આજરોજ માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબે તેમજ ગૃહ મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીજી એ સ્વામિનારાયણ સ્કુલ, સેકટર-૨૩, ગાંધીનગર ખાતેથી ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે આયોજિત “અભય અમૃત પર્વ”માં શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. જૈન ધર્મમાં ચાતુર્માસનો મહિમા માનવીય મૂલ્યોને સિંચન કરે છે, ત્યારે આ પર્વમાં ગાંધીનગર મહાનગરપાલિકાના માન. મેયરશ્રી હિતેશભાઈ મકવાણા સહભાગી બન્યા હતા અને પ.પૂ. ગચ્છાધિપતિ આ.ભ. શ્રી વિજય અભયદેવસુરીશ્વરજી મહારાજશ્રીના દર્શન કરીને આશીર્વચન પ્રાપ્ત કર્યા હતા.
આ પાવન અવસરે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ, ડે. મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, કાઉન્સિલરશ્રીઓ, સંતો મહંતો તેમજ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા.
નોધ : કોઈપણ રાગદ્વેષ વિના અહી સમાચાર ફોટાઓ પ્રાપ્ય થયે જન જાગૃતિ ના ભાગ રૂપે સમાચારો ફોટાઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે.તેમ છતાં કોઈપણ વાચક ને વાંધાજનક લાગે તો તંત્રી નું ધ્યાન દોરવા થી આવી પોસ્ટ દૂર કરી શકાશે ..તંત્રી