ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ
પ્રેસનોટ- 2368/04/2024 તા.25-04-2024
કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ અમેરિકાના હેરિટન્સ ટેક્સ પર આપેલા વિવાદસ્પદ નિવેદન મામલે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ પ્રદેશ કાર્યાલયશ્રી કમલમ ખાતે પત્રકાર પરિષદને સંબોધી તેમના નિવેદનને વખોડ્યુ.
કોંગ્રેસ પાર્ટીને જનતાની વિરાસતમાથી પણ ભાગ જોઇએ છે. – શ્રી સી.આર.પાટીલ
—-
રાહુલ ગાંધી જનતાની સંપત્તિનો સર્વે કરાવી વહેંચવાની વાત કરે છે તેને ભારતીય જનતા પાર્ટી ચલાવી નહી લે. – શ્રી સી.આર.પાટીલ
—-
કોંગ્રેસની મંથા મેલી છે તે લોકો સમક્ષ ખુલી થઇ છે. – શ્રી સી.આર.પાટીલ
—-
કોઇ પણ વ્યક્તિ જીદંગી ભર કમાણી કરે અને તે મૃત્યુ પામે ત્યારે તેમની સંપત્તિ તેમના વારસદારને મળે છે પરંતુ જેમને લુટવાની ટેવ છે તેવી કોંગ્રેસ પાર્ટીને આ મંજૂર નથી. કોંગ્રેસ પાર્ટીને તેમાથી પણ ભાગ જોઇએ છે. – શ્રી સી.આર.પાટીલ
—-
આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશની જનતાની સંપત્તિ લુટવાની પ્રથા બંઘ કરાવી અને લાભાર્થીઓને સીધો અને પુરો લાભ મળે તેવી વ્યવસ્થા કરી છે.
– શ્રી સી.આર.પાટીલ
—–
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમા જણાવે છે કે, કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ અમેરિકાના હેરિટન્સ ટેક્સ પર આપેલા વિવાદસ્પદ નિવેદન મામલે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ પ્રદેશ કાર્યાલયશ્રી કમલમ ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી.
શ્રી સી.આર.પાટીલે જણાવ્યું કે, કોંગ્રેસના નીતીકાર, સલાહકાર એવા સામ પિત્રોડા વિચારો લાદવામા હાવી રહે છે કારણ કે ગઇકાલે તેમણે વિરાસતમા મળેલ મિલક્ત પર ટેક્સ લગાવવા મામલે નિવેદન કર્યુ. કોઇ પણ વ્યક્તિ જીદંગી ભર કમાણી કરે અને તે મૃત્યુ પામે ત્યારે તેમની સંપત્તિ તેમના વારસદારને મળે છે પરંતુ જેમને લુટવાની ટેવ છે તેવી કોંગ્રેસ પાર્ટીને આ મંજૂર નથી. કોંગ્રેસ પાર્ટીને તેમાથી પણ ભાગ જોઇએ છે આ વિચાર રજૂ કર્યો તેના કારણે દેશભરમા હલચલ છે. જો કોંગ્રેસ સત્તામા આવે અને કોઇ પણ વ્યક્તિએ કરેલી કમાણી માથી 55 ટકા હિસ્સો ટેક્સ તરીકે લેવાની વાત કરી છે જેના કારણે જનતામા રોષ જોવા મળ્યો છે.
શ્રી પાટીલજીએ મનમોહનસિંહએ પાંચ વર્ષ પહેલા આપેલા નિવેદનને ટાંકતા જણાવ્યું કે, કોંગ્રેસ નેતા અને પુર્વ વડાપ્રધાને અંદાજે પાંચ વર્ષ પહેલા નિવેદન કર્યુ હતું કે આ દેશની સંપત્તિ પર સૌથી પહેલો અધિકાર લઘુમતીનો છે અને ફરી તેમણે નિવેદન કર્યુ કે આ દેશની સંપત્તિ પર સૌથી પહેલો અધિકાર મુસલમાનનો છે. આવા નિવેદન કરી જનતાની સંપત્તિ લુટવાનો કોંગ્રેસનો ઇરાદો છે તેના કારણે જનતા મા રોષ જોવા મળે છે. આ પછી કોંગ્રેસના નેતા રાહુલ ગાંઘીએ પણ તેમના નિવેદનને સમર્થન આપ્યુ કે જેમની પાસે સંપત્તિ છે તેનો સર્વે કરીશુ અને તે સંપત્તિ વહેચી દઇશું. કોઇ વ્યકિત તેમના પરિવારજનને સુખી જીવન આપવાનો પ્રયત્ન કરે છે જયારે રાહુલ ગાંધી જનતાની સંપત્તિનો સર્વે કરાવી વહેંચવાની વાત કરે છે તેને ભારતીય જનતા પાર્ટી ચલાવી નહી લે. આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશની જનતાની સંપત્તિ લુટવાની પ્રથા બંઘ કરાવી અને લાભાર્થીઓને સીધો લાભ મળે અને પુરો લાભ મળે તેવી વ્યવસ્થા કરી છે.
શ્રી પાટીલજીએ વધુમા જણાવ્યું કે, કોંગ્રેસની મંથા મેલી છે તે લોકો સમક્ષ ખુલી થઇ છે. કર્ણાટકની અંદર લાભાર્થીઓનો અધીકાર કાપી ચોક્કસ સમુદાયને ખુશ કરવા 4 ટકા જેટલો રિઝર્વેશન આપવાનો નિયમ કર્યો છે. કોઇ ચોક્કસ સમુદાયને લાભ આપવા અને જે લોકો પીડીત છે તેમને લાભ નો અધિકાર ન મળે તેને ભાજપ નહી ચલાવે. લોકોની સંપત્તિ લઇને ચોક્કસ સમુદાયને આપી દેવાની વાત ભાજપ ક્યારેય ચલાવશે નહી. કોંગ્રેસના સમયમા જે ઘુસ્યા છે તેમને બહાર કરવાને બદલે આર્થિક સહાય કરી મજબૂત કરવાના પ્રયત્નોને સફળ નહી થવા દઇએ અને ભાજપ મજબૂત સરકાર બનાવી આના પર કામ કરશે તેની ખાતરી આપુ છું.
આ પ્રેસ કોન્ફરન્સમા પ્રદેશના મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ,પ્રદેશના મુખ્ય પ્રવકતાશ્રી યમલભાઇ વ્યાસ,સહ પ્રવકતાશ્રીઓ શ્રી હિતેન્દ્રભાઇ પટેલ,શ્રી દિપકભાઇ જોષી, મીડિયા સહ કન્વીનરશ્રી ઝુબિનભાઇ આશરા.સોશિયલ મીડિયાના કન્વીનરશ્રી મનનભાઇ દાણી ઉપસ્થિત રહ્યા હતા.
ડૉ.યજ્ઞેશ દવે
(પ્રદેશ મિડિયા કન્વીનર)