ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની આજ ૫ ગદ્ય રચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વિષય : રાગ – રાગીણી .દિવસ – ૫
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
નિર્ણાયક મંડળ :જયશ્રીબેન પટેલ,અરૂણાબેન ત્રિવેદી
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews.
NOG સાહિત્ય સરિતા (૧)
NOG SS No. SS 0059
વિષય: શબ્દ રાગ રાગિણી
વિભાગ: ગદ્ય
શીર્ષક:’રાગ રાગિણીનું સામ્રાજય
શબ્દ સંખ્યા:૨૬૦.
રાગ રાગિણી શબદો બે અલગઅલગ ,જેમ સ્ત્રી ને પુરૂષ
શબ્દો બે પણ બંન્ને એક બીજા વગર અધુરા તેમજ રાગ રાગિણી
એક સિક્કાની બે બાજુઓછે. રાગ નરજાતિ છે તો રાગિણી નારી
જાતિ છે.
ગુજરાતીભાષાનાં દરેક શબ્દોના ઘણાં જ અર્થો થતાં હોયછે જેમકે રાગ એટલે પ્રેમ,ગુસ્સો,આલાપ વિગેરે.
આજે આપણે અહીં રાગ એટલે
આલાપ અર્થમાંજ સમજવાનોછે.
સમગ્ર સૃષ્ટીનાં સર્જનહારે સમગ્ર જીવ સૃષ્ટિ ઉપર ઘણીજ કૃપા કરીછે.દરેક જીવસૃષ્ટિને તેની કાયા મુજબ તીણો-મોટો,મીઠો કર્કસ અવાજ આપ્યોછે.
અવાજનો ઉપયોગ પોતાના
પ્રિયપાત્ર સાથે પ્રેમાલાપ કરવાં
વાપરે છે અથવા ભયનાં સમયે
ચિચિયારીનાં સ્વરૂપે વાપરેછે.
જેવો સમય જેવાં તેના સંજોગો.
હાં,ઈશ્ર્વરે માનવજાતને અવાજ
સાથે જુદાજુદા રાગ આલાપ સાથે
વિવિધ રાગિણીનો રસથાળ આપ્યોછે.માનવે પોતાની બુધ્ધિથી
અવનવા વાજીંત્રો શોધી, રાગ
રાગિણી સાથે અનુકૂળ અનુરૂપ
તાલમેલ કરી રાગ રાગિણીને ચાર
ચાંદ લગાવ્યા છે.
રાગ રાગિણી, ગીત સંગીત માનવ
જીવનનું અમૂલ્ય અમૃત છે .ગીત
સંગીતનાં સથવારે દરેક માનવી
આનંદમાં રહેછે અને અન્યને આનંદમાં ડૂબાડી શકેછે, સાથે સાથે વિશ્ર્વની સમસ્ત માનવ જાતને અદકેરા આનંદના સામ્રાજયનો અદભૂત આનંદ આપેછે.
આજે માનવી રાગ રાગિણીનાં સદ્ઉપયોગ અને ટેકનીકથી દર્દીઓને તેનાં દર્દમાં રાહત આપી શકેછે, ફેકટરીઓમાં વધુ ઉત્પાદન વધારે મેળવે છે અને ગૌશાળામાં
ગાયો પાસેથી વધુ દૂધમેળવેછે.
રાગ રાગિણીનાં સુંદંર સંયોજન અને વિકસીત અદ્યતન ટેકનોલોજીથી ફિલ્મીગીતો, ભક્તિ ગીતો અને દેશભકતિનાં ગીતોમાં અનેરી શાન લાવેછે.
જરા કલ્પના કરોકે, માનવજીવનમાં રાગ રાગિણી ન હોત તો ? સમસ્ત જગત આપણને સૌને સ્મશાન સમાન ભાસત કેમ ખરું ને ?
હું તો આપને દાવા સાથે જણાવું છું કે, જગતમાં રાગ રાગિણીનાં સામ્રાજયને આવકારો, વિકસાવો જેથી સમસ્ત વિશ્ર્વની પ્રજા સદાય તન મન અને ધનથી આનંદીત રહે.
જય હો રાગ રાગિણી !
©️જયકાન્ત ઘેલાણી પ્યારે’.
****************************** **********
NOG SS No. 0097
વિષય: રાગ-રાગિણી
વિભાગ:ગદ્ય
શીર્ષક : લય
અક્ષરો ભેગા મળે ત્યારે શબ્દ બને. શબ્દોનો સમૂહ એટલે વાક્ય. વાક્યોની યોગ્ય ગોઠવણી કરીએ તે ગદ્ય. આ રચાયેલી રચનાને લય, આકાર,આરોહ અને અવરોહ આપીને સુંદર ઢાળમાં ઢાળીએ ત્યારે એ પદ્ય બને.
નિયમાનુસાર જુદી જુદી રીતે લય, આરોહ, અવરોહ અને આકાર આપીને લય બદ્ધ રીતે રજૂ કરવામાં આવે,ત્યારે એ ગાયકીને જુદાજુદા રાગ મળે.આ રીતે જોઈએ તો આરોહ,અવરોહ, લય, સૂર,આઘાત આ બધા રાગનાં અંગો છે. જેનાં વિના રાગનું મહત્વ નથી. આપણી જિંદગી પણ વ્યક્તિગત,પારિવારિક અને સામાજિક જવાબદારીઓનો સમૂહ છે.
એમાં સુખદ, દુ:ખદ,અપેક્ષિત, અનપેક્ષિત બનાવ બનતા જ રહે છે.કેટલીક માનવ સર્જિત તો કેટલીક કુદરતી ઘટનાઓ ઘટતી જ રહે છે. એથી જ આપણું જીવન સોહામણું લાગે છે.મુશ્કેલ સમયમાં,ગઈકાલે વિતાવેલ આનંદની ક્ષણોને યાદ કરીને દરેકે આજની ઘડીને રળિયામણી બનાવવાની છે.આપણે સૌ જીવનનાં જુદા જુદા રાગો આલાપીને જીવનને લય
સંગીતમય બનાવીએ.
વર્ષા દેસાઈ.વડોદરા
****************************** *********
NOG SS No :.0050
વિષય – રાગ રાગિણી
પ્રકાર – લેખ
શીષૅક – સંગીતનો આનંદ
………………………… ……..
જેમાં રાગ રાગિણી હોય, જેમાં લય તાલ ભરપૂર હોય આનંદ મળે ઘૂંટાઈને આવતી કાગળ પર પ્રેમથી લખાતી.લય ને ઢાળ ,રાગ – રાગિણી સાથે સંકળાયેલી છે.જેમ હું ને તું સંકળાયેલા રહીએ.દરેક વખતે રાગ ઢાળ કે લય લઈને જ ધબકે છે.ગીતનું લાલિત્ય માધુયૅ સંવાદી પણા પર રહે .
સમગ્ર સંયોજક ધારક બળ છે.મનુષ્ય શરીરમાં હ્રદય નામનું અવયવ એક સુનિશ્વિત , સુનિબદ્વ , સુપ્રયોજીત ગતિમાં જ ધબકે છે.પંડથી બ્રહ્મમાંડ સુધી અગમ્ય લય છે.સવૅ વ્યાપી લય એજ પ્રકૃતિ છે.ઉર્મીના સરલ તરલ સંવેદનાથી ઉદભવેલા ગીતમાં લયની ભૂમિકા મહત્વની પ્રત્યેક શબ્દ ને આગવું સંગીત હોય.
કવિ મુખેથી જન્મેલા શબ્દ માધુર્ય પ્રસાદ ને ઓજસ ગુણ ધરાવે છે.લયનો સંબંધ સંગીત સાથે ને રાગ રાગિણી હોય એમાં લય, તાલ ભરપૂર આનંદ મળે. ઘૂંટાઈને આવતી કાગળ પર અનોખી.અધૂરી ઈચ્છાઓ
કાગળ પર સભાઓ ભરે સૂરનો આનંદ મળે કંઇક.સૂર સંગીત ને સરગમ સાથ રાગ રાગિણી નૃત્ય કરે.
“હું ક્યાં કહું છું હા હોય,
પણ..!
મળવા આવે તો ચાહ તો હોવી જોઈએ ને..!
જિંદગી આખી સપનામાં વિતાવી,
તણખલાં ભેગાં કરી ઘર બનાવ્યું.
બહારથી નાનું ને, દલડું વિશાળ બનાવ્યું.
દરેક કવન મનનો રાગ રજૂ કરે છે.”
આમતો રાગનું મહત્વ પૌરાણિક સમયથી છે.રાગને વિવિધ વાજિંત્ર સાથે ગવાય છે.જેની શ્રોતાઓ પર અસર થાય છે.ભારતીય સંગીત પ્રાચીન કાળથી ભારતમાં ઉદભવેલુ છે.મૂળ સ્ત્રોતર વેદો ને માનવામાં આવ્યાં છે.
ભારતીય પરંપરા એવું માને છે બ્રહ્માએ નારદ મુનિ ને સંગીત વરદાનમાં આપેલું સામવેદ મંત્રોનો ઉચ્ચાર વૈદિક
સપ્તકના સાતેય સ્વરોનાં પ્રયોગ થાય છે.મૂળ સ્વરૂપ લુપ્ત થઈ ગયું છે.
હિંદુસ્તાની સંગીત મુગલ બાદશાહોની છાયામાં વિકસેલું.કણૉટક સંગીત મંદિરો દ્વારા વિકસેલું, રાગ થાય તો બંધનું કારણ કામ હું કરું એવા રાગીને વીતરાગી કહેવાય નહીં.
રાગ મનનું રંજન કરે છે.એટલે જ મનને આનંદ મળે છે.રાગ તો દ્વેષ કમૅનાબીજ છે.રાગ એટલે કોઈ મારું છે ને દ્વેષ એટલે પરાયું છે. રાગ એટલે કોઈ બચે એવી અભિલાષા સાથે રાગ રાગિણી ગવાય છે.
પસંદ સારું જ કરે ,
જવાની ભલે રહે પણ બુઢાપો નહીં,
મિત્ર બચે શત્રુ નાશ પામે,
સુખ આવે દુઃખ નહીં.
રાગને દ્વેષનું ચક્ર જીવનમાં ચાલ્યાં જ કરવાનું એમજ શુભનુ ચિંતન માણસને તારે છે એમ રાગ રાગિણી જીવનનો આનંદને તારે છે.
રાગીની શુક્લ “રાગ”
(મુંબઈ, કાંદિવલી.)
*****************************
ન્યુઝ ઓફ ગાંધી નગર
NOG SS No :0052
વિષય : રાગ રાગિણી
શિર્ષક : “સ્યુસાઈડ નોટ”
પ્રકાર : ગદ્ય
ટેબલ પર બેઠેલી રાગિણી હાથમાં પેન પકડી અરીસા સામે નજર કરી કોરા કાગળ પર કાંઈક લખી રહી હતી.
“ગળથૂથી જ રાગ સાથે મારો નાતો રહ્યો છે,હું રાગિણી ,પરિવાર સંગીત ક્ષેત્રે જોડાયેલો હતો તે કારણે જ મારું નામ રાગિણી રાખવામાં આવ્યુ.છે ને નામ પ્રમાણે જ અમારું જોડાણ.”
હા..હા…હા… અરીસો સામે હસવા લાગ્યો…
અચાનક અશ્રુઓ ઘેરી વળ્યાં.
“અરે ! કેમ આને શું થયું ?” અરીસો અચાનક બોલવા લાગ્યો… “રાગિણી કેમ રડે છે.”
“કેમ ન રડું રાગની બહુ યાદ આવે છે.”
“પિતાએ નાનપણથી રાગ સાથે નાતો જોડ્યો અને હું રાગ સાથે ગાવા લાગી ,પછી તો જોતજોતામાં મારી પ્રગતિ ઉતરોત્તર વધુ ને વધુ વધતી જ ગઈ. જીવન મારું અચાનક જાણે બદલાય જ ગયું, જેની ખ્વાહિશ માનવીને હોય તે બધું જ મારા જીવનમાં મને મળી ચૂકયું હતુ ,હવે કોઈ વાતે ઈશ્વરને ફરિયાદ કરવાનું કારણ જ નહોતું, વધારામાં રાગ જેવા પ્રેમાળ પતિને પામી હું અનહદ ખુશ હતી.પણ ઈશ્વરને કદાચ તે મંજૂર નહી હોય ? કદાચ રાગ સાથેનો મારો નાતો બસ અહીં સુધી જ હશે ?”
“પણ થયુ છે શું? એ તો કહે..”
“થોડાં દિવસ પહેલાં થયેલા ભયંકર અકસ્માતમાં મે મારો રાગ , મારી જબાન હું બધું જ ખોઈ ચૂકી છું…”
ફરી આસું ટપ ટપ કરવા લાગ્યા. તો હવે …
“હવે શું ?”
“હવે ન તો રાગ છે અને ન તો મારો અવાજ..હવે મારે જીવવું તો જીવવું કોના સહારે ?”
” રાગિણી પણ આવું પગલું ભરવું એ કોઈ ઉપાય તો નથી જ ?”
રાગિણી….રાગિણી….
અરીસો બૂમો પાડી પાડી થાક્યો… પણ રાગિણીનો રાગ ન તો બહાર આવ્યો.કે ન તો રાગિણીનો વળતો જવાબ.
કલમ ત્યાં જ અટકી પડી.રાગિણી પોતાની જીવાદોરી ટૂંકાવી આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી ચાલી ચૂકી હતી.
સંજય તરબદા “સાંજ”✍🏻
વડોદરા
*******************†********** ***********
NOG SS NO.0031
વિભાગ:-ગદ્ય
પ્રકાર:-ટૂંકો લેખ
જીવનનાં રસરાગ
સંગીતમાં જેમ અલગ અલગ રાગ રાગિણી છે તેમ આપણું જીવન પણ અલગ અલગ રસરાગથી ઘેરાયેલ છે.જેમ કે સુખ, દુઃખ, હાસ્ય, શોક,ક્રોધ, ઇર્ષા, શાંતિ આ બધાં આપણા જીવનનાં રસરાગ છે.સંગીતમાં જો આપણે એક જ રાગ શિખીએ તો આપણી એ વિષયમાં પ્રગતિ નથી થતી.કારણ કે લોકોને સંગીત સાંભળવામાં વૈવિધ્ય જોઈએ છે.એક નો એક રાગ સાંભળવો કોઇને ન ગમે.
એ રીતે જીવનમાં પણ થોડું વૈવિધ્ય હોવું જોઈએ.એટલે જ તો ભગવાન આપણા જીવનમાં સુખ, દુઃખ, હાસ્ય,શોક, ક્રોધ, ઇર્ષા , શાંતિ જેવા દરેક રસરાગ આપણામાં સ્થિત કરે છે.આમાંથી જો અમુક જ રસરાગ આપણામાં હોય તો આપણે દેવ કે દાનવ બની શકીએ છીએ.જો આપણામાં સુખ, હાસ્ય , શાંતિ સ્થિત હોય તો દેવ બનીએ છીએ.અને, જો ક્રોધ, ઇર્ષા,શોક, કોઇને દુઃખ આપવાની તાકાત છે તો દાનવ બનીએ છીએ.પરંતુ આપણે દેવ કે દાનવ નથી બનવું પણ માણસ બનવું છે.માટે આ બધા રસરાગ આપણાં માટે જરૂરી છે.
જેમ સંગીતમાં સારેગમપધનીસાની રાગિણી
આવડે તો જ સુમધૂર ગીત ગાય શકીએ તે રીતે જીવનમાં
પણ આ બધાં રસરાગ પચાવી શકીએ તો જ જીવનને સાર્થક કર્યું કહેવાય.
મેઘલ કિશોરભાઇ ઉપાધ્યાય ‘મેઘુ’ રાજકોટ