(પિતા અને ભાઈ ના પરિવાર ને સતત મિલકત માટે રંજાડતો અમદાવાદ સ્થિત રહેતો વ્યવસાય કરતો દર્શીક શાહ)
ઉપરોક્ત હકીકત સાથે પિતા સુધીરભાઈ શાહ દ્વારા પુત્ર દર્ષીક શાહ દ્વારા ગંભીર બાબતો ધ્યાનમાં લઈને પોલીસ ફરિયાદ કરવામાં આવી છે જે ઉપર મુજબ છે
આ બાબતે પિતા સુધીરભાઈ શાહ દ્વારા પુત્ર દર્શિક્ શાહ વિરુદ્ધ વકીલ મારફત અખબારો માં જાહેર નોટિસ પણ આપી ને સમાજ ના સંબંધીઓ અને જાહેર પ્રજાને પુત્ર બાબત ની તાકીદ કરવા વકીલ મારફત જાહેર નોટીસ પણ આપવામાં આવી છે..
ઉપરોક્ત જાહેરનોટીસ દર્ષિક્ શાહ દ્વારા માતા પિતા ની સંયુક્ત મિલકત માં કાયદાકીય આશરો લઈને ભાગ માંગવા જાહેર જનતાને જણાવતી નોટિસ આપવામાં આવીછે.જે ઉપર વાંચી શકાય છે.
સુધીરભાઈ શાહ ના બીજા પુત્ર મનીષ શાહ નો દેશ ના ગૌરવ સમાન IM માનુષ શાહ કે જેઓ ભારત દેશ વતી અનેક દેશ માં ચેસસ્પર્ધા મા રમવા જાય છે અને દેશના 124 IM(ઇન્ટરનેશનલ માસ્ટર) મા સ્થાન પામેલ ગૂજરાત નું પણ ગૌરવ છે.(*INTERNATIONAL MASTER* MANUSH SHAH .*18 વખત GUJARAT STATE CHESS CHAMPION*…*3 વખત ALL INDIA RATED CHESS CHAMPION*..AND…*નાની ઉંમર માં 24 COUNTRY chess રમીને* કરીને *CHESS માં INTERNATIONAL MASTER થયેલ છે..*)
****************************************
સો વર્ષ ની ચેસ ની કારકિર્દી માં ભારત માં માત્ર 124 જેટલાં CHESS માં INTERNATIONAL MASTER ખેલાડીઓ છે.. જેમાં MAHUSH હાલનો લેટેસ્ટ ઇન્ટરનેશનલ માસ્ટર છે
જેમાં આ MANUSH જયદીપ સિંહ અને સરદાર પટેલ ના બધા જુનિયર તથા સિનિયર એવોર્ડ મેળવેલ હાલ ભારત નો રત્ન એકલવ્ય એવોર્ડ મા નોમીનેશન ધરાવતો GUJARAT STATE નો અને ભારત નું પ્રતિનિધિત્વ કરીને વિદેશમાં ઠેર ઠેર રમવા જઈ રહ્યો છે..
જેમાં આ DARSHIK shah (માનુષ શાહ ના કાકા)એને યેન કેન પ્રકારે તેને ક્યારેક ટુર્નામેન્ટ માં તો ક્યારેક FUNCTION માં આડી અવળી રીતે નુકશાન પોહચડી રહ્યો છે. ભૂતકાળ મા માનુષ શાહ ના ઍક સન્માન ના કાર્યક્રમ મા દર્શિક શાહ ગુંડાઓ, અસામાજિક તત્વો ને લઈને આવી ધમાલ મચાવી હતી અને પરિવારે 100 નંબર ઉપર ફોન કરીને પોલીસ બોલાવી પ્રોટેક્શન મેળવ્યું હતું…તેના પર યોગ્ય પગલાં લેવા માટે માનુષ શાહ ના પિતા મનીષ શાહ અને તેમના પિતા દ્વારા CM.. PM.. HM..POLICE COMMISSIONER ને પણ ફરિયાદ કરેલ છે..
****************************************
નીચે દર્શાવેલ તસવીર પૂત્રથી પીડિત એવા સુધીરભાઈ કંચનલાલ શાહ સામાજિક પ્રતિષ્ઠિત વ્યક્તિ ની છે કે જેઓ 40 વરસ સુધી PRL જેવી રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સંસ્થામા સેવાઓ આપી નિવૃત્ત જીવન ગાળી રહ્યાં છે.કે જેમણે દર્શિક શાહ ને વર્ષો સુધી પોતાની પાસે રાખી મોટો કરીને તેને સ્વ નિર્ભર ના થાય ત્યાં સુધી સાથે રાખ્યો.જે આજે પીતાની સામે પડીને મિલકત માં ભાગ માટે કાયદાકીય જાહેર નોટિસ આપીને નિવૃત્ત પીતાને સહયોગ આપી સાથે રાખી સેવા કરવાની જગ્યાએ દુઃખ આપી રહ્યો છે.જાણવાં મળ્યું છે કે જેમાં દરશિક ને તેની પત્ની અને બાળકો પણ રોકવાને બદલે સાથ આપી રહ્યા છે. અને આ દર્શિક પિતાના ઘરેથી દાગીનાઓ તેમજ ઘણી બધી વસ્તુઓ લઈને પિતાથી અલગ થઈ ગયો હતો જેનો કોઈપણ હિસાબ હજુ સુધી તેમણે પિતાને આપ્યો નથી.
ઉપરોક્ત તસવીર સ્વર્ગસ્થ ઉષાબહેન સુધીરભાઈ શાહ ની છે કે જેઓ 2021 મા સ્વર્ગે સિધાવ્યા, જાણવા મળે છે કે જેઓને 2017 માં ઝાયડસ જેવી હોસ્પિટલ મા બે વરસ સુધી ગંભીર બીમારી ની ટ્રીટમેન્ટ લેવી પડી હતી ત્યારે તેમનો આ પુત્ર દર્શિક શાહ હોસ્પિટલ માં પણ આવીને ખૂબ ઝગડો કર્યો હતો અને હોસ્પિટલ સત્તાવાળા જાણીતા ન્યુરો સર્જન ડો.કલ્પેશ શાહ દ્વારા દર્શિક શાહ ને હોસ્પિટલ પ્રવેશ અંગે બેન કરવામાં આવ્યો હતો.અંતે માતા પણ પુત્ર ના આવા ત્રાસ થી ત્રસ્ત થઈ અંતે મૃત્યુ પામ્યા હતા જેવી સમાજિક ગંભીર બાબતો તેમના પરિવારમાંથી જાણવા મળી છે.
******************************************
અમારા પાટનગરના જાણીતા અને તટસ્થ એવા ન્યુઝ ઓફ ગાંધીનગર દૈનિકમાં જાહેર નોટિસ જેવી બાબત છાપવા માટે આ પરિવારે અમોને મોકલી હતી અને અમોએ આજના અખબારમાં આવી જાહેર નોટિસને સ્થાન આપ્યું છે.
આ જાહેર નોટિસ બાબતે આ પરિવારના મોભી એવા સુધીરભાઈ શાહના પુત્ર મનીષભાઈ શાહ કે જેઓ એક સારા સિંગર પણ છે અને મારા મિત્ર પણ છે તેમની સાથે પારિવારિક આ વિવાદોની વાતચીત કરતા નીચેની હકીકતો અને આખા પરિવાર ની ઘણીબધી સમાજ ને કલંકિત કરતી ઘટનાઓ સામે આવી છે અને તેમણે જણાવ્યું કે મારા ભાઈ એવા દર્શિક નો અમારા પરિવાર ને અને મારા પિતા ને પુષ્કળ ત્રાસ વધી ગયો છે.અમોઅમારી તંત્રી તરીકેની અખબાર ની જવાબદારીઓ જોતા તેમણે અમારી પાસે સમાજિક હૂફ જેવી મદદ ની માંગણી કરતા અમોને એક સમાજલક્ષી બાબત લાગતા આ પ્રસિદ્ધ કરવાની ફરજ પડી છે કે જેથી સમાજ માં બનતી આવી સામાજિક વિવાદોની ઘટનાઓ ની જાણકારી પ્રજામાં અને અન્ય સમાજની અંદર પણ થાય જેથી ભાવિ પેઢી ને એક સાચી દિશા અને એક સાચી શિખામણ મળે અને આવા કલંકિત કરતા કિસ્સાઓથી દૂર રહીને સારું જીવન પારિવારિક કેવી રીતે જીવી શકાય તેની શિખામણ મળે તે હેતુથી કોઈપણ જાતના રાગ દ્વેષ કે કોઈ વ્યક્તિગત દુશ્મની ને ધ્યાનમાં નહીં રાખીને આ ઉપરોક્ત હકીકતો ફોટા,ફરિયાદો,જાહેર નોટીસ સાથે પ્રસિદ્ધ કરવાની અમોને ફરજ પડી છે કેમકે અમો પણ એક પ્રજાના પ્રતિનિધિ અખબારી આલમના તંત્રી તરીકેની જવાબદારીઓ સંભાળીએ છીએ જેથી પ્રજા ની કોઈ પણ આવી તકલીફો હોય તેમાં અમો અખબારી માધ્યમ દ્વારા સહાયરૂપ થવાની અમો કાયમ સેવાઓ આપી રહ્યા છીએ.
*****†*†****************************
અમદાવાદ ખાતે સુધીરભાઈ કંચનલાલ શાહ નામના એક પ્રતિષ્ઠિત સામાજિક વ્યક્તિ રહે છે કે જેઓ પીઆરએલ જેવી સંસ્થામાં કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ પદે રહીને 40 વર્ષ સુધી સેવાઓ આપીને નિવૃત્તિ વિધુર થઈને જીવન ગાળી રહ્યા છે. સુધીરભાઈ ને બે સંતાનો છે એક દર્શિક શાહ અને બીજો મનીષ શાહ.
દર્શિક શાહ ને પણ બે સંતાનો છે જેમાંના એક સંતાન રાજકોટ ખાતે અભ્યાસ કરી રહ્યા છે અને બીજું સંતાન લોનાવાલા ખાતે અભ્યાસ કરી રહ્યા છે અને આ દર્શીક પણ પોતે અમદાવાદ ખાતે પોતાના વ્યવસાય માં વ્યસ્ત છે અને પત્ની સાથે રહે છે જાણવા મળેલ માહિતી મુજબ તેમના પત્ની મહારાષ્ટ્ર ના છે.
મનીષ શાહ પણ પોતે સિંગર છે અને સમાજિક કાર્યક્રમોમાં અગ્રેસર છે અને તેમની પત્ની તેમજ તેમના સંતાન માનુષ સાથે રહે છે..માનુષ શાહ ભારત ના 124 IM (ઇન્ટરનેશનલ માસ્ટર) ચેસ ચેમ્પિયન તેમજ અનેકવિધ રાજ્ય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ થી સન્માનિત થયેલ છે જેમને ભારત રત્ન સમાન એકલવ્ય એવોર્ડમાં પણ નોમિનેશન કરવા માટે હમણાં જ આમંત્રણ મળેલ છે.
આમ સુધીરભાઈ કંચનલાલ શાહ તેમના સમાજના ખૂબ જ પ્રતિષ્ઠિત પરિવારમાં ગણાય છે અને તેમના બંને પુત્રો ઉપરોક્ત માહિતી મુજબ અમદાવાદમાં રહે છે અને તેમની પત્નીના અવસાન બાદ તેઓ અત્યારે પોતાના મકાનમાં વિધુર તરીકે નિવૃત્ત જીવન જીવી રહ્યા છે.
સુધીરભાઈ ના પરિવારના એક સંતાન એવા દર્શિક શાહ જેવો આધુનિક રાજકીય રંગો અને કુસંગ મિત્રો ની વચ્ચે રહેવા ટેવાયેલા તેમજ અસામાજિક તત્વો અને કાયદાકીય સહારાઓ લઈને પોતાના જનેતા એવા માતા પિતા ને પોતાનો સંયુક્ત મિલકતમાં ભાગ લેવા માટે નોટિસ બજાવી સામાજિક કુપાત્ર જેવું વર્તન કરી રહ્યા છે…પોતાની માતા ઉષાબેન હોસ્પિટલ માં બીમાર હતા ત્યારે પણ આ દર્શિક હોસ્પિટલ મા જઇને ખૂબ જ ઝઘડો કર્યો હતો જેથી ડોક્ટર કલ્પેશ શાહ જેવા નામાંકિત ન્યુરોસર્જન અને હોસ્પિટલની સત્તાવાળાઓએ આ પુત્રને હોસ્પિટલમાં પ્રવેશ નહીં આપવા માટે બેન મુકવામાં આવ્યો હતો. જેવું તેમના પરિવારમાંથી જાણવા મળ્યું છે.
ત્યારબાદ માતા ઉષાબેનનું 2021 માં અવસાન થયું અને સુધીર ભાઈ એકલા થઈ ગયા.આ પહેલા દરશિક્ શાહ માતા પિતા સાથે લાડકા ની જેમ રહીને મોટો થયો હતો..હાથ ના કરેલા હૈયા વાગ્યા જેવું હાલમાં પિતા સુધીર ભાઈ અનુભવી રહ્યા છે.
બીજા પુત્ર મનીષ શાહ ના પુત્ર માનુષ શાહ ચેસ ચેમ્પિયન તરીકે આગળ વધીને ગુજરાતનું ગૌરવ તેમજ સમગ્ર દેશમાં 125 મું સ્થાન ઇન્ટરનેશનલ માસ્ટર તરીકે મેળવીને આગળ વધી રહ્યા છે ત્યારે અમદાવાદ ખાતે માનુસ શાહના સન્માન ના કાર્યક્રમમાં પણ આ દર્શીક્ શાહ કાકા તરીકે ગૌરવ લેવાની જગ્યાએ કાર્યક્રમ મા ભંગ પડાવવા તેમજ પોતાના ભાઈની સામાજિક પ્રતિષ્ઠા હણવા માટે અસામાજિક તત્વોને લઈને આ કાર્યક્રમમાં ઘૂસીને ધમાલ મચાવી હતી ત્યારે પોલીસ બોલાવીને આ પરિવાર રક્ષણ મેળવીને કાર્યક્રમ પૂર્ણ કરીને ઘરે પહોંચ્યો હતો.ત્યારે પણ પોલીસ કેસ થયો હતો.
હાલમાં સુધીરભાઈ શાહ દ્વારા આ કુપાત્ર એવા દર્શિક શાહ ના ત્રાસ થી કંટાળી ને તેની સાથે સમાજિક છેડો ફાડવા કાયદાકીય અખબાર માં વકીલ દ્વારા નોટિસ પણ બજાવવામાં આવી છે તેમજ અમદાવાદઃ પોલીસ કમિશનર કચેરી ખાતે પણ પુત્ર ના ત્રાસ વિરુદ્ધ મા ફરિયાદ કરવામાં આવી છે અને પોલીસ રક્ષણ મેળવવા તેમજ પુત્ર વિરુદ્ધ કાર્યવાહી કરવા પણ ગંભીર ફરિયાદ કરવામાં આવી છે..
જાણવા મળેલ માહિતી મુજબ દર્શિક શાહ ને તેના સમાજ ના લોકો એ તેમના વોટ્સ અપ ગ્રુપમાં થી બહાર મૂકી ને સમાજ સાથેના સંબંધો વિહોણા કર્યા છે તેમજ તેઓ જ્યા રહે છે ત્યાંના સ્થાનિક સોસાયટી વાળાઓ સાથે પણ તેમના સંબંધો વણસેલા છે.આમ આ વ્યક્તિ આધુનિક વ્યવસાય સાથે અસામાજિક તત્વો અને રાજકીય લોકો ના સહારે પિતા તેમજ ભાઈ.ભત્રીજા ની કારકિર્દી રોળવાનો પ્રયત્ન કરી રહ્યો છે.જેથી લાગતા વળગતા લોકો એ ઉપર ની હકીકતો જોતા આવા વ્યક્તિ ને ખોટી રીતે સાથ સહકાર આપવો નહિ અને પોલીસ સત્તાવાળાઓ ને પણ હું એક તંત્રી તરીકે વિનંતી કરી છું કે આવા વ્યક્તિ ના કહેવાથી તેમના પિતા કે ભાઈ.ભત્રીજા ને પણ કોઈપણ જાતની હેરાનગતિ પહોંચે નહીં તેની તકેદારી રાખવી કેમકે તેમના પિતા તરફથી તમામ સંબંધો આ પુત્ર સાથે કાપી નાખવામાં આવ્યા છે અને તે હવે પિતાના કહ્યામાં નથી તેમજ તેની સાથે કોઈપણ માતા.પિતા.ભાઈ ના નામે કોઈપણ નાણાકીય વ્યવહાર કરવો નહિ તેમ સુધીરભાઈ કંચનલાલ શાહ દર્શિક શાહ ના પિતા દ્વારા જાહેર નોટિસ કહેવામાં આવ્યું છે..
************************************
અહીં કોઈપણ જાતના રાગ દ્વેષ વિના અને વ્યક્તિગત કોઈની પણ સાથે દુશ્મનાવટ રખ્યા વિના સમાજ,દર્શકો ના હિતમાં સમાચારો/ફોટાઓ પ્રાપ્ત થયે પ્રસિદ્ધિ આપવામાં આવે છે.તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રી નો સંપર્ક કરી ચોખવટ કરી તેવા સમાચારો ખરાઈ કર્યા બાદ દૂર કરી શકાશે…તંત્રી
****************””*””*********************