ગુજરાત રાજ્ય સરકારના પોલીસ ખાતામાં તમામ પોલીસ કર્મચારીઓને માટે સોશિયલ મીડિયા ઇલેક્ટ્રોનિક માધ્યમ અંગેની એક નવી પોલીસી જાહેર કરવામાં આવી છે જેને પોલીસ ખાતાના ઉચ્ચકક્ષાથી માંડીને તમામ કક્ષાના અધિકારીઓ કર્મચારીઓએ તે પોલીસીને અનુરૂપ કામ કરવાનું રહેશે.
ભૂતકાળમાં ઘણા પોલીસ અધિકારી પીઆઇ ડીવાયએસપી એસપી અને પીએસઆઇ તેમજ કોન્સ્ટેબલ કક્ષાના લોકોએ ઘણીવાર પ્રજા ઉપર પોતાના અહમનો દેખાવ કરવા માટે સિંઘમ પીચર માં જેમ અજય દેવગણ દ્રશ્યો બતાવીને રોપ જમાવે છે તેવા રોપ ગામેગામ અને ઘણા શહેરોમાં જોવા મળ્યા હતા અને તેવા પોલીસ અધિકારીઓ ઉપર સરકાર દ્વારા પગલાં પણ લેવામાં આવ્યા હતા તેમ જ આ અંગે કોર્ટમાં પણ ફરિયાદો થયેલી.
તાજેતરમાં આવી બધી બાબતો ઉપર રાજ્ય સરકારે કડક નિયમોનું પાલન કરવા માટે ગુજરાત રાજ્યની પોલીસ વિભાગ દ્વારા સોશિયલ મીડિયા 2023 ની નવી પોલિસી જાહેર કરી છે.
સોશિયલ મીડિયામાં whatsapp twitter instagram તેમજ સોશિયલ મીડિયા ને આવરી લેતા તમામ વિભાગોમાં સરકાર વિરુદ્ધ ડ્રેસ કોડ માં કોઈપણ પોલીસ કર્મચારી અથવા તો સાદા ડ્રેસમાં પણ હોય તો પણ કોઈપણ ટિપ્પણી સરકાર વિરુદ્ધ અથવા તો કોઈપણ જાતનો દિવસ વર્તન કે વાણીનો ઉપયોગ કરી શકશે નહીં તેવું પોલિસીમાં જાહેર કરેલ જાણવા મળેલ છે.
જોકે ઘણી જગ્યાએ દારૂનું વેચાણ કરતા બુટલેગરો નામચીન ગુંડાઓ અને ટપોરી ગેંગોને કંટ્રોલ કરવા માટે ઘણા પોલીસ અધિકારીઓએ બાહોશ રીતે પોતાની કામગીરી બજાવીને પ્રજામાં નામના પણ મેળવી છે અને આવા અધિકારીઓને રાષ્ટ્રપતિ ચંદ્રક સુધી પણ માન મળેલું છે જેથી પોલીસ વિભાગે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે બાહોશ પોલીસ અધિકારીઓ પણ જ્યારે પણ પ્રજાના હિતમાં બુટલેગરો અને ગુંડાગર્દી કરતા લોકોને ઠેકાણે લાવવા માટે કોઈપણ જાતનો બળ પ્રયોગ અથવા તો પોતાની કોઈપણ કુનેથી કામ કરતા હોય તો આવી બાબતોને બિરદાવી પણ જોઈએ તે પણ પોલીસીમાં દર્શાવવું જોઈએ એવું મારું એક તંત્રી તરીકે માનવું છે.
તો ક્યારેક એવું પણ બન્યું છે કે ઘણા પોલીસ અધિકારીઓએ રાજકીય લોકોના ખભા ઉપર સવારી કરીને ભ્રષ્ટાચારમાં પોતાના નામ પણ બદનામ કર્યા છે અને ઘણા બધા આ બાબતના સસ્પેન્શન અને dismis ના ભોગ પણ બન્યા છે તો ઘણા ડીઆઈજી કક્ષાના અધિકારીઓએ તેમની ઉપર આરોપો ગળાતા જેલવાસનો પણ સામનો કરવો પડ્યો છે અને જેલમાં જ તેમણે ઉચ્ચ ડિગ્રીઓ પણ પાસ કરી છે અને જેલમાં જ નિવૃત્તિ સ્વીકારી પણ છે.
પોલીસ ખાતાની કામગીરી સાથે સતત મીડિયા પણ એટલું જ સંકળાયેલું હોય છે જેથી ઘણા બધા સરકારી કાર્યક્રમોમાં અને રાજનેતાઓની નીતિ રીતે બાબતમાં મીડિયાએ પણ પોલીસના ઘર્ષણમાં ઘણીવાર આવવાના બનાવો બન્યા છે તો પોલીસે પણ અધિકારીઓના ખભે ઘણા બધા મીડિયા કર્મીઓ ઉપર કોઈના કોઈ ગુનાઓ ના આરોપો ઘડીને તેમને પણ પરેશાન કરવાના બનાવો પણ બનેલા છે અને ઘણા મીડિયા કર્મીઓ પણ પોલીસ ખાતાના અધિકારીઓની જેમ નાની મોટી સજા પણ ભોગવી ચૂક્યા છે અને હાલ જામીન ઉપર પણ હોય તેવું પણ જોવા મળે છે.તંજેતર માં સનદી ઉચ્ચ પોલીસ અધિકારી પાસે 8 કરોડ ની ખંડણી કેસ માં બે પત્રકારો ઉપર પોતાની ઓફિસ માં વિડિયો બનાવવા તેમજ પાંચ લાખ રૂપિયા ની લેતી દેતી ના આરોપો મૂકી તેમને આરોપી બનાવી રીમનાડ મેળવી સેન્ટ્રલ જેલ માં મોકલવામાં આવ્યા હતા અને હમણા તેઓ જામીન ઉપર બહાર છે અને તેમને પૂછ પરછ કરતા તેઓ જણાવે છે કે અમારો શું વાંક ગુનો અને અમે ક્યાંય પૈસ લીધે નો કોઈ પુરાવો હજુ નથી કે વિડિયો બનાવ્યા થી થયેલ નુકશાન ક્યાંય દેખાતું નથી અને અમારી પત્રકારત્વ ની જીંદગી માં જેલવાસ નો કાળો ડાઘ લાગી ગયો અને સમાજ અને મીડિયા આલમ માં એમને બદનામ કરવામાં આવ્યા…તો આવ અપોલીસ કર્મી ના પણ અનેક દાખલા બનતા હશે અને સંભાળવા માં.પણ આવ્યા છે..ગાંધીનગર ના સનદી અધિકારી ને એક સમયે કેશુભાઈ સરકાર માં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ ડિસમિસ પણ કરવામાં આવ્યા હતા..અને આઠ થી દસ વરસ તેઓ તેમના વતન હરિયાણા પણ જતા રહ્યા હતા જેઓ સ્વભાવે ખૂબ તીખા અને રોફ જમાવતા ઘણી વાર જોવા મળ્યા હતા.ને સિનિયર મીડિયા કર્મી ને પણ પોલીસ લોક અપ માં તેમને પૂર્યા ના બનાવો પાટનગર માં બનાયા હતા…પરંતુ કયા કાયદાના બંધારણ ની જોગવાઇ માં એવી તો શું હતું તો આ પ્રીતિ પાત્ર અધિકારી ને ગુજરાત સરકાર માં મોદીજીના શાશન માં ગૃહ સચિવ એસ.કે.નંદા સાહેબ દ્વારા સરકાર માં તેમના આંઠ વરસ નોકરી ના બાકી હોવાથી એસ.પી તરીકે ફરી ફરજ ઉપર હાજર કરીને સરકાર આજે પણ તેમની સેવાઓ લઈ રહી છે…
(આ ન્યૂઝ પોર્ટલ માં કોઈપણ જાતના રાગ દ્વેષ અને વ્યક્તિગત કોઈને પણ નુકસાન ના થાય તેવા સમાચારો ફોટાઓ પ્રાપ્ય થયે પ્રસિદ્ધ કરવામાં આવે છે.તેમ છતાં કોઈને પણ વાંધા જનક સમાચાર લાગે તો તંત્રી નું ધ્યાન દોરવા થી ટેવ સમાચારો ની ખરાઈ કરીને તેવા સમાચારો દૂર કરવામાં આવશે..)તંત્રી : પ્રદીપ રાવલ