દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લા ના કપરાડા તાલુકા નું કોલવેરા ગામને ઇકો ટુરિઝમ તરીકે વિકાસ કરવું જોઇએ
સતિષ પટેલ બ્યુરો ચીફ વલસાડ
ગુજરાત રાજ્યનું એક ગામ કોલવેરા દક્ષિણ ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલા અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા એવા કપરાડા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામમાં પ્રાથમિક શાળા તેમ જ આંગણવાડીની સગવડ પ્રાપ્ય છે. કોલવેરા ગામમાં ૧૦૦ ટકા આદિવાસી લોકો વસે છે. આ ગામ જંગલોથી ભરપૂર ડુંગરાળ પ્રદેશમાં આવેલો છે. અંહીના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. અંહી નાગલી, ડાંગર, અડદ અને શાકભાજી ના જેવાં ધાન્યો પાકે છે. અંહીના લોકો કુકણા વારલી બોલી બોલે છે, જે ગુજરાતી ભાષાથી એકદમ અલગ હોય છે.
વલસાડ જિલ્લામાં હાલમાં ઇકો ટુરિઝમ તરીકે કોઇ ગામ નથી કપરાડા તાલુકાના કોલવેરા ગામેં પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે એવી વર્ષોથી લોકોની માંગ થઇ રહી છે. હાલમાં કપરાડા તાલુકામાં એકપણ ઇકો ટુરિઝમ નથી. દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લામાંના કપરાડા જંગલોમાં એક ઇકો ટુરિઝમ માટેની તૈયાર કરવા માટે ટુરિઝમ વિભાગે સર્વે કરીને એક કપરાડા તાલુકામાં માટે સરવે કરીને વહેલી તકે ઈકો ટુરિઝમ મળે એવી લોક લાગણી છે.
કોલવેરા ડુંગર માંથી કોલક નદી નીકળી છે. કોલવેરા ડુંગર કિનારે સાઈટ પર ગીચ જંગલો છે વચ્ચે વિશાળ મોટી જગ્યા ખાલી છે.નજીકમાં લવકર ધોધ પણ છે, વરવઠ માં અતિ પ્રાચીન હુનુમાન શિવલીંગઅને આજુબાજુના વિસ્તારમાં એતિહાસીક સ્થળ પણ છે.
કપરાડા ના કોલવેરા ગામ કોલવેરા ડુંગર ને પ્રવાસન કેન્દ્ર ઈકો ટુરિઝમ સેન્ટર ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં મહારાષ્ટ્ર નજીકના આવેલ ગાઢ જંગલો અને પર્વતીય ભૂપૃષ્ઠ ધરાવતા કપરાડા તાલુકાના કોલવેરા ગામ એક પ્રાકૃતિક સ્થળ છે. આ સ્થળને વિકસાવવામાં આવે તો વલસાડ થી નાસિક જતા નેશનલ હાઇવે પર હોવાથી નાસિક શિરડી જતા પ્રવાસી ઓને પણ લાભ લઈ શકે. સ્ટેટબારી થી નેશનલ હાઈવે થી 15 કિલો મીટર જેટલા અંતર પછી દક્ષિણ દિશામાં માર્ગ દ્વારા જઈ શકાય છે.
આ સ્થળને હાલમાં પણ અનેક પ્રવાસીઓ આવે છે. હાલે પણ એક આકર્ષણ વિદ્યાર્થીઓ માટેનું પર્યટક સ્થળબનીયું છે. કપરાડા ની સ્કુલ ના વિદ્યાર્થીઓ લઈ જવામાં આવે છે. દરેક સ્કૂલો વન ભોજન માટે એકમાત્ર સ્થળ છે. અહીં વન્યસંપત્તિ પણ શૈક્ષેણિક માટે આ અનેરી જગ્યા છે.
સ્થાનિક યુવાન શિત્યાભાઇ વાઘમારે જણાવ્યું કે આદિવાસી વિસ્તારમાં કોલવેરા ગામ છે અહીં અનેક દેવી દેવતાઓ છે. પવિત્ર ભૂમિ છે અહીં પાણી ભરપૂર છે. કોલક નદી નીકળી છે.અહીં પ્રવાસન સ્થળ તરીકે ઓળખાય છે. જેને સરકારે ધ્યાનમાં રાખીને પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરે એવી માંગ છે.