અમદાવાદમાં કૃષ્ણનગર પોલીસ ચોકી ના એ. એસ. આઇ ગીરીશભાઈ બારોટ નામના કોરોનાથી પોલીસકર્મીનું મોત થતાં પીઆઈ પર બેઠી ઈન્કવાયરી, ગુજરાતનો પ્રથમ કેસ
કોરોનાના ફફડાટ વચ્ચે પણ પોલીસકર્મીઓ વિના સંકોચે ડરના માહોલ વચ્ચે પોતાની ફરજ બજાવી રહ્યાં છે. આ કોરોના વોરિયર્સને પણ સમયસર સારવાર આપવામાં તંત્ર ફેલ ગયું છે. પોતાના જીવની પરવા કર્યા વિના નોકરી પર હાજર રહે છે ત્યારે દરેક મુસિબતમાં પોલીસતંત્રે પણ તેમની પડખે રહેવાની એટલી જ જવાબદારી છે. એક પીઆઈ પોતાની ફરજ ચૂકયા અને તેનો ભોગ હવે બની રહ્યાં છે. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીના મોતના મામલામાં પીઆઈ હવે ફસાયા છે.
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી ભરતસિંહ સોમજીના મોતનો મામલો વકર્યો છે. ગુજરાત પોલીસ માટે અત્યાર સુધીનો સૌથી પહેલો શર્મસાર કરતો કિસ્સો સામે આવતાં પોલીસતંત્રના ઉચ્ચ અધિકારીઓ એક્ટિવ થઈ ગયા છે. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પી.આઈ ઉપર ઈન્કવાયરીનો આદેશ થયો છે. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર પાસે સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર-2 એ લેખિતમાં ખુલાસો માગ્યો છે. પોલીસ કર્મીને તાત્કાલિક સારવાર ન મળતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે હવે પીઆઈ ભરાયા છે. સ્ટાફને યોગ્ય સારવાર મળી રહે એ માટે ઉચ્ચ અધિકારીની જવાબદારી છે. આ કેસમાં કોરોના પોઝિટીવ આવેલા પોલીસકર્મીને સારવાર ન મળી હોવા મામલે હવે પીઆઈએ ખુલાસા કરવા પડશે. ગુજરાત પોલીસમાં આ પ્રથમ કેસ એવો નોંધાયો છે. જેમાં સ્ટાફને સારવાર ન મળવાનો ભોગ ઉચ્ચ અધિકારી બન્યા.અમદાવાદમાં કોરોનાથી પોલીસકર્મીનું મોત થતાં પીઆઈ પર બેઠી ઈન્કવાયરી, ગુજરાતનો પ્રથમ કેસ
Tકોરોનાના ફફડાટ વચ્ચે પણ પોલીસકર્મીઓ વિના સંકોચે ડરના માહોલ વચ્ચે પોતાની ફરજ બજાવી રહ્યાં છે. આ કોરોના વોરિયર્સને પણ સમયસર સારવાર આપવામાં તંત્ર ફેલ ગયું છે. પોતાના જીવની પરવા કર્યા વિના નોકરી પર હાજર રહે છે ત્યારે દરેક મુસિબતમાં પોલીસતંત્રે પણ તેમની પડખે રહેવાની એટલી જ જવાબદારી છે. એક પીઆઈ પોતાની ફરજ ચૂકયા અને તેનો ભોગ હવે બની રહ્યાં છે. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીના મોતના મામલામાં પીઆઈ હવે ફસાયા છે.
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી ભરતસિંહ સોમજીના મોતનો મામલો વકર્યો છે. ગુજરાત પોલીસ માટે અત્યાર સુધીનો સૌથી પહેલો શર્મસાર કરતો કિસ્સો સામે આવતાં પોલીસતંત્રના ઉચ્ચ અધિકારીઓ એક્ટિવ થઈ ગયા છે. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પી.આઈ ઉપર ઈન્કવાયરીનો આદેશ થયો છે. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર પાસે સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર-2 એ લેખિતમાં ખુલાસો માગ્યો છે. પોલીસ કર્મીને તાત્કાલિક સારવાર ન મળતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે હવે પીઆઈ ભરાયા છે. સ્ટાફને યોગ્ય સારવાર મળી રહે એ માટે ઉચ્ચ અધિકારીની જવાબદારી છે. આ કેસમાં કોરોના પોઝિટીવ આવેલા પોલીસકર્મીને સારવાર ન મળી હોવા મામલે હવે પીઆઈએ ખુલાસા કરવા પડશે. ગુજરાત પોલીસમાં આ પ્રથમ કેસ એવો નોંધાયો છે. જેમાં સ્ટાફને સારવાર ન મળવાનો ભોગ ઉચ્ચ અધિકારી બન્યા છે.
આવતીકાલે કરવો પડશે ખુલાસો
કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા અ. હે. કો ભરતસિંહ સોમાજી બ.ન. ૮૦૯૦ નાઓ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે તા. ૧૪/૦૫/૨૦૨૦ ના સ. ક. ૦૮/૦ થી ક. ૧૨/૦૦ સુધી P.S.O તરીકે ફરજ પર હતા દરમિયાન તેઓની તબીયત સારી ન હોવાનું જણાવતા તેઓએ નરોડા અર્બન હેલ્થ સેન્ટર ખાતે જઇ રીપોર્ટ ટેસ્ટ કરવા સુચન કરાયું હતું. જેમાં કોરોના ટેસ્ટ કરાવેલો હોવાથી તેઓને તેમની ફરજ પરથી આરામ કરવાની સુચના આપવામાં આવી હતી. તા. ૧૬/૦૫/૨૦૨૦ ના રોજ તેઓનો કોરોના પોઝિટીવ રીપોર્ટ આવતા તેઓને આ અંગેની સારવારની સુચના કરતા. તા. ૧૭/૦૫/૨૦૨૦ ના ક. ૧૩/૦૦ વાગ્યે ટીમ- ૧૦૮ દ્રારા ગાંધીનગર સિવિલ હોસ્પીટલ ખાતે દાખલ કરાયા હતા. જેઓનું સારવાર દરમ્યાન તા. ૧૮/૦૫/૨૦૨૦ ના ક. ૦૧/૦૦ વાગ્યે મોત થતાં ઠાકોર ને તા. ૧૬/૦૫/૨૦૨૦ ના રોજ કોરોના વાયરસ ના લક્ષણો દેખાવવાના શરૂ થઇ ગયા હોવા છતા પણ તાત્કાલીક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી ન હતી. તે અંગેની ઇન્કવાયરીના કામે આવતી કાલ તા. ૨૪/૦૫/૨૦૨૦ ના ક. ૧૧/૦૦ વાગ્યે નિવેદન લખાવવા સારૂ જરૂરી રેકર્ડ સાથે સેકટર-૨ કચેરી ખાતે હાજર રહેવા અધિકારીને આદેશ થયો છે