NOG SS NO.0081
વિભાગ : ગદ્ય
વિષય : પરંપરાગત રથયાત્રા
શબ્દો :૩૨૧
જેવી રીતે પુરી (ઓરિસ્સા) માં જગન્નાથજીનું મંદિર છે એવી જ રીતે વિશ્વેશ્વર કાશીમાં પણ એમનું મંદિર એ એક ભક્ત પર થયેલી પ્રભુકૃપાનું ફળ છે. પંડિત બેનીરામને આ યશ જાય છે કાશીમાં રથયાત્રા શરૂ કરવાનું જે એમનાં વંશજોએ પરંપરાગત ચાલુ રાખી છે. જગન્નાથ પ્રત્યે અનન્ય ભક્તિ રાખનાર બ્રહ્મચારીજી પુરીમાં મુખ્ય પૂજારી અને આયોજક હતાં.
ઈ.સ.૧૭૯૦ માં પુરીનાં રાજા સાથે ઉગ્ર મતભેદ થતાં તેઓ હંમેશ માટે કાશી આવી વસ્યા.ચુસ્તપણે કાવડમાં આવતાં પ્રસાદ સિવાય બીજું કોઈ અન્ન ગ્રહણ ન કરતાં. પુરીનાં રાજાને આ ખબર હતી તેથી તેઓ દર અઠવાડિયે કાશી આ ‘બેહંગી’ નામે ઓળખાતો પ્રસાદ વર્ષો સુધી બ્રહ્મચારીને મોકલતાં રહ્યાં.
એક વાર ભયંકર પૂર આવવાથી આ પ્રસાદ ઘણાં દિવસો સુધી ન આવ્યો.બ્રહ્મચારી ભૂખ્યા રહ્યાં.એમની આવી અનન્ય ભક્તિ જોઈ જગન્નાથજીએ સ્વપ્નમાં આદેશ આપ્યો કે અહીં કાશીમાં જ મારી પ્રતિષ્ઠા કર અને મને ધરાવેલ ભોગનું ગ્રહણ કર.
આથી પ્રેરિત થઈને બ્રહ્મચારીએ ભોસલા રાજ્યનાં મંત્રી પંડિત બેનીરામ અને કટક રાજ્યના દિવાન વિશ્વંભર પંડિતની સાથે વાત કરી.આ બંને ભાઈઓ હતાં અને એમની વાત સાંભળી ભોસલા રાજ્યનાં રાજા બૈન્કોજીએ ભરપૂર ધનરાશિ આપી પુરી જેવું જ મંદિર તૈયાર કરાવ્યું.
પુરીમાં મંદિરનો કારભાર રાજા પાસે રહેતો,તો કાશીનો પૂરો વહીવટ છત્તીસગઢમાં તખતપુરનો મહેલ દાન કરી ચલાવવાનો આદેશ પંડિત બેનીરામને રાજા બૈન્કોજીએ સોંપ્યો.જેવી રીતે પુરીમાં રથયાત્રા રાજમહેલ પાસેથી પસાર થતી એવી જ રીતે કાશીમાં પંડિત બેની રામના રહેઠાણ પાસેથી પસાર થતી.
આમ અવિરત ચાલુ રહેલી પ્રણાલિ ઈ.સ.૧૮૫૭ નાં બળવા બાદ તૂટી કારણકે અંગ્રેજોએ છત્તીસગઢની રાજાની સંપત્તિ પર ગેરકાયદેસર કબજો જમાવ્યો.આજ સુધી પંડિત બેનીરામનાં વંશજો જગન્નાથ મંદિર (કાશી)અને રથયાત્રાનું આયોજન કરે છે.આજે પણ પૂજા,ભોગ અને અનુષ્ઠાન પુરીનાં મંદિર પ્રમાણે જ થાય છે.ત્રણ દિવસ માટે જગન્નાથજી પંડિત બેની રામનાં ઘરે જમાઈ તરીકે આગતાસ્વાગતા પામે છે . ત્યાર બાદ રથયાત્રા અને મેળાનું ધામધૂમથી આયોજન થાય છે.
બ્રહ્મચારીજી ઈ.સ.૧૮૧૮ માં પુરીની પ્રદક્ષિણા કરી કાશી આવ્યાં અને અસિ ઘાટ પર સમાધિ લીધી. એમનાં ધોતી ,ફોટોની આજે પણ પૂજા થાય છે.આમ ૨૧૮ વર્ષથી પૂજા થતાં જગન્નાથ કાશી મંદિર અસંખ્ય ભક્તોની આસ્થાનું પ્રતીક છે.કોરોનાનાં પ્રકોપે બે વર્ષ બાદ આ વર્ષે કાશીમાં ફરી ‘જય જગન્નાથ ‘ ગાજશે.
#©️ માયા દેસાઈ
મુંબઈ ભારત.
***
NOG SS No : 0089
વિષય જગન્નાથ પુરી
શીર્ષક પુરી નગરી
પ્રવિણા કડકિઆ
—-
અષાઢી બીજ , જગન્નાથ પુરીની રથ યાત્રા. જીવનમાં માણવા જેવો લહાવો . મિત્રો એ ન બની શકે તો વાંધો નહી પણ જગન્નાથના દર્શને જીવનમાં એકવાર જરુર જવું .
આપણા દેશના વાસી હવે તો આખા વિશ્વમાં છવાયા છે. આપણા દેશની સંસ્કૃતિ તેમની સંગે સઘળે વ્યાપી છે.
સદીઓ પુરાણી આપણી સંસ્કૃતિની મહેક રેલાવી રહી છે.
ભગવાન જગન્નાથ , પ્યારી બહેન સુભદ્રા અને દાઉ ભૈયા રથયાત્રાને દિવસે રથમાં બિરાજે છે. આખા શહેરમાં તેમની રથયાત્રાના દર્શન કરવા માનવ મહેરામણ ઊમટે છે.
એ રથને ફેરવવા રાજઘરાનાનાા લોકો આવે છે. પ્રજા જનો પણ તે રથને ખેંચવા નો લહાવો લે છે.
વડીલોના આશીર્વાદ મળ્યા હોય તો જગન્નાથ પુરી જરુર જજો. ભાઈ બહેનની પ્રીત નજરે નિહાળવા મળશે.
નજરે જુઓ
મહિમા રથયાત્રા
દીપે જહાન
પ્રવિણા કડકિઆ