NG-161-2-4-24 pdf NG-162-3-4-24 pdf
ભૂતપૂર્વ સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ પણ પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય વિરોધ માં નિવેદનને વખોડી કાઢી વિરોધ નોંધાવ્યો… કેવી રીતે રાજપીપળાના મહારાણીએ પણ વિરોધ દર્શાવ્યો અને સુરેન્દ્રનગરમાં તો પી ટ જાડેજા સાહેબે હુંકાર કરીને કહ્યું.કે રૂપાલા તમે જ્યા હોવ ત્યાં હું આવું…..બીજીબાજુ ક્ષત્રિય સમાજની મહિલાઓ રૂપાલા ના નિવાસ બહાર જોહર કરશે તેવી જાહેરાત કરવામાં આવી…. બનાસકાંઠામાં પણ ઠેર ઠેર ક્ષત્રિય સમાજના આગેવાનો એકઠા થઈ વિરોધ દર્શાવી આવેદન પત્ર આપ્યું…. સી.આર પાટીલ પણ તેમના નિવાસ સ્થાને ભાજપમાં રહેલા ક્ષત્રિય આગેવાનોને પોતાના નિવાસસ્થાને બોલાઈને મીટીંગ કરીને જણાવ્યું કે તમે સમાજને સમજાવો અને પરસોતમ રૂપાલાજીને માફ કરી દો…આપડે ઉમેદવાર બદલવાના નથી..કરણી સેના ના અધ્યક્ષ રાજ શેખાવત પણ ભાજપ માંથી રાજીનામું આપી ને લોકસભા માં કરણી સેના ના ઉમેદવાર ઊભા રાખવા હાંકલ કરી છે….પૂર્વ મુખ્યમંત્રી,ભાજપ ના જનસંઘ વખત ના સિનિયર શંકરસિંહ વાઘેલા પણ કેન્દ્ર ની નેતાગીરી ઉપર દબાણ લાવી રહ્યા છે કે ઉમેદવાર બદલો એટલે ક્ષત્રિય સમાજ નો રોષ શાંત થઈ જાય,બીજા પણ ઉમેદવાર બળવા પછી બદલ્યા છે તો રૂપાલા ને બદલવા જોઈએ નહીતો જલદ આંદોલનો થાય તો સરકારે સામનો કરવો પડશે તેવા ઉચ્ચારણો જાહેર પ્રેસ માં કરી ચૂક્યા છે.
સી આર પાટીલ ન ઉમેદવાર બદલવાના નથી તેવા નિવેદનથી સમગ્ર ક્ષત્રિય સમાજ હવે આકરા પાણીએ. ઠેર ઠેર આંદોલનો કરીને જલદ આંદોલનની ધમકી પણ ઉચ્ચારી…. એવું પણ જાણવા મળે છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ આંતરિક યુદ્ધ પણ ચાલી રહ્યું છે અને તે લોકો પણ જવાબદાર હોય તેવું સાંભળવા મળ્યું છે….. પ્રદેશ ભાજપના અમુક ગણ્યા ગાંઠિયા લોકો સત્તાના મદ મા રાચી ને સતત ઉપેક્ષા કરતા હોય તેવું પણ જોવા મળ્યું છે..પાર્ટીના લોકસભા ચૂંટણી અંગે પ્રદેશ ભાજપ ના મીડિયા ના લોકો કાર્યાલય સવાર સાંજ શોભાવે છે..પ્રજા ને હજુ કોઈ રસ હોય તેવું દેખાતું નથી…અમિત શાહ પણ સ્થાનિક હોવા છતાં મગનું નામ મરી પાડતા જોવા મળ્યા નથી.
છેલ્લા કેટલાય વર્ષોથી ગાંધીનગર લોકસભાના પ્રજાજનો ક્યારેય સાંસદને મોકળાશ થી મળી નથી શકતા કે પોતાના હૃદયની કોઈપણ વાત રજૂ નથી કરી શકતા કેમ કે સાંસદ કાયમિક દિલ્હી જ હોય અને અહીંયા ક્યાંય એવું પ્રજાલક્ષી કાર્યાલય નથી કે પ્રજા જઈને કોઈ ફરિયાદ કરી શકે કે પોતાના સાંસદને મળીને વાતચીત કરી શકે……
એકબાજુ પક્ષ પલટો કરીને ભાજપ માં આવેલા લોકો ને પોરબંદર.માણાવદર.વિજાપુર.ખંભાત ખાતેથી પેટા ચૂંટણી ના વિધાનસભા ના ઉમેદવાર પાર્ટીએ બનાવી ભાજપ ના મૂળભૂત કાર્યકરો અને પદાધિકારીઓ ને મોટો હાંચકો આપ્યો છે.ઉમેદવારો ખુદ પાર્ટીના કાર્યકરો ની નીરસતા જોઈ વિમાસણ માં પડી ગયા છે..ચૂંટણી ની તારીખ ને બહુ સમય નથી…પણ હજુ પ્રચાર કાયૅ ઉમેદવારો કરી શકયા નથી…પ્રદેશ ના હોદ્દેદારો જે તે વિસ્તારો માં કાર્યકરો ને સમજાવવામાં અસફળ રહ્યા છે..આયાતી ઉમેદવાર માટે કાર્યકરો કામ કરવા તૈયાર નથી….કોંગ્રેસ ના 83 થી વધારે લોકો ભાજપ માં ભળવાથી હવે પ્રદેશ કોંગ્રેસ ભાજપ કાર્યાલય તરીકે લોકો ઓળખી રહ્યા છે..અને ભાજપ નીનવેશ ભૂષમાં જુદા જુદા સેલ ના લોકો છાસવારે કમલમ ખાતે ભેગા થઈ માર્ગદર્શન ની મીટીંગો કરી રહ્યા છે.પ્રભારી અને પદાધિકારીઓ માર્ગદર્શન આપી રહ્યા છે.
એકબાજુ કોંગ્રેસ ના જેનીબેન્ર ઠાકોર અને ગેની બેન ઠાકોર લોકસભા ના ઉમેદવાર તરીકે પ્રચાર કરતાં જોવા મળે છે..
રૂપાલા સામેનો ક્ષત્રિય સમાજ નો વિરોધ ચરમસીમાએ પહોચ્યો છે તેવામાં કેન્દ્ર ના ભાજપ ની નેતાગીરી ના મહાનુભાવો ગુજરત મુલાકાતે વિકસિત ભારત નો પ્રચાર કરવા આવી રહ્યા છે.
હવે જોવાનું રહ્યું કે મોદીજી છેલ્લા દિવસોમાં ગુજરત આવીને કોથળા માંથી કેવું બિલાડું કાઢી ફરી પાછો હથેળી માં ચાંદ બતાવી જનતા ને કહેશે કે મિતરો તમારે મને જોઈ ને વોટ આપવાનો છે.ઉમેદવાર ને નહિ…..એમ કહી 400 પાર નો નારો પાર કરવા કમર કસ્વાનો પ્રયત્ન કરશે….
હાલના સંજોગોમાં એક બાજુ આમ આદમી ના સુપ્રીમો સહિત ને ઈડી દ્વારા જેલવાસ……બીજી બાજુ ગુજરાત લોકસભા ના ઉમેદવાર જાહેર કરતા બળવા ના એંધાણ…સાબરકાંઠા,સુરેન્દ્રનગર,જૂનાગઢ, રાજકોટ ખાતે ઉમેદવાર બદલે તો જ વાતાવરણ મા પલટો આવી બધું સમુ સીધું ઉતરે……તંત્રી : પ્રદીપ રાવલ
************************************
અહી કોઈપણ રાગદ્વેષ વિના સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવે છે.તેમ છતાં કોઈને વાંધાજનક લાગે તો તંત્રી નો સંપર્ક કરી યોગ્ય કરવામાં આવશે.
************************************