને શ્રમિકોને તેમના વતન પરત ફરવા ખાસ એસ.ટી. બસોની વ્યવસ્થા કરાશે • તા. ૭ મેથી APL-1 કાર્ડના ૬૧ લાખ જેટલા કાર્ડ ધારકોને ૧૦ કિલો ઘઉં, ૩ કિલો ચોખા, ૧ કિલો ખાંડ અને ૧ કિલો ચણા અથવા દાળ વિનામૂલ્યે અપાશે …… મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને અન્ય વરિષ્ઠ મંત્રીઓની ઉપસ્થિતિમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઇ હતી. મુખ્યમંત્રીશ્રીએ તમામ જિલ્લાના કલેકટરશ્રીઓને પરપ્રાંતિય શ્રમિકોને વતન મોકલવા માટેની સંપૂર્ણ વ્યવસ્થા ઝડપથી કરવા માટે સૂચનાઓ આપી હતી.
આ અંગેની વિગતો આપતાં મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિની કુમારે ઉમેર્યું કે ગુજરાતમાં વસતા અન્ય રાજ્યના શ્રમિકોને તેમના વતન પહોચાડવા રેલવે અને ખાનગી બસોની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી અશ્વિનીકુમારે જણાવ્યું કે, ગુજરાતમાં વસતા પરપ્રાંતિય તેના વતનમાં પહોંચે તે માટે રાજ્ય સરકારે સંપૂર્ણ વ્યવસ્થા સુનિશ્ચિત કરી દીધી છે ત્યારે, પરપ્રાંતીયો પણ ધીરજ રાખીને સંપૂર્ણ સહયોગ આપે તેવી અપીલ છે. આ એક લાંબી પ્રક્રિયા છે એટલે સંયમતાપૂર્વક આપનો સહયોગ અત્યંત અનિવાર્ય છે. તમામ લોકો જેઓ જવા ઇચ્છે છે તે પોતાના વતન ન પહોંચે ત્યાં સુધી આ વ્યવસ્થા ચાલુ રહેશે એ માટે જિલ્લા વહીવટી તંત્રને ચોક્કસ દિશા નિર્દેશો આપી દેવાયા છે.
તેમણે કહ્યું કે, ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાંથી સૌથી વધુ ટ્રેન યુ.પી., બિહાર, ઝારખંડ અને ઓડીશા જવા રવાના થઇ છે. માત્ર ચાર દિવસમાં ૩૦થી વધુ ટ્રેનો સુરત, રાજકોટ, અમદાવાદ અને વડોદરાથી રવાના થઇ છે. જેના દ્વારા ૪૬ હજારથી વધુ શ્રમિકો રવાના થયા છે. બુધવારે વધારાની બીજી 30 ટ્રેનો ગુજરાતમાંથી અન્ય રાજ્યોમાં રવાના થશે એટલે આવતીકાલ સુધીમાં અંદાજે ૮૨,૦૦૦થી વધુ શ્રમિકો પોતાના વતન પહોંચશે. શ્રમિકોએ ગભરાવાની જરૂર નથી. માત્ર વહીવટી તંત્રને સહયોગ આપવાની જ જરૂર છે. અત્યાર સુધીમાં રેલવે, બસ દ્વારા કુલ ૩.૨૫ લાખથી વધુ શ્રમિકોને તેમના વતન જવા રવાના કરી દેવાયા છે એમ તેમણે ઉમેર્યુ હતું.
તેમણે પરપ્રાંતિયોને અપીલ કરતા કહ્યું કે, રાજ્યનું વહીવટી તંત્ર ખૂબ જ સંવેદના સાથે સમગ્ર વ્યવસ્થા કરી રહ્યું છે ત્યારે, આપ સૌ અધીરા ન બનો અને રોડ પર ન આવો તથા ખોટા સંઘર્ષમાં ન ઉતરો એ જરૂરી છે. ખાસ પ્રકારની વિશેષ રેલ વ્યવસ્થા ગોઠવાય છે એટલે એનું માઈક્રોપ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. આ તમામ વ્યવસ્થાઓ આગામી ૧૦થી ૧૫ દિવસ સુધી ચાલશે અને જરૂર જણાશે તો વ્યવસ્થા લંબાવીને પણ તમામને પોતાના વતન પહોંચાડવામાં આવશે.
તેમણે ઉમેર્યું કે સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ આયોજન કરાયું છે. જેમાં ઓડીશા, યુ.પી. અને ઝારખંડ સમાજના આગેવાનો સાથે પરામર્શ કરીને વ્યવસ્થા કરાઈ રહી છે એટલે શ્રમિકોએ પૂરતો સહયોગ આપવો. શ્રમિકોને વહીવટીતંત્ર દ્વારા સામેથી ફોન, મેસેજ કે સમાજના અગ્રણીઓ દ્વારા જાણ કરવામાં આવશે. એટલે એ જ સમયે આપને બસ દ્વારા રેલવે સ્ટેશન સુધી પહોંચાડવામાં આવશે. ટોળા ભેગા કરીને રોડ પર આવવાથી કોઈ ફાયદો થવાનો નથી માત્રને માત્ર આપે સંયમ રાખવાની જરૂર છે તેમ તેમણે કહ્યું હતું. મુખ્યમંત્રીશ્રીના સચિવે જણાવ્યું કે અન્ય દેશોમાં પ્રવાસે ગયેલા કે અન્ય કારણોસર ફસાઈ ગયેલા ગુજરાતીઓને પરત લાવવા ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે. પરત આવવા ઈચ્છુક ગુજરાતીઓએ જે તે દેશના ઇન્ડિયન મિશનમાં નોંધણી કરાવવાની રહેશે. એટલું જ નહિ, ફ્લાઇટની ટિકિટ પ્રવાસીએ સ્વખર્ચે ખરીદવાની રહેશે. આ અભિયાન હેઠળ પ્રથમ તબક્કામાં તારીખ ૭મી મેથી વિદેશથી આશરે ૧૫૦૦ જેટલા ગુજરાતીઓને પરત લાવવાની કામગીરી શરૂ થશે જેમાં, ફિલિપાઇન્સથી ૨૫૦ મુસાફરો, અમેરિકાથી ૬૦૦ મુસાફરો, સિંગાપુરથી ૨૫૦ મુસાફરો, યુકેથી ૨૫૦ મુસાફરો અને કુવૈતથી ૨૦૦ મુસાફરોને ભારત લવાશે. આ પરત આવનાર તમામ મુસાફરોની ખાસ તબીબી તપાસ કરવામાં આવશે. આ સમગ્ર અભિયાનના સંચાલનની જવાબદારી પ્રવાસન સચિવ શ્રીમતી મમતા વર્માને સોંપવામાં આવી છે તેમ તેમણે કહ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે, સુરત કલેકટર દ્વારા સુરતના રત્નકલાકારોને પણ તેમના વતનમાં જવા પોતાના વાહન તથા લક્ઝરીના માધ્યમથી પરત ફરવા છૂટછાટ અપાશે. સુરતમાં વસતા અને રોજગારી મેળવતા રત્નકલાકારો અને શ્રમિકો માટે તેમના વતન પરત ફરવા ખાસ એસ.ટી. બસોની પણ રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવનાર છે.
તેમણે ઉમેર્યું હતું કે, તારીખ ૭ મેથી APL-1 કાર્ડના ૬૧ લાખ જેટલા પરિવારોને ૧૦ કિલો ઘઉં, ૩ કિલો ચોખા, ૧ કિલો ખાંડ અને ૧ કિલો ચણા અથવા દાળ વિનામૂલ્યે આપવામાં આવશે. જે APL-1 કાર્ડનો છેલ્લો આંક ૧ અથવા ૨ હોય એવા કાર્ડધારકોને આવતીકાલે વિનામૂલ્યે અનાજ આપવામાં આવશે. જે APL-1 કાર્ડધારકો અનાજ ખરીદવા સક્ષમ છે તેઓ પોતાના ભાગનું વિનામૂલ્યે મળનારૂં અનાજ જતું કરીને જરૂરિયાતમંદોને વધુ લાભ આપે તેવી અપિલ પણ તેમણે કરી હતી.
____________________________________ [5/6, 7:06 PM] Uday Vaisnav: *આવતી કાલ થી રાજ્યના એ પી એલ 1 કાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ નો પ્રારંભ થવાનો છે* *અમદાવાદ શહેરની પ્રવર્તમાન પરિસ્થિતિ માં આ વિતરણ અમદાવાદ શહેર માં હાલ પૂરતું મુલત્વી રાખવામાં આવ્યું છે*. *આ અનાજ વિતરણ ની અમદાવાદ શહેર માટેની નવી તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે* *રાજ્યના અન્ય સ્થળોએ આવતી કાલ થી આગાઉ જાહેર થયા મુજબ ની વ્યવસ્થા અનુસાર અનાજ વિતરણ કરવામાં આવશે*
____________________________________ [5/6, 8:10 PM] Uday Vaisnav: પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના આક્ષેપોનો જડબાતોડ જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા ….. ગુજરાતની શ્રી વિજયભાઇ રૂપાણી સરકારે અન્ય રાજ્યોના શ્રમિકોને વતન રાજ્ય મોકવાની વ્યવસ્થા કરી છે કોંગ્રેસ પરપ્રાંતિય શ્રમિકોને ઉશ્કેરવાના ષડયંત્રો કરે છે તુષ્ટિકરણની રાજનીતિ કરનારી કોંગ્રેસ તબલીકીઓએ દેશભરમાં કોરોના સંક્રમણ ફેલાવવાનું ઘોર પાપ કર્યુ તેની સામે કેમ હરફ પણ ઉચ્ચારતી નથી ગુજરાતની સરકારે તો ૩.૭પ લાખ શ્રમિકોને સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે આરોગ્યની તકેદારી રાખીને તેમના વતન પહોચાડવાનું આયોજન કર્યુ છે …… ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ અમેરિકન પ્રમુખ ટ્રમ્પની ગુજરાત મુલાકાતને કારણે કોરોના મહામારી ફેલાઇ છે એવા કરેલા આક્ષેપને એમની અજ્ઞાનતા સમાન ગણાવી તીવ્ર આલોચના કરી છે. ગૃહ રાજ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે એ દિવસોમાં કોરોનાની કોઇ બિમારી ભારતમાં કે ગુજરાતમાં હતી જ નહિ. તેમણે ઉમેર્યુ કે, આ કાર્યક્રમને મળેલી સફળતાથી કોંગ્રેસના પેટમાં જે તેલ રેડાયું તેનો બળાપો આ શબ્દો અને નિવેદનોથી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કાઢી રહ્યા છે. વિશ્વમાં આજે કોરોનાની આ મહામારી ફેલાઇ ગઇ છે અને એને નાથવા મહાસત્તાઓ કામે લાગી છે ત્યારે કોરોનાના ગુજરાતમાં વ્યાપ માટે ભારતીય જનતા પાર્ટીની સરકારને દોષિત ઠેરવીને કોંગ્રેસ મગરના આંસુ સારે છે. ગૃહ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકારે કોરોના સંક્રમણ વ્યાપ વધે તે પહેલા જ આરોગ્યતંત્રને આગોતરા આયોજનથી જોતરીને રાજ્યમાં જિલ્લા મથકો, મહાનગરો સુધી સ્પેશ્યલ કોવિડ હોસ્પિટલો ર૧પ૦૦થી વધુ બેડ સાથે શરૂ કરાવી છે. એટલું જ નહિ, કોરોનાના ટેસ્ટીંગમાં પણ મોટાપાયે એટલે કે દસ લાખે હજાર વ્યકિતઓના ટેસ્ટીંગ સામે સૌથી વધુ ટેસ્ટ અમદાવાદમાં કરાવેલા છે. આ બધા ઉપરાંત વેન્ટીલેટર્સ, PPE કિટ, N-95 માસ્ક અને તબીબો-આરોગ્યકર્મીઓની સેવા પરાયણતાથી કોરોના સામે જંગ આદર્યો છે. કોરોનાને કારણે સર્જાયેલી લોકડાઉનની સ્થિતીમાં કોઇ ગરીબ-શ્રમિક-મધ્યમવર્ગીય પરિવારોને ભૂખ્યા સૂવા વારો ના આવે તેની ચિંતા કરીને અંત્યોદય NFSA, APL-1 અને જેમની પાસે કાર્ડ ન હોય તેવા શ્રમિકોને અન્નબ્રહ્મ સહિત રાજ્યના ૯ર ટકા ઉપરાંત લોકોને પાંચ તબક્કામાં વિનામૂલ્યે ૪ર.૪૮ કવીન્ટલ અનાજ જેની કિંમત રૂ. ૯૮૧ કરોડ થવા જાય છે તે વિતરણ મૂલ્ય છે. ગૃહ મંત્રીશ્રીએ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ગુજરાતમાં વસતા અન્ય રાજ્યોના શ્રમિકોને વતન પરત મોકલવાના મૂદે જે આક્ષેપો કરી રહ્યા છે તેનો સચોટ જવાબ આપ્યો હતો. તેમણે સાફ શબ્દોમાં જણાવ્યું કે, ગુજરાતે સમગ્ર દેશમાં સૌથી વધુ ટ્રેન અન્ય રાજ્યો માટે રવાના કરી છે. અત્યાર સુધીમાં ૩૯ ટ્રેન બિહાર, ઉત્તરપ્રદેશ, ઓરિસા જેવા રાજ્યોમાં ગઇ છે અને બીજી ૩૦ ટ્રેન બુધવારે જવાની છે તેમાં ૮ર હજાર જેટલા પરપ્રાંતિય શ્રમિકો વતન ગયા છે. એટલું જ નહિ, રસ્તા માર્ગે, બસ દ્વારા, ખાનગી વાહનો દ્વારા એમ કુલ ૩ લાખ ૭પ હજાર શ્રમિકોને પોતાના વતન રાજ્ય પહોચાડવાનું આયોજન પાર પાડયું છે. શ્રી પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યુ કે, અમે આવા પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતનમાં મોકલવામાં પણ પૂરતી તકેદારી રાખી છે તેમના આરોગ્યનું પરિક્ષણ થાય, સોશિયલ ડિસ્ટન્સીંગ નોર્મ્સ જળવાય તેમજ રસ્તામાં તેમની ખાવા-પીવાની વ્યવસ્થા સહિતની ચિંતા કરી છે. તેમણે કહ્યું કે, ૩ હજારની કેપેસિટીની ટ્રેનમાં ૧ર૦૦ વ્યકિતઓને જ જવા દઇએ છીયે. એટલું જ નહિ, સ્ટેશન પર પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવીએ છીયે. નજીવું ભાડું પણ કેન્દ્ર સરકાર દ્વારા ઉપાડવાાં આવે છે. પ્રદેશ કોંગ્રેસ પ્રુમખ આવા જેમને વતનમાં જવું છે તેવા પરપ્રાંતિય શ્રમિકોની યાદી તેમની પાસે છે એવું કહીને તેમને ઉશ્કેરી રહ્યા છે અને તેથી આવા શ્રમિકો પર કેસો થજાય છે એવી બેજવાદાર વર્તણૂંક કરે છે તેની આકરી આલોચના શ્રી જાડેજાએ કરી છે. ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ કોંગ્રેસ તુષ્ટિકરણની રાજનીતિ જ કરી રહી છે એમ સ્પષ્ટપણે જણાવતાં કહ્યું કે, દેશમાં કોરોના વાયરસના સંક્રમણને વધારવાનું ઘોર પાપ કરનારા તબલીકી જમાતના લોકોને વખોડતો એક હરફ પણ કોંગ્રેસના કોઇ નેતા કેમ ઉચ્ચારતા નથી. ગૃહ રાજ્યમંત્રીશ્રીએ એમ પણ કહ્યું કે, ગુજરાતની શ્રી વિજયભાઇ રૂપાણીની ભારતીય જનતા પાર્ટીની સરકાર શ્રમિકોને ગરીબોને વિનામૂલ્યે અનાજ વિતરણ, વતનમાં પરત મોકલવાનું સુંદર આયોજન કરી રહી છે ત્યારે માત્રને માત્ર તેમને ઉશ્કેરવાનું ષડયંત્ર કોંગ્રેસ કરે છે તે સખત નિંદનીય છે. …… [5/6, 8:15 PM] Uday Vaisnav: *મુખ્યમંત્રીશ્રીએ ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહને પત્ર પાઠવ્યો* :- *અમદાવાદમાં કોરોનાના સંક્રમણ સામે સંક્રમિતોની સારામાં સારી સારવાર થાય તે માટે સિવિલ હોસ્પિટલના તબીબોનું માર્ગદર્શન કરવા દેશના નામાંકિત અને શ્રેષ્ઠ ત્રણ તબીબોને સ્પેશ્યલ વિઝીટ માટે અમદાવાદ મોકલવા અનુરોધ* …… *અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ સામે આક્રમકતાથી રણનીતિ અંગે તાકીદની બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ આપ્યું માર્ગદર્શન* …… *નાયબ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતીમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અમદાવાદ શહેરના નામાંકિત તબીબો-મેડિકલ એકસપર્ટ સાથે બેઠક યોજાઇ* ……. *અમદાવાદ શહેરના પ્રખ્યાત ખાનગી તબીબો સરકારની વિનંતીને પગલે સિવીલ હોસ્પિટલમાં કોરોના સંક્રમિતોની સારવારમાં આજથી સહભાગી બન્યા* …… મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહને પત્ર પાઠવીને અમદાવાદમાં કોરોના વાયરસના સંક્રમણને ગંભીરતાથી લઇને મેડીસિટી કેમ્પસમાં આવેલી સિવીલ હોસ્પિટલમાં ૧૨૦૦ બેડની કોવિડ-19 હોસ્પિટલમાં હાલ જેઓ સારવાર લઇ રહ્યા છે તે બધા સહિત કોરોના સંક્રમિતોની વધુ સારી સારવાર થઇ શકે અને આ સંક્રમિતોની સારવાર કરી રહેલા તબીબો-મેડિકલ ટીમને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે ભારતના ખ્યાતનામ – શ્રેષ્ઠ ત્રણ તબીબોને સ્પેશીયલ વિઝીટ માટે મોકલવાનો અનુરોધ કર્યો છે. શ્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી સાથે આ સંદર્ભે ફોન દ્વારા વિગતે વાતચીત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ ત્રણ શ્રેષ્ઠ તબીબોમાં કોરોના અંગેની સારવાર સંશોધનની મહત્વપૂર્ણ સંસ્થા આઇ.સી.એમ.આર.માં જેમની અગ્રણી ભૂમિકા છે અને એઇમ્સ નવી દિલ્હીના જેઓ સિનિયર ડાયરેકટર છે તેવા ડૉ. રણદીપ ગુલેરિયા, દિલ્હીની એપોલો હોસ્પિટલના ડૉ. રાજેશ ચાવલા અને મુંબઇના લીડીંગ પલમેનોલોજીસ્ટ ડૉ. રોહિત પંડિતને અમદાવાદની આ ૧૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલ જે ખૂબ જ ટૂંકાગાળામાં કાર્યરત કરવામાં આવી છે તેમાં સેવારત મેડીકલ ટીમને જરૂરી માર્ગદર્શન આપવામાં મદદરૂપ થવા ખાસ વિઝીટ માટે મોકલવા ગૃહ મંત્રીશ્રીને આ પત્રમાં વિનંતી કરી છે. આ શ્રેષ્ઠ તબીબોનું ઝિણવટભર્યુ માર્ગદર્શન કોવિડ-૧૯ હોસ્પિટલોના તબીબોને મળવાથી સંક્રમિતોની સારવાર વધુ સઘનતાથી થઇ શકશે અને દર્દીઓ ઝડપથી સાજા થઇ પોતાના ઘરે જઇ શકશે, રિકવરી રેટમાં વધારો થાય અને મૃત્યુ-દર પણ ઘટાડી શકાય તે દિશામાં રાજ્ય સરકાર તેમના માર્ગદર્શનમાં સંપૂર્ણ કટિબદ્ધતાથી આગળ વધશે. મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોના વાયરસ સંક્રમણ સામે આક્રમકતાથી રણનીતિ ઘડીને સર્વેલન્સ, સારવાર વ્યવસ્થાઓ સઘન બનાવવા અગ્રતા આપી છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ સિવીલ હોસ્પિટલ કેમ્પસની ૧ર૦૦ બેડની કોવિડ હોસ્પિટલમાં સારવાર-સુશ્રુષા સહિતની અન્ય વ્યવસ્થાઓની ચર્ચા-વિચારણા માટે તાકીદની ઉચ્ચસ્તરીય બેઠક મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજી હતી. તેમણે અમદાવાદની આ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર વધુ સારી, ઉત્તમ રીતે થાય અને તેમને આરોગ્ય સહિતની બધી સુવિધાઓ નિયમીત યોગ્ય રીતે મળે તેવી જરૂરી સૂચનાઓ આ બેઠકમાં આપી હતી. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, મુખ્ય સચિવ શ્રી અનિલ મૂકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન તેમજ કોવિડ-19ના રાજ્યસ્તરીય સંકલન માટેના વિશેષ અધિકારી શ્રી પંકજકુમાર સહિતના વરિષ્ઠ સચિવો આ ઉચ્ચસ્તરીય બેઠકમાં જોડાયા હતા. મુખ્યમંત્રીશ્રીએ કોરોના સંક્રમિત દર્દીઓ ઝડપથી સાજા થઇને પોતાના ઘરે જાય, રિકવરી રેટમાં વધારો થાય તેમજ મૃત્યુ-દર ઘટાડી શકાય તે માટે અમદાવાદના ખ્યાતનામ ખાનગી તબીબોની સેવાઓ લઇને પણ સારવાર વ્યવસ્થા સુદ્રઢ બનાવવા જણાવ્યું હતું. રાજ્ય સરકારે આ માટે પ્રતિષ્ઠિત ખાનગી તબીબોને કરેલી વિનંતીને પગલે અમદાવાદ શહેરના પ્રતિષ્ઠિત તબીબો ડૉ. તુષાર પટેલ, ડૉ. જિગર મહેતા, ડૉ. ગોપાલ અને ડૉ. અમરિષ સિવિલ હોસ્પિટલ પહોચીને દર્દીઓની તપાસ-સારવારમાં સિવિલ હોસ્પિટલના તબીબો આજથી સહભાગી થયા છે. મુખ્યમંત્રીશ્રીએ આ તબીબોની સેવાઓને બિરદાવતા જણાવ્યું કે અમદાવાદમાં કોરોના સંક્રમણની વ્યાપક પરિસ્થિતીમાં સંક્રમિતોની ઉત્તમ સારવાર સુવિધા અને ઝડપથી સાજા થવામાં આ ખાનગી તબીબોનું યોગદાન ઉલ્લેખનીય રહેશે. શ્રી વિજયભાઇ રૂપાણીની આ મહત્વપૂર્ણ તાકિદની બેઠકને પગલે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે કોવિડ-19ના રાજ્યસ્તરના વિશેષ સંકલન માટે અધિક સચિવ શ્રી પંકજકુમાર, આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિ સહિતના વરિષ્ઠ અધિકારીઓ સાથે અમદાવાદ સિવીલ હોસ્પિટલની મુલાકાત લઇને વ્યવસ્થાઓનું નિરીક્ષણ અને સમીક્ષા કર્યા હતા તથા અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને વધતું અટકાવવાની ભાવિ રણનીતિ અંગે શહેરના પ્રતિષ્ઠિત મેડિકલ એકસપર્ટ સાથે વિગતે પરામર્શ કર્યો હતો. સી.એમ-પીઆરઓ/અરૂણ …..