GN_31-05-2022.
[5/29, 11:05 PM] Ghanshyam Nayak.MeM.NOG �ાઈ: NOG ૦૦૧૩
પ્રકાર ગદ્ય
વિષય: આવડત અણઆવડત
શીર્ષક : સંતુલન
આવડત અણઆવડત,
અણઆવડત આવડત,
અશુભ શુભ
શુભ અશુભ, શુભ લાભ,
લાભ શુભ, મંગળ અમંગળ,
આ જીવનના બે આવશ્યક અંગો છે. આ બે વચ્ચેનું
સંતુલન જાળવવું એ પણ એક કળા છે,
એક આવડત છે.ક્યારે શંકા કરવી અને ક્યારે આશંકા અને તેનું પ્રમાણ કેટલું જાળવવું તે જાણવું એજ તો આવડત છે, અને ડહાપણ પણ છે.
અણઆવડત એટલે આશંકામાં થી શંકા અને
શંકા એટલે પ્રવૃત્તિમાં
નિવૃત્તિ અને નિવૃત્તિમાં
પણ નિવૃત્તિ એજ અંતિમ અણઆવડત ની ઓળખાણ.
અણઆવડત વખતે
આપણે મુશ્કેલીઓ અનુભવીએ છીએ તેનું
કારણ એ છે કે આપણે શંકા
વાળી ઘટનાઓને વધારે પડતું મહત્વ આપીએ છીએ.
કારણ વિનાની સેવા
કારણ વિનાનો પ્રેમ
બુદ્ધિ વિનાનું જ્ઞાન
આ બધી જ વસ્તુઓ
નોતરે છે શંકા જેને આપણે
અણઆવડત નું નામ
આપીએ છીયે.
અણઆવડત એ બોજ છે.
એ આપણી સફળતા, સરળતા ,લાગણી અને
આનંદ છીનવી લેતો હોય છે
આવડત ત્યારેજ કહેવાય જ્યારે તમે બુદ્ધિ થી ઉપર
તર્ક કરતા શીખો.
શિસ્ત, શિક્ષણ, સામાન્ય જ્ઞાન અને ગુરુ જ તમને આવડત શું છે, કોને
કહેવાય એ સમજાવશે.
માછલી જ્યાં સુધી પાણીમાં છે ત્યાં સુધી આવડત વાળી છે,જેવી એ પાણીની
બહાર આવે કે તરત જ એનામાં અણઆવડત દેખાઈ આવે છે.
ગપ્પા મારવા, નકારાત્મક વાતો કરવી,અણગમો જાહેર કરવો, એક સરખી
આકાંક્ષાઓ રાખવી, શત્રુ
ઊભા કરવા,સરખી કુટેવો વાળા સાથે રખડવું આ બધું
અણઆવડત ની નિશાની
ગણાય છે.
સત્સંગમાં બેસો, સારા પ્રસંગોનું વર્ણન કરો,
પ્રવચન સાંભળો આ બધું આવડત મેળવવાની અને આવડત કેળવવાની નિશાનીઓ છે.
એકંદરે આવડત અણઆવડત,
બંને આપણા
મનની અભિવ્યક્તિ છે.
ઘનશ્યામ વ્યાસ.
✍
[5/30, 12:52 AM] Dr.Aniruddh Vyas.MeM.0082NOG: N o g : s s 0082
વિષય : આવડત અણઆવડત
પ્રકાર : ગદ્ય
શીર્ષક : “જીંદગી એક અનુભવનું
ભાથું”
દરેક કાર્યમાં રુચિ , એકાગ્રતા,
કામ પ્રત્યે લગન , સભાનતા, અને તાલબદ્ધતા અંતે એક સુંદર
આવડતમાં રૂપાંતર પામે છે ,
કોઈ પણ પ્રકારના કામમાં નિપુણતા હોવી જરૂરી નથી,
વ્યવસાયિક કાર્ય , પેઢી દર પેઢી થી ચાલ્યું આવતું કાર્ય ,
જેવાકે ,
દરજી , પેઈન્ટર , ગોરપદુ, દુકાનદારી, વૈદકિય વ્યવસાય,
આબધુજ બાળકોને ગળથુથીમાં
જન્મજાત સંસ્કારથી પ્રાપ્ત થાય છે , જેને આપણે લોહીના સંસ્કારથી મળેલ બિન આવડત હોવા છતાં પ્રાપ્ત થયેલ આવડત મા પરિણમે છે ,
” બાળક જેવું જોવે તેવું શીખે ”
આ ઉક્તિ અંતે આવડત કે બિન
આવડત મા રૂપાંતરિત થાય છે
સંતુર વાદક શિવ કુમાર શર્માનો દીકરો ઉતરાધિકારી તરીકે સંતુર વાદક જ થાય , પંડિત ગુલામ હુસેન નો દીકરો સારો તબલાવાદક બનવામાં તેને લોહીના સબંધો જ તેની આવડત પૂર્ણ કરવામાં મદદ કરે છે ,
ગીતાબેન ખાખરા વાળાના વંશજો પણ તેમના પૂર્વજોના વ્યવસાયથી ઉતરાધિકારી બને છે ,
“સમય બડા બળવાન”
આ ઉક્તિ મુજબ સમય આવ્યે ગમેતે વ્યક્તિ લાચારીથી કે પોતાના વર્ષોના સંશોધન અને અનુભવ જ્ઞાનથી પોતાના કામમાં પ્રવીણ થાય છે ,
“મને આવડતું નથી” એવુ કહેનારા પોતાની લાચારી કે મજબૂરી નું વર્ણન કરતાં નથી
પણ ધ્યાન પરસ્ત બની રૂચિ પેદા કરી ” હું આ કાર્ય ચોક્કસ કરીશ
તેવી ભાવના દિલમાં પેદા કરી જો પ્રયત્ન કરે તો તે અશક્ય તો નથી જ ,
ઘણાં લોકો માં એવી ભાવના હોયછે કે ” મારું કામ બીજા કરી લે ”
આવા સદ્દ ગૃહસ્થો શારીરિક, માનસિક , અને આર્થિક રીતે નબળી વૃત્તિ ધરાવતા હોય છે,
મુજમે ઇતની બુલંદી હે કે મે
કુછ કરકે દિખાઉ,
દો હાથોમે ઇતના દમ હે કે
મે કુછ બનકે દિખાઉ,
હાથોકી લકીર પર ભરોસા મુજે
પિઘલતે આસમાનસે છું જાઉં,
જો દિલને સોચા હે પ્રભુ મેરે
તુજસે માંગકર મે મુસ્કુરાઊ..
ડો અનિરુદ્ધ વ્યાસ નડિયાદ
****************************
N o g : ss 0082
વિષય : માન – અપમાન
પ્રકાર : ગદ્ય
શીર્ષક : ” માન અને અપમાન
એક અદ્રશ્ય અનુભુતિ ”
સારુ વચન બોલવામાં આવે તો
માન , અને કટુ પણ સત્ય વચન બોલવામાં આવે તો અસહ્ય અપમાન ,
દરેકના જીવનમાં આવી પરિસ્થિતિ નુ નિર્માણ થતું હોય છે ,
વડીલ વર્ગ જ્યારે જીવનોપયોગી
માર્ગદર્શન આપે છે ત્યારે યુવા વર્ગ તેનું અવમૂલ્યન કરી વિરોધાભાષી દૃષ્ટિકોણ દર્શાવી
સલાહને અવગણે છે ,
માન મેળવવું દરેકને ગમે છે અને અપમાનને દરેકનેપચાવવું અઘરું છે ,
માન અપમાન મળવાની પરવા કર્યા વગર જે વ્યક્તિ દ્રઢ નિર્ધાર થી જે સામનો કરે છે તે સદાય જીવનમાં વિજયી ભવ થાય છે ,
અપેક્ષા દુનિયામાં દરેક રોગનું મૂળ છે ,. જીવનમાં સરળતા,
મૃદુતા , સંયમ , સદ વ્યવહાર,
વાણી સાલસતા , વગેરે તમને
અપમાનિત પરિસ્થિતિ માથી
બહાર લાવે છે ,
દેવાધિદેવ મહાદેવ જે હિન્દુ ધર્મ નાં પ્રતીક રૂપ કહેવાય ,તેમને પણ
અપમાનિત થવાની ક્ષણો માથી
પસાર થવું પડ્યું હતું ,
જ્યા તમને માન ન પ્રાપ્ત થાય ત્યાં થી તમે દૂર રહી અપમાનિત થવાની શક્યતા થી બચી શકો છો ,
“માન મળે તો હરખાઈ ન જવું
અને અપમાન યાને માનહાનિ થાય તો ચલિત ન થવું”
આવી વિચારધારા પાકટ ઉંમરની અવસ્થા બાદજ નિર્માણ થાય છે,
બાલ્યાવસ્થામાં માન અપમાનને સ્થાન નથી ,
યુવાવસ્થામાં માન અપમાન ગૃહ
પ્રવેશ કરે છે ,
ગૃહસ્થાશ્રમમાં માન અપમાન
લીલાં તોરણે” વાદ વિવાદ , ચડશા ચડસી રૂપે ,મારું તારું સ્વરૂપે, ઘરનાં સભ્યોના સ્વભાવ સ્વરૂપે, ” ચરમ સીમાએ આતંક વાદી રૂપે “કોનામાં કેટલી સહન શક્તિ છે ” તેની અગ્નિ પરીક્ષા કરવા મજબૂર થાય છે ,
જીવનમા મધુરતા એટલે અપમાનની સમાપ્તિ ,
જીવનમા કડવાશ એટલે જીવનની સમાપ્તિ ,
એટલે જ કહ્યું છે કે,
જી લે બંદા યે જીંદગી
જીવન કી નૈયા બડી ન્યારી
અપનો સે જોડ નાતા
ખુશનસીબ યે તેરી સવારી
ન સુખ ન દુઃખ કી કર ચિંતા
યે ઊપર વાલેને બનાયી હે
ઘરવાલિકો તું રખ સુખમે
બુઢાપે કી યે હશીન સવારી હ
ડો અનિરુદ્ધ વ્યાસ
નડિયાદ