Breaking news
એસ.ટી બસ પાલનપુરથી છોટા ઉદેપુર જઈ રહી હતી અને મહદંશે પાલનપુરના મુસાફરો ભરેલી બસનું સ્ટેયરીંગ લૉક થઈ જવાથી ડ્રાઈવર કંઈ કરે તે પહેલા બસ ચૉકડીઓમાં પટકાતા પલ્ટી ખાઈ ગઈ હોવાનું મુસાફરો જણાવી રહ્યા છે.
સિધ્ધપુર ખળી ચારરસ્તા પાસે બસ પલ્ટી ખાઈ જતા ગંંભીર અકસ્માત, ઘાયલોને સિધ્ધપુર સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે. ડ્રાઈવર કંડકટર સહીતના સાત મુસાફરો ગંભીર ઘાયલ હોવાના સમાચાર.
શહેરના સામાજિક સેવાભાવી કાર્યકરો સીવીલમાં દોડી આવ્યા.
હોસ્પિટલના અધિકારી દ્વારા પોલીસને વર્ધી આપવામાં આવી.
પ્રતિનિધિ : સિદ્ધપુર