GN_23-5-20 (News of Gandhinagar PDF)
Press Brief 22.05.2020 Gujarat17.00 hrs
[5/22, 5:39 PM] Uday Vaisnav: રાજ્યમાં ગરીબ-અંત્યોદય પરિવારોને વિનામૂલ્યે અનાજ વિતરણના છઠ્ઠા દિવસે
અમદાવાદ શહેર સિવાય સમગ્ર રાજ્યમાં
૪૫ લાખ NFSA કુટુંબોએ અનાજનો પુરવઠો મેળવ્યો
……..
મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે રાજ્યભરમાં પ્રવર્તમાન સ્થિતીમાં રાજ્ય સરકાર દ્વારા NFSA કાર્ડધારકોને કરવામાં આવી રહેલા વિનામૂલ્યે અનાજ વિતરણની વિગતો આપતા કહ્યું હતું કે, અમદાવાદ શહેર સિવાય રાજ્યમાં મે મહિના માટે વિનામૂલ્યે અનાજ વિતરણના છઠ્ઠા દિવસે અંદાજે ૪૫ લાખ જેટલાં NFSA કુટુંબોને આ અનાજ પહોંચાડવામાં આવ્યું છે.
જેમાં ગુજરાત સરકાર દ્વારા મે માસમાં વિનામૂલ્યે 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો ખાંડ, 1 કિલો ચણા અથવા દાળ એમ કુલ- 15 કિલો જ્યારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત વ્યક્તિદીઠ વધારાના 3.5 કિલો ઘઉં તેમજ 1.5 કિલો ચોખા એમ કુલ-20 કિલો અનાજનો જથ્થો સરકાર માન્ય ૧૭ હજાર જેટલી સસ્તા અનાજની દુકાનો પરથી સંપૂર્ણ સામાજિક અંતર સાથે વિતરણ થઇ રહ્યો છે.
મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રીએ વધુમાં ઉમેર્યું હતુ કે, ૬૮.૮૦ લાખ NFSA કાર્ડઘારકોને રાજય સરકારના તથા ભારત સરકારની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત મળવાપાત્ર એમ બેય મળીને કુલ ર૦ કિલો જથ્થાનું પુરવઠાનું ખૂબ જ સારી રીતે, સામાજિક અંતર જાળવવા, ફરજિયાત માસ્કના ઉપયોગ સાથે વિનામૂલ્યે વિતરણ અમદાવાદ શહેર સિવાય સમગ્ર રાજયમાં તા.૧૭ મે થી શરૂ થયું છે.
તેમાં આજે તા.ર૨મી મે શુક્રવાર સુઘીમાં ૪૫ લાખ રેશનકાર્ડઘારકોએ આ વિનામૂલ્યે અનાજ વિતરણનો લાભ લીધો છે.
તેમણે કહ્યું હતુ કે, રાજયમાં ૧૭ હજાર જેટલી સસ્તા અનાજની દુકાનો ધરાવતા ભાઈ-બહેનોએ ગરીબ, સામાન્ય અને મધ્યમ વર્ગના કુટુંબોને અનાજ પહોંચે, તેમને સમયસર રાશન મળી જાય તેના માટે એપ્રિલ અને મે માસ એમ બે મહિના દરમિયાન રાત-દિવસ જોયા વિના સતત કામગીરી કરી છે તે ખૂબ જ પ્રશંસનીય છે. મુખ્યમંત્રીશ્રીના સચિવે આ કામગીરી માટે અભિનંદન પણ પાઠવ્યા હતા.
આ અંગેની વધુ વિગતો આપતાં મુખ્યમંત્રીશ્રીના સચિવે કહ્યું કે, “રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા (NFSA)” હેઠળ સમાવેશ કરાયેલ કુલ ૬૮.૮૦ લાખ રેશનકાર્ડ ધારકોની ૩ કરોડ ૩૬ લાખ જનસંખ્યાને એપ્રિલ મહિનાની જેમ જ મે મહિના દરમ્યાન ઘઉં, ચોખા, ખાંડ તથા મીઠાના મળવાપાત્ર પ્રમાણ મુજબ વિનામૂલ્યે અન્ન પુરવઠાનું વિતરણ કરવાનો સંવેદનશીલ નિર્ણય મુખ્યમંત્રીશ્રીએ કરેલો છે.
આ ઉપરાંત ભારત સરકાર ધ્વારા પ્રઘાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત “રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા (NFSA)” હેઠળ સમાવેશ થયેલા આ ૬૮.૮૦ લાખ કાર્ડધારકોને નિયમિત મળવાપાત્ર ઘઉં/ચોખાના પુરવઠો ઉપરાંત એપ્રિલ -મે- તથા જૂન મહિના દરમ્યાન પ્રતિ વ્યકિત ૩.પ કિલો ધઉં તથા ૧.પ કિલો ચોખા મળી કુલ પ કિલો અનાજ તથા કુટુંબદીઠ ૧ કિલો કઠોળ-ચણા વિનામૂલ્યે વિતરણ થઈ રહ્યું છે.
સી.એમ-પીઆરઓ/અરૂણ ……
[5/22, 5:39 PM] Uday Vaisnav: તા. ૨૧મી મે ગુરૂવાર મધ્યરાત્રિ સુધીમાં ગુજરાતમાંથી ૬૯૯ સ્પેશ્યલ ટ્રેન મારફતે
૧૦ લાખ ૧૫ હજાર પરપ્રાંતિય શ્રમિકો વતન જવા રવાના થયા
…….
-: *ઉત્તરપ્રદેશ – બિહાર – ઝારખંડ – છત્તીસગઢ સહિત વિવિધ રાજ્યોમાં શુક્રવારે મધ્યરાત્રિ સુધીમાં ગુજરાતની વધુ ૫૫ વિશેષ ટ્રેન રવાના થશે *:-
……
*સમગ્રતયા ગુજરાતમાંથી ૭પ૪ શ્રમિક સ્પેશ્યલ ટ્રેન દ્વારા ૧૧ લાખ શ્રમિકો વતન રાજ્ય ગયા*
……
સોશિયલ ડિસ્ટન્સીંગ પાલન સહિતની વ્યવસ્થાઓ સાથે
શ્રમિકો પોતાના વતન જવા રવાના થાય છે
…….
-: મુખ્યમંત્રીશ્રીના સચિવે આપી વિગતો :-
…….
રાજ્ય સરકારના વહિવટી તંત્રએ ભારત સરકાર સાથેના સંકલન દ્વારા તા.૨૨મી મે, શુક્રવારની મધ્યરાત્રિ સુધીમાં દેશભરમાં સૌથી વધુ ૭૫૪ વિશેષ ટ્રેન દ્વારા આશરે ૧૧ લાખ જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારોને તેમના વતન રાજ્યમાં મોકલવાની સફળતાપૂર્વક વ્યવસ્થા કરી છે.
મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ અંગેની વધુ વિગતો આપતા જણાવ્યું કે, પરપ્રાંતિય શ્રમિકો-કામદારોને વતન રાજ્ય મોકલવા માટે તા.૨૧મી મે મધ્યરાત્રિ સુધીમાં સમગ્ર દેશમાંથી દોડેલી કુલ ૨,૩૧૭ શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો મારફત આશરે ૩૧ લાખ જેટલા શ્રમિક ભાઈઓ-બહેનો પોતાના વતન રાજ્યમાં પહોંચ્યા છે.
આ ૨,૩૧૭ શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો પૈકી ૬૯૯ શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો તો માત્ર ગુજરાતમાંથી દોડાવવામાં આવી છે એટલે કે દેશમાં ચલાવવામાં આવેલી કુલ શ્રમિક સ્પેશ્યલ ટ્રેનના ત્રીજા ભાગની એકલા ગુજરાતમાંથી રવાના કરવામાં આવી છે. આ ૬૯૯ શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો મારફત ગુજરાતમાંથી આશરે ૧૦ લાખ ૧૫ હજાર જેટલા પરપ્રાંતિય શ્રમિક ભાઈઓ-બહેનોને પોતાના વતન રાજ્યમાં સુપેરે પહોચાડવાની વ્યવસ્થાઓ ખાસ કરીને અમદાવાદ, સુરત, રાજકોટ જેવા જિલ્લાના વહિવટીતંત્ર દ્વારા પાર પાડવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રીના સચિવે વધુમાં જણાવ્યું કે તા.૨૧મી મે ની મધ્યરાત્રિ સુધીમાં ગુજરાતમાંથી પરપ્રાંતિય શ્રમિકો – કામદારોને વતન રાજ્ય મોકલવા માટે જે ૬૯૯ શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો ચલાવવામાં આવી છે તેમાં ઉત્તરપ્રદેશ માટે ૪૬૨, બિહાર માટે ૧૨૬, છત્તીસગઢ માટે ૧૦, જમ્મુ-કાશ્મીર માટે ૦૧, ઝારખંડ માટે ૨૪, મધ્યપ્રદેશ માટે ૨૪, મહારાષ્ટ્ર માટે ૦૧, મણીપુર માટે ૦૧, ઓરિસ્સા માટે ૪૦, રાજસ્થાન માટે ૦૧, તમિલનાડુ માટે ૦૨, પશ્ચિમ બંગાળ માટે ૦૨, ઉત્તરાખંડ માટે ૦૫ શ્રમિક સ્પેશ્યલ ટ્રેન મારફત આશરે ૧૦ લાખ ૧૫ હજાર જેટલા શ્રમિક ભાઈઓ-બહેનોને તેમના વતન રાજ્યમાં પહોંચાડવામાં આવ્યા છે.
હવે, તા.૨૨મી મે , શુક્રવાર મધ્યરાત્રિ સુધીમાં વધુ ૫૫ ટ્રેન દ્વારા ૮૫ હજાર પરપ્રાંતિય શ્રમિકો તેમના વતન રાજ્ય ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ વગેરેમાં જવા રવાના થશે. તેમાં ઉત્તરપ્રદેશ માટે ૨૧ ટ્રેન, બિહાર માટે ૨૯ ટ્રેન, ઝારખંડ માટે ૦૩ ટ્રેન અને છત્તીસગઢ માટે ૦૨ ટ્રેન દોડશે.
આ ૫૫ ટ્રેન ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી રવાના થશે. તેમાં અમદાવાદમાંથી ૦૯ ટ્રેન, ભરૂચમાંથી ૦૩ ટ્રેન, ગાંધીધામમાંથી ૦૨ ટ્રેન, ગાંધીનગરમાંથી ૦૧ ટ્રેન, જુનાગઢમાંથી ૦૧ ટ્રેન, રાજકોટમાંથી ૦૩ ટ્રેન, સુરતમાંથી ૩૫ ટ્રેન અને વડોદરામાંથી ૦૧ ટ્રેન મળી કુલ ૫૫ સ્પેશ્યલ શ્રમિક ટ્રેન દોડશે.
શ્રી અશ્વિનીકુમારે કહ્યું કે, તા.ર૧મી મે ની મધ્યરાત્રિ સુધીની ૬૯૯ શ્રમિક સ્પેશ્યલ ટ્રેન તથા શુક્રવાર તા.રરમી મે ની વધુ પપ શ્રમિક સ્પેશ્યલ ટ્રેન મળીને કુલ ૭પ૪ શ્રમિક સ્પેશ્યલ ટ્રેનના માધ્યમથી ૧૧ લાખ જેટલા શ્રમિકો ગુજરાતમાંથી પોતાના વતન રાજ્યોમાં ગયા છે.
મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રીએ આ વિશેષ ટ્રેનો મારફતે ગુજરાતમાંથી જે શ્રમિકોને વતન મોકલવામાં આવી રહ્યા છે તેની વિગતો આપતા કહ્યું કે, પરપ્રાંતિયો મજૂરો, શ્રમિકો ખુબ સારી વ્યવસ્થા અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સ્પેશ્યલ શ્રમિક ટ્રેનમાં તેમના વતન રાજ્ય જાય છે. એટલું જ નહિ, જિલ્લા વહિવટીતંત્ર આવા શ્રમિકોને રેલ્વે સ્ટેશન સુધી પહોચાડવાની વ્યવસ્થાઓ પણ કરવામાં આવે છે.
સી.એમ-પીઆરઓ/અરૂણ ……
[5/22, 5:39 PM] Uday Vaisnav: *અમદાવાદ શહેરમાં કોરોનાની પરિસ્થિતીમાં
APL-1 પરિવારોને અનાજ વિતરણના પાંચમા દિવસે ૪ લાખથી વધુ લોકોને
વિનામૂલ્યે અનાજનું વિતરણ*
……
*વિનામૂલ્યે અનાજ વિતરણ અન્વયે પરિવાર દિઠ ૧૦ કિલો ઘઉં-૩ કિલો ચોખા- ૧ કિલો ખાંડ-૧ કિલો દાળનું અમદાવાદ શહેરની ૭પ૦ સરકાર માન્ય સસ્તા અનાજ દુકાનો પરથી વિતરણ*
……
*૧૮મી એપ્રિલથી શરૂ થયેલા આ તબક્કાનો શનિવારે અંતિમ દિવસે મોપ અપ રાઉન્ડ યોજાશેઃ બાકી રહી ગયેલા પરિવારોને અનાજ મેળવી લેવા અનુરોધ*
……
*ગરીબ મધ્યમ વર્ગના પરિવારોને અનાજ વિતરણની સુંદર કામગીરી માટે જિલ્લા વહીવટીતંત્ર અને એફ.પી.એસ ના દુકાનદારોને અભિનંદન*
……
*કન્ટેઇનમેન્ટ ઝોનમાં સવારે ૮ થી બપોરે ૩ વાગ્યા સુધી – નોન કન્ટેઇનમેન્ટ ઝોનમાં સવારે ૮ થી બપોરે ૪ વાગ્યા સુધી અનાજ વિતરણ શનિવાર તા. ર૩મી મે સુધી થશે*
……
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં કોઇને ભુખ્યા સૂવું ન પડે તેવા ઉદાત્ત ભાવથી રાજ્યના મધ્યમવર્ગીય APL-1 ૬૧ લાખ પરિવારોના અંદાજે ર.પ૦ કરોડ લોકોને મે-મહિનામાં પણ વિનામૂલ્યે ૧૦ કિલો ઘઉં, ૩ કિલો ચોખા, ૧ કિલો ખાંડ અને ૧ કિલો ચણાદાળ / દાળ એમ કુલ મળી ૧પ કિલો પૂરવઠો કુટુંબદિઠ આપવાની રાજ્યના ૬૦મા સ્થાપના દિન ૧ લી મે એ જાહેરાત કરી હતી.
અમદાવાદ શહેર સિવાય સમગ્ર રાજ્યમાં આવા APL-1 પરિવારોને ૭મી થી ૧રમી મે દરમ્યાન આ વિતરણ પાર પડયું છે.ગરીબ -મધ્યમ વર્ગના પરિવારોને અનાજ વિતરણની આ સુંદર કામગીરી માટે જિલ્લા વહીવટીતંત્રો અને એફ.પી.એસ ના દુકાનદારોને રાજય સરકારે અભિનંદન પાઠવ્યા છે.
મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ અંગે વિગતો આપતા કહ્યું કે, અમદાવાદ શહેરમાં આ અનાજ વિતરણનો પ્રારંભ તા.૧૮મી મે થી કરવામાં આવ્યો છે.
તદ્દઅનુસાર માત્ર પાંચ જ દિવસમાં જ ૪ લાખથી વધુ લોકોએ આ વિનામૂલ્યે અનાજ વિતરણનો લાભ મેળવ્યો છે.
અમદાવાદ શહેરની પ્રવર્તમાન પરિસ્થિતીમાં આવા APL-1 કાર્ડધારક પરિવારોને સુચારૂ ઢબે સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોનું પાલન, ફરજીયાત માસ્ક સહિતના પૂરતા પ્રબંધ સાથે રેશનકાર્ડના છેલ્લા આંકડાના આધારે નિર્ધારીત દિવસોએ વિનામૂલ્યે અનાજ વિતરણ થાય છે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, શહેરમાં જે કોઈ APL-1 કાર્ડધારક આ નિર્ધારિત દિવસમાં અનાજ મેળવવામાંથી બાકી રહી ગયા હોય તેમના માટે આવતીકાલ તા. ૨૩મી મે એ અનાજ વિતરણ માટે મોપ અપ રાઉન્ડ દ્વારા અનાજ વિતરણ કરવામાં આવશે બાકી રહી ગયેલા APL-1 કાર્ડધારક પરિવારોને એમનું રાશન મેળવી લેવા રાજય સરકાર દ્વારા અનુરોધ કરાયો છે.
તેમણે ઉમેર્યુ કે, કન્ટેઇનમેન્ટ ઝોનમાં આવેલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી સવારે ૮ થી બપોરે ૩ દરમ્યાન અને નોન કન્ટેઇનમેન્ટ ઝોનમાં સવારે ૮ થી બપોરે ૪ વાગ્યા સુધી APL-1 કાર્ડધારકો વિનામૂલ્યે અનાજ મેળવી શકે છે.
અગાઉ એપ્રિલ માસમાં અમદાવાદમાં તા. ૧૩ થી તા. ૨૦મી સુધીમાં અંદાજે ૪.૭૦ લાખ લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરાયું હતું. એ જ રીતે મે માસમાં પણ અંદાજે ૭૫૦ જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી અમદાવાદ શહેરના APL-1 કાર્ડધારકોને હાલ અનાજ વિતરણ થઇ રહ્યું છે. તા. ૧૮ થી તા. ૨૩મી મે સુધી અંદાજે ૪.૫૦થી ૪.૭૦ લાખ લોકો તેનો લાભ મેળવશે તેવો અંદાજ છે એમ પણ શ્રી અશ્વિનીકુમારે જણાવ્યું હતું.
સી.એમ-પીઆરઓ/ દિલીપ ગજજર/અરૂણ
[5/22, 5:58 PM] Uday Vaisnav: *લોકડાઉન-4માં કેટલીક શરતો-છૂટછાટો સાથે રાજ્યમાં જનજીવન પૂન:સામાન્ય કરવા
આર્થિક ગતિવિધિઓ પૂર્વ વત કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ*
-: *મુખ્યમંત્રીશ્રીએ બે નિર્ણયો કર્યા* :-
*આવશ્યક ચીજવસ્તુઓ–આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલી દુકાનોને ઓડ-ઇવન જોગવાઇઓ લાગુ પડશે નહિ-દુકાનો નિયમીત ચાલુ રાખી શકાશે*
*રાજ્યના હાઇ-વે પર આવેલા પેટ્રોલ પંપ સમયના કોઇ પણ બાધ વગર ખૂલ્લા રાખી શકાશે-જરૂરિયાત જણાયે ર૪ કલાક કાર્યરત કરી શકાશે*
-: *મુખ્યમંત્રીશ્રીના સચિવે આપી વિગતો* :-
…..
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં જનજીવન પૂન: સામાન્ય કરવા તેમજ ઊદ્યોગ, વેપાર, ખાનગી ઓફિસીસ, નાની-મોટી દુકાનોમાં આર્થિક ગતિવિધિઓ પૂન: શરૂ થાય તે માટે લોકડાઉન-4 માં કેટલીક શરતો સાથે છૂટછાટો આપી છે.
મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ અંગેની વિગતો આપતાં કહ્યું કે, આના પરિણામે રાજ્યમાં એક નવો માહોલ ઊભો થયો છે.
એટલું જ નહિ, મોટા પ્રમાણમાં લોકો પણ સોશિયલ ડિસ્ટન્સીંગ નિયમોનું અનુપાલન, ફરજિયાત માસ્ક ઉપયોગ અને કોરોના સંક્રમણથી પોતે અને અન્યોને બચાવવાની સારી આદતો સાથે રોજિંદા જીવનમાં ગોઠવાવા લાગ્યા છે.
તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારે લોકડાઉન-4 સંદર્ભે આર્થિક પ્રવૃત્તિઓને રાજ્યમાં ઉત્તેજન મળે તથા લોકોને આજિવીકા-આવક મળતી થાય સાથોસાથ સ્વચ્છતા-સ્વસ્થતા અને આરોગ્ય જળવાઇ રહે તે માટે માર્ગદર્શિકા-ગાઇડલાઇન બહાર પાડેલી છે.
રાજ્ય સરકારે આ ગાઇડલાઇન્સ સાથોસાથ રાજ્યમાં થાળે પડતી જતી પરિસ્થિતીને અનુલક્ષીને નિર્ણયો કરવાનો વ્યૂહ પણ અપનાવેલો છે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આ હેતુસર એવો નિર્ણય કર્યો છે કે રાજ્યમાં આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ કરતી કે આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલી દુકાનોને ઓડ-ઇવનની જોગવાઇઓ લાગુ પડશે નહિ.
મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રીએ આ અંગેની વિસ્તૃત સમજ આપતાં જણાવ્યું કે, આવશ્યક સેવાઓ કે આવશ્યક ચીજવસ્તુઓ સાથે સંકળાયેલી દુકાનો નિયમીત રીતે દરરોજ ચાલુ રાખી શકાશે, એટલે કે એક દિવસ ચાલુ એક દિવસ બંધ રાખવાની રહેશે નહિં.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના હાઇવે પર આવેલા પેટ્રોલ પંપ માટે પણ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
શ્રી અશ્વિનીકુમારે આ નિર્ણય સંદર્ભમાં જણાવ્યું કે, રાજ્યમાં માલવાહક વાહનો સહિત હાઇ-વે પર અવર-જવર કરતા વાહનોને સરળતાએ પેટ્રોલ-ડિઝલ મળી રહે તે માટે મુખ્યમંત્રીશ્રીએ હાઇ-વે પર આવેલા પેટ્રોલ પંપને કોઇ પણ જાતના સમયના બાધ વગર એટલે કે જરૂરીયાત જણાયે ર૪ કલાક ખૂલ્લા રાખવાની પણ અનુમતિ આપી છે.
તેમણે ઉમેર્યુ કે, રાજ્યમાં કોરોના સંક્રમણ સામે જનજાગૃતિ માટે મુખ્યમંત્રીશ્રી પ્રેરિત ‘હું પણ કોરોના વોરિયર’ અભિયાન શરૂ થયું છે. સાથોસાથ લોકો-નાગરિકો પણ હવે કોરોના સાથે-કોરોના સામે જીવન જીવવાની નવી શૈલી અપનાવી જનજીવન ઝડપભેર પૂવર્વત કરવા ઇચ્છે છે ત્યારે મુખ્યમંત્રીશ્રી અને રાજ્ય સરકાર પણ સરળતાએ જનજીવન સામાન્ય થાય તે માટે પ્રતિબદ્ધ છે.
સી.એમ-પીઆરઓ/અરૂણ ……
[5/22, 8:17 PM] Uday Vaisnav: *રાજ્ય સરકારે ના ગૃહ વિભાગે પ્રવર્તમાન લોક ડાઉન સંદર્ભમાં વધુ એક નિર્ણય લઈ ને આર્થિક ગતિવિધિ તેમજ આજીવિકા ને વેગ આપવાના હેતુસર રાજ્યમાં દૂધ એકત્રીકરણ અને તેને સંલગ્ન ડેરી ને લગતી કામગીરી સવાર ના 7 થી સાંજ ના 7 વાગ્યા સુધી ચાલુ રાખવા દેવા અંગે હુકમો જારી કર્યા છે*
સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત ગામે તળાવ ઉંડા કરવાના કામો કરવાના થાય છે.હાલમાં મોટાભાગના તળાવોની માટી ખેતી ઉપયોગી નીકળતી નથી , વધુમાં આજુબાજુમાં જાહેર સાહસોના કામો પણ નહિવત જેવા છે, અથવા તો બંધ છે.જેથી કરીને તળાવોની માટીનો નિકાલ કરવાનો મોટો પ્રશ્ન છે. સદર માટીનો કોમર શિયલ કે એને. પ્લોટો ના પુરાણ માટે પણ પુરાણ કરવાની છુટ આપવામાં આવે તો હાલમાં કોરોનાને લીધે બેકાર બેઠેલા લોકો ખેડૂતોના ટ્રેક્ટરો પણ આ કામમાં લાગી જાય અને તળાવો ઉંડા કરવાનો હવે સમય પણ ઓછો હોઈ ચોમાસા પહેલાં લક્ષ પૂર્ણ કરી શકાય. હમણા સ્થાનિક ધોરણે દરેક જગ્યાએ એન કેન પ્રકારે ચેકીંગ બહાને તળાવો ના કામો 99% બંધ પડેલ છે. આ માટે યોગ્ય રજૂઆત માનનીય મુખ્યમંત્રીશ્રી સુધી થાય તે હેતુથી આગળ ફોરવર્ડ કરવા વિનંતી છે.
Shri Saheb,
આપ ખુબ જ દયાળુ છો,ગામે તળાવ ઊંડા કરવા અને આ કપરાં સંજોગોમાં ખેડૂતોને સહાય કરી મદદરૂપ થવા ખાસ વિનંતી છે.
આપનો આજ્ઞાંકિત,
મહેન્દ્રસિંહ રાઠોડ
સાબરકાંઠા જિલ્લા સરપંચ એશોસિયન વતી વિનંતી સહ.