GN_17-6-20(NEWS of Gandhinagar news paper PDF fike)GN_16-6-20(1),,,GN_15-6-20
ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક સાહિત્ય વિભાગની ગત સપ્તાહની કહેવત તેમજ સુભાષિતો ના વિજેતા પરિણામો અને વિજેતા કૃતિઓ નીચે મુજબ છે. વિજેતાઓને તેમના સર્ટિફિકેટ પણ મોકલી આપવામાં આવ્યા છે.
*********************************
https://m.facebook.com/story.php?story_fbid=582028119384616&id=100027322995343
******************************************
વોટ્સ અપ નંબર : 9824653073
સાહિત્ય વિભાગ સ્પર્ધા આયોજક : પ્રદીપ રાવલ
ગ્રુપ સંચાલક : જીજ્ઞા:કપુરીયા
નિર્ણાયક શ્રી : જયશ્રી પટેલ, વંદના વાણી, કિશોર ઠક્કર
સહ નિર્ણાયક : આરતી મર્ચન્ટ, આરતી રામાણી
સહ સંચાલક : પ્રણવ ઝાંખર,મનીષ વોરા
ગ્રાફિક્સ,ડીઝાઇન : પ્રણવ ઝંખર
: *સ્પર્ધા નં -૬*
દુખિયા આગળ દુ:ખ કહો,
આધા દુ:ખ વો લેત,
સુખિયા આગળ દુ:ખ કહો,
હસ હસ તાલી દેત.
*અર્થ* : દુ:ખ ભોગવી ચૂકેલ વ્યક્તિ બીજાનું દુ:ખ સમજી શકે છે ,જ્યારે સુખી માણસ બીજાના દુ:ખને મજાક બનાવી દે છે.
*વિસ્તાર* : આ સુભાષિતમાં દુ:ખનો મહિમા વ્યક્ત કર્યો છે. “સુખ અને દુ:ખથી જીવનરૂપી ચક્ર ચાલે છે.”દુનિયામાં દરેકની સામે દુ:ખ કહેતા ન ફરાય. તેનાથી દુ:ખ ઓછુ નહીં પણ વધતુ જાય છે.દુ:ખમાંથી પસાર થયેલ વ્યક્તિ સામે આપણે આપણા દુ:ખની રજૂઆત કરીએ તો તે આપણા દુ:ખમાં સહભાગી થાય છે, આપણી તકલીફને સમજે છે. “દુ:ખની કેડીએથી આવેલ,કરે દુ:ખનો ઉપાય”.આવી વ્યક્તિ હંમેશા આપણા દુ:ખમાં આપણી સાથે હિંમત બનીને ઉભો રહે છે અને આપણા દુ:ખને અડધુ કરી નાખે છે.
પરંતુ આનાથી વિપરીત દુનિયામાં એવી વ્યક્તિ પણ છે કે જેણે ફક્ત સુખ-સાહ્યબી જ જોઈ છે.દુ:ખ- તકલીફ સાથે તેનો કોઈ સંબંધ જ નથી હોતો. આવી વ્યક્તિને જો દુ:ખ કહીએ તો તે આપણી મૂર્ખામી ગણાય.’આ તો કંઈ તકલીફ છે?’ આવુ કહીને તે આપણા દુ:ખ પર હસે છે.સાથે લોકોને પણ આપણી તકલીફ જણાવીને સમાજમાં આપણને હસીને પાત્ર બનાવે છે.
જેમ કે વૃધ્ધાશ્રમમાં રહેતા દરેક વૃદ્ધ મા-બાપ જ એકબીજાના દુ:ખને સમજીને ઓછુ કરી શકે છે,બાકી પુત્રની ઘેલછા રાખનારને આ દુ:ખ નથી સમજાતું.
” દુઃખી પકડે દુ:ખીનો હાથ,
સુખી ખેંચે દુઃખીનો પગ”.
*મૈત્રી ઉપાધ્યાય*
*અમદાવાદ*✍️
#######№#####################
*ન્યુઝ ઓફ ગાંધીનગર*
*સુભાષિત નં-૬*
*દુખિયા આગળ દુ:ખ કહો*
*આધા દુ:ખ વો લેત*;
*સુખિયા આગળ દુ:ખ કહો*,
*હસ હસ તાલી દેત*.
અહીં સુખ અને દુઃખની વાત કરી છે. જીવનમાં સુખ-દુખ એક સિક્કાની બે બાજુ છે. સુખમાં છલકાઈ ન જવું અને દુઃખમાં રડવું નહીં. જીવનમાં ઘણા પ્રકારના દુઃખ હોય છે જેવા કે સંપત્તિનું, સંતતિનું, પ્રેમનું, સંબંધોનું દુઃખ વિગેરે…દુઃખી લોકોને દુઃખની વાત કરીએ તો તેઓ દુઃખને સમજીને દુઃખી માણસને સહારો આપે છે. સમદુખીયા જ દુઃખ સામે લડવા હિંમત તથા તેની સામે કઈ રીતે લડવું એ શીખવાડે છે.જેથી દુઃખી માણસનું દુઃખ અડધું થઇ જાય છે.
રામ સુગ્રીવને મિત્ર માની તેના દુઃખને સમજીને તેના ભાઈ વાલીને યુદ્ધમાં મારી નાખે છે. તેનું સર્વ દુઃખ દૂર કરે છે. આમ દુખિયો માણસ જ દુઃખ સમજી શકે છે. દુઃખી માણસને સહારો જોઈએ છે, દયા નથી જોઈતી.
જ્યારે એથી ઉલટું સુખી માણસોને સુખની વાત કરો તો લોહી ચઢે છે. ને દુઃખની વાત કરીએ તો તે દુઃખને સમજી શકતો નથી. ઉપરથી ફક્ત મોટી મોટી સલાહ જ આપી દુઃખી માણસને વધુ દુઃખી કરે છે. તેઓની વાત, વ્યવહાર,આચાર,વિચારમાં સર્વત્ર સુખ જ હોય તેવું વિચારતાં હોય છે. તેમનાં મિત્રો અને સગાંસંબંધીઓ પણ સુખી જ હોય. જ્યાં સુખની રેલમછેલની વાતો કરતાં કરતાં તાળી આપીને ખુશ થાય છે.
✍️ ‘મન’©️
મનોજકુમાર પંચાલ
પાલનપુર
#############################
ન્યૂઝ ઓફ ગાંધીનગર
સ્પર્ધા નંબર : ૬
સુભાષિત :
દુખિયા આગળ દુઃખ કહો
આધા દુખ વો લેત
સુખિયા આગળ દુખ કહો
હસ હસ તાલી દેત
“તાગ પરિસ્થિતિના કંઇ એમ ન મળે
આપ ઉપર જો આવે તો જ એ કળે”
કોઇપણ વ્યક્તિની; ખાસ કરીને એવા કે જેમના જીવનમાં ડગલે ને પગલે મુસીબતો આવતી હોય કે પછી ‘એક સાંધતા તેર તૂટે’ એવી પરિસ્થિતિ હોય તેવાની માનસિક પરિસ્થિતિનો અંદાજ કાઢવો કે એમની તકલીફો મહેસૂસ કરવી સહેલી નથી. આવા ને તો એમના જેવા કોઇ સમદુખિયા જ સમજી શકે, તેમને હિંમત આપી શકે અને હા! આવા જ લોકો પૂરેપૂરો સાથ પણ આપે. આમ અરસપરસ બન્નેનું મન હળવું થાય ને જાણે અડધુ દુખ ગયાનો અનુભવ થાય.
સુખી માણસો, એવા માણસો કે જેમને દુખ પડ્યુ જ નથી અથવા એવા કે જેઓ પોતાનામાં જ મસ્ત રહેતા હોય; એવા સામે દુખિયારાની વાતોની બહુ અસર નથી થતી, એ તો માત્ર સાંભળીને હાંસી ઉડાવતાં વાતની મજા લે છે કારણકે તેઓ વાતને, દુખને સમજી જ નથી શકતા અને કયાં તો સમજવા નથી માંગતા. આવા લોકોને કારણે દુખિયારા વધુ દુભાય છે.
એટલે જ એવું કહેવાય છે કે
દુખીના દુખની વાતો
સુખી ના સમજી શકે
સુખી જો સમજે પુરું
દુખ ના વિશ્વમાં ટકે!
✍️વૈશાલી જે મહેતા.
#####№#####*****№#############
[ વિભાગ :- ગદ્ય
સુભાષિત…
દુખિયા આગળ દુઃખ કહો
આધા દુઃખ લો લેત
સુખિયા આગળ દુઃખ કહો
હસ હસ તાળી દેત…..
અર્થ….આ સુભાષિત માં કહેવા માગે છે કે આપણી કોઈ પણ તકલીફ એજ માણસ સમજી શકે જેની ઉપર વીતી
હોય…જે આપણા જેવો દુઃખી હોય,આપણું દુઃખ એ
દુખિયારાને કહીએ તો એ એટલી સારી રીતે સાંભળશે ને
આશ્વાસન આપશે કે આપણું અડધું દુઃખ એની વાતો સાંભળીને દૂર થઈ જશે ,આપણને દુઃખ સામે લડવાની હિંમત આવી જશે.કારણકે દુઃખી માણસ જ દુઃખનો અનુભવ કરી ચુક્યો હોય એટલે એ દુઃખની વેદના સારી રીતે સમજી શકે….
કોઈ સુખી માણસ આપણો ઓળખીતો હોય ને એને આપણી તકલીફ કહીયે તો એ માણસ આપણું દર્દ નહિ સમજે ઉપરથી આપણી મજાક ઉડાવસે.કારણ કે એને
સુખ મળી જવાથી દુઃખનો અહેસાસ એ વ્યકતી કરવા
માગતો નથી ને સુખના મધમાં ઘણીવાર દુખિયારાને વધુ દુઃખી કરી મૂકે છે .આવા સુખી માણસ આગળ આપણે ક્યારેય દુઃખ વ્યક્ત કરવું જોઈએ નહીં,કારણ કે ઘણીવાર
એ સુખી માણસ દુઃખની મજાક ઉડાવી આનંદ લેતો હોય છે…એટલેજ તો કહેવું પડે…
દુખીયાએ પીધો ઘૂંટડો દુઃખનો,
જાણે એનું દર્દ…!!
સુખીઓ પીવે સુખનું અમૃત,
દુઃખની પરખ એને ક્યાંથી હોય…..!!
શીલા પટેલ…🌸
ગાંધીનગર….
#########№#####*************##№
[*ન્યુઝ ઓફ ગાંધીનગરમાં દરેક સ્પર્ધકનું સ્વાગત છે*”
🌹🌹🌹🌹🌹
*સુભાષિત **
*૧)વૈશાલી મહેતા*