ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની આજ ૫ પદ્ય રચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વિષય : રાગ – રાગીણી .દિવસ – ૬
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
નિર્ણાયક મંડળ :જયશ્રીબેન પટેલ,અરૂણાબેન ત્રિવેદી
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews.
NOG SS 0032
વિષય:- રાગ- રાગિણી
વિભાગ:-પદ્ય
પ્રકાર:- પદ્ય ( મૌલિક રચના)
શીર્ષક:- *સરિતાનો રાગ*
કિનારો એ કિનારો.
કિનારાને કયાં ખબર છે કે કોણ
પોતાનું અને કોણ પારકું.
ચાલો સરિતાનાં *રાગને*
હૃદયમાં ભરી લઈએ.
કિનારા પણ એક બીજાથી અજાણ,
મળવું તો ઘણું પણ ક્યાંથી ….?
ઉત્સુકતા ઘણી પણ વ્યર્થ.
ચાલો સરિતાનાં *રાગને*
હ્રદયમાં ભરી લઈએ.
ભલે હોય સૂનાં દર્દભર્યા
સંગીત…આજ એ ગીતોને
મનમાં ભરી લઈએ.
ચાલો સરિતાનાં *રાગને*
હ્રદયમાં ભરી લઈએ.
બસ તારો જ હવે સહારો છે.
આ ડૂબતી નાવડી કિનારો ઝંખે,
ચાલો સરિતાનાં *રાગને*
હ્રદયમાં ભરી લઈએ…
સરિતાની દિલદારીને હવે,
શ્વાસોચ્છવાસમાં ભરી લઈએ.
ચાલો સરિતાનાં *રાગને*
હ્રદયમાં ભરી લઈએ.
જેમ ઉપર આભ અને નીચે ધરતી,
જાણે ક્ષિતિજે મળે પણ એ તો
મનનો આભાસ.
ચાલો સરિતાનાં *રાગને*
હૃદયમાં ભરી લઈએ.
કિનારાને કયાં ખબર છે કે લહેર
બની અફળાય, એ વહાલ કરતું
આલિંગન છે કે વેદનાનું વહેણ…
એ તો મન ભરીને મળીને પાછી
દરિયામાં સમાઈ ગઈ.
ચાલો સરિતાનાં *રાગને*
હ્રદયમાં ભરી લઈએ.
મીના માંગરોલીયા મીનુ
*અમદાવાદ*
2/3/2021
****************************** ₹
NOGSS નો:0044
વિષય:- રાગ- રાગિણી
પ્રકાર:- પદ્ય
શીર્ષક:- દ્વેષ
૧. પ્રગટાવી હોળી
હોમી દીધાં
સર્વ
રાગ, દ્વેષ પામ્યાં શાંતિ.
૨. રાગ, ઇર્ષા, દ્વેષ
જીવનમાં
આવે
કરે ખેદાનમેદાન.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
****************************** ***
NOG SS No: 0079
વિષય – રાગ-રાગિણી
શીર્ષક- રાગનો ફાગ
—————
જીવનમાં રાગ રાગિણી સંગે ક્યારેય પ્રેમ ન હતો. કારણ સામાન્ય છે. અવાજ વખાણવા જેવો નથી. તેથી એમ ન માનશો મને સંગીત સાથે પ્રેમ નથી !
મારા બન્ને કાન રાગ રાગિણી સાંભળવા સદા તત્પર જણાય. જેને કારણે દિલ ભાવ ભક્તિથી છલકાઈ ઊઠે.
જીવન બેસૂરું નહી સુરીલું બને. લખેલાં ભજનો અને કાવ્યો મનઘડંન રાગમાં ગાઈ અને વગાડતાં શીખી.
પેલું શરણાઈવાલાનું ગીત બચપનથી ગમતું હતું .
“પોલું છે તે બોલ્યું તેમાં કરી તે શી કારીગરી ?
સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે.”
રાગ રાગિણી જીવનનાં બાગમાં સુગંધી ફૂલોની ગરજ સારે છે. આ કલા એકલતાનો સાથી છે.
જીવન કલામય બનાવવા જરૂરી છે. નશીબદાર લોકોને આ કલા વરી હોય છે.
આ કલા સિવાયની બીજી કલામાં નિપુણતા પામી હોવાથી કોઈ અસંતોષ નથી .
પ્રવિણા કડકિઆ
****************************** *****
[/*નામ*- ડો. મનીષા વ્યાસ
*NOG SS NO-* 0088
*વિષય શબ્દ*- રાગ રાગિણી..
*પ્રકાર*- પદ્ય
*શિર્ષક*- પ્રણય અનુરાગ
******************************
રાગિણીએ, સુહૃદ! રાગને કહેણ મોકલ્યું છે!..
આવતો નહીં આજ, મુખના દરવાજે તાળું છે!…
શબ્દોની દુનિયામાં હજું સદંતર અંધારું છે!..
વૈખરીની હડતાલનું, આ જ એક બહાનું છે!..
અનુરાગે સૂરાવલી સાથે કર્યો મોટો ધડાકો! છે…
ના જોઈએ, સૂર, વાણી, વાચાનું કામ મારે!…
રાગ-અનુરાગ! પિછાણવાનું આ પાકું બહાનું છે…
મૌનની મધુશાલામાં ક્યાંક મહેફિલ મંડાણી છે…
પિવાય છે! મદિરા અહીં, ઈશારા તણાં જામની!..
હોઠે મંડાઈ છે પ્યાલી પ્રણય તણાં અંજામની!..
પ્રણયની આગોશમાં! મિલનનું મધુર આ ટાણું છે..
નિઃશબ્દ! શાંત લયે રેલાવ્યો સૂરને પ્રિતનું ગાણું છે..
હૃદય ઝંકૃત! થઈને ગાય, ડોલે! તનનો તંબુરો ભલા..
ચલે સંગ રાગ રાગિણી, માનુષ રાગી સંબંધ સદા.
*નામ -ડો. મનીષા વ્યાસ* ✍️
*અમદાવાદ*
****************************** ******
: *NOG SS NO:004
*વિષય: રાગ, રાગિણી,*
*શીર્ષક:ઉજાસ*
*ઉજાસ*
આજ *ઉજાસ* રાહ જુવે
તમસને હટવાની દીવે,
નાનીશી મીણબત્તીની
ગરીમા તો જુઓ કેવી,
પ્રકાશે માનભેર પ્રગટે
માનવના મને *રાગ* ઉમટે,
ધીરે ધીરે પીગળતા તે
ગર્વથી આત્માને ઝંઝોડે,
જલતી તે શમા પર કેમ
પરવાના પ્રાણ અર્પે જેમ,
અંતે થઈ ઢેર રૂપ ઘણું કહે
જન્મ તેનો અંત ફેરાફરે..!
જયશ્રી પટેલ