*ફાર્મસી કાઉન્સિલનો પબ્લિસીટી સ્ટંટ*
જુઠાણા ફેલાવી ફાર્માસિસ્ટને ગુમરાહ કરે છે ફાર્મસી કાઉન્સિલ
ઘણા ફાર્માસિસ્ટો એ મારુ ધ્યાન દોર્યું કે ત્રણ વર્ષથી એપોલો ફાર્મસીમા ચાલતી ગેરરીતિ વિરૂદ્ધ ગુજરાત જનતા જાગૃતિ મંચ સતત રજુઆતો કરે છે પરંતુ એની ક્રેડિટ ફાર્મસી કાઉન્સિલ લઇ રહી છે રિફ્રેસર કોર્ષમાં અને પત્રિકા ફરતી કરી જણાવે છે કે
*એપોલો ફાર્મસી જેવી ચેઈન સ્ટોરમા પણ આવા પગલાં લઈને મિનિમમ બે ફાર્માસિસ્ટ ફરજિયાત કર્યા*
ફાર્મસી કાઉન્સિલના આ હળહળતા જુઠાણાનો આજે પર્દાફાશ કરીશું
(1) એપોલો ફાર્મસીમાં એક શિફ્ટમાં ફાર્માસિસ્ટ હાજર હોય છે અને એક શિફટ ફાર્માસિસ્ટ વિના ચાલે છે. એવી ફરિયાદ સિનિયર સિટિજન રજનીકાંત વૈધ દ્વારા ફાર્મસી કાઉન્સિલને કરેલ.
એપોલો ફાર્મસીમા તપાસ કરવા ફાર્મસી ઈન્સ્પેક્ટરની નિમણુંક કરેલ ના હોઈ તેમજ ફાર્મસી કાઉન્સિલ પાસે કોઈ મેડીકલ વિરુદ્ધ પગલા ભરવાની કોઈ સત્તા ના હોઈ. કાઉન્સિલે આ બાબતે તપાસ કરવા FDCA ને તપાસ કરી કાર્યવાહી કરવા ફરિયાદ કરવાની હોય. જેના આધારે FDCA એપોલો ફાર્મસી વિરુદ્ધ પગલા લઇ શકે
(2) ફુડ એન્ડ ડ્રગ વિભાગ ના આસિસ્ટન્ટ કમિશ્નરના જણાવ્યા મુજબ ફાર્મસી કાઉન્સિલે એપોલો ફાર્મસીની કોઈ ફરિયાદ કરેલ નથી.
(3) ફાર્મસી કાઉન્સિલ પાસે એપોલો ફાર્મસીને નોટિસ આપવાના, સજા કરવાના કોઈ પાવર નથી.
(4) એપોલો ફાર્મસીમાં બે ફાર્માસિસ્ટ હાજર રાખવા ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા FDCA ને રજુઆત કરેલ છે.
આસિસ્ટન્ટ કમિશ્નર વિઠ્ઠલભાઈ ડોબરિયાના જણાવ્યા મુજબ ફાર્મસી કાઉન્સિલની આ બાબતે કોઈ રજુઆત મળેલ નથી
(5) આજના દિવસે પણ FDCA ની વેબસાઈટ xlnindia.gov.in ચેક કરતાં એપોલો ફાર્મસીની લગભગ તમામને શાખામાં એક જ ફાર્માસિસ્ટ છે.
ગુજરાત જનતા જાગૃતિ મંચે રજુઆત કરી છે તો બે ફાર્માસિસ્ટ ઉપલબ્ધ કરાવશેજ એ વિશ્ર્વાસ ફાર્મસી કાઉન્સિલને પણ છે પરંતુ જશ ખાટવામાં થોડી ઉતાવળ કરી દીધી.
(6) સિનિયર સિટીઝન રજનીકાંત વૈધ ની ફરિયાદ સંદર્ભે કરેલ કાર્યવાહીનો જવાબ ફાર્મસી કાઉન્સિલે હજી સુધી આપ્યો નથી જેનો સીધો મતલબ થાય કે કોઈ કાર્યવાહી કરી નથી.
ફાર્માસિસ્ટ મિત્રો રિફ્રેસર કોર્ષ માં જાઓ ત્યારે જો કાઉન્સિલના સભ્યો આવા જુઠાણા ચલાવે તો તાળીઓ પાડવાની જગ્યાએ સવાલો અચુક પુછો
આ સાથે ફાર્મસી કાઉન્સિલના તમામ સભ્યોને
એપોલો ફાર્મસીની કઈ બ્રાંચ ઉપર બે ફાર્માસિસ્ટ ફરજિયાત કરાવ્યા અને કેવી રીતે કરાવ્યા એ જાહેર કરવા પડકાર આપુ છુ.
*તમારા ફાર્માસિસ્ટ મિત્રોને ગુમરાહ થતાં અટકાવવા આ મેસેજ તમામ ફાર્માસિસ્ટ સુધી પહોચાડો*
આપનો
રજનીકાંત ભારતીય 9725542874
પ્રમુખ
ગુજરાત જનતા જાગૃતિ મંચ