[6/29, 3:41 PM] Bharat Sanghaani.MEM (Kaushik Shah): NOG:SS:NO.: 0101
વિષય:પરંપરાગત રથયાત્રા
પ્રકાર : ગદ્ય
શબ્દો : ૪૦૪
શીર્ષક : જગન્નાથજીના મંદિરની મૂર્તિઓનું નિર્માણ
સ્કંદપુરાણ મુજબ ભગવાન વિષ્ણુ નિલમાધવના રૂપમાં અવતાર લઇ પુરીમાં બિરાજ્યાં.
અત્યારે જે મંદિર છે તે સાતમી સદીમાં બન્યું છે.
બેન સુભદ્રાને તેમના પિયર દ્વારિકા પ્રત્યે ખૂબ લગાવ હતો તેથી તેમની ઈચ્છા પરિપૂર્ણ કરવા માટે શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાએ અલગ રથોમાં બેસીને દ્વારિકાનું પરિભ્રમણ કર્યું હતું. ત્યારથી આજ સુધી પુરીમાં દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે રથયાત્રા કાઢવામાં આવે છે. પુરીના આ મંદિરમાં ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની કાષ્ટ (લાકડી)ની મૂર્તિઓ છે. જેની પાછળ એક અદભુત કથા સંકળાયેલી છે. તેની વાત કરતાં તે કથાની પાર્શ્વભૂમિ તરફ આપણે એક દષ્ટિપાત કરીયે.
માતા યશોદા, દેવકી, કૃષ્ણની બહેન સુભદ્રા સાથે વૃંદાવનથી દ્વારકા આવે છે, ત્યારે ત્યાં હાજર બીજી રાણીઓ તેમના કક્ષમાં ભેગી થઈ કૃષ્ણની બાલ લીલાઓ સંભળાવવા કહે છે.
તેમની વાતો કાનો અને બલરામ સાંભળે નહીં અને કક્ષમાં અચાનક ન આવી ચઢે એટલે બહેન સુભદ્રા દરવાજે પહેરો ભરવા ઉભી રહી.
જેમ જેમ યશોદાજી લીલાઓ સંભળાવતી ગઈ તેમ તેમ બધાં તેમાં ઓતપ્રોત થતાં ગયાં, બેન સુભદ્રા પણ પહેરો ભરવાનું ભૂલી તેમની વાતો સાંભળવા લાગી કૃષ્ણ બલરામ ત્યાં ક્યારે આવી ગયાં તેનો ખ્યાલ પણ ન રહ્યો. તેઓ પણ તેમની પોતાની લીલાઓની વાતચીત સાંભળી આશ્ચર્યચકિતથાતી તેમની આંખો પહોળી થઈ ગઈ. બેન સુભદ્રા પ્રેમભાવથી પીગળવા લાગ્યાં, તે જ કારણ છે કે જગન્નાથ મંદિરમાં તેમની મૂર્તિ બલરામ કૃષ્ણ કરતાં નાની છે.
તે જ વખતે નારાદમુની ત્યાં આવી પહોંચ્યા, વાત અધૂરી રહી તેમણે પ્રભુને કહ્યું તમે કેટલાં સુંદર લાગો છો . આ રૂપમાં અવતાર ક્યારે લેશો?
ત્યારે કૃષ્ણે કહ્યું કલિયુગમાં.
હવે આપણે મૂળ કથા પર આવીએ.
વચન મુજબ કલિયુગમાં શ્રીકૃષ્ણ રાજા ઇન્દ્રદ્યુમ્નના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું: પુરીમાં દરિયા કિનારેના એક વૃક્ષની લાકડીમાંથી મૂર્તિનો આકાર કંડારવામાં આવે ને પછી તેને મંદિરમાં સ્થાપના કરવામાં આવે.
રાજાએ આ કામ માટે એક વૃદ્ધ દક્ષ સુથારને કાર્ય સોંપ્યું. તેણે શરત મૂકી કે તેઓ આ મૂર્તિઓ બંધ ઓરડામાં જ બનાવશે અને એનું કામ જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી કોઈએ પણ ઓરડાનો દરવાજો ખોલવો નહીં અને ખોલશે તો તે કાર્ય અધૂરું છોડીને ચાલ્યો જશે.
રાજાએ એક દિવસ આતુરતાથી ઓરડાનો દરવાજો ખોલી નાખ્યો તો જોયું તો હજી મૂર્તિઓ અધૂરી હતી ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે બ્રાહ્મણ બીજું કોઈ નહીં પણ વિશ્વકર્મા પોતે હતા. પણ શરત મુજબ તે ત્યાંથી ચાલ્યા ગયા, અંતર્ધ્યાન થઈ ગયા.
ભગવાન નિલમાધવ(કૃષ્ણ), અને તેમના ભાઈ બલરામના હાથ નાના નાના બન્યા હતાં, અને બંનેના પગ ન હતાં જ્યારે સુભદ્રાના હાથ પગ બન્યા જ ન હતાં.
જેવી ભગવાનની ઈચ્છા તેમ માની રાજાએ તે અધૂરી મૂર્તિઓની જ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરી સ્થાપિત કરી.
ત્યારથી આ મૂર્તિઓ આજ સુધી અધૂરી જ છે. તે જ રૂપમાં ભાઈ બહેનો આજે પણ બિરાજે છે.
— *ભરત સાંગાણી*
[6/29, 5:48 PM] Mina Mangroliya.MeM.NOG: NOG:SS:NO.: 0032
વિષય:પરંપરાગત રથયાત્રા
પ્રકાર : પદ્ય
શીર્ષક : *અષાઢી બીજ*
વરણાગી મોરલો ટહુક્યો,
અષાઢીબીજે.
અને આકાશી મેહ ગર્જયો.
વરસતો મેઘલો,
અને ઘટાટોપ વાદળનો
જામ્યો છે આજ રુડો મેળો.
વીજળીના ચમકારે,
આજ આવી વરસાદી વણજાર.
એક એક પોરાંને ઝીલવા ,
સૌ તૈયાર આજ બાળુડાં.
અને મોટેરા કરે ખીલખીલાટ.
આજ નીકળી સવારી જગન્નાથજીની,
સુભદ્રા,બલરામ અને શ્રીકૃષ્ણ સાથ.
આજ રાધા પણ ખીલી,
એના કાના,ગોપીઓ સંગ.
*મીના માંગરોલીયા મીનું*
*અમદાવાદ*
29/6/2022