GN_24-5-20 (News of Gandhinagar PDF)
JF_24-5-20 (Jan Fariyad international weekly news paper PDF)
https://www.facebook.com/100027322995343/posts/566106997643395/
(સર્ટિફિકેટ સાથેનો સંપૂર્ણ અહેવાલ.. એફ. બી.લિંક)
*****************: સુભાષિત. *************
૧ દેવીબેન વ્યાસ -વસુધા- સુરેન્દ્રનગર
૨ પૂજા કાનાણી
૩ ભરત રબારી
********* કહેવત. ***********
મનોજ કુમાર પંચાલ શ્રેષ્ઠ
૧ વિભૂતિ દેસાઈ ઘાસવાલા
૨ ટેલર કૃણાલ શાંતિલાલ સુરત
૩ શીલા
૪ ચેતના ગણાત્રા
૫ દિપ્તીબેન પટેલ
૬ પ્રફુલ્લા પ્રસન્ના
૭ પૂજા કાનાણી (સુભાષિત )માંપણ છે
ન્યૂઝ ઓફ ગાંધીનગર
વિભાગ– કહેવત
મા તે મા બીજા વગડાના વા
દસ વર્ષની દીકરી પરીનું ચાલવાનું મંદ પડી ગયુ. સુધારો થવાની શક્યતા નથી એવું જાણવા છતાં સારવાર ચાલુ રાખી.પરીની મા રોજ સમય મળે એટલે પરીના પગે હાથ ફેરવતી રહે, પરીને હિંમત આપતાં કહે,” ફીનીક્ષ પક્ષી ની જેમ બેઠી થઈ એવું વિચાર , તું દોડતી થઇ છે એવું જોયા કર.” પોતે પણ સતત એજ રટણ કરે કે પરી દોડતી થઇ ગઇ છે. માલીશ કરવું, કસરત કરાવવી, સાથે પ્રભુને પ્રાર્થના.મા ની હિંમતથી પરી મનથી મજબૂત બની. પાંચ વર્ષની મહેનત, કાળજી રંગ લાવી,પરી વ્યવસ્થિત ઉભી રહેતી થઈ, ચાલતી થઈ.ડોકટર પણ નવાઈ પામ્યા આ તો ચમત્કાર થયો.એક વર્ષ બાદ ખેલમહાકુંભમાં દોડ સ્પર્ધામાં રાજ્યકક્ષાએ પ્રથમ આવી.શાળામાં સન્માન કરવામાં આવ્યું ત્યારે પરી બોલી, ” મા તે મા બીજા વગડાના વા”.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.(૨)
————–
*મા તે મા , બીજા વગડાના વા.*
“મા” એટલે મમતાની દેવી. મૃત્યુ પામવાં આપણી પાસે ઘણા બધા રસ્તા હોય શકે પરંતુ જન્મ પામવાનો એક જ રસ્તો છે એ “મા” પછીએ ભગવાન હોય, માનવ હોય કે અંબોલા પ્રાણીઓ કે પંખીઓ હોય.
“મા” પોતાની જીંદગીકાળ દરમ્યાન ઘણી બધું બલિદાન; ત્યાગ; પ્રેમ આપીને સંતાનની જીંદગીને સૂર્ય અને ચંદ્રની માફક ઝબહળાવે છે. એ પછી મોટો વૈજ્ઞાનિક હોય કે પ્રધાનમંત્રી હોય.
“મા” માટે દરેક સંતાન એક સમાન હોય છે પછી ભલે એક બાળક હોય કે કૌરવોની જેમ સૌ બાળકો; આંધળું હોય; મૂંગું હોય; કોઈ પણ ક્ષતિ વાળું કે ક્ષતિ વગરનું પણ મા ને મને એનું પ્રત્યેક બાળક એટલે કાળજાનો કટકો. બાળક માટે મા નું મમતાંનું ઝરણું અખૂટપણે વહ્યાં જ કરે છે.
“મા” બાળક સાથે સુખમાં સુખી તો દુઃખમાં દુઃખી રાત દિવસ બાળકના હિતની પ્રાર્થના કરતી એટલે મા.
“મા” ની મમતા માનવ જેટલી પૂરતી નથી પણ અંબોલા પ્રાણીમાં પણ આટલી જ માયા જોવા મળે છે. કૂતરી પોતાનાં ગલૂડિયાને; બિલાડી પોતાનાં બચ્ચાને; સિંહણ પોતાનાં બચ્ચાને જે રીતે સાચવે છે જે રીતે માનવ માતા પોતાના બચ્ચાને સાચવે છે.
“મા” બનવું સહેલું નથી માતા સંતાનના જન્મથી લઈ તેના ચારિત્ર્ય હોય કે સમાજ સામે ઉંભા રાખવાનું હોય આ બધામાં સૌથી મોટો ફાળો “મા” નો જ હોય.
એટલે જ કહેવાય છે દરેક જગ્યાએ ભગવાન પહોંચી ના શકે એટલે ભગવાને “માં” ને ઘડી.
આ “મા” ને મારા ચરણ કોટી વંદન.
ટેલર કૃણાલ શાંતિલાલ#kt
સુરત
————–
મા તે મા બીજા વગડાના વા….
‘ મા ‘ કેટલો પ્યારો શબ્દ…આ શબ્દ બોલતાજ મમતાનો
અહેસાસ થઈ જાય…જ્યારે બાળક પેટમાં હોય ત્યારે સારા વિચારો ને વાંચન કરી ‘મા’ બાળકને સારા સંસ્કાર ગર્ભમાંથી જ આપવાનો પ્રયત્ન કરે છે…બાળક જન્મેને તરત ‘મા ‘એના સારા ભવિષ્યની તૈયારીમાં લાગી જાય છે….!!
ઘરનું કામકાજ ,સમાજના વ્યવહાર ને બીજી કેટલીય
જવાબદારી વચ્ચે ‘મા ‘નું મન એના બાળકની પાસેજ હોય છે.આપણા દેશમાં થયેલા મહાન વ્યક્તિઓના ઘડતરમાં
‘મા ‘ની ભૂમિકા વિશેષ જોવા મળે છે….’મા ‘નો ફાળો બાળકના ઘડતરમાં મહત્વનો હોય છે…..!!
‘ મા ‘ભલે અમીર ઘરની હોય કે ગરીબ પણ એના સંતાન માટે મમતાની ધારા અવિરત વહાવતી હોય છે….સંતાન
જો દુઃખી હોય તો ‘મા ‘એના સુખ માટે રાત દિવસ ચિંતા કરતી હોય છે…પોતાના સંતાનના હાસ્યમાં પોતાનું હાસ્ય
જોતી ‘મા ‘ભગવાનની મુરત છે….!!
મમતાભરી આંખોથી ‘મા’ એના સંતાનની ખુશાલી માટે
ખુશીના રસ્તા સતત શોધતી હોય છે.સચ્ચાઈના રસ્તે ચાલતા
શીખવતી ‘મા ‘જીવનમાં એના સંતાનને એકવાર પડી ગયા પછી ઉભા થઇ કેવી રીતે ચાલવું એ પણ શીખવે છે…!!
કોઈ ભલે ગમે એટલો પ્રેમ વરસાવે પણ ‘મા’ ની તોલે
ક્યારેય ના આવે ….એટલેજ કદાચ આ કહેવત પડી હશે,
‘ મા’ તે ‘મા ‘બીજા વગડાના વા.
શીલા
———–
કહેવત પરથી લેખ
મા તે મા બીજા બધા વગડાના વા
*મા*
તારા કેટલા વિવિધ પાત્ર અને દરેક રૂપમાં શ્રેષ્ઠ !
જન્મદાત્રીના પાત્રમાં કેવી અદભુત ખૂબી કે.. સંતાનનું મુખ જોતાં જ સુખ અનુભવે અને નિજ પીડા ભૂલી જાય.. માને બાળકની કાળજી લેવામાં રાતના ઉજાગરા પણ મીઠા લાગે. આંખોમાં અમીરસ, મુખડા પર મમતા, દિલમાં સ્નેહ, રગેરગમાં વાત્સલ્ય ભાવ છલકાય એવી પ્રેમમુરત એટલે “માડી.” એટલે જ કહેવાય છે. “જે શાંતિ માની ગોદમાં હોય છે તે શાંતિ તો હિમાલયમાં પણ નથી મળતી.” ભગવાન પણ પૃથ્વી પર અવતાર ધારણ કરે છે તો માતાની કુખે જન્મ લે છે. દરેક ભૂલને ક્ષમા આપતી મા ક્યારેય પોતાના સંતાનથી ક્રોધિત થતી નથી. પ્રભુ પાસે પ્રાર્થનામાં સંતાન માટે જ કૃપા દ્રષ્ટિની અરજી કરે છે.
માતાનું ઘડપણ ગરિમાપૂર્ણ બની રહે, એની જવાબદારી સંતાનની છે.જે માતા થકી આ સંસારમાં અસ્તિત્વ છે એને વૃદ્ધાશ્રમનો આશરો ના લેવો પડે. એ ફરજ પ્રત્યેક સંતાન નો ધર્મ છે. જો એટલું પણ ના થાય તો મનુષ્ય તરીકેનું જીવન વ્યર્થ છે. “માતૃદેવો ભવઃ” બોલીએ છીએ, તો યથાર્થ રીતે અપનાવવું જરૂરી છે.
માતાનું સુખમય જીવન એ જ મનુષ્ય જન્મારાની સાચી સફળતા…
ચેતના ગણાત્રા. “ચેતુ”
મુંબઈ
————-
કહેવત પરથી લેખ
મા તે મા બીજા બધા વગડાના વા
કસોટી
રંજનબેન ખૂબ જ દ્વિધામાં હતાં… એમને આજે એક ફેંસલો કરવાનો હતો.. એમનાં દીકરા સૂરજે એક દિવસનો સમય આપ્યો હતો.. જવાબ આપવા માટે… આમ તો એ એનો પોતાનો અને રંજનબેનને મોકલાવવાનો ખર્ચો કાઢી જ શક્તો હતો… પણ આજકાલની મોંઘવારીમાં એની નાની બહેન વીસ બાવીસ વર્ષની ઉંમરે થોડું ઓછું મગજ હોવાથી એનો પણ ખર્ચો એને ઉઠાવવો પડતો… એનાં કારણે એને ખેંચ રહ્યા કરતી… એને એનાં કોઈ ભાઈબંધે એની બહેનને કોઈ સંસ્થામાં મોકલી દેવા કહ્યું… એટલે સૂરજે રંજનબેનને ફોન કરીને આજે જ એની બહેનને સંસ્થામાં મોકલી દેવા તપાસ કરવા કહ્યું… એમની દીકરી પ્રિયા પણ આ વાત સાંભળીને ઉદાસ થઈ ગઈ.. અને બોલી… ‘ તું મને બીજા અજાણ્યા લોકો સાથે મૂકી આવીશ.. ?? હું એટલી બોજ લાગું છું.. ?? એનાં કરતાં હું મરી જ જવું.. ‘ બોલીને ખૂબ જ રડી.. રંજનબેને મક્કમ થઈ એક ફેંસલો કરી લીધો.. બીજા દિવસે ફોરેનથી સૂરજનો ફોન આવતાં એમણે સૂરજને કહી દીધું.. : ‘ તને તકલીફ ના પડે એ રીતે તને યોગ્ય લાગે તે જ મારા માટે મોકલજે.. હું ભલે એકલી છું… પણ પ્રિયાને હું મારી પાસે જ રાખીશ.. એનો ખર્ચો ઉઠાવવા જેટલી તાકાત છે જ મારામાં.. ‘
પ્રિયા આ સાંભળીને એની મમ્મીને વળગી પડી… એટલે જ કહેવાય છે…
મા તે મા બીજા બધા વગડાના વા.
દીપ્તિ પટેલ’શ્રીકૃપા’
વડોદરા.
————-
*કહેવત -*
*મા તે મા બીજા વગડાના વા*
મા એક સંબંધ છે.મા બધાને હોય છે.પિતા વગર જન્મ ધારણ કરવો શક્ય છે પણ મા વગર નહિ.દુનિયાની દરેક સ્ત્રી મા છે, દરેક સ્ત્રીના હૃદયમાં માતૃત્વનું ઝરણું વહેતું જ હોય છે.જે સ્ત્રીના હૃદયમાં એક મા જન્મે છે તે સ્ત્રીના હૃદયમાં ઈશ્વર હોય છે.માના પણ જુદા જુદા સ્વરૂપ છે.જન્મ આપનારી અને પાલનપોષણ કરનારી.દેવકી અને યશોદા આના ઉત્તમ ઉદાહરણ છે.
બાળક ગમે તેવું હોય, માને અનહદ વ્હાલું હોય.સુંદર, હુષ્ટપુષ્ટ,નટખટ અને જોઈને કોઈને પણ ગમી જાય એવા બાળકને તો બધા વ્હાલ કરે પણ બાળક જન્મતાની સાથે જ બિમાર હોય, અપંગ હોય,કદરૂપુ હોય કે અસામાન્ય હોય તો પણ એ માને વ્હાલું જ હોય છે, બલ્કે એ નોર્મલ બાળક કરતાં વધારે વ્હાલું લાગે છે.બીજા બાળક કરતાં એની ચિંતા અને એની દરકાર મા વધારે રાખે છે. પોતાની બધી સુખ સગવડ ભૂલીને એ બાળકમય બની જાય છે.એની દુનિયા પોતાના બાળકની આસપાસ જ હોય છે.મા માટે દુનિયાનું બધું સુખ એક બાજુ અને એક બાજુ બાળકના સુખ અને શાંતિ.
મોટા થયા પછી બાળકો ઘણી ભૂલો કરે છે, અવિવેક કરે છે, ખરાબ વર્તન કરે છે તો ક્યારેક અમાનવીય જીવન તરફ વળી જાય છે ત્યારે મા જ છે જે સતત એની ચિંતા કરે છે, એનો અવિવેક અને એની માફ ન થઈ શકે એવી ભૂલો પણ માફ કરે છે અને એના જીવનની ગાડી પાટા ઉપર ચઢાવવાના પ્રયત્નો કરે છે.
બાળકના ભરણપોષણ માટે એ અથાક મહેનત કરે છે, પોતે ભૂખી રહીને એનું પાલન કરે છે, ઉજાગરા વેઠે છે, છતાંય એ બાળક અપમાન કરે તો પણ સહન કરે છે.એટલું જ નહીં પણ બાળક માટે બીજાના અપમાન પણ સહન કરે છે.
દરેક મા સ્નેહ, સમર્પણ અને ત્યાગની મૂર્તિ છે.એની મમતા અમાપ છે અને બાળક માટે એના ત્યાગની કોઈ સીમા નથી.
આમ *મા એ મા બીજા વગડાના વા* એ કહેવત દરેક મા માટે સાચી છે.
*પ્રફુલ્લા”પ્રસન્ના”*
અમદાવાદ
________________________________________
ખૂબ સરાહનીય કાર્ય છે આવા સાહિત્યકારોને બિરદાવવા.