324 NG-14-9-23 NG-325-15-9-23 pdf 326-NG-16-9-23 (1) NG-327-17-9-23 pdf-1 17 janfariyad NG--328 -18-9-23 pdf NG-229 -19-9-23 NG-330-20-9-23 pdf NG-331-21-9-23-pdf NG-232-22-9-23-pdf
કેનેડામાં ખાલીસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જર નામની ભાગેડું વ્યક્તિની 15 ગોળી મારીને હત્યા થયા બાદ સાબરમતી જેલમાં સજા કાપી રહેલા લોરેન્સ બિશનોઈએ હત્યા ના બે કલાકમાં જ facebook ઉપર જવાબદારી સ્વીકારી હતી જેનાથી ભારત સરકાર અને સાબરમતી જેલના સત્તાવાળાઓમાં હડકંપ મચી ગયો હતો. કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટુડો ખાલીસ્તાની આતંકવાદી સંગઠનને કેનેડાની અંદર વધારે પડતા તરફદારી કરતા હોય તેવું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે અને આ ખાલીસ્તાની આતંકવાદી કેનેડામાં ભાગેડુ જાહેર થયેલો બિનઅધિકૃત રીતે નામના શહેરમાં રહેતો હતો અને ભારત વિરોધી પ્રવૃત્તિઓ પણ કરતો હતો તેઓ પણ સૂત્રો તરફથી જાણવા મળે છે જેથી કેનેડાના પ્રધાનમંત્રી ખુદ ઉભી કરેલી ઝાડમાં જાણે પોતે ફસાઈ ગયા હોય તેવું લાગે છે કેમકે ભારતે પણ તેનું વલણ નક્કર સાબિત કરી બતાવવાની તૈયારી કરી લીધી છે.
થોડાક સમય પહેલા પણ અતિક અહેમદ સાબરમતી જેલમાં હતો ત્યારે પણ ટેલીફોનિક તેઓ જાસુસી રીતે વાત કરતા અને આ લોરેન્સ બિસ્નોઈ પણ ટેલીફોનિક સગવડ મેળવતા હતા કે કેમ અથવા તો આવી ગેરકાયદેસર સગવડો સાબરમતી જેલમાં હજુ અપાય છે કે કેમ અથવા તો ભૂતકાળનું પુનરાવર્તન હજુ પણ થઈ રહ્યું છે કે કેમ તે બાબતે જેલ સત્તાવાળાઓ અને સરકારના ઉચ્ચકક્ષાના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.
ભૂતકાળમાં સાબરમતી જેલમાં સુરંગ ખોદાઈને તૈયાર થવાના આરે હતી ત્યાં સુધી જેલ સત્તાવાળાઓને ખબર નહોતી અને આ બાબતે મામલો કોર્ટમાં પણ પહોંચ્યો હતો પરંતુ અંતે સરકારે પોતાની ઈજ્જત બચાવવા માટે બધું ભીનું સંકેલી હતું અને જેલમાં વારે ઘડીએ અનેક આવી જેલરો અને કેદીઓ વચ્ચે ગેરકાનૂની સગવડોની ચર્ચાઓ થતી આવી છે અને આ પણ સરકારને નબળાઈ વર્ષોથી પુરવાર થયેલી છે.
કેનેડાના વિનીપેગ શહેરમાં હરદીપસિંહ નીજ્જર નામના વ્યક્તિની 15 ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી જેના કારણે કેનેડાના વડાપ્રધાન ટુડો દ્વારા પણ નિવેદન કરવામાં આવ્યું હતું અને ભારત સરકાર દ્વારા પણ આ બાબતના નિવેદનો કરવામાં આવ્યા છે તેમજ બંને દેશોના રાજધારીઓને તાત્કાલિક અસરથી પરસ્પર બોલાવી લેવામાં આવ્યા છે અને આ દિશામાં તપાસનો દોર આગળ ચાલે છે અને આ હત્યા ભારત દ્વારા થઈ હોય તેવો રાજદ્વારી ઉપર કેનેડા દ્વારા આરોપ મૂકવામાં આવ્યો છે.
હાલમાં 6:30 લાખથી વધારે ભારતીય વિદ્યાર્થી લોકો કેનેડા જુદા જુદા પ્રાંત માં અભ્યાસ અર્થે ત્યાં વસી રહ્યા છે અને લગભગ ત્રણ લાખથી વધારે ઇમીગ્રન્ટો પણ ત્યાં આવેલા છે તેમજ ચાર લાખથી વધારે વિઝીટર કેટેગરીમાં પણ લોકો કેનેડાના પ્રવાસમાં છે તેવા ત્યાંના સરકારી આંકડા બતાવે છે. હાલના સંજોગોમાં ત્યાંની યુનિવર્સિટીઓ એ પણ હાથ ઊંચા કરી લીધા છે…કેનેડા સ્થિત વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ તેમજ ત્યાં રહેલા લોકોમાં આંતરિક દહેસત નો માહોલ ફેલાઈ ગયો છે અને હાલના સંજોગોમાં કેનેડાએ ભારતીય વિઝા આપવાનું બંધ કર્યું હોય તેવા સમાચાર પ્રાપ્ત થયા છે. કેનેડાની અંદર પણ ભારતીય અને ગુજરાતી કેટલાક વિદ્યાર્થીઓના અપમૃત્યુ ગત વર્ષોની અંદર થયેલા છે જે પણ ચિંતાજનક છે ભારત સરકાર અને કેનેડા સરકાર તાત્કાલિક અસરથી હવે આ હત્યા બાબતનો ન લાવે તો કેનેડામાં રહેલા વિદ્યાર્થીઓ અને ભારતમાં રહેલા વાલીઓ બંનેના ઉપર જે અત્યારે માનસિક તણાવ અનુભવાય રહ્યો છે તે ઓછો થઈ શકે તેમ છે.
******************************************
અહીં કોઈપણ જાતના રાગદ્વેસ્વીના સમાચારો અને ફોટાઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ કોઈપણ વાંધાજનક સમાચાર કે ફોટાઓ લાગે તો તંત્રીનો સંપર્કસાધીને અહીંથી દૂર કરાવી શકશે. તંત્રી
******************************************
https://youtu.be/K8XzqthejNc?si=-yPwFoIERAFBovXI