ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ
પ્રેસનોટ- 2373/04/2024 તા.26-04-2024
લોકસભા ચૂંટણી અંતર્ગત વિદેશમા રહેતા મૂળ ભારતીય નાગરીકો આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના સમર્થનમા કાર રેલી યોજશે તે સંદર્ભે મીડિયા સેન્ટર ખાતે વિદેશ સંપર્ક વિભાગના
કન્વીનરશ્રી દિગંતભાઇ સોમપુરાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી.
—-
આગામી 28 એપ્રિલના રોજ અમદાવાદ રિવરફ્રન્ટ થી કાર રેલીનો પ્રારંભ થશે અને સુરત ખાતે રેલીનુ સમાપન થશે – શ્રી દિગંત સોમપુરા
—-
અંદાજે 100 જેટલી કારમા એનઆરઆઇ અને એનઆરજી લોકો રેલીમા જોડાશે. – શ્રી દિગંત સોમપુર
—-
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમા જણાવે છે કે, આ વખતની લોકસભા ચૂંટણી ઐતિહાસીક છે કારણ કે આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ સતત ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઇ રહ્યા છે અને ન માત્ર દેશમા પરંતુ વિદેશમા વસતા મૂળ ભારતીયો પણ ઇચ્છે છે કે અબ કી બાર ફીર મોદી સરકાર. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના સમર્થનમા વિદેશમા વસતા ભારતીય નાગરીકો ગુજરાતમા કાર રેલીનુ આયોજન કર્યુ છે આ કાર્યક્રમ અંગે વિદેશ સંપર્ક વિભાગના કન્વીનરશ્રી દિગંત સોમપુરાએ આગામી કાર્યક્રમની માહિતી અંગે પ્રદેશ મીડિયા સેન્ટર ખાતે પ્રેસકોન્ફરન્સને સંબોધી હતી
શ્રી દિગંત સોમપુરાએ જણાવ્યું કે, આગામી લોકસભા ચૂંટણીને લઇને ન માત્ર દેશમા પણ વિદેશમા વસતા ભારતીયોમા પણ આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ફરી વડાપ્રધાન બને તેમ ઇચ્છી રહ્યા છે. આ વખતની લોકસભા ચૂંટણીમા વિદેશના નેતાઓની પણ નજર મંડરાયેલી છે. વિદેશમા રહેતા ભારતીયોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના સમર્થનમા કાર રેલીનુ આયોજન કર્યુ છે. વિદેશના દેશોમા અમેરિકા,યુકે,ઓસ્ટ્રલીયામા કાર રેલી યોજાઇ હતી. આજે વિદેશમા રહેતા મૂળ ભારતીય લોકો દ્વારા આગામી 28 એપ્રિલ ના રોજ અમદાવાદથી સુરત સુઘી એક કાર રેલી યોજાશે. આ કાર રેલીમા 100 જેટલી કારમા મૂળ ભારતીય કે જે વિદેશમા વસવાટ કરે છે તે લોકો જોડાશે છે.આ કાર રેલી અમદાવાદ રિવરફ્રન્ટ ખાતેથી પ્રાંરભ થઇ સુરત ખાતે સમાપન થશે અને પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી તમામ એનઆરઆઇ અને એનઆરજી નુ સ્વાગત કરી મુલાકાત કરશે. વિદેશમા રહેતા ભારતીયો ભારત આવીને પ્રચાર કરે તે સૌ પ્રથમ વખત આયોજન થયુ છે.આ પ્રેસ કોન્ફરન્સમા સહ કન્વીનરશ્રી ઝુબિનભાઇ આશરા, સહ પ્રવકતાશ્રીઓ શ્રી શ્રદ્ધાબેન રાજપૂત, શ્રી દિપકભાઇ જોષી,શ્રી જયેશભાઇ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા.
ડૉ.યજ્ઞેશ દવે
(પ્રદેશ મિડિયા કન્વીનર)
***†**************************************
અહીં કોઈપણ જાતના રાગ દ્વેસ્વીના સમાચારો અને ફોટાઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ આ બાબતે વાંધો હોય તો તંત્રનો સંપર્ક કરીને તેવા સમાચાર અને ફોટાઓ બાબતે ખરાઈ કરીને અહીંથી દૂર કરી શકાશે..તંત્રી