*આમ આદમી પાર્ટી*
તારીખ: 03/07/2022
*આમ આદમી પાર્ટીના 6988 થી વધારે કાર્યકર્તાઓએ અરવિંદ કેજરીવાલની હાજરીમાં દેશસેવા માટે શપથ લીધી*
*દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અમદાવાદમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓને સંબોધન કર્યું*
*આમ આદમી પાર્ટીની સરકાર જો દિલ્હી અને પંજાબમાં મફત વીજળી આપી શકે છે તો ગુજરાતમાં કેમ નહિ?: અરવિંદ કેજરીવાલ*
*આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ મહાત્મા ગાંધી અને સરદાર પટેલના સપનાનું ગુજરાત બનાવવાની શપથ લેશે: અરવિંદ કેજરીવાલ*
*આમ આદમી પાર્ટી પાસે કોંગ્રેસ કરતાં પણ મોટું સંગઠન છે અને આવતા મહિને ભાજપ કરતાં પણ મોટું સંગઠન બની જશે: અરવિંદ કેજરીવાલ*
*ભાજપાને અપક્ષ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ થી ડર લાગી રહ્યો છે: અરવિંદ કેજરીવાલ*
*ભાજપના કાર્યકર્તા ભાજપ પાસેથી પૈસા લઈને ચૂંટણીમાં આમ આદમી પાર્ટી માટે કામ કરશે: અરવિંદ કેજરીવાલ*
*આવનારી ચૂંટણીમાં કોંગ્રેસને મત નહિ મળે: અરવિંદ કેજરીવાલ*
*કોંગ્રેસ પાર્ટીએ વારંવાર ગુજરાતની જનતા સાથે દગો કર્યો છે: અરવિંદ કેજરીવાલ*
*ભાજપના પ્રતિનિધિમંડળને દિલ્હીમાં આમ આદમી પાર્ટી ના કામો માં કોઈપણ ખામી ન મળી: અરવિંદ કેજરીવાલ*
*કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં ફક્ત કાગળ પર રહી ગઈ છે અને ભાજપ ફક્ત આમ આદમી પાર્ટીને રોકવામાં વ્યસ્ત છે: અરવિંદ કેજરીવાલ*
*ભાજપ પાસે કોઈ પેજ પ્રમુખ સંગઠન નથી, આ ફક્ત એક જૂઠાણું છે: સંદીપ પાઠક*
*ભાજપ ની લાઠિયો સામે લડવા માટે ‘આપ’ પાસે ફક્ત ઈમાનદારી નું હથિયાર છે: ગુલાબસિંહ યાદવ*
*ભાજપ ના નેતા ‘આપ’ થી એટલા ડરી ગયા છે કે તેમના સપનામાં હવે આમ આદમી પાર્ટી આવે છે: ઈસુદાન ગઢવી*
*‘આપ’ના બધા કાર્યકરો એ કટ્ટર ઈમાનદાર અને દેશભક્ત વ્યક્તિ બનવાનું છે: ગોપાલ ઇટાલિયા*
*‘આમ આદમી પાર્ટી એ ક્યારેય હાર માની નથી અને તે ક્યારેય માનશે પણ નહિ: ઇન્દ્રનીલ રાજ્યગુરુ*
*અમદાવાદ/ગુજરાત*
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અમદાવાદ એરપોર્ટ પર મીડિયાને સંબોધતા જણાવ્યું કે, દિલ્હીમાં વીજળી મફતમાં મળે છે અને તે 24 કલાક ઉપલબ્ધ છે, જો આપણે દિલ્હીમાં મફત વીજળી આપી શકીએ તો ગુજરાતમાં પણ આપી શકીયે છીએ. પંજાબમાં પણ 1 જુલાઈથી વીજળી મફત થઈ ગઈ છે. દિલ્હી મોડલ જોવા આવેલા ગુજરાતમાંથી બીજેપી ડેલીગેશન ને દિલ્હી મોડલના કોઈ કામમાં કોઈ ખામી જોવા મળી ન હતી. ત્યારબાદ અરવિંદ કેજરીવાલ જી આમ આદમી પાર્ટીના પદાધિકારીઓની શપથવિધિમાં હાજરી આપવા રવાના થયા.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જી એ જંગી સભા સંબોધતા કહ્યું કે, આજે આમ આદમી પાર્ટીના નવનિયુક્ત પદાધિકારીઓ ફક્ત આમ આદમી પાર્ટીની શપથ નહીં લે પરંતુ દેશ સેવાની શપથ લેશે. આજે આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ મહાત્મા ગાંધી અને સરદાર પટેલના સપનાનું ગુજરાત બનાવવાની શપથ લેશે.
ગુજરાતમાં દશકો થી કોંગ્રેસ પાર્ટી છે પરંતુ આજે હું દાવા સાથે કહી શકું છું કે આજે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પાસે કોંગ્રેસ કરતા પણ મોટું અને અત્યંત વિશાળ સંગઠન છે. કોંગ્રેસ ફક્ત કાગળ પર મૌજુદ છે. હજુ તો આવતા 1 મહિના માં બુથ સુધીનું સંગઠન બનાવી દેવામાં આવશે અને એ સંગઠન ભાજપના સંગઠન કરતા પણ મોટું હશે.
આજે બીજી પાર્ટીઓ પાસે નોકરિયાત કાર્યકર્તાઓ બનાવ્યા છે,જ્યારે આમ આદમી પાર્ટી માં દરેક કાર્યકર્તા પૈસા વગર કામ કરે છે. આવનારી ચૂંટણીમાં ભાજપ ના કાર્યકર્તાઓ પૈસા ભાજપ જોડેથી લેશે પણ કામ આમ આદમી પાર્ટી માટે કરશે.
આમ આદમી પાર્ટી કટ્ટર ઈમાનદાર અને સજ્જન લોકો ની પાર્ટી છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને લોકોને કહેવાનું છે કે આમ આદમી પાર્ટી એ દિલ્હીમાં કેવા શાનદાર કામ કર્યા છે. દિલ્હીમાં વીજળી મફત કરી દેવામાં આવી છે અને ૨૪ કલાક વીજળી ઉપલબ્ધ છે. દેશની સૌથી સારી સરકારી સ્કૂલો અને હોસ્પિટલો આજે દિલ્હીમાં ઉપલબ્ધ છે.
ગુજરાતમાં લોકોને હવે કોંગ્રેસથી કોઈ ઉમ્મીદ નથી. ગઈ ચૂંટણીમાં લોકોએ કોંગ્રેસને વોટ આપ્યો અને તેમના ધારાસભ્યો પૈસા લઈને ભાજપ માં જતા રહ્યા. આ વખતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એ સુનિશ્ચિત કરવું પડશે કે આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને એક પણ વોટ ન મળે. ગુજરાતમાં મોટી સંખ્યામાં લોકો આજે ભાજપથી નારાજ છે પરંતુ તેઓ કોંગ્રેસને વોટ નથી આપતા એવા દરેક વ્યક્તિ ને આમ આદમી પાર્ટીને મત આપે એવું કામ કાર્યકર્તાઓએ કરી બતાવવાનું છે. જો આ બે વાતનું ધ્યાન રાખવામાં આવશે તો આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જરૂર સરકાર બનાવશે.
આવનારી ચૂંટણી માટે દરેક કાર્યકર્તાએ આવનારા છ મહિનાના દિવસ રાત 24 કલાક ફક્ત આમ આદમી પાર્ટીમાં આપવા પડશે. આપણે વિપક્ષ બનવા માટે નહીં પણ સરકાર બનાવવા માટે કામ કરવાનું છે.
ગુજરાતના એક પત્રકારે આમ આદમી પાર્ટીના કામો ની પોલ ખોલવા માટે દિલ્હીની મુલાકાત લેવાનું નક્કી કર્યું અને દિલ્હીમાં જઈને દિલ્હીની સરકારી સ્કૂલો જોઈ, સરકારી હોસ્પિટલો જોઈ અને દિલ્હીના લોકો સાથે વાતચીત કરી ત્યારે તેમણે પણ માની લીધું કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારે ઘણું કામ કર્યું છે. આમ આદમી પાર્ટી ની સરકાર બની તો દિલ્હીમાં જેવી સુવિધાઓ જનતા માટે ઉપલબ્ધ છે એવી બધી જ સુવિધાઓ ગુજરાત માં પણ જનતા માટે ઉપલબ્ધ થશે.
ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ જી એ ભાજપાના એક પ્રતિનિધિમંડળ ને દિલ્હી મોકલ્યું. ભજપાનું પ્રતિનિધિમંડળ આમ આદમી પાર્ટી ના કામોમાં ખામીઓ કાઢવા માટે દિલ્હી આવ્યું હતું પરંતુ બે દિવસના ધક્કા ખાધા બાદ પણ તે લોકોને દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા કરેલા કામો માં કોઇ ખામી ના દેખાઈ. જો ભાજપના પ્રતિનિધિઓએ અમારી કોઇ ખામી કાઢી હોત તો અમે અમારી ખામી દૂર કરવા માટે મહેનત ચાલુ કરી દેતા પરંતુ તેમને કોઈપણ પ્રકારની ખામી દેખાઈ નહીં. અમારી પોલ ખોલવા ના ઉદેશ્યથી ભાજપાના પ્રતિનિધિમંડળ એ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું પરંતુ કોઈ ખામી ન નીકળતા એ લોકો એ પ્રેસ કોન્ફરન્સ રદ કરી.
આજે ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા કોઈપણ પ્રકારના આંદોલન કે કેમ્પેન ચલાવાઇ રહ્યા નથી અને ભાજપ દ્વારા એક જ કેમ્પેન ચલાવાઇ રહ્યું છે કે ગમે તેમ કરીને આમ આદમી પાર્ટીને રોકો. સવાર-સાંજ ભાજપાના નેતાઓ આમ આદમી પાર્ટીને રોકવા માટે મહેનત કરી રહ્યા છે. આજે આમ આદમી પાર્ટી ભાજપનું મુખ્ય પ્રતિદ્વંદી બની ગઈ છે કારણ કે ગુજરાતમાં ફક્ત આમ આદમી પાર્ટી જ છે જે જનતા વચ્ચે જઈને જનતાની સમસ્યાઓ સાંભળે છે, તેમની પીડાઓ ને સમજવાની કોશિશ કરે છે. આજે ફક્ત આમ આદમી પાર્ટી જ છે જે ગુજરાતના બાળકોના ભવિષ્યની ચિંતા કરે છે, ગુજરાત સારી શિક્ષા, સારી સ્વાસ્થ્ય વ્યવસ્થા, સારા રોડ રસ્તા અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન માટે કામ કરે છે.
આજે દિલ્હીથી ગુજરાત આવતી વખતે હવાઈ યાત્રા દરમિયાન એક વ્યક્તિ એ મારો હાથ પકડીને મને કહ્યું કે કેજરીવાલ જી આ વખતે ગુજરાત ને બચાવી લો , ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવી દો. હું આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તાઓ ને ફરીથી કહીશ કે ગુજરાતના લોકોને તમારાથી ખૂબ જ આશા છે. ગુજરાતના લોકો એ જેટલી વખત કોંગ્રેસને મત આપ્યો છે તેટલી વખત કોંગ્રેસે તેમને દગો આપ્યો છે. પરંતુ આ વખતે ગુજરાતની જનતા પાસે આમ આદમી પાર્ટીનો જે વિકલ્પ છે એ વિકલ્પ પર આપણે ખરા સાબિત થવાનું છે અને એ માટે આવનારી ચૂંટણી સુધી દિવસ રાત મહેનત કરવાની છે.
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી સંદીપ પાઠકે કહ્યું કે, ભાજપ એમ કહે છે કે એમના પાસે પેજ પ્રમુખો સુધીનું સંગઠન છે પરંતુ હું દાવા સાથે કહું છું કે આ બહુ મોટું જૂઠ છે. આજે ભાજપ આમ આદમી પાર્ટીના વિશાળ સંગઠન થી ડરી ગયું છે એટલા માટે જ આપણા કાર્યકર્તાઓ સાથે મારપીટ કરી રહી છે અને આમ આદમી પાર્ટીને દબાવવાની કોશિશ કરી રહી છે, પણ હવે થી ‘આપ’ કાર્યકર્તા માર નહિ ખાય. કારણ કે જનતા આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ના સમર્થન માં ઉભી છે.
આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી એ શપથ ગ્રહણ સમારોહ ને સંબોધતા કહ્યું કે, ભાજપ ના નેતા હવે એટલા ડરી ગયા છે કે તેમને સપનામાં હવે કેજરીવાલ આવે છે. ભાજપ તેમના ઈશારે આમ આદમી પાર્ટીના દરેક જન આંદોલન માં કાર્યકર્તાઓની અટકાયત કરાવે છે. પરંતુ આમ આદમી પાર્ટી ની ઈમાનદારી ક્યારેય ઝૂકી નથી કે ના ક્યારેય ઝુકશે.
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા એ શપથ ગ્રહણ સમારોહ ને સંબોધતા કહ્યું કે, આજે જ્યારે શપથ લઈને અહીંથી આમ આદમી પાર્ટીના 7500 થી વધારે કાર્યકર્તાઓ બહાર જશે ત્યારે તે કોઈ સાધારણ વ્યક્તિ નહિ હોય પરંતુ પોતે અરવિંદ કેજરીવાલ બનીને બહાર નીકળશે. આપણે બધા એ કેજરીવાલ જી જેવું કટ્ટર ઈમાનદાર અને દેશભક્ત વ્યક્તિ બનવાનું છે જે હંમેશા જનસેવા માટે અગ્રેસર હોય.
આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજ્યગુરુએ શપથ ગ્રહણ સમારોહ ને સંબોધતા કહ્યું કે, આમ આદમી પાર્ટી ના દરેક કાર્યકર્તા એ કેજરીવાલ જી ના વિચારો ને સ્વીકૃત કરીને ચાલવાનું છે. તો જ આપણે ગુજરાત ને ભ્રષ્ટાચારી ભાજપ થી આઝાદ કરાવી શકશું. જનતા ને કોઈ પણ પ્રકારના દબાણ માંથી મુક્ત કરીને આમ આદમી પાર્ટી ની જનસેવા વિશે જણાવવાનું છે. આમ આદમી પાર્ટી એ ક્યારેય હાર માની નથી અને તે ક્યારેય માનશે પણ નહિ.
શપથ ગ્રહણ સંમેલનમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હી ના માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા નિમાયેલા 7500 થી વધારે નવા હોદ્દેદારોએ ગુજરાતની ભૂમિ ને સાક્ષી માનીને; ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા, ગુજરાતના તમામ યુવાનોને રોજગારી આપવા, ગુજરાતમાં સારું શિક્ષણ અને આરોગ્ય લાવવા માટે, ગુજરાતના ખેડૂતોના હક્કો માટે,ગુજરાતના આદિવાસીઓના સન્માન માટે, ગુજરાત ને ફ્રી વીજળી જેવી સુવિધાઓ આપવા માટે, ગુજરાતના તમામ લોકોને સમૃદ્ધ અને સુખી બનાવવા, ગુજરાતમાં પરિવર્તન લાવવા, ગુજરાતને ફરી એકવાર મહાન બનાવવા દિવસ રાત મહેનત કરી સાચા હૃદયથી જય જય ગરવી ગુજરાત અને ભારત માતા કી જય ના નારા સાથે શપથ લીધી.
આમ આદમી પાર્ટીના નવનિયુક્ત 6988 થી વધારે હોદ્દેદારોના શપથ ગ્રહણ સંમેલનમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હી ના માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, નેશનલ જોઈંટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજ્યગુરુ, આમ આદમી પાર્ટીના સ્થાપક સભ્ય કિશોરભાઈ દેસાઈ, મહામંત્રી મનોજ સોરઠીયા પણ હાજર રહ્યા હતા.
*આમ આદમી પાર્ટી ગુજરાત*
Comments 1