સ્વામિનારાયણ સાધુ,ધર્મ સંત તેના સંપ્રદાય વિષયક ચિત્ર વિચિત્ર અનેક વાતો જે પૈસા અને આધુનિક લાલચો થી સામાજિક દલાલો દ્વારા દબાઈ ને રહી છે જે હવે મારા જેવા લોકો દ્વારા બહાર લાવી ઉજાગર થઈ રહી છે. પ્રદીપ રાવલ
* આ બાબતે હું પ્રદીપ રાવલ કોઈપણ મીલીયનર ,શિક્ષિત,ગરીબ પાટીદાર સમજ ના વ્યક્તિ સાથે આ બાબતે ખુલ્લી ચર્ચા કરવા તૈયાર છું…
* માત્ર દોઢસો બસો વરસ ના સહજાનંદ સ્વામીજી કે જેઓ સાચા સાધુ અને સાક્ષાત્કાર નજીક પહોંચેલા બ્રાહ્મણ અને તેમના જીવન ને વારસા રૂપી ગુરુ દક્ષિણા રૂપે લખેલ શિક્ષા પત્રી અને પછી વચના મૃત ના સગવડિયા અનર્થ કરી યુવા ધનને ખોટે રસ્તે વાળી આધુનિક ઢબ થી આખો સંપ્રદાય ચાલી રહ્યો છે અને અનેક સમાજ ના રાજકીય સામાજિક દલાલો ને મધ્યસ્થી રાખી આધુનિક જીવન શૈલી ની લાલચો આપી આ સંપ્રદાય દેશ માં હિંદુ શાશન શબ્દ ના બહાના હેઠળ ચાલી રહ્યો છે અને શાશક સરકારો પણ વોટ બેંક ની ભીખ ખાતર સત્તા ટકાવી રાખવા અસહ્ય સરકારી મદદ કરી રહી છે અને ઠેક ઠેકાણે માત્ર પ્રદર્શન અક્ષર ધામ ના બહાના હેઠળ જમીનો ફાળવી ત્યાં મોટા મહેલ જેવા આધુનિક વૈભવશાળી સ્થાનો મંદિર ના નામે બનાવી બનાવવામાં આવે છે જે સનાતન ધર્મ થી વિરુદ્ધ છે અને તેને ઉજાગર કરવા બ્રહ્મ કર્તવ્ય નિભાવવું રહ્યું….પ્રદીપ રાવલ
*ઘણા સમાજ ન સાધન સંપન્ન યુવાઓ ખૂબ સારો વ્યવસાય કરી રહેલા ના આ સ્વામિનારાયણ સંપ્રદાયના ના સામાજિક દલાલો સંપર્ક કરી અસિક્ષિત અને શિક્ષિત બનાવવામાં આવેલા સાધુઓ પાસે જઈ તેમને આધુનિક લાલચો બિલ્ડર બનાવવા ની આપી સ્વામિનારાયણ ભળતાં ને પેઢી કરાવી રોજ મંદિર ઊંધા પડતા કરી લાલુ ડી ખવડાવી. ટિલા ટપકાં કરાવી પોતાની સ્ત્રીઓ થી દુર કરાવી તેમની સંપત્તિ ને રફે દફે કરી નાખી રઝળતા લોકો અમારા સંપર્ક માં આવીને અમને સાબિતી સાથે પ્રસિદ્ધિ કરવા મજબૂર કરી રહ્યા છે..
* એક નિવૃત્ત પ્રિન્સિપાલ ની આપવીતી તેમને વર્ણવી છે જે નીચે મુજબ છે..
*પટેલોની અવદશા* વાહલા ગુજરાતી ભાઈઓ. જય સીતારામ.
હું ગઢડા વિસ્તારમનો એક નિવૃત પ્રિન્સિપાલ છું. આખી જિંદગી અહીં રહીને સ્વામિનારાયણ સંપ્રદાયની સ્વાર્થવૃત્તિ, કાવાદાવા, ઈર્ષાખોરી અને ધન સમયની લૂંટ જોઈને વર્ષો પહેલા જુના કે નવા એકે મંદિરમાં પગ ન મુકવાનો સંકલ્પ કર્યો. તેનું આજ સુધી પાલન કર્યું છે. એક શિક્ષિત વ્યક્તિ તરીકે મારે પટેલ સમાજનું ધ્યાન દોરવું છે કે પટેલ સમાજ આ સંપ્રદાય પહેલા શિકારી કે કુસંગી નહોતો. ધાર્મિક જ હતો ખુબ સરળ અને સજ્જન સમાજ પ્રથમથી છે. આ સંપ્રદાયથી પટેલ સમાજને કશું જ નવું મળ્યું નથી. ધન સમયનું ભયાનક શોષણ થયું છે. શિક્ષિત પ્રજા બુદ્ધિથી સાવ સંકુચિત અને ભીરુ કાયર બની છે. મોક્ષ અને અક્ષરધામની મધલાળમાં દેશ-વિદેશના સર્વ રીતે સુખી પટેલોના સુશિક્ષિત દીકરાઓને રાષ્ટ્ર સમર્પિત સેનાપતિઓ, વૈજ્ઞાનિકો, ઇજનેરો કે નેતાઓ બનાવવાના બદલે નવા લુંટારા સાધુઓ બનાવ્યા છે.મારો અંતરાત્મ કહે છે કે આવા મોક્ષવાદી કાલ્પનિક સંપ્રદાયમાં જોડાયેલી યુવા પેઢી ખરા હૃદયથી વરસીને પોતાના જીવનસાથીને પ્રેમ પણ કરી શકતી નથી. નવા સંશોધનો, સાહસ, જ્ઞાન – સંબંધોની વિશાળતાથી વંચિત રહી જાય છે. કેમકે તેને પ્રેમ અને કર્મોમાં માયા જ બતાવવામાં આવી છે. સંપ્રદાય બહારના જ્ઞાનને અને સાચા ઈશ્વરને સ્વીકારી પણ શકતી નથી. આના બદલે વેદ, ભગવત ગીતા, ઉપનિષદો, વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી, ચાણક્યના વિચારોથી પટેલ પ્રજા તમામ બાબતે સર્વોપરી થઈ હોત. સરદાર પટેલ, ભોજા ભગત કે જ્ઞાની સંતો પટેલ સમાજના પ્રેરણામૂર્તિ નથી?? સંપ્રદાયના ૫૦ ફાટાના બની બેઠેલા લુચ્ચા ગુરુઓ વંદનિય છે. જેઓનો શોષણ સિવાય કોઈ ધંધો જ નથી. કોઈ સરદાર પટેલની છબી ઘરમાં રાખતું નથી કે નમન કરતા નથી. રોજ ધૂતારા બાવાઓના પગ ચાટે છે. સમાજે સંકુચિત અને સ્વાર્થી સંપ્રદાયમાં ફસાઈને શું ગુમાવ્યું છે એની તેને ખબર જ નથી. સંપ્રદાય બહારના એક પણ જ્ઞાનનું કિરણ અંધ ભક્તો ઉપર ન પડે તેના માટે આ સંપ્રદાયના વિવિધ વાડાના બાવાઓ તનતોડ મહેનત કરે છે.
હું મારા ઈષ્ટદેવ અને ભારતમાતાના સોગંદ ખાઈને કહું છું કે એક ડ્રાઇવરે ગઢડાના નવા- જૂના મંદિરમાં સાધુઓના અંદરના વ્યભિચાર, નાણાકીય ગેરવહીવટ અને સિગરેટ દારૂના કુકર્મો મને વર્ણવ્યા એનાથી મોટો અધર્મ ક્યાંય હોય જ ન શકે. ચિતલના એક સિમેન્ટના પટેલ વેપારીએ મને કહેલ કે, દર શનિ રવિવારે વર્ષો સુધી હું ગઢડા જુના મંદિરમાં સાધુઓ સાથે જુગાર રમ્યો છું સિગરેટો પીધી છે. વ્યાજ વટાવ અને ખેતી- વેપારમાં ભાગીદારીના ધંધા નજરે જોયા છે. અમે એકવાર સિગરેટ પીતા પીતા જુગાર રમતા હતા, ત્યાં અચાનક બારણું ખખડ્યું. ફટાફટ બધું સંકેલીને દરવાજો ખોલ્યો. એક ભોળો પટેલ આવીને લંપટ સાધુઓને લળી લળીને દંડવત કરવા લાગ્યો. સાધુઓએ કહ્યું કે, “અત્યારે મહેમાન છે ભગત પછી મળીશું.” એના ગયા પછી સાધુઓએ અટ હાસ્ય કરીને અમને કહ્યું કે “આ લોકોને ક્યાં ખબર છે અમે કેવા છીએ ” ! આ બધું જ સ્વામિનારાયણના ખીલે બંધાયેલા ભક્તોને કહીએ તો મૂર્ખાઓ માનવા તૈયાર નથી. ભોળા પટેલ સમાજને પોતાના વાડામાં ખેંચવાની જે હરીફાઈ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચાલે છે એ જગતના રાજકીય પક્ષોથી સો ગણી ચઢિયાતી છે. એક ગામની પ્રજાને પાંચથી દસ ભાગમાં વહેંચીને માત્ર તેનો ઉપયોગ કરનારા આ તત્વો ધર્મગુરુઓ છે કે ધર્મના નામે લુંટારા છે ? એ જ પટેલ સમાજને અને હિન્દુઓને ખબર પડતી નથી. આ જ વિસ્તારના કોળી, દલિતો, ભંગી,ભરવાડ જેઓ ખરેખર ધર્મથી વંચિત હતા, તેને સુધારવાના સહજાનંદ સ્વામીથી લઈને આજ સુધી કોઈએ પ્રયત્નો કર્યા નથી. બધું પટેલોની અને વેપારીઓની પીઠ ઉપર તાગડધિન્ના થાય છે. ક્ષત્રિયોને આડા ધરવા અને ઉદાહરણો આપવા માટે ભેળા રખાય છે. મણીનગરના દુષ્ટ બાવાના એંઠા પેંડા ખાવા અન્ય બાવાઓને પડા પડી કરતા જોઈને હૃદયને ભયંકર આઘાત લાગ્યો કે પટેલોએ પોતાના સંતાનોને સાધુ બનાવીને ઈશ્વર તરફ નથી વાળ્યા પરંતુ અજ્ઞાનના અંધારિયા કૂવામાં ડુબાડી દીધા છે. જે જે અજ્ઞાની બાવાઓએ મહાદેવ, શ્રી કૃષ્ણ, શ્રી રામ, હનુમાનજીને નીચા બતાવી સહજાનંદને સર્વોપરી બતાવ્યા છે એ તેઓનો અંગત મત નથી એ બાવો બોલે છે ત્યારે બાજુમાં પાંચથી 50 બાવા બેઠા હોય છે. આના કરતાં પણ ખરાબ વાતો ધર્મના નામે બોલ્યા છે જેની અન્ય લોકોને ખબર નથી. *કુંડળનો બાવો જ્ઞાનજીવને એક સભામાં એમ કહ્યું હતું કે શંકર તો આપણા સ્વામિનારાયણ ભગવાનના મળ બરોબર પણ નથી ! ! !* આવા બકવાસની સીડી આ વિસ્તારની લોકલ ચેનલમાં પણ મૂકવામાં આવી હતી. આ સાધુઓ છે કે રાક્ષસો તેની જ અજ્ઞાની ભક્તોને ખબર નથી. એક શિક્ષિત વ્યક્તિ તરીકે સમાજના આગેવાનો અને ઉદ્યોગપતિઓને મારી અપીલ છે કે તેઓ આ પાખંડી સંપ્રદાયના શોષણમાંથી બહાર નીકળે અને સમાજને બહાર કાઢે એ તેઓની નૈતિક ફરજ છે. –
એક નિવૃત્ત પ્રિન્સિપાલ.
***********************************
નોધ : સ્વામિનારાયણ સંપ્રદાય ના કોઈપણ કાર્યક્રમ માં હવે જો આપને સ્વામિનારાયણ ની આગળ ભગવાન લખેલું આવે તો અમોને વિડિયો.ઓડિયો મોકલી આપશો
સનાતન ધર્મ વિરુદ્ધ ચાલતા આ આધુનિક ધર્મ ના અનેક પર્દાફાશ કરવામાં આવશે..
* પાટીદાર સમાજ ના ભાવી માટે બ્રહ્મ કર્તવ્ય ના ભાગ રૂપે યુવાઓ ભોગ ના બને તે માટે ની જન જાગૃતિ વિષયક ભવિષ્ય માં અહેવાલ મૂકવામાં આવશે..
www.janfariyadnews.com