દિલ્હી અને પંજાબમાં મફત વીજળી તો ગુજરાતમાં.કેમ નહિ.? ભાજપ જવાબ આપે…અરવિંદ કેજરીવાલ
દિલ્હી અને પંજાબમાં મફત વીજળી તો ગુજરાતમાં.કેમ નહિ.? ભાજપ જવાબ આપે…અરવિંદ કેજરીવાલ
[7/2, 7:12 PM] Vibhitiben Desai: NOGSS/0044
વિભાગ:- ગદ્ય
વિષય:- પરંપરાગત રથયાત્રા
શબ્દો:- ૧૭૬.
શીર્ષક:- રથયાત્રા
નામ:- વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
ખુબ મનોમંથનને અંતે ગૂગલ મહારાજને શરણે ગઈ અને જે નવનીત પ્રાપ્ત થયું એ આપની સમક્ષ લાવી છું.
રથયાત્રા તે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિંદુ તહેવાર છે, જે ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે. ભગવાન જગન્નાથનું મુળ મંદિર ઓરિસ્સાનાં જગન્નાથ પુરી શહેરમાં આવેલું છે. હરરોજ ભક્તોએ ભગવાનનાં દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે, પરંતુ રથયાત્રાનાં દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્તો પાસે જાય છે.
જગનાથ પુરીમાં દર વર્ષે ભગવાનનાં ત્રણે રથો નવેસરથી તૈયાર કરવામાં આવે છે.
આ રથોની ઉંચાઇ લગભગ ૪૫ ફુટ (૪-૫ માળ) જેટલી હોય છે.
પુરીનાં જગન્નાથ મંદિરમાં ભારતીય હિંદુ સિવાય અન્યને પ્રવેશ મળતો નથી.
રથયાત્રાને દિવસે નાત જાતનાં ભેદ ભાવ વગર હર કોઇ દર્શન કરી શકે છે તથા રથ ખેંચી શકે છે.
અમદાવાદની રથયાત્રામાં દર વર્ષે ફણગાવેલાં મગ, કાકડી, કેરી અને જાંબુનો હજારો (૩૦,૦૦૦-૪૦,૦૦૦) કીલો પ્રસાદ વહેંચવામાં આવે છે.[સંદર્ભ આપો]
પુરીની રથયાત્રામાં જગન્નાથનાં રથનું નામ નંદીઘોષ છે.
અંગ્રેજી ભાષામાં, અતિશક્તિશાળી જેને રોકી ન શકાય તેવું, રસ્તામાં આવનાર તમામ અવરોધોને કચડી કાઢનાર, વગેરે અર્થમાં વપરાતો શબ્દ ‘જગરનોટ’ (Juggernaut), જગન્નાથપુરીની રથયાત્રા પરથી લેવામાં આવેલ છે.
સંકલન- વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
[7/3, 2:26 AM] Varshaben Desai.MEM.Baroda: NOG SS. NO. 0097
વિષય:રથયાત્રા
પ્રકાર: ગદ્ય
શીર્ષક: આપણા તહેવારો
આપણો દેશ તહેવારોનો દેશ છે.વિવિધતાથી ભરપૂર આપણા તહેવારોની શરુઆત અષાઢી બીજ એટલે કે રથયાત્રાથી થાય છે.તહેવારોની સાથે સામાજીક મહત્વ જાળવવાની વડીલોની દીર્ઘ દ્રષ્ટી પણ જોવા મળે છે
રથયાત્રામાં મોટાભાઈ અને નાનાભાઈની વચ્ચે બહેનનો રથ હોય છે.
આપણે જોઈશું તો,બહેનનું પિયરમાં મહત્વ બતાવ્યું છે. ભાઈઓ એકલા જ બહેન સાથે જાય છે. ભાઈ બહેનના પ્રેમની વચ્ચે કોઈ આવી શકે નહીં.સાથે મોસાળનું મહત્વ પણ આવરી લીધું છે.સાસરે ગયેલી બહેનને પિયરના ગામ લોકોને મળવાનું મન થાય જ. એટલે ભાઈઓ બહેનનને બધાને મળવા નગરયાત્રા કરાવે છે. જેથી નગરના લોકો સાથે શેરી શેરીની યાદ તાજીથાય છે.
આજે સાપ ગયા અને લિસોટા રહ્યા જેવી પરિસ્થિતિ છે.
તહેવારો માત્ર વૈવિધ્યસભર ઉજવણી માત્ર બની રહી છે.
સામાજીક મહત્વ કે બોધપાઠ બિલકુલ જ ભુલાય રહ્યો છે.આજના વડીલો જ બધુ ભુલી રહ્યા હોય તો આવનારી નવી પેઢી શું શીખશે? એ લોકો જોશે તો અનુકરણ કરશે ને? આપણે આપણા તહેવારોને આ દ્રષ્ટીથી સમજવા પ્રયત્ન કરીશું?
વર્ષાબેન દેસાઈ
એડવોકેટ
વડોદરા-ઓસટ્રેલિયા
[7/3, 7:47 AM] Jayshree Patel. Sahityakar: *NOG SS NO:004*
*વિષયઃ પરંપરાગત રથયાત્રા*
*પ્રકાર ઃપદ્ય(મુક્તપંચિકા)*
*શબ્દોઃ૧૦૮*
*શીર્ષકઃ લ્હાણ*
રૂડો પ્રસંગ
અષાઢી બીજ
નવા વર્ષનો રમ્ય,
કચ્છીનો હર્ષ
ઉમંગે *લ્હાણ*.
જગન્નાથની
છે નવિનતા
પ્રભુ રથે સવાર
આ પરંપરા ,
ભક્તની *લ્હાણ*.
રથયાત્રાની
અનોખી ભાત
ભક્ત ગણ હર્ષાય
મેઘ વરસે
ઈન્દ્રની *લ્હાણ*.
આનંદે સર્વ
માર્ગ પૂજાય
જન જન ઉત્સાહી
રામેશ્વરે છે
દેવોની *લ્હાણ*.
*જયશ્રી પટેલ*
*૩/૭/૨૨*
[7/3, 5:38 PM] Leena Sharma.MeM: NOG.SS. No.0098
વિષય:- રથયાત્રા
પ્રકાર:- ગદ્ય
શીર્ષક:- રહસ્ય
મહાપ્રભુ જગન્નાથને કલયુગના ભગવાન કહેવાય છે “પૂરી “માં (શહેર )જગન્નાથ મહા પ્રભુ પોતાની (બેન )સુભદ્રા અને દાઉ(ભાઈ) બલરામ સાથે નિવાસ કરે છે પણ એવા એવા રહસ્યો છે કે આજ સુધી કોઈ જાણી ન શક્યા.
દર બાર વર્ષે મહાપ્રભુ ની મૂર્તિને બદલવામાં આવે છે તે સમયે આખા “પૂરી”શહેરને બ્લેક આઉટ કરવામાં આવે છે એટલે કે શહેરની બધી લાઈટો બંધ કરી દેવાય છે . લાઈટ બંધ કર્યા પછી મંદિર પરિસરને CRPF ની સેના ચારે બાજુથી ઘેરી લે છે તે વખતે કોઈ પણ મંદિરમાં પ્રવેશી ન શકે પૂજારીની આંખોમાં પટ્ટી બાંધી હોય છે હાથોમાં દસ્તાણા હોય છે જે પુરાની મૂર્તિથી “બ્રહ્મ પદાર્થ “કાઢે છે અને નવી મૂર્તિમાં નાખે છે એ “બ્રહ્મ પદાર્થ “શું છે એ કોઈ પણ આજ સુધી જાણી ન શક્યા. હજારો વર્ષોથી એક મૂર્તિથી કાઢીને બીજી મૂર્તિમાં નંખાય છે આ “બ્રહ્મ પદાર્થનો” સંબંધ ભગવાન શ્રીકૃષ્ણથી છે પણ શું છે કોઈ નથી જાણી શકતો આ પ્રક્રિયા દરબાર વર્ષમાં એક વખત થાય છે તે દરમિયાન સુરક્ષા બહુ જ કડી હોય છે.
મિત્રો આપણે મંદિરોના શિખર પર પક્ષીઓને ઉડતા બેસતા જોયા છે પણ જગન્નાથ મંદિરના ઉપરથી કોઈપણ પંખી ઉડતા નથી.
ઝંડો હંમેશા પવનની ઉલટી દિશામાં લહેરાય છે .ભગવાન જગન્નાથ મંદિરની રસોઈમાં પ્રસાદ પકાવવા માટે માટીના સાત વાસણ છે જે એક ઉપર એક મુકાય છે જેણે લાકડાની અગ્નિથી પકાવવામાં આવે છે આ દરમિયાન સૌથી ઉપરના વાસણમાં મુકેલા પકવાન પહેલા પાકે છે. ભગવાન જગન્નાથના મંદિરમાં દર દિવસે ભક્તો માટે પ્રસાદ બને છે જે કોઈ દિવસ ખૂટતો નથી પણ હેરાન કરવા વાળી વાત એ છે કે જ્યારે મંદિરના પટ બંધ થાય છે ત્યારે પ્રસાદ ખલાસ થઈ જાય છે.
મિત્રો ભગવાન જગન્નાથ મંદિરની ઘણી બધી આશ્ચર્યપૂર્ણ અને સાચી વાતો છે જે ઘણી રહસ્યમય છે.
શ્રી જગન્નાથ મહાપ્રભુ ની કૃપા આપણા બધા પર સદા બની રહે. જય જગન્નાથ 🙏
✍️
લીના શર્મા
હાલોલ.