ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની પાંચ. રચનાઓ
વિષય :.” શિવ મહિમા..શ્રાવણ સોમવાર મહત્વ વિષયક રચનાઓ.(૧૮/૮-૨૦૨૧) દિવસ – ૨
( બીજો દીવસ)
Jan fariyad & News of Gandhinagar daily
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મેનેજિંગ તંત્રી : મીનાક્ષી રાવલ(ઈમેજ મેકર,ગ્રાફિક્સ)
પ્રતિભાવ : વિભૂતિબેન દેસાઈ.ઘાસવાલા.બીલીમોરા
website : www.janfariyadnews.com
What’s up calling No : 9824653073
Email : prdpraval42@gmail.com
Email : prdpraval@yahoo.co.uk
YouTube : janfariyadnews
News portal : janfariyadnews
Twitter : @prdpraval
******************************
NOG સાહિત્ય સરિતા (૧)
NG NO. — 39
વિષય — શિવ મહિમા, શ્રાવણી સોમવારનું મહત્વ, શ્રાવણ માસનું મહત્વ….કોઈ પણ
પ્રકાર — પદ્ય – અછાંદસ
શીર્ષક — ( શિવ મહિમા ) *પ્રકૃતિનાં કણ કણમાં તું*
તારીખ — ૧૧-૮-૨૧
ક્ષણમાં તું, કણમાં તું, ધરતીની રજકણમાં તું,
તું જ સત્ય, તું જ શિવ, સૌંદર્ય રૂપે સુન્દરમ તું!
સર્જન અને વિસર્જન શિવ, દેવ અને તત્ત્વ શિવ!
જળમાં તું, સ્થળમાં તું, આભ અને પાતાળમાં તું!
ધોધ રૂપે વહ્યા કરે, પર્વતની ટોચે પલાઠી વાળી બેસે!
ગુફા અને ખીણમાં સંતાય, નદી ને દરિયામાં છલકાય!
વનરાજીમાં વાસ તારો, હર પળમાં સહવાસ તારો!
સર્વત્ર એહસાસ તારો, અત્ર, તત્ર, સર્વત્ર તું!
શિવોહમ્ શિવોહમ્ નાદ તારો! આત્મા અને પરમાત્મા તું!
સત અને અસત ને જાણું, ૐ શિવ, જીવ શિવ પોકારું!
શબ્દમાં શૂન્ય શિવ, તારા થકી આખું વિશ્વ શિવ!
માટી જેવો દેહ મિથ્યા! અંતરનો આત્મા શિવ!
બંધનો ઊભા કરે જીવ, બંધનમુક્ત કરે છે એ શિવ!
જીવ થકી શિવ થયો આખાય બ્રહ્માંડમાં!
જન્મ ધારણ કર્યો વિવિધ રસ ચાખવા.
પ્રફુલ્લા”પ્રસન્ના”
અમદાવાદ
( મારાં કી બોર્ડમાં ત ખોડો નથી થઈ શકતો તો માફ કરશો.🙏)
********************************
NOG SS NO – 0037 તા.૧૧/૦૮/૨૧ )
વિષય – શિવ મહિમા.
વિભાગ – પદ્ય. (ધૂન )
શીર્ષક – શ્રાવણ માસે.
શ્રાવણ માસે, સોમનાથ ધામે,
ભાવથી ભજશો,ભોળાનાથ જાગશે,
દર્શન કરો તો બેડો પાર,
સૌ લોક દર્શન કરજો…!
શ્રાવણ માસે સોમનાથ ધામે….!
હરી અને હર જ્યાં સંગે બિરાજે,
મહાસાગર અભિષેક કરે,
બોલો ૐ હર હર મહાદેવ,
સૌ લોક દર્શન કરજો….!
શ્રાવણ માસે સોમનાથ ધામે…!
કપીલા,સરસ્વતીને હિરણ આવે,
આવી,હરી,હરના ચરણ પખાળે,
આવો અદ્ભૂત ત્રિવેણી સંગમ,
સૌ લોક દર્શને આવજો…..!
શ્રાવણ માસે સોમનાથ ધામે…!
દર્શન કરે એનાં કષ્ટ હરી હરશે,
દેવોના દેવ,મહાદેવ,
સૌરાષ્ટ્રે પ્રથમ જ્યોતિર્લિંગ,
સૌ લોક દર્શને આવજો…!
શ્રાવણ માસે સોમનાથ ધામે…!
ધરા અલૌકિક સૃષ્ટિમાં એક છે,
હરી અને હરનો કણ કણમાં વાસ છે,
ભવસાગર તરી જવાય,
સૌ લોક દર્શને આવજો…!
શ્રાવણ માસે સોમનાથ ધામે…!
હેમલતા દિવેચા ( હેમ )
********************************
NOG SS NO:004
*વિષય: શિવ મહિમા,,શ્રાવણી સોમવાર નું મહત્વ..શ્રાવણ માસ મહત્વ.*
*પ્રકાર*ગદ્ય*સ્વાનુભૂતિ*
*શબ્દો:*૩૫૦*
*શીર્ષક*: *શિવ શક્તિનું મહત્વ મારા વિચારે*
નાનપણથી જ શિવશંકરની ભક્ત રહી છું.. છતાં શિવશોત્ર કે શિવપુરાણ મોઢે નથી. ભક્તિ એટલી જ કે તેમના પ્રતિક રૂપે તે શિવલિંગને મારું મસ્તક ઝૂકે છે.
સોળ સોમવાર પણ કર્યા એકવાર નહિ અનેકવાર એજ શ્રદ્ધાથી જે મારા હૃદયમાં હતી.છેલ્લીવાર કર્યા ત્યારે તો સાસરે જઈ પૂરા થયાં. સાસરામાં ભક્તિ થાય, શ્રીમદ રાજચંદ્રની તેથી ભરૂચ જઈ ઉજવવા નક્કી કર્યું.ખુશ પણ હતી કે જ્યાંથી પૂજ્યા છે શિવજીને ત્યાં જઈ પૂર્ણ થશે.મારી માતા શિવમહિમા કે શિવસ્રોત્ર પૂર્ણ પણે કંઠસ્થ બોલતી. શિવની ભક્તિ કરવી એટલે કુંવારકાઓને મન સારો પતિપરમેશ્વર મળવો. કેવી ભક્તિ હતી આ? ભોળાનાથ તો સર્વેના નાથ. ભારતમાં પૂજાતા ગણેશના પિતા, ગૌરીના પતિ ને કાર્તિકેયના પિતાને ગુરુ.
ભરૂચ જઈ ઉજવ્યા પછી સોમવાર મેં કોઈ સંજોગોમાં ન તોડ્યા, મુશ્કેલીઓનો સામનો કરી જીવન પણ સરળ બનાવતી ગઈ. એક પછી એક જ્યોતિર્લિંગના દર્શને પણ. ગઈ. કેદારનાથ ગઈ તો અદ્ભૂત અનુભવ પણ કરી આવી. રાત્રિનાં બાર પછી બરફાચ્છાદિત પહાડોની વચ્ચે હૂંફ મળી.. પૂજા પાઠ કર્યા. જોયું તો ત્યાં પણ એ જ પૂજાપાઠની પદ્ધતિને એ જ શિવનું અડધું લિંગ. ભારતભરમાંથી દર્શનાર્થી ઉભરાયા હતાં એટલીજ લાઈન ને એ જ ભ્રષ્ટાચાર! હા પૈસાથી સર્વ થાય, એક પ્રશ્ન ઉઠ્યો તો શું આ પૈસાનાં પૂજારીઓને શિવજી માફ કરી દે છે ખરાં?
મનનાં શુદ્ધિકરણથી એટલું પામી કે શિવલિંગ પર દૂધ, પંચામૃત કે જળસ્ત્રોત વહેવડાવીએ છે તેના કરતાં
ઘરમાં તમારું કાર્ય કરનાર તમારો જ ઘરના કુટુંબી જેવા માણસોને રોજ જ એક કપ દૂધ પીવડાવીએ તો? શિવલિંગને તો બે બુંદ દૂધ પણ બસ છે.. હજારો માનવી આ બે બુંદ ચઢાવે તો પણ કેટલાય લિટર થઈ જાય ને?
હું ચર્ચા નથી કરવા માંગતી કારણ સૌનું મંતવ્ય અલગ છે.
મેં ત્યારથી નિશ્ચય કર્યો અને પ્રભુને બે હાથ જોડી ક્ષમા યાચતા
કહ્યું ,”ઈશ્વર સૌને તેં તેમના કર્મ પ્રમાણે નાના મોટા ઉંચ નીચ કે અમીર ગરીબ બનાવ્યા છે ,પણ મારે ત્યાં છે તેને હું તરસ્યો કે ભૂખો ન મૂકી શકું માટે તને બે બૂંદને એને એના સ્વસ્થ્ય પ્રમાણે દૂઘ ભોજન આપવા એ મારું કર્મ ગણું છું.” ગટરમાં વહીં જતાં અંધ શ્રદ્ધાનાં એ દૂધને રોકવાનો પ્રયત્ન હું મારાથી શરૂ કરું ! આજે કેટલાંય વર્ષોથી હું મારે ત્યાં ત્રણસો પાંસઠ દિવસ શ્રાવણનું મહત્વ કે શ્રાવણના સોમવારનું મહત્વ ખરા અંત: કરણથી મનાવું છું.
બાકી તો શિવજી તો બીલીપત્રથી જ ખુશ હોય છે!
જયશ્રી પટેલ
૧૧/૮/૨૧
********************************
N O G SS No : 0079
વિષયઃ શ્રાવણનો મહિમા
શીર્ષકઃ શ્રાવણ આયો
ગદ્ય
પ્રવિણા કડકિઆ
*************
શ્રાવણ માસ તેની પવિત્રતા અને પાવનતા માટે પ્રસિદ્ધ છે.
શ્રાવણ મહિનો ભલે મહાદેવ નો મહિનો ગણાતો હોય, યાદ
રાખવું જરૂરી છે , શ્રાવણ વદ આઠમ આપણે કૃષ્ણ જન્મ
રૂપે ઉજવીએ છીએ. તહેવારની ઝડી વરસે છે. શ્રાવણના
સરવરિયા સહુને મનભાવન છે.
કહેવાય છે, શ્રાવણ મહિનામાં શિવની ઉપાસના,જીવનને
અઢળક આનંદ, સફળતા અને સમૃદ્ધિ પ્રદાન કરે છે. શ્રાવણના
સોમવારના દિવસે ઉપવાસ નું મહાત્મ્ય અઢળક છે. શિવને
સમર્પિત આ મહિનો શિવ ભક્તો ના દિલમાં અગત્યનું સ્થાન
પામ્યો છે
ખગોળ્શાસ્ત્ર ના નિયમ પ્રમાણે હિંદુ ધર્મમાં શ્રાવણ એ ૨૨ મું
નક્ષત્ર છે. જે ખૂબ પવિત્ર મનાય છે. ચંદ્રમા આ નક્ષત્રનો રાજા છે.
જેમાં પાવનતા નો મહિમા અપાર છે.
ૐ નમઃ શિવાય અને મૃત્યુંજય મંત્રનો જાપ શિવ ભક્તો સદા
કરે છે. શ્રાવણ મહિના દરમિયાન શિવલીંગની પૂજા પાણી,
દૂધ, ફુલ અને બીલીપત્રથી થાય છે. શિવ ભક્ત ખૂબ શ્રદ્ધા,
ઉમંગ અને ઉત્સાહથી શિવના ભજનો ગાય છે.
શ્રાવણ મહિનો એટલે તહેવાર નો મેળો. ભાઈ અને બહેનના
પવિત્ર સંબંધ માટે નો પવિત્ર દિવસ રક્ષાબંધન. શીતળા સાતમ,
જન્માષ્ટમી, નંદ મહોત્સવ. જૈનોના પર્યુષણ નો શુભારંભ. આપણો
આઝાદીનો દિવસ પણ તે મહિના દરમ્યાન આવતો હોય છે.આ
મહિના દરમિયાન ભગવાનનું નિત્ય સ્મરણ રહે છે. આ જીવનના
દાતાનો દિલથી આભાર માનવો એ દરેક વ્યક્તિનું કર્તવ્ય છે.
શ્રાવણ મહિનાના સોમવારે ઉપવાસ કરવાથી પ્રભુ પ્રસન્ન થાય.
શંકરને પંચામૃત થી સ્નાન કરાવે છે. , ઉપવાસ એક ટંક ખાઈને
પણ થાય. માત્ર ફળ ખાઈને પણ ભાવિકભક્તો શ્રદ્ધા પૂર્વક વ્રત
કરે છે.
મહિના તો બધા ૩૦ દિવસના હોય છે કિંતુ શ્રાવણ મહિનો આવે
એટલે ઉમંગ ની હેલી ઉઠી હોય એમ લાગે છે. પવિત્ર માસ ની અસર
સહુને અલગ અલગ થાય છે. શ્રાવણ માસનો મહિમા અપરંપાર છે.
તેની પાવનતા નાના, મોટા, ગરીબ તવંગર સહુના દિલ ને સ્પર્શે છે.
********************************
[ NOG SS NO. .0059
પ્રકાર:ગદ્ય –લેખ.
વિષય શબ્દ : ‘શિવ મહિમા’.
‘ શ્રાવણ માસનો
મહિમા’.
શીર્ષક: ‘ જે કરે શિવભકિત
પ્યારે’પામે શિવશક્તિ’
શબ્દો: ૨૯૦.
શિવ’ શબ્દ બોલતાં કે સાંભળતાં
માનવમાત્રનાં મનોચક્ષુ સમક્ષ દેવોના દેવ મહાદેવ શંકર ભગવાનનું ચિત્ર ઉપસી આવે કેમ ખરૂં ને ,મિત્રો !
પછી તે,મૃગચર્મ ઉપર બેઠેલા
ભોલેનાથ હોય કે તાંડવ નૃત્ય કરતાં ‘શિવ’હોય, કે પછી
ગળાંમાં સર્પમાળા ધારણ કરેલાં
મહાદેવ હોય કે પછી સમુદ્રમંથન બાદ નીકળેલા ‘વિષ’ને જનહિતાર્થે,પી જનાર નીલકંઠ !
ભભૂત, બીલીપત્ર, ડમરૂ ને ત્રિશૂળ
જેટલો જ જેનો વૈભવ છતાં એ વિશ્ર્વના સૌથી મોટા વૈભવદાતા !
અને તેથી કહેવાય કે-
‘રીજે તો રાજપાટ આપનાર અને ખીજે તો ખેદાન મેદાન કરે ‘ તેવો
ત્રિનેત્રધારી !
હળાહળ ઝેરને પણ પચાવી જનારનું વાહન છે માત્ર નાનકો નંદી.
‘હર હર ભોલે’, ‘હર હર ભોલે’
નો મંત્ર નિર્જીવ ને પણ સજીવન
કરી આપે તેવો ચમત્કારી મહામંત્ર.અથાગ જુસ્સો પ્રેરે
તેવો આગવો મંત્ર.
સંપૂર્ણ શ્રાવણમાસ શિવભકિત નો
ગણાય છે,તો તેમાં શ્રાવણી
સોમવારનુ મહત્વ વિશેષ છે.
કાવડિયા તે દિવસે જળાભિષેક
દ્વારાં પોતાનાં મનોરથ પૂર્ણ કરેછે.
ગંગાના પ્રચંડ વેગથી પૃથ્વીને
બચાવવા શિવજીએ પોતાની
જટામાં ગંગા ધારણ કરી, ત્યારબાદ એનું અવતરણ ધરતી પર થયુંછે.જય જટાધારી.
હિન્દુ માન્યતા પ્રમાણે જે પરલોક
સિધાવેછે તે ‘ કૈલાસવાસી’ થયાં
કહેવાયછે, આ છે શિવભકતિની અનેરી,અટલ આસ્થા !
ભોળેનાથ,કૈલાસપતિ, શંકર,
મહાદેવ,ત્રિનેત્રધારી,નીલકંઠ , આશુતોષ,શિવ જેવાં વિવિધ નામધારી સમગ્રસૃષ્ટિનો સર્જનહાર અને તારણહાર ગણાય છે. જય ભોળેનાથ !
શિવપુરાણમાં પણ તેનું અલૌકિક મહત્વ બતાવ્યું છે.
‘બાપ કરતાં બેટા સવાયા’ ની
કહેવતની યથાર્થતા સાબિત કરતાં શિવપુત્ર શ્રીગણેશજીની દરેક કાર્યમાં સૌથી પ્રથમ સ્થાપના- પૂજા થાય છે તો સાથે તેમનો 8સમસ્ત પરિવાર પણ પૂજનીય છે-રિદ્ધિ અને સિધ્ધિ,પત્નીઓ,
લાભ-શુભ, પુત્રો.
” જે કરે દિલથી શિવ ભક્તિ,
પ્યારે’ તેજ પામે શિવ શકિત’.
©️જયકાન્ત ઘેલાણી પ્યારે’.