ગુજરાતના ગૌ સેવકો અને પાંજરાપોળના સંચાલકો લંપી વાયરસ થી પીડાતી ગાયો બાબતે ખૂબ જ ચિંતિત હતા અને અસય્ય મોંઘવારીમાં આવી ગાયોની દવાઓ કરાવવી તેમજ તેને ઘાસચારો સમયસર આપવો તે બાબતે ગૌ સંચાલકો ખૂબ જ ત્રાસી ગયા હતા અને તેની સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી અને સરકારે આ બાબતે તેમના બજેટની અંદર નિર્ણય લઈને 500 કરોડની જોગવાઈ પણ કરી હતી અને તે વખતે ગૌ સેવકો અને પાંજરાપોળના સંચાલકો સાથે બેસીને સમાધાન કર્યું હતું. પરંતુ જે પ્રમાણે 500 કરોડની જોગવાઈ કરી હતી અને પહેલી એપ્રિલ 2022 થી તેની અસર આપવાની હતી તે બાબતે સરકારે કોઈ નિર્ણય ન કરતા તમામ ગૌ સેવકો અને પાંજરાપોળના સંચાલકોએ સમગ્ર બનાસકાંઠાથી આંદોલનની શરૂઆત કરી હતી અને ગાંધીનગર સત્ય ગ્રહ છાવણી ખાતે ઉપવાસ ઉપર પણ ઉતરીને આખા ગુજરાતમાંથી એક લાખથી પણ વધારે ગૌસેવકો ઉમટી પડ્યા હતા અને તેની સરકારે ગંભીર નોંધ લીધી હતી.
તેમ છતાં પણ શાસક સરકારમાં સૌથી મોટો જસ લેવા ટેવાયેલા અને કદાપિ તકતી લગાવડાવ્યા વિના રહે નહીં તેમજ સમગ્ર વિશ્વ માં અને ભારત માં પહેલી વાર જેવી પ્રસિદ્ધિ ની ખેવના વાળા આપણા મોદીજી આખરે ઘીના ઠામમાં ઘી ઠારવાનુ કામ કર્યું અને આજે 30 સપ્ટેમ્બર 2022 ના રોજ આખરે અંબાજીમાં મોદીજી ગૌમાતાની પોષણ યોજનાનો પ્રારંભ કરાવશે અને રાજ્યના ગૌ સેવકો અને પાંજરાપોળના સંચાલકોએ જે સહાય માટે વિરોધ પ્રદર્શન કર્યા હતા તે યોજનાને હવે ખુલ્લી મુકશે.અને સમયસર સહાય આપવાની બાહેધરી આપશે…
જોકે મોદીજી ની 29 અને 30 તારીખ સપ્ટેમ્બર 2022 ની મુલાકાતમાં ગઈકાલે મોદીજી જે પ્રમાણે એકદમ ઝડપી અને વાયુવેગે સુરત અને ભાવનગરના રોડ સો યોજીને માનવ વેદની વચ્ચે કાર્યક્રમ પૂર્ણ કરીને અમદાવાદ આવીને સાંજે ઓલમ્પિક ની રમતો માટેનો એક નવો ઉત્સવ નો તેમણે મોદી સ્ટેડિયમમાં પ્રારંભ કરાવ્યો અને ગરબા મહોત્સવમાં પણ હાજર રહીને આરતી ઉતારીને પ્રજાને એક જુદા જ રૂપનો અનુભવ કરાવ્યો આવા સમાચારો ગૌ સેવકો અને પાંજરાપોળના સંચાલકોના મળતા તેઓમાં વિડીયો વાયરલ થયા હતા કે મોદીજી લખલુટ ખર્ચા કરીને આવીને ભાઈઓ-બહેનો ના ભાષણો આપીને જતા રહે છે અને ગૌમાતાઓ મરી રહી છે પણ તેનો કોઈ પણ નિર્ણય લેવામાં આવતો નથીઅને સી.એમ જાણે કેન્દ્ર સરકાર ના સ્ટેમ્પ હોય તેમ મગ નુનનામ મરી પાડતા નથી અને પી.એમ કાર્યાલય હોમ વર્ક આદેશ પ્રમાણે કામ કરે રાખે છે.
આખરે ઉકળેલા ચરું જેવા આ પ્રાણ પ્રશ્નને ચૂંટણીની સામે ઠારવા માટે રાજ્ય સરકારે જે વચન 500 કરોડનું આપ્યું હતું તેની યોજના નો તાત્કાલિક અમલ કરીને મોદીજીએ આખા બનાસકાંઠામાં કોઈપણ જાતનો અજંપો ચૂંટણી પહેલા થાય નહીં તે માટે આ યોજનાને પ્રારંભ કરવા માટે મન મનાવી લીધું અને રાતો રાત બધી જાહેરાતો કરીને મોદીજી આજે આ રાહત સહાય ના પેકેજ ને લીલી જંડી આપી દેશે.અને તેની જાહેરાતો પણ અખબારો.મીડિયામાં સરકારી ખૂબ ખર્ચ કરી જાહેરાતો કરવામાં આવી છે..
સાથે સાથે સમગ્ર બનાસકાંઠાની અંદર 7908 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ ના પણ ખાતમુરત કરશે અને મોદીજી તારંગા હીલ થી આબુરોડ રેલવે લાઇનનું ભૂમિ પૂજન પણ કરીને અંબાજીમાં એક મોટી જાહેર સભાને સંબોધન કરશે અને ત્યારબાદ અંબાજીના ગબ્બર ખાતે જઈને મહા આરતી ની અંદર પણ ઉપસ્થિત રહેશે .આમ મોદીજી પોતાના વતન vadnagar નજીક સમગ્ર બનાસકાંઠા માં મારા વખત માં મારા નામની તકતી લગાવી મે કાર્ય કર્યું છે તેવા ઇતિહાસ બનાવી આગળ વધી રહ્યા છે.
આમ પ્રધાનમંત્રી આવાસ યોજના પંડિત દિન દયાલ ઉપાધ્યાય આવાસ યોજના ડોક્ટર આંબેડકર આવાસ યોજના આદિજાતિ વિભાગ અને ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના કુલ ૧૯૬૭ કરોડના ખર્ચે બનેલા 863 આવાસોનું ખાતમુરત અને 53,172 આવાસનું લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે પણ કરવામાં આવનાર છે એ ઉપરાંત 124 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અંબાજી બાયપાસ રોડનું ખાતમુરત અને 85 કરોડના ખર્ચે નિર્માણ પામેલા મીઠા થરાદ ડીસા લાખણી રોડનું પણ તેઓ લોકાર્પણ કરશે.
2,798 કરોડના ખર્ચે નિર્માણ થનારી તારંગા ઈલાબુ બ્રોડગેજ રેલવે લાઇનનું તેઓ ભૂમિ પૂજન કરશે એ ઉપરાંત ડીસા એરફોર્સ સ્ટેશનમાં 1000 કરોડના ખર્ચે રન્વે અને સંબંધિત ઇન્ફાસ્ટ્રક્ચરનું ભૂમિપૂજન કરશે ત્યારબાદ 188 કરોડના ખર્ચે નિર્મિત 62.15 કિલોમીટરની પાલનપુર મહેસાણા રેલ્વે લાઈનનું પણ લોકાર્પણ કરવાના છે.
અંબાજીની જાહેર સભામાં વડાપ્રધાન દ્વારા વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે ત્યારબાદ તેઓ સાંજે સાતથી સાડા સાત વાગ્યા સુધી અંબાજી મંદિરમાં પૂજા કરવા માટે જશે ત્યારબાદ તેઓ ગબ્બરમાં મહા આરતીમાં ભાગ લેશે અને અંબાજી ખાતે પ્રસાદ યોજનાના અંતર્ગત ભાવિકોની સુવિધા માટે વડાપ્રધાન 53 કરોડના ખર્ચે વિવિધ બીજા વિકાસ કાર્યોનું પણ ભૂમિ પૂજન કરશે આમ સમગ્ર ગુજરાતની અંદર સુરત ભાવનગર બનાસકાંઠા અને અમદાવાદ અંતર્ગત આશરે 10,000 કરોડથી પણ વધારે વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુરત કરીને મોદીજી બે દિવસનો પ્રવાસ પૂર્ણ કરીને મોડી રાત્રે દિલ્હી પાછા ફરશે.
અભેખ સુરક્ષા વચ્ચે અનેક જગ્યાએ અગાઉથી ટ્રાફિક બંધ કરીને મોદીજી ના બે દિવસ ના સમગ્ર કાર્યક્રમ માં આખે આખું તંત્ર માત્ર મોદીજી પાછળ લાગી ગયું છે..
પ્રદીપ રાવલ..તંત્રી ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક
Janfariyadnews…ચેનલ
ગાંધીનગર