ભુજ સ્વામનારાયણ મંદિર અંતર્ગત સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટ માં કન્યાઓ ના માસિક ધર્મ ચકાસવા બાથરૂમ મા લઇ જઇ કપડાં ઉતરી ચકાસણી કરવામાં આવી.આવા સંપ્રદાય ના ટ્રસ્ટી ના મનઘડત રૂઢિ રિવાજો સામે કન્યાઓ એ બળવો કરી બહાર આવી સત્ય બહાર પાડ્યું .સમગ્ર ગુજરાત માં તેમજ સ્વામિનાાયણના સખી.ભક્તો ના મંડળો માં પણ આક્રોશ ફાટી નીકળ્યો..નિંદા કરવાને બદલે સમર્થન માં કૃષ્ણસ્વરૂપદાસજી ને બચાવવા ભુજ મંદિર દ્વારા રેલી અને આવેદન પત્રો આપવા આવા નિંદનીય નિવેદનો ને લોકો ના જન માનસ ઉપર થી કાઢી નાખવા જાત જાત ના પેંતરા રચાય છે સમગ્ર ભુજ અને ગુજરાત માં આવા કાર્યક્રમ ને લઈ ને વિરોધ નો. વંટોળ ફાટી નીકળે તેવી પરિસ્થિતિ છે.ભુજ સ્વાિનારાયણ મંદિર દ્વારા એક એવો પત્ર વાયરલ કરવામાં આવ્યો કે સ્ત્રીઓ ની કોઈ અવગણના કરવાનો સંસ્થા નો હેતુ નથી અને સંસ્થાના રૂઢિચુસ્ત નિયમો પ્રમાણે કન્યાઓ ને ચકાસવા કપડાં ઉતારવામાં આવ્યા હતા અને બે દિવસ માં તેમની વાત નો ઉકેલ નહિ આવતા આં કન્યાઓ દ્વારા ફરિયાદ થવા પામી હતી. આમ આં પત્ર દ્વારા સમગ્ર ઘટના ને ઢાંક પીછોડો કરવા ના ખેલ થઈ રહ્યા છે.હવે જોવાનુ રહ્યું કે પોલીસ.રાજ્ય મહિલા આયોગ અને રાષ્ટ્રીય મહિલા આયોગ ની ટીમ આં કન્યાઓ સાથે વાત કર્યા બાદ તેમજ ટ્રસ્ટી મંડળ ને મળ્યા બાદ શું તરણ કાઢી ને મહિલા જગત ને ન્યાય આપશે કે શાશક સરકાર ની વોટબેંકની ટકાવી રાખવા ઢાંક પિછોડો કરશે તે જોવાનું રહ્યું. કચ્છ ના નલિયા રિસોર્ટ માં પણ સેક્સ કાંડ વિશ્વ.વિખ્યાત ખેલાયો તો પણ શાશક સરકારે સત્તા ના જોરે ચાર્જશીટ હોવા છતાં ૩૫ પીડિતા ઉપર ૬૫ વખત ના બળાત્કાર થાય છતાં તમામ ભગવો ઉપર ના કલંક ને મિટાવી લોક માનસ ઉપર થી આખી ઘટના ને પડદો પાડી દીધો…. સ્વામિનારાયણ સંપ્રદાય ના આવા અધકચરા જ્ઞાન ના અમુક સાધુઓ ના બફાટ ના લીધે આખો સંપ્રદાય બદનામ થાય છે..વારે ઘડીયે આવા બનાવો તેમજ સાધુઓની લંપટ લીલા ની વિડિઓ પણ ઘણીવાર વાયરલ થઇ કેસ થાય છે…જોઈએ આં સંપ્રદાય ને બચાવવા ખુદ હરિભક્તો અને ટ્રસ્ટી મંડળો તેમજ અનેક ધનાઢય ઉધોગપતિઓ દ્વારા સંપ્રદાય ને ટકાવવા હવે કયો તખ્તો ઘડાય અને આબરૂ બચાવશે.
કૃષ્ણ સ્વરૂપ દાસજી……જેની જીભ લપસી તેમની તસવીર
ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર સંચાલિત મિરઝાપર રોડ સ્થિત શ્રી સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટિટ્યૂટ ( કોલેજ)માં ભણતી દિકરી કહે છે.. રજસ્વલા ધર્મ તપાસવાના મામલામાં શું કહે છે એના જ મુખેથી સાંભળો….