JF_14-6-20
GN_14-6-20
GN_13-6-20
GN_12-6-20
News of Gandhinagar daily and Jan Fariyad weekly as above pdf file
*ન્યુઝ ઓફ ગાંધીનગર સાહિત્યિક વિભાગ દરેક સ્પર્ધક નું સ્વાગત છે.
આયોજક ; પ્રદીપ રાવલ
ગ્રુપ સંચાલક :જીજ્ઞા કપુરિયાં. નિર્ણાયક : જયશ્રી પટેલ,વંદના વાણી,કિશોર ઠક્કર.
સહ સંચાલક : પ્રણવ ઝાંખર,મનીષ વોરા.
સહ નિર્ણાયક : આરતી મરચંટ,આરતી રામાણી.
વિજેતાઓના પરિણામ નીચે મુજબ છે.
🌹🌹🌹🌹
*સર્વ શ્રેષ્ઠ રચના*
*ગદ્ય વિભાગ*
*શીર્ષક-“ઈશ્વરાધીન”*
*પ્રીતિ શાહ(અમી-પ્રીત)*
*પદ્ય વિભાગ*
*શીર્ષક-“ગીત/શ્યામ તારી આંખોમાં”*
*ડૉ.નિષાદ ઓઝા “અમન”*
🌹🌹🌹🌹🌹
*ગદ્ય વિભાગ*
*૧)શીર્ષક-“બાબા જશવંતસિંહ”*
*ભરત રબારી*
🌹🌹🌹🌹🌹
*૨}શીર્ષક -“સાંભળ ઘાલી રાધા”*
*ઉર્વશી મહેતા*
🌹🌹🌹🌹🌹
*૩)શીર્ષક-“રાધામય કૃષ્ણમય”*
*મનોજકુમાર પંચાલ “મન”*
🌹🌹🌹🌹🌹
*પદ્ય વિભાગ*
*૧}શીર્ષક-સાકી*
*રાધે રિસાયા …*
*અંજના ગાંધી “મૌનું “*
🌹🌹🌹🌹🌹
*૨}શીર્ષક- બંધ મુઠ્ઠી*
*મીના માંગરોલીયા “મીનુ”*
🌹🌹🌹🌹🌹
*૩)શીર્ષક- કહાની છે*
*કૃણાલ ટેલર*
🌹🌹🌹🌹🌹
વિજેતા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન
એડમિન પેનલ🙏🙏
#####№###№######*#№**†****####
[ભાગ:* ગદ્યખંડ
*શીર્ષક* : “સાંભળ ઘેલી રાધા “
રાધા ઉવાચ્ ……
“કેમ બોલાવી કાના
અડધી રાતલડીએ ?
જાવ છો છોડી મુજને મથુરા ગામ,
નથી સુકાતા અંતરના આંસુ,
નથી કરવી મારે અંતરની વાતલડી,
તમારે અનેક નારીઓ,
શી’દને મનાવશો મુજને કાના ? “
આપી વિરહ ની વેદના,
તમે શું જાણો અંતરની પીડા ?
જગત આખું જાણશે..રાધા ઘેલો શ્યામ !”
કૃષ્ણ ઉવાચ્…….
“સાંભળ ઘેલી રાધા ”
“રાધે તુજ વિના આધે કૃષ્ણ”……….
મારો તારો પ્રેમ આત્માથી બંધાયેલો છે. આપણો સંબંધ
પરમાત્માની એક ભેટ છે જેનો અંતરમાં સ્પર્શ થાય છે…
આપણું મિલન એજ “આત્મવિશ્વાસ.”!
રાધા તારી પ્રીત જન્મોજનમની,
તું મારા કણે કણમાં
સમાયેલી,
તારા સિવાય કોઈપણ નથી દિલની રાણી, ગોકુળની ગોપીઓમાં તારું જ રૂપ જોઉં છું, “રાધા વગર કાન અધૂરો.” આપણી બાળપણની પ્રીતને હૈયાંમાં સજાવી રાખવા આત્માની ઝાંખી કરાવું છું..
તારી સાથે બે ઘડી પ્રેમની વાતો કરવા યમુના તટ પર આવી…મોરલી વગાડી સૂરનો સાદ પાડી યમુના તટ બોલાવું છું…તારી પ્રીતને મારા અંતરથી પારકી ના ગણ.
” પાંગરવા દે પ્રીતને,
ખોલી દે ! અંતરના દ્વાર
દિશે જગ પ્રેમથી
આત્માનું મિલન થાય ! “
તારો અને મારો આત્મા એક છે. હું તારામાં ને તું મારામાં.
જગતમાં પ્રેમ શબ્દ એ’વો છે.. ભૂલાવી દે…. સર્વ
દુ:ખોની પળ ! તારી પ્રીતનો પાલવ ઢળતો મૂકી દે ! સમાવી
લે..મને તારા અંતરના પાલવમાં ! મળશે મને સર્વ સંસાર સુખ !
તારો સંગાથ મારા પ્રાણથી પ્યારો છે..
વાંસળીના સૂર બે’સૂરા લાગશે મને !
તારો વિરહ વેદના જેવો લાગશે…
” લાગી છે લગની
રાધા તારી પ્રીતની
તારો વિરહ વેદના સમો,
સમાવી લે ! આંખોમાં મુજને
ઓઢાડી દે ! અંતરની ચાદર ! “
તારા વિના સઘળું અધૂરું! મારી કામણઘેલી રાધા.
તારા મુખ પર પ્રીતનું પ્રતિબિંબ જોઉં છું..
તારી નમેલી આંખોમાં લજ્જા અને શરમની લાલિમા
સ્પષ્ટ રૂપે મુખ પર અંકાય છે. આભ કેરા તારલાં
ચમકે છે લીલુડાં રંગની ચુંદલડીમાં…શોળે શણગાર
સજી આવ્યા છો યમુના ઘાટ ! નહીં જાવા દઉં આજ !
મનની શ્રદ્ધા કાયમ અટલ રાખજે ! કયારે’ય ઓછું નહીં આવવા દઉં.. તારા પ્રેમ તણા સાગરને છલકાતો રાખજે… કાનાની પ્રીતમાં …બાળપણની ઘેલ’છા વિસરાતી નથી..તું રિસાય ત્યારે હું મનાઉં… ને…હું રિસાવું ત્યારે તું મનાવતી… એવા અંતરના ભાવની સાથે બંધાઈ ગઈ પ્રીત…
રાધા ગૌરી…શ્યામ વર્ણ કાના સાથેનો સંબંધ આખા જગતમાં “અમરપ્રેમ”કહેવાશે. આખું જગત કહેશે.. શ્યામ રાધાનો દિવાનો છે.
હવે તારી ઘેલ’છા છોડી દે… લે આ વાંસળી મારી ભેટ
સમજીને તારી પાસે રાખ, હું જીવનના ઉદ્દેશ્ય અને કર્તવ્યમાં બંધાયેલો છું તારો કાન હવે દ્વારકાધીશ
બનવા જઈ રહ્યો છે. મારી આ અમૂલ્ય ભેટ કાનાની
પ્રીત સમજી હૈયેં લગાડી મારા અંતરસ્પર્શનો અનુભવ કરજે..મારા જીવનને મૂલ્યવાન સમજી તારા
મુરલીધરને અંતરથી માફ કરી દેજે…. રાધે.
યુગે યુગમાં કરાવી દે, “રાધે શ્યામ”ના પ્રીતની પરમં ઝાંખી !
ઉર્વશી મહેતા
અમદાવાદ.
##№################№########
*ન્યુઝ ઓફ ગાંધીનગર*
*પ્રકાર : ગદ્ય*
*ટાસ્ક : ચિત્ર પરથી રચના*
*શીર્ષક : રાધામય – કૃષ્ણમય*
યમુનાના કિનારે કદંબના ઝાડ નીચે રાધાથી એક ગજના અંતરે બેઠેલો કૃષ્ણ વાંસળીના મધુર ને મોહક સૂર રેલાવી રહ્યો હતો. રાધા સુરમાં મગ્ન થઈને કૃષ્ણમય થઈ ગઈ છે. એ સમયે યમુનાનાં નીર પણ રોકાઈ ગયા છે.હવાએ મહેંકવાનુ ભુલી ગઈ છે. ઝાડની પાંદડીઓ એક ધ્યાને વાંસળીના સૂર સાંભળી રહી છે.ગાય ,પશુ- પંખી સૌ તલ્લીન થઈ કૃષ્ણમય બની ગયા છે.
ત્યાં જ કૃષ્ણનાં હૃદયમાં જશોદાના અવાજનો ભાસ થાય છે. “ગાયો ચરાવ્યા પછી માખણ ખાવા તથા જમવા સમયે આવી જજે.”
ને કૃષ્ણ ઘેર જવાની તૈયારી કરે છે.
ત્યાં જ સામે બેઠેલી કૃષ્ણ પાસે આવીને રાધા કહે,” તને આ યમુના કિનારો… કદંબ વૃક્ષ…ગોવાળિયા…. ગાયો… ગોવર્ધન પર્વત…યશોદા માતા… નંદજી… ગોપીઓ…. ને આ તારી રાધા…. આ બધું તને યાદ નહીં આવે. તું ગોકુળિયાને અને આ રમણીય વૃંદાવન છોડીને મથુરા જઈશ. તો અમારા ને આ બધાની હાલત શું થશે? એ તારી યાદમાં ઝુરી ઝુરી ને મરી જશે.”
કૃષ્ણ તેની વાત ધ્યાનથી સાંભળવાની સાથે રાધાનો વિલાપ અનુભવી રહ્યો હતો.
થોડીકવાર પછી આંખોમાં આંસુ સાથે રડમસ ચહેરે બોલી,” પણ કાના તું તો મારાથી દુર નહિ જાય ને,ભલે તું મથુરા જઈશ કે પછી હસ્તિનાપુર પણ રહીશ તો હંમેશા મારા દિલમાં જ.”
કૃષ્ણ કહે,”રાધા યાદ તો આ બધું જ આવશે. હું પણ તારી જેમ જ રાધામય બની તને નીરખતો રહીશ. તારી યાદ ફરી ફરી ફરિયાદ બની હ્દય પર આવશે. તારા પ્રેમના કારણે મારા નામની આગળ હંમેશા તારું નામ બોલાશે.લોકો તારા નિર્દોષ ,સ્વચ્છ પ્રેમને હંમેશા યાદ રાખશે.”
કૃષ્ણ રાધાનાં આંસુ લૂછી છે ને પછી કહે,”અહીંથી મથુરા જવાની વાત છે.એમાં મારી જરૂર જેટલી ગોકુળ અને વૃંદાવનને છે.એટલી જ જરૂર મથુરાને પણ છે. મારા મામા, મારી માતા દેવકી, પિતા વાસુદેવ મને બોલાવે છે. ને હા ,એથીયે વધુ ભારત દેશને મારી ખુબ જરુર છે.આવનારા સમયમાં રાધા તું એ જોઈશ કે દુનિયામાં મારે કેટ કેટલાંય કામ કરવાના છે. હા, હું રાધામય હોવાં છતાં સૌથી પહેલા તું જ યાદ આવશે.. પછી..”
‘મન’
મનોજકુમાર પંચાલ
પાલનપુર
#############################
: *ન્યુઝ ઓફ ગાંધીનગર*
*વિભાગ* = ગદ્ય
*શીર્ષક* = બાબા જશવંતસિંહ
આજકાલ લોકોને પ્રેમ વિશેના કોઈ ઉદાહરણ આપવાનું કહેવામાં આવે તો, મોટી ઉંમરના લોકો રાધા-કૃષ્ણના પ્રેમ વિશે જણાવશે જ્યારે યુવાવર્ગ રોમિયો-જુલિયેટ, લેલા-મજનુ અને હીર-રાંઝાના ઉદાહરણો આપશે. આજે આપણે એક એવી પ્રેમકથા વિશે જાણીશું કે, જેને વાંચીને કે જાણીને દરેક ભારતવાસીને ગર્વ થશે.
21 વર્ષની ઉંમરે ટ્રેનિંગ પૂરી કરી અને જ્યારે અરુણાચલ પ્રદેશમાં આવેલા તવાંગ જિલ્લામાં નુરનાંગ બ્રિજની રખેવાળી માટે ચોથી ગઢવાલ બટાલિયનની એક કંપની મૂકવામાં આવી. આ કંપનીમાં ઘણા નવયુવકો હતા જેમાંના એક હતા જશવંતસિંહ રાવત. રગોમાં ઊછળતું રક્ત, દિલમાં દેશપ્રેમ માટેની ભાવના અને લડાઈ માટેનું છૂટું મેદાન હોય તો એક જવાનને બીજું શું જોઈએ?
બરફથી ઢંકાયેલી પહાડીઓ અને ઊંચા ઊંચા વૃક્ષો, ખુશનુમાં વાતાવરણ, આવામાં ના થતો હોય તેને પણ પ્રેમ થઈ જાય. બટાલિયનના જવાનોને દુશ્મનોની ગતિવિધિ જાણવા અને સર્ચ ઓપરેશન માટે ઘણી વખત રહેણાક વિસ્તારોમાં અને પહાડીઓમાં વસતા લોકોની વચ્ચે જવાનું થતું. ત્યાં પહાડીઓમાં નૂરા અને સેલા નામની બે બહેનો રહેતી હતી. આવામાં જવાનીના જોશમાં અને ઉછળતા રક્તના ઉન્માદમાં સેનાના જવાન જશવંતસિંહને નૂરા નામની પહાડી છોકરી સાથે આંખ મળી ગઈ અને દિલ થી દિલ મળતાં લાગણીઓનું પ્રેમમાં પરિવર્તન થયું. સૈન્ય કાર્યવાહી સબબ ક્યારેક રહેણાક વિસ્તારમાં જવાનું થતું તો જશવંતસિંહ નૂરાને મળતાં તો ક્યારેક નૂરા આર્મી કેમ્પ તરફ જશવંતસિંહને મળવા આવતી. એકબીજા એ સાથે જીવવા અને સાથે મરવાના વચનો આપ્યા.
એવામાં ૧૯૬૨ના ભારત અને ચીન વચ્ચે યુદ્ધના મંડાણ થયાં. ભારતના મુઠ્ઠીભર સૈનિકો અને સૈનિકો પાસે ખૂબ જ ઓછા પ્રમાણમાં હથિયાર ઉપરથી વાતાવરણ નો પ્રકોપ ખૂબ જ ઠંડી અને સતત બરફ પડતો રહે જ્યારે ચીન પાસે અત્યંત આધુનિક મશીનરી અને 300 જેટલા સૈનિકોએ ભારત પર હુમલો કર્યો. પરિસ્થિતિ બેકાબૂ બનતા ઉપરી અધિકારીઓએ પીછેહઠ કરવા હુકમ કર્યો અને જવાનોને પાછળ ખસવાનો આદેશ અપાયો. બધા જવાનો આદેશ મુજબ પાછળ ખસવા તૈયાર પરંતુ આટલી જલદી હારમાની લે તો તો માનુ ધાવણ લાજે આથી રાયફલમેન જશવંતસિંહ રાવત, ત્રિલોક નેગી અને ગોપાલ ગોસાઈ આ ત્રણ જવાનોએ નક્કી કર્યું કે જરૂર પડશે તો દેશ માટે જીવ પણ આપશું પરંતુ જ્યાં સુધી આ દેહમાં પ્રાણ છે ત્યાં સુધી તો દુશ્મનોને માતૃભૂમિ પર પગ મૂકવા નહીં દઈએ.
લડતા લડતા ત્રિલોક નેગી અને ગોપાલ ગોસાઈ શહીદ થયા પરંતુ જશવંતસિંહે હાર ન માની અને પાંચ-પાંચ બંકરો એકલા હાથે સંભાળી અને દુશ્મનો પર ફાયરીંગ કરતા રહ્યા. નૂરા અને સેલા તેમને ત્યાં જમવાનું અને પાણી પહોંચાડતાં પણ જેને દેશ માટે શહીદ થવાની તમન્ના ઉપડી હોય તેને ભૂખ કે તરસ સાની લાગે?
સતત લડતા અને દુશ્મનો સાથે બાથ ભીડતાં જશવંતસિંહ સાથે નૂરા પણ સતત લડતી હતી. દુશ્મનો તરફથી ફાયરિંગ થોડું ધીમું પડતાં તેમણે નૂરાના ખોળામાં માથું ઢાળી અને તેમના સામે જોવા લાગ્યા નૂરા એ પણ આટલા સમયથી તરસ્યા જશવંત સિંહને થોડું પાણી આપ્યું અને જમવા માટેની થોડી વ્યવસ્થા કરવા તે વસ્તી તરફ જવા લાગી. જશવંતસિંહના ના કહેવા છતાં પણ નૂરા પોતાના પ્રેમીને અંતિમ ક્ષણોમાં ભોજન કરાવવા તે ત્યાંથી વસ્તી તરફ આગળ નીકળી તે દરમ્યાન દુશ્મનો તરફથી એક ગ્રેનેડ તેના તરફ ફેંકાતાં તેમણે ત્યાંજ પ્રાણત્યાગ કર્યા. પ્રેમિકાના મૃત્યુને જોઈ જશવંતસિંહ સમસમી ગયા અને તે માટી માથા પર લગાવી અને બમણા જોશથી દુશ્મનો પર તૂટી પડ્યા ત્રણ દિવસ અને ત્રણ રાત સુધી સતત ભૂખ્યા અને તરસ્યા દુશ્મનોનો સામનો કરતા રહ્યા અને તેમણે આપેલા વચન મુજબ જ્યાં સુધી પોતાના શરીરમાં પ્રાણ હતા ત્યાં સુધી દુશ્મનોને એક ઇંચ પણ જમીન આપી નહીં. અંતે આપણે ભારત અને ચીન વચ્ચેના યુદ્ધમાં આપણી હાર થઈ.
પરંતુ કહેવાય છે કે હાલ પણ જસવંતસિંહની આત્મા અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લાની આસપાસના વિસ્તારોમાં ચોકી પૂરે છે અને ભારતીય સેનામાં આજ પણ તેમની નોકરી સતત ચાલુ છે. તેમને સમયાંતરે પ્રમોશન પણ અપાય છે અને તેમનો પગાર પણ ચાલુ છે. તેમની યાદમાં અરુણાચલ પ્રદેશના તવાંગમાં બાબા જશવંતસિંહ નામનું મંદિર પણ આવેલું છે.
અને નૂરા અને સેલાની યાદમાં ત્યાંની બે પહાડીઓના નામ આ બે બહેનોના નામ પરથી રાખવામાં આવ્યા છે. ભલે આ પ્રેમકથા પહાડીઓના ગર્ભમાં દફન થઈ ગઈ છે પરંતુ જસવંતસિંહની આત્મા આજે પણ તેની સાક્ષી પૂરે છે.
✍ – © ભરત રબારી
( માંગરોળ,જી. જુનાગઢ)
#############################
: વિભાગ : ગદ્ય
શીર્ષક : ઈશ્વરાધીન
“આજે સવારથી મોબાઈલ જ નથી જોયો.” બબડીને ખુરશી પર બેઠી. મેસેજ જોવાં શરુ કર્યાં. જોતાં જ ગમી જાય એવાં રાધાજીને મનાવી રહેલાં કૃષ્ણનાં ચિત્ર પર એની નજર સ્થિર થઈ. મનોમન ચિત્ર સાથે સંવાદ સાધ્યો.
“હે, રાધાજી ! તમારાં રાતાચોળ મુખ પર ફૂટેલાં શરમનાં શેરડાંથી સ્પષ્ટ વરતાય છે કે, કાનજી તમારા રૂપને નિહાળી તમારી પ્રશંસા કરી રહ્યાં છે. રાધાજી, તમે કેટલાં નસીબદાર છો.”
“મારો શ્યામ તો કેટલાંયે દિવસથી મારાથી રીસાયો છે. કોણ જાણે ક્યારે માનશે ?” આંખમાં આંસુ ને મનમાં વિચારો એકસાથે ધસી આવ્યાં.
તેનો ફીયાન્સ શ્યામ બે વર્ષ પહેલાં માસ્ટર કરવાં અમેરીકા ગયેલો. પરત આવ્યાં પછી લગ્ન કરવા એવું બન્ને પરિવાર વચ્ચે નક્કી થયેલું.
“શ્યામ, આ બધું પતી જાય પછી આવજે. તું ત્યાં જ સેફ રહેશે.”
“મેધા, મારી મમ્મી કહે છે, “તું જલ્દી આવી જા, કેમ કે એને મારી ચિંતા છે. અને તું ?”
“શ્યામ, હું પણ તારી ચિંતા કરું છું. એટલે જ તને કહું છું. રસ્તામાં તને કંઈ ?” બસ, એક કલાકની તું-તું, મેં-મેં પછી બન્ને છેડેથી ફોન મૂકાઈ ગયાં.
“આ છેલ્લાં વાર્તાલાપનાં બીજા જ દિવસે, મેધાનાં વિરોધ છત્તાં, ભારત પરત ફર્યો ને ચૌદ દિવસ સરકારી મહેમાન બન્યો. ક્વોરન્ટાઈન કરાયાનાં ત્રીજા જ દિવસે કોરોના પોઝીટીવ નીકળ્યો. ગઈકાલે તેની મમ્મી કહેતી હતી, “શ્યામનાં લાસ્ટ બે રીપોર્ટ નેગેટીવ છે.” ફરી વખત શ્યામને મનાવવા માટે ફોન જોડ્યો. પરંતુ દર વખતની જેમ નિરાશા સાંપડી.”
“કાનજી, મારો શ્યામ ?” વાક્ય પૂરું થાય તે પહેલાં મોબાઈલની રીંગટોન સાથે ઘણાં દિવસે શ્યામનો ફોટો ચમક્યો.
✍🏻
પ્રીતિ શાહ (“અમી-પ્રીત”)
#########№###################
વિભાગ: પદ્ય
શીર્ષક: કહાની છે.
વર્ષો જુની આ પ્રેમકહાની છે,
રાધાકૃષ્ણ ની પાવન કહાની છે.
શ્યામ કૃષ્ણની સાથે મીઠી રાધા રાની,
બંને વચ્ચેની રંગભેદ વગર આ કહાની છે.
સમય વીતતો ગયો પ્રેમ વધતો ગયો,
ગોકુળની આ પ્રેમીજોડીની કહાની છે.
કૃષ્ણની વાંસળી પર દોડી આવતી રાધા,
સુરતાલ થી ભરી રાસલીલા ની કહાની છે.
થોડાં સમય બાદ છુટાં પડ્યાં બંને
આજીવન પ્રેમ કંઈ રીતે રહે એની આ કહાની છે.
આદર્શ પ્રેમ છે આ રાધાકૃષ્ણ નો
જગત ને જાણવવા જેવી કહાની છે.
પ્રેમ શરીર નો નહિ આત્માં નો હોય છે
આ વાત સમજવાં વાળી કહાની છે.
ટેલર કૃણાલ શાંતિલાલ #kt સુરત
##№#########################
* *વિભાગ*. પદ્ય
*શીર્ષક*-સાકી
રાધે રિસાયા..
હે… રાધે રિસાયા, કૃષ્ણ મનાવત, માનત નહીં રાધે પ્યારી!
કરે લાખ ચતુરાઈ, કૃષ્ણ મુરારી, સુનત નહીં રાધે પ્યારી!
કભી હાથ જોડે, કભી બંસી બજાવત, કરત ઠીઠોરી નર – નારી..
કરે લાખ ચતુરાઈ કૃષ્ણ – મુરારી, માનત નહીં રાધે-રાની!
જમુના કે તટપર, કૃષ્ણ મનાવત, છોડકે બાંસુરી પ્યારી..
કહે કૃષ્ણ – મુરારી મૈં બલિહારી, માન ભી જાઓ રાધે પ્યારી રે પ્યારી, માન ભી જાઓ રાધે પ્યારી રે પ્યારી, માન ભી જાઓ રાધે પ્યારી..
અધરો મલકાયે, નૈન ઝુકાયે, ચુનરી દાંતો મેં ડાલી,
નજરોં સે બોલે, રાધા મુખનાં ખોલે, આજ સતાઉં મૈં ગિરધારી રે પ્યારે.. આજ સતાઉં મૈં ગિરધારી..
માનું ના મેં બતિયા સારી!
✍ અંજના ગાંધી “મૌનું”વડોદરા
##########*€€€€€€€€€€€€€€€€
*નયુઝ ઓફ ગાંધીનગર*
વિભાગ:- *પદ્ય*
શીર્ષક:- *બંધ મુઠ્ઠી*
હજુ *બંધ મુઠ્ઠી* ના ખોલી
કાન, તું મારો સુંદર શ્યામ
પડખે રમતું રાધાજીનું માન
મને શીદને કરે છે બહુ હેરાન
સાચ્ચે સાચ્ચું લખ્યું મારું નામ ?
હજુ *બંધ મુઠ્ઠી* ના ખોલી…..
લોક કહે રાધાજી ખાનગી વાત
તે લખી હથેળીમાં રાધાની જાત?
મારું અંતર થઈ જાતું સૂમસામ
હજુ *બંધ મુઠ્ઠી* ના ખોલી……
તમન્ના તરફડે યાદોની વણજાર
બંસી સૂરે મળવું જમનાને મોજાર
પડખે અચરજ ભરશે ગોકુળ ગામ
હજુ *બંધ મુઠ્ઠી* ના ખોલી….
*મીના માંગરોલિયા.મીનુ*
*અમદાવાદ*9/6/2020
###########№#**†*#############
ન્યુઝ ઓફ ગાંધીનગર
સ્પર્ધા : 6 (ચિત્ર પરથી ગદ્ય/પદ્ય)
વિભાગ : પદ્ય
*ગીત/શ્યામ તારી આંખોમાં..*
શ્યામ તારી આંખોમાં ઘૂઘવે છે સાગર,
સાગરથી ભરવી છે આંખોની ગાગર.
શ્યામ તારી આંખોમાં………
તારી વાંસલડી ટહુકે ‘ને ટહુકે છે મન,
મારી ટશરોમાં ઊગ્યું છે આખું ઉપવન,
મારી ચુનરને આમ તું આઘી ના કર.
શ્યામ તારી આંખોમાં…….
શ્વાસોમાં શણગારું પીંછાંના પાનેતર રંગ,
મારા અંતરને છાજે ના બીજો કોઈ સંગ,
કનડે છે કાયમથી કાનજી ઓ તારી ફિકર,
શ્યામ તારી આંખોમાં……..