[6/30, 11:43 PM] R S. Vyas.MEM: NOG SS NO O112
વિષય : પરંપરાગત રથયાત્રા
શીર્ષક : લુપ્ત થઇ રહેલો વારસો
લેખક : રાજેશભાઇ એસ વ્યાસ
એ,,,,,, અષાઢી બીજના રામ રામ,,,, સૌ ડાયરાને,,,,, રામ,,,, રામ ભાઈ બીજના રામ,,, રામ,,
આ છે ગામડાની જુની સંસ્કૃતિ અને વર્ષો જુની પ્રણાલીકા,જે હવે દિવસો દિવસ લુપ્ત થતી જતી જણાય છે.
નાના ભૂલકાથી માંડી ઘરના મોભીઓ સુધીના બધા લોકો એકબીજાને પ્રત્યેની ભાવનાઓ લાગણીઓ વ્યક્ત કરી આનંદ અનુભવતા.
રામ,,, રામ,, શબ્દ માં જે પ્રેમ અને ભાવ નીતરતો, જે હાલમાં માત્ર ઔપચારિકતા પુરી કરવા પૂરતો રહ્યો હોય તેવું સ્પષ્ટ જણાય આવે છે,
કેટલો ઉમંગ અને આનંદ હતો, નાના નાના બાળકો નિવેદ, પ્રસાદ, ઘ્વજા, નાળિયેર, અગરબત્તી લઈ ગામના દરેક ધર્મ સ્થળ પર જઈ દેવ દર્શન કરી, નિવેદ પ્રસાદ ધરી, ધજા ચડાવી ધન્યતા અનુભવતા હોય છે.
પરંપરા મુજબ અષાઢીબીજના દિવસે જગગનાથજીની રથયાત્રામાં જોડાય ભક્તો એક અનેરો લ્હાવો અને આનંદ મેળવે છે.અને ભાવવિભોર બને છે.
ગામના દરેક વ્યક્તિઓ એકબીજાના ઘરે જઈ વડીલોને પગે પડી આશીર્વાદ મેળવતા અને ભૂલકાઓની તો શું વાત જ કરવી,
આ બધી આપણી શાનદાર અને દમદાર પ્રણાલીકા ઓ પાછળ કંઈક ને કંઈક અર્થ સમાયેલો છે,
વહેવારીક રીતે કે ગામમાં કોઈપણ કારણોસર એકબીજા પ્રત્યે નાની નાની બાબતોમાં થયેલા મનદુઃખો આવા સામાજીક તહેવારોથી દૂર થતા, મનભેદ કે મતભેદને સાઈડમાં મૂકી તહેવારના દિવસે એ તો જવુ જોઈએ આવા કારણોસર એકબીજા ગળે મળી આનંદથી મનમેળ થઈ જતા
હવે દિવસેને દિવસે સમયના અભાવે અને આધુનિકતાના પ્રભાવે માત્ર વોટ્સઅપના માધ્યમથી અષાઢી બીજના રામ, રામની પોસ્ટ મૂકી સંતોષ માની લે છે
પરિવર્તન સમયની માંગ છે, અને સમયને પણ સ્વીકારવો રહ્યો, તો ચાલો સમયની સાથે અને વર્તમાનની વાટે રાજેશ ભાઈ વ્યાસના સૌ ડાયરાને અષાઢી બીજના જાજાને જાજા,,,,
રામ,,, રામ,,,,, રામ,, રામ,, ભાઈ, રામ,,,,, રામ
રાજેશભાઈ એસ વ્યાસ ( કુકરવાડિયા ) ધ્રુવનગર, મોરબી
[7/1, 12:40 PM] Pradip: NOG SS N0: 001. પ્રકાર: ગદ્ય. શિર્ષક : રથયાત્રા. અષાઢ મહિનાનું સૌંદર્ય અનેરૂ હોય છે . અષાઢનું આગમન થતાં જ ભક્તિ અને પ્રેમ નું વાતાવરણ છવાઈ જાય છે . ભગવાન જગન્નાથ અષાઢનું સૌંદર્ય માણવા માટે અને પ્રજાને મળવા માટે પૃથ્વી ઉપર પોતાની અમીધારા રૂપે કૃપા વરસાવા માટે સ્વયં પોતે રથમાં બેસીને નગરચર્યાએ નીકળે છે .
ભગવાન જગન્નાથ વિષ્ણુ ના અવતાર ગણાય છે . પુરાણોમાં એમનો વિષ્ણુના અવતાર તરીકે ઉલ્લેખ થયેલ થયેલો નથી પણ જગન્નાથનો સ્વરૂપ એ વિષ્ણુના અવતાર તરીકે આજે પણ માનવામાં આવે છે . ગુજરાતના દ્વારકાધીશ ભગવાન શ્રીકૃષ્ણ ઓડિસાની નગરી પુરી માં જગન્નાથ સ્વરૂપે સ્થપાયા છે . આ જ ભગવાન જગન્નાથ અમદાવાદ વગેરેનાં શ્રીકૃષ્ણ મંદિરોમાં ભગવાન જગન્નાથ તરીકે પૂજાય છે. ભગવાન જગન્નાથ વિશે અને એની રથયાત્રા વિશે ઘણી બધી પૌરાણિક કથાઓ જોડાયેલી છે .
આરતીના બાણને નિમિત બનાવીને દ્વારકાના રાજાધિરાજ શ્રીકૃષ્ણએ ગુજરાતના પશ્ચિમ કિનારે સોમનાથમાં પોતાની દેહ લીલા સંકેલી લીધી હતી. પાંડવોએ જ્યારે તેમને અગ્નિદાહ દીધો ત્યારે શ્રીકૃષ્ણના દેહના માત્ર હાથ પગ કાન અને મુખ એટલા જ અંગો અગ્નિથી ભસ્મ થયા હતા . બાકીના દેહને પાંડવોએ દરિયામાં તરતો મૂકી દીધો હતો તે દેહ લાકડાનો મોટો ટુકડો બનીને છેક પૂર્વમાં જગન્નાથપુરીના દરિયા કિનારે આવીને અટક્યો . તે સમયના ત્યાંના રાજવી વિષ્ણુ ભક્ત ઇન્દ્રધ્રુમ્ને તે કાષ્ટ ટુકડાને બહાર કઢાવ્યો અને તેમાં થી વિષ્ણુ મૂર્તિ બનાવવા ને વિનંતી કરી .
જગન્નાથજી મંદિરની સુભદ્રાજી બલરામ અને જગન્નાથની મૂર્તિ અપૂર્ણ કેમ છે એની પાછળ પણ એક દંત કથા રહેલી છે . રાજવી ઇન્દ્રધ્રુમ્નની વિનંતી પ્રમાણે વૃદ્ધ કાષ્ટ શિલ્પી રૂપે આવેલા વિશ્વકર્માએ મૂર્તિ બનાવવાનું સ્વીકાર્યું પણ એક શરત મૂકી હતી કે, ” હું મારા ઓરડાના દ્વાર બંધ કરીને મૂર્તિ ઘડીશ તે દરમિયાન જો કોઈ ઓરડો ઉઘાડીને અંદર આવશે તો હું મારું કામ બંધ કરી દઈશ.” મૂર્તિ ઘડવા માટે શિલ્પીએ ઓરડામાં પ્રવેશ કર્યો. ઓરડો બંધ કરી દીધો . ઘણા દિવસો થયા પણ શિલ્પી તરફથી કોઈ જાણ ન થઈ. તેથી રાજા રાણીને ચિંતા થઈ તેમણે ઓરડાના બારણા ખોલાવ્યા અને જોયું તો શિલ્પી અદ્રશ્ય થઈ ગયેલા અને ત્રણેય મૂર્તિઓ અડધી ઘડેલી પડી હતી. જગન્નાથ અને બલરામની મૂર્તિઓને હાથ હતા પણ આંગળીઓ નહોતી . જ્યારે બેન સુભદ્રની મૂર્તિ ને તો હાથ જ નહોતા . ત્રણેયને ગોળ ગોળ મોટી મોટી આંખો હતી . રાજા ઇન્દ્રધ્રુમ્ને એ અપૂર્ણ અંગ વાળી મૂર્તિઓને રંગ વગેરે લગાવીને ધામધૂમથી સ્થાપના કરી અને ત્યારથી પુરી “જગન્નાથપુરી ધામ “તરીકેે પ્રખ્યાત બન્યું અને અષાઢી બીજે જગન્નાથપુરીમાં રથયાત્રાનો ઉત્સવ ધામધૂમથી ઉજવવા લાગ્યો . જગન્નાથપુરી ચારધામ પૈકીનો એક ધામ ગણાય છે . સાત પવિત્ર તીર્થોમાં નું જગન્નાથપુરી એક ગણાય છે . એવું કહેવાય છે કે આની યાત્રા કર્યા વિના તીર્થ દર્શન અધુરું ગણાય છે . એવું કહેવાય છે કે ઘણા વર્ષો પૂર્વે નીલાંચલ પર્વત હતો અને “નીલ માધવ” ભગવાનની નીલમૂર્તિ હતી . તેની આરાધના દેવો પણ કરતા હતા . પરંતુ તે પર્વત ભૂમિ ની અંદર સમાઈ જવાથી ભગવાનની આ મૂર્તિ દેવો પોતાના લોકમાં લઈ ગયા અને વર્ષો પછી આ જગન્નાથપુરી ધામ બન્યું અને ભગવાન જગન્નાથજી ની પૂજા આરાધના શરૂ થઈ . સમગ્ર ભારત અને દેશ વિદેશો માં પણ ભગવાન જગન્નાથજી ના મંદિર ના નિર્માણ થયા એન પરંપરાગત રથયાત્રાઓ નીકળતી રહી અને ભગવાન શ્રી કૃષ્ણ નુ ધબકતું હૃદય આજે પણ વરસ માં એકવાર નગરયાત્રાએ નીકળી સૌને દર્શન આપી ખબર અંતર પૂછે છે. સંચાલક : પ્રદીપ રાવલ
[7/1, 2:17 PM] Jaykant Ghelaani.MeM.NOG: NOG સાહિત્ય સરિતા પરિવાર
(૧)
વિષય:પંરપરાગત રથયાત્રા
પ્રકાર: ગદ્ય હાઈકૂ સાત.
શીર્ષક: ” જય જગન્નાથ “.
શબ્દો : ૧૭૫.
જયકાન્ત ઘેલાણી પ્યારે”.
પંરપરાગત શબ્દજ, આપણને ભવ્યાતિભવ્ય ભૂતકાળને આપણા ચક્ષુ સમક્ષ રજુ કરેછે,
સાથે ઉત્સવની ભાતીગળ પંરપરાગત્ ઉજવણી ની અક્ષરસ સંપુર્ણ માહિતી આપેછે ,તો ચાલો આપણે ભગવાન જગન્નાથજી ના
મન:ચક્ષુથી દર્શન કરી, રથયાત્રા માણી ધન્ય બનીએ,અને તે પણ પ્યારે”, સાત હાઈકુ ના માધ્યમથી.
શ્રેષ્ઠ મુહુર્ત ?
આવી અષાઢી બીજ
માનવ ખુશ !.
નભે સૌંદર્ય
તૈયાર રથયાત્રા
અષાઢી બીજ.
કચ્છી વર્ષ
છે પ્રભુ આગમન
દીપે પ્રભાત.
છે પંરપરા
રથયાત્રા પ્રભુની
ભાવ*અમારો.
મન નો રથ*
માનવતાની યાત્રા*
છે રથયાત્રા*
દીપે ભાવના
માનવ સવારીમા
પ્રભુ દર્શન.
પ્રભુ દર્શન
કરે સકળ જગ
તે રથયાત્રા.
જય જય જગન્નાથજી !
[7/1, 3:05 PM] Kalpanaben Trivedi.MeM.NOG: NOGSS
Member no 19
વિષય…
રથયાત્રા
નામ.. કલ્પનાબેન ત્રિવેદી
🏎🏎
*નીકળ્યા ખુદ પ્રભુ* *જોવા* *દુનિયાની રફતાર,*
*આજ અષાઢી* *બીજમાં મોસાળમાં હેતની* *વહી* જાય રસધાર ,
*શામળિયો આવે* સાથે *આજે* *ભાઈ બલભદ્ર, બેની સુભદ્રા સાથ!* !
*દર્શન કરવા વ્હાલા પ્રભુના નગર હિલોળા* *ખાય* !
મામેરામાં જમે મગ, જાંબુ ની રસધાર !
કરશે નગરની પરિક્રમાને પાળશે લોકના વચન,
બીજનાં દિવસે વહાલો બનશે નગરનો નાથ!
સોનાની સાવરણીથી કરું શુદ્ધ ,મારા શામળિયાને આજ,,
આજ અંતર મનથી આવકારું મારા ઘરે આવો વિરાજી સાથ!
આજ મળશે સોનામાં સુગંધ કે
વહાલો મારો પૂરશે સૌના કોડ!
કલ્પના ત્રિવેદી સુરેન્દ્રનગર
[7/1, 5:12 PM] Pravina Kathiriya.MeM: NOG SS No : 114
વિભાગ : ગદ્ય
શબ્દ : અષાઢી બીજ
શીર્ષક: પરબધામ
શબ્દ સંખ્યા- 160
રચના-
જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના પરબવાવડી ગામે પરબધામ આવેલું છે.પરબધામમાં અષાઢી બીજે ભવ્ય મેળાનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. ભક્તો દૂર દૂરથી પરબધામના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
સતદેવીદાસ ,અમર દેવીદાસના આ પરબધામમાં રક્તપીત્યાઓની સેવા સતદેવીદાસ બાપુ દિવસ રાત કરતા હતા.ત્યાં અમર મા નામના અેક બહેન રહેતા હતા. જેને બાપુ દીકરી કહેતા હતા.અમરમા પણ દુખિયાઓની સેવા કરતા હતા. અમરમા રોગીઓ માટે બાર ગામ ઘોડી પર ફરતા અને દુખિયાઓ માટે રોટલો માંગતા.અને દુખિયારાઓનું પેટ ભરાતું. અમરમા રોટલો માંગવા જતા ત્યારે એની પાછળ ગુંડાઓ પડતા અમરમા ઘોડીની લગામ હાથમાં લઇ કહેતા. સત દેવિદાસ અમર દેવીદાસ.ત્યાં તો ઘોડી પૂર જોશમાં ક્યાંય ની ક્યાંય દૂર પહોંચી જતી હતી. આજે આ પરબધામમાં કરસનદાસ બાપુનું પણ એટલું જ સત છે.
અષાઢી બીજ ના મેળામાં નાનારાઓ- મોટારાઓ માટે મોટા મોટા ચગડોળો, ફજર -ફાળકા મોતના કુવા, કત- પૂતળીના ખેલો, ટ્રેન ,બલૂન સૂટ જેવા મનોરંજનના અનેક સાધનો અને રમકડા કપડા નત-નવીન કારીગરોની કારીગરી અહીંના મેળામાં જોવા મળે છે. મેળામાં વિવિધ ખાણીપીણીની દુકાનો પણ જોવા મળે છે. અહીં સૌથી વધારે લોકો બટાકા ભૂંગરાનો સ્વાદ માણતા જોવા મળે છે.
પરબધામમાં લાખો લોકો બીજના દિવસે પ્રસાદી લે છે પણ ક્યારેય પ્રસાદ ઘટતો નથી. વિશાળ જગ્યામાં પથરાયેલા પરબધામમાં અનેક લોકો માનતાઓ બાધાઓ રાખે છે. લોકોની માનતાઓ પણ પૂરી થાય છે.જ્યારે પણ જુનાગઢ જવાનું થાય ત્યારે પરબધામ ની મુલાકાત લેવાનું ચૂકતા નહીં.
કથીરીયા પ્રવિણા “પવી” નવસારી.